Opinion Magazine
Number of visits: 9557376
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હોસ્પિટલનું ગુજરાતી હવે સ્મશાનગૃહ થાય એવું બને …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|22 November 2024

રવીન્દ્ર પારેખ

કડીનાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો ને તેમાંથી 19 દર્દીને સારવાર માટે અમદાવાદની આ હોસ્પિટલે બોલાવાયા. દર્દીઓ આવ્યા તો તેમને પૂછ્યા વગર જ સ્ટેન્ટ મૂકી દેવાયા. સ્ટેન્ટ મુકાયા પછી સિત્તેર વર્ષના સેનમ નાગર મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશ ગિરધરભાઈનું મૃત્યુ થયું. દેખીતું છે કે આવું થાય તો પરિવારજનોનો રોષ ભભૂકી ઊઠે. પરિવારોએ વિરોધ કરતાં આરોપ મૂક્યો કે હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ કરી પૈસા પડાવવા દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ મૂક્યાં અને બે દર્દીઓના આ વેપલામાં મોત થયાં. રાજ્ય સરકારે રાબેતા મુજબ તપાસના આદેશો આપ્યા. રાબેતા મુજબ તપાસ શરૂ થઈ. તપાસ દરમિયાન સાતેક હોસ્પિટલો સસ્પેન્ડ થઈ. ચારેક ડોકટરો સસ્પેન્ડ થયા, જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડો. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. તપાસ તપાસ ચાલે છે ને કડક કડક કાર્યવાહીનો દોર પણ ચાલે છે. જો કે, આ મામલો કડી પૂરતો સીમિત નથી. ખ્યાતિ હોસ્પિટલના રડાર પર સાણંદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લા પણ હતા. આ વિસ્તારોમાં મફત મેડિકલ કેમ યોજાતા હતા ને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ હતા તેવા દર્દીઓને હોસ્પિટલે બોલાવીને, તેમની જાણ બહાર સ્ટેન્ટ મૂકી દઈને, આયુષ્યમાન કાર્ડમાંથી સરકાર પાસેથી પૈસા પડાવી લેવાતા હતા. આ સ્ટેન્ટ મૂકવામાં પણ ભેદભાવ થતો હતો. આયુષ્યમાન કાર્ડ હોય તેને હલકી કક્ષાનું ને રોકડા આપનારને સારામાંનું સ્ટેન્ટ નખાતું હતું.

ડો. પ્રશાંત વજીરાણી જેવા તો ઓઠું છે. ખરા કારીગરો તો હોસ્પિટલના સંચાલકો છે, જે ડોકટરોને ટાર્ગેટ આપે છે ને ચોક્કસ સમયમાં હાર્ટ સર્જરી કરવાનું દબાણ કરે છે. આયુષ્યમાન યોજના હેઠળ છેલ્લાં પાંચ વર્ષમાં 46 લાખ દર્દીઓ પાછળ ગુજરાતમાં 9,000 કરોડથી વધુનો ખર્ચ થયો છે. ખ્યાતિ કાંડ મામલે પોલીસ પણ પહોંચી છે ને તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. આયુષ્યમાન કાર્ડ ધારકને કોઈ ખર્ચો નથી એમ કહીને સારવાર માટે હોસ્પિટલે ખેંચવામાં આવતા અને એમ કરીને ડોકટરો દર્દીઓને જ નહોતા વેતરતા, સરકારને પણ વેતરી નાખતા હતા. આયુષ્યમાન કાર્ડમાંથી જે જે રકમો ઊપડી છે તે કરોડોની રકમ હવે સરકાર હોસ્પિટલ પાસેથી વસૂલશે. એ તો બરાબર, પણ આ ડોકટરો એકલી સરકારને જ વેતરીને રહી ગયા નથી, અન્ય દર્દીઓને પણ આ નિર્લજજોએ લૂંટવામાં કૈં જ બાકી નહીં રાખ્યું હોય એ  સ્પષ્ટ છે. એમાંના ઘણા ગુજરી ય ગયા હશે, એમને તો ન્યાય નહીં જ મળવાનોને ! ગુજરાતમાં કોર્પોરેટ-ખાનગી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને મોકલીને સરકારી યોજના દ્વારા કરોડો કમાવાનું વ્યવસ્થિત કૌભાંડ ચાલે છે. ગામડાંના નાના ડોકટરો આવા દર્દીઓને મોકલીને ભારે દલાલી ચાટતા હોય છે. કોઠાના દલાલો કરતાં આ લોકો વધારે બદતર છે. ગુજરાતની 800 હોસ્પિટલોની તપાસ કરવાની વાત છે. તપાસનો ખેલ એવો છે કે એ શરૂઆતમાં ચાલે છે ને પછી તેનું ક્યારે પડીકું વળી જાય છે તેની ખબર જ પડતી નથી.

ડોકટરો દર્દી માટે ભગવાન છે. એ બિચારાઓને ખબર નથી કે જેમને એ ભગવાન માને છે તે તો ભગવાન પાસે પહોંચાડનારા દલાલો છે. એ શું જાણે કે આયુષ્યમાન કાર્ડ આયુષ્ય ઘટાડશે ! એ તો મૂરખની જેમ ડોકટરોને હવાલે થયા ને ડોકટરોએ જરૂર ન હતી તો ય સ્ટેન્ટ મૂકીને મોતને હવાલે કર્યા. આ હોસ્પિટલો, તેના સંચાલકો, તેના ડોકટરો એટલા ગરીબ છે કે દર્દીને આગળ કરીને સરકારનું ખીસું કાતરી લે છે. કોઈ હેવાન પણ ન આચરે એવી નીચતા આ ડોકટરો આચરે ત્યારે દર્દીઓએ હોસ્પિટલ જવા કરતાં ઘરે જ મરી રહેવું બહેતર છે એમ કહેવાનું મન થાય, કારણ હોસ્પિટલમાં તો ગમે તેવી ચીરફાડ પછી પણ મરવાનું તો કર્મે ચોંટેલું જ છે.

ખ્યાતિ હોસ્પિટલના આવા જઘન્ય અપરાધ પછી ઝાંસીની મેડિકલ કોલેજમાં શુક્રવારે રાત્રે વિસ્ફોટ થયો અને તે પછી લાગેલી આગમાં 11 નવજાત શિશુઓનો ભડકો થઈ ગયો. બારીના કાચ તોડીને 39 બાળકોને તો બચાવી લેવાયાં, પણ જેમને જીવન શું એની ખબર પડે તે પહેલાં જ 11 કૂમળા જીવો ફૂંકાઈ ગયા. ઓક્સિજન કોન્સેન્ટ્રેટરમાં સ્પાર્ક થતાં આગ ફાટી નીકળી ને નવજાત જીવો તેમાં હોમાઈ ગયા. પછી તો અહીં પણ ઉચ્ચ સ્તરીય બેઠકો શરૂ થઈ. મંત્રીઓ દોડ્યા. ચોમેર તપાસ તપાસ થઈ રહ્યું. જવાબદારો સામે કડક પગલાંની રાબેતા મુજબ ઘોષણા થઈ. રાબેતા મુજબ યુ.પી. સરકારને વિપક્ષે જવાબદાર ઠેરવી. બાળકોનાં પરિવારજનોએ હોબાળો કર્યો. વડા પ્રધાને દુ:ખ વ્યક્ત કર્યું. પછી વળતર-મળતરની જાહેરાત થઈ. યુ.પી. સરકારે મૃતકોના પરિવારને પાંચ પાંચ લાખની અને ઘાયલોના પરિવારજનોને પચાસ પચાસ હજારની જાહેરાત કરી. પછી રિપોર્ટ રિપોર્ટ ચાલ્યું. આ બધું રાબેતા મુજબ ચાલશે ને નવી ઘટના બને ત્યાં સુધી ફરી બધાં ઘોરી જશે.

આમ તો ફાયર સેફટી ઓડિટ કરવામાં આવ્યું હતું, પણ બહાર એવું આવ્યું કે ફાયર સેફટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હતી. બાળકોને એન.આઈ.સી.યુ.માં રાખવામાં આવ્યાં હતાં. તેનાં બે ભાગ હતા. અંદર એક ક્રિટિકલ યુનિટ હતું, જ્યાં સૌથી વધુ બાળકો ભડથું થયાં, કારણ ત્યાં એન્ટ્રી-એક્ઝિટનો એક જ માર્ગ હતો ને તે ધુમાડાથી ભરાઈ ગયો હતો. ફાયર એલાર્મ સિસ્ટમ હતી, પણ આગ લાગી ત્યારે જ તે વાગી ન હતી. એલાર્મ વાગ્યું હોત તો બાળકો બચી શક્યાં હોત. પેરામેડિકલ સ્ટાફ બચાવમાં લાગવાને બદલે ભાગી છૂટયો હતો.

આ બધું પહેલીવાર બન્યું ન હતું, પણ દરેક વખતે જવાબદારો નવો જ અનુભવ કરતાં હોય તેમ આશ્ચર્ય મુગ્ધ થઈને વર્તતા હોય છે. ઓક્સિજનના અભાવે બાળકોનાં મોતની ઘટના યુ.પી.માં અગાઉ થઈ છે. ત્યારે ઓક્સિજન, સપ્લાય એજન્સીએ રોકી દીધો હતો ને આ વખતે વક્રતા એ છે કે ઓક્સિજન કોન્સન્ટ્રેટરમાં થયેલો સ્પાર્ક, બાળકોનાં મોતનું કારણ બન્યો. શોર્ટ સર્કિટની આટલી ઘટનાઓ બને છે છતાં સાધનોની પૂરતી તપાસ સમયે સમયે થતી જ નથી. આ વર્ષે જ 25 મે-એ દિલ્હીની વિવેક વિહારમાં આવેલી હોસ્પિટલમાં આગ લાગતાં 7 નવજાત શિશુઓ ભડકો થઈ ગયેલાં. 2021માં ભોપાલની કમલા નહેરુ હોસ્પિટલમાં આગ લાગવાથી 4 બાળકોનો ધુમાડો થઈ ગયો હતો. 2021માં જ મહારાષ્ટ્રના ભંડારાના નવજાત ચિકિત્સા વોર્ડમાં આગ લાગતાં 10 નવજાત શિશુઓનાં મોત થયાં હતાં. 2011માં કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગતાં 89 લોકો બળી મર્યાં હતાં. એટલે ઝાંસીની ઘટના કૈં પહેલી નથી, પણ તેને લગતી કાળજી રખાવી જોઈએ તેવી ક્યારે ય રખાતી નથી. આવી ઘટના પછી પ્રશાસન ધંધે લાગે છે. બધું રાબેતા મુજબ થતું રહે છે ને થોડી ઘણી સરકારી ખેરાતથી પીડિતો નાછૂટકે મન મનાવી લે છે.

ગયા મે મહિનામાં રાજકોટમાં ગેમ ઝોન કાંડ થયો ને ટી.આર.પી.માં આગ લાગવાથી 12 બાળકો સહિત 27 લોકોનાં મોત નીપજ્યાં, તેને પગલે એવો જુવાળ આવ્યો કે રાજ્યભરના ગેમ ઝોન બંધ થઈ ગયા. સમિતિ રચાઈ. સહાય અપાઈ ને હવે ગેમ ઝોન ફરી ધમધમે છે. મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો ને 130થી વધુ લોકોએ જળસમાધિ લીધી. તે સાથે બધા પુલ પર તવાઈ આવી. કમિટી રચાઇ ને અત્યારે મુખ્ય આરોપી જયસુખ પટેલને જામીન મળતાં તેમની મોદક તુલા થઈ અને અત્યારે આરોપી સુખમાં છે. ઇસ્કોન બ્રિજ પર તથ્યકાંડ થયો ને નવ લોકો એમાં કચડાઈ મર્યાં. તથ્ય અને તેના પિતાની ધરપકડ થઈ. તે પછી તો કચડી મારવાની એટલી ઘટનાઓ બની છે કે ‘તથ્ય’ બહાર આવતાં ડરે છે. આવું તો અનેક રીતે ને પ્રકારે થતું જ રહે છે, પણ બોધપાઠ લેવાની આપણને ટેવ જ નથી.

કોણ જાણે કેમ પણ ડોકટરો અત્યારે દર્દીઓની સોપારી લેવાની ભૂમિકામાં હોય એમ લાગે છે. અમુક રૂપિયા પડાવીને કોઈને પણ વેતરી નાખવાનું તેમને અનુકૂળ છે. હોસ્પિટલો અનેક સુવિધાથી સજ્જ હોવાનું દર્દીઓને બતાવાય છે, પણ પછી ફાયર સેફટીને નામે અલ્લાયો જ હોય છે. ઓક્સિજન સિલિન્ડરોની પણ કશી ખાતરી હોતી નથી. ‘સુપર સ્પેશિયાલિટી’ હોસ્પિટલનાં નામ પૂરતી જ રહી જાય છે. એમ લાગે છે કે હોસ્પિટલો સેવા માટે નહીં, પણ મેવા માટે જ છે. કોઈ પણ રીતે હરામની કમાણી કરવાનો એક માત્ર ઉદ્દેશ જ જગત પાસે બચ્યો હોય તેમ સૌ કોઈ સાચીખોટી રીતે કમાવા સિવાય બીજું કૈં વિચારતા જ નથી. ઠેર ઠેર કમાવાની લહાય ઊપડી છે, પરિણામે સર્વત્ર ભ્રષ્ટાચાર જ સર્વોપરી થયો છે. જોઈએ તેના કરતાં વધુ પૈસા મેળવવામાં લોહીનું પાણી થતું રહે છે ને એવી સ્થિતિ આવે છે કે ભઠ્ઠીમાં રાખ થવાથી વધુ પૈસાની જરૂર ખાસ પડતી નથી. કરોડો રૂપિયા પછી તો એમ જ પડી રહે છે કે કોઈ પારકું જ તે વાપરે છે. આ નથી સમજાતું એવું નથી, પણ સમજવું જ નથી ને મોંકાણ તેની છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 22 નવેમ્બર 2024

Loading

क्या भारत जोड़ो यात्रा विध्वंसकारी थी?

राम पुनियानी|Opinion - Opinion|22 November 2024

राम पुनियानी

महाराष्ट्र विधानसभा चुनाव के लिए प्रचार अभियान के दौरान भाजपा के शीर्ष नेता, पूर्व मुख्यमंत्री और वर्तमान उपमुख्यमंत्री देवेन्द्र फड़नवीस ने अपनी पार्टी के नजरिए को साफ़ कर दिया. द टाईम्स ऑफ इंडिया को दिए एक साक्षात्कार में और कई भाषणों में उन्होंने 2024 के लोकसभा चुनाव में भाजपा के बुरे प्रदर्शन का ठीकरा भारत जोड़ो यात्रा पर फोड़ा. उनके मुताबिक भाजपा, यात्रा द्वारा स्थापित किए गए नैरेटिव का कारगर प्रत्युत्तर देने में विफल रही. इसका नतीजा यह हुआ कि भाजपा राज्य में 2019 की 23 के मुकाबले 2024 में मात्र 9लोकसभा सीटों पर विजय हासिल कर सकी. इसी पृष्ठभूमि में वैकल्पिक नैरेटिव की स्थापना हेतु उन्होंने आरएसएस से जुड़े लगभग 30 संगठनों से संपर्क किया. उन्होंने इस खुले राज का खुलासा भी किया कि जब हालात मुश्किल हो जाते हैं तब वे अपनी पितृ संस्था आरएसएस से विचार-विमर्श करते हैं ताकि भाजपा की चुनावी संभावनों को बेहतर बनाया जा सके.

यदि हम पहली यात्रा की बात करें तो उसे ‘भारत जोड़ो यात्रा‘ नाम दिया गया था और वह 7 सितंबर 2022 को दक्षिण भारत से, तमिलनाडु के कन्याकुमारी से प्रारंभ हुई थी. इसका समापन जनवरी 2023 में उत्तर भारत में यानि जम्मू कश्मीर के श्रीनगर में हुआ था. इस यात्रा ने 12 राज्यों में 4,080 किलोमीटर की दूरी तय की थी. दूसरी यात्रा को ‘भारत जोड़ो न्याय यात्रा‘ नाम दिया गया था और यह पूर्व से पश्चिम की ओर हुई थी. यह यात्रा मणिपुर के थोबल से 14 जनवरी 2024 को प्रारंभ हुई थी और 15 राज्यों में 6713 किलोमीटर चलकर 16मार्च को मुंबई में समाप्त हुई थी.

फड़नवीस के मुताबिक अब राहुल गांधी अर्बन नक्सलों और अति वामपंथी तत्वों से घिरे हुए हैं और वे कांग्रेसी कम और अति वामपंथी विचारक ज्यादा बन गए हैं! दक्षिणपंथी अपने गुरू एम. एस. गोलवलकर के नजरिए के मुताबिक (बंच ऑफ थाट्स, पृष्ठ 133) मुसलमानों, ईसाईयां और कम्युनिस्टों को हिन्दू राष्ट्र का आंतरिक शत्रु मानते हैं, और इसलिए फड़नवीस और उनके जैसे लोग हिंदू राष्ट्र के एजेंडे के खिलाफ जो कुछ भी होगा उसे या तो मुसलमानों या ईसाईयों का तुष्टिकरण बताएंगे या अर्बन नक्सलियों या अति वामपंथियों की करतूत. अर्बन नक्सल शब्द का प्रयोग सभी मानवाधिकार कार्यकर्ताओं के लिए किया जाता है. अति वामपंथी शब्द का इस्तेमाल समाज के सभी वंचित वर्गों के लिए काम करने वाले लोगों के लिए किया जाता है.

भारत जोड़ो यात्रा (बीजेवाय) की परिकल्पना और उसे निकाले जाने का उद्धेश्य क्या था? स्पष्टतः उस समय तक 8-9 साल पूरे कर चुकी मोदी सरकार के सत्ता में रहने के दौरान भारतीय संविधान में निहित मूल्यों के संरक्षण के पक्ष में उठने वाली आवाजों को दबाया गया था. यह सरकार की नीतियों के कारण समाज में व्याप्त बैचेनी की परिणति थी, वे नीतियां जिनके अंतर्गत मुसलमानों के नागरिक अधिकारों पर प्रहार किया जा रहा था और सामान्य नागरिकों की स्थिति खराब होती जा रही थी. इस यात्रा के जरिए भारत को उसी तरह एक करने का लक्ष्य था जैसा महात्मा गांधी उपनिवेश-विरोधी आंदोलन के जरिए किया था.

बीजेवाय का एजेंडा क्या था? जैसा नाम से ही स्पष्ट है, इसका लक्ष्य जाति, रंग, पंथ एवं लिंग की सीमाओं के परे भारतवासियों में एकता की भावना पैदा करना था. साथ ही जातिगत जनगणना सहित समाज के सबसे वंचित वर्गों के अधिकारों की मांगों को उठाना भी था. इस यात्रा का जादुई असर हुआ. समाज के प्रायः सभी वर्गों के लोग या तो इसमें शामिल हुए या उन्हांने इसमें दिलचस्पी ली. उन्होंने यह महसूस किया कि कई वर्षों की बांटने वाली राजनीति और धनी व समृद्ध लोगों की पक्षधर नीतियों से देश की एकता को धक्का पहुंच रहा है और सामान्य लोगों के कष्ट बढ़ रहे हैं. उन्हें ऐसा लगा कि इस यात्रा से हालात कुछ बेहतर होंगे.

 यह यात्रा उद्धेश्य एवं प्रभाव की दृष्टि से फड़नवीस की ही पार्टी के लालकृष्ण आडवानी की यात्रा के ठीक विपरीत थी. आडवानी की यात्रा एक भावनात्मक मुद्दे पर थी, जो इस धारणा पर आधारित थी कि एक हिंदू मंदिर को एक मुस्लिम राजा ने सदियों पहले नष्ट कर दिया था. आडवानी की यात्रा के पूरे मार्ग पर हिंसा हुई और खून बहा. और बाद में जब इसके नतीजे में बाबरी मस्जिद ढ़हाई गई तब और हिंसा हुई और समाज में मुस्लिमों के प्रति नफरत बढ़ी. उस यात्रा की वजह से, जिसका फड़नवीस ने उल्लासपूर्वक स्वागत किया था, इस साम्प्रदायिक पार्टी की शक्ति में इजाफा हुआ.

यह यात्रा (बीजेवाय) इसके ठीक विपरीत थी. इसमें कोई भावनात्मक मुद्दा नहीं था. इसमें भारतीय संविधान को केन्द्र में रखा गया और भारतीयों को भारतीयता की उनकी पहचान के आधार पर एकताबद्ध किया गया. फड़नवीस को संविधान की पुस्तक के लाल रंग के कव्हर अधिक चिंता है क्योंकि उसमें लिखित शब्दों का उनके लिए कोई महत्व नहीं है. और वे यह भी भूल गए संविधान का यही लाल कव्हर वाला संस्करण उनके सर्वोच्च नेता नरेन्द्र मोदी ने राम नाथ कोविंद को भेंट किया था.

बीजेवाय के दौरान यह आशंका व्यक्त की गई थी कि यात्रा के प्रति नजर आ रहा समर्थन किस हद तक चुनावी नतीजों पर असर डालेगा. पूरी तरह तो नहीं, मगर आंशिक रूप से यात्रा ने साम्प्रदायिक पार्टियों के चुनावी प्रभुत्व को कमजोर किया. फड़नवीस द्वारा स्वयं यह स्वीकार करने से कि बीजेवाय का महाराष्ट्र के चुनावों पर असर पड़ रहा है, इस बात के सत्य होने में शंका की कोई गुंजाइश नहीं बचती.

 इसके पहले तक हिंदू दक्षिणपंथियों का राष्ट्रवाद का नजरिया ही चर्चाओं के केन्द्र में रहता था. बीजेवाय ने इस बांटने वाले साम्प्रदायिक नजरिये को एक हद तक कमजोर किया है, लेकिन अभी बहुत कुछ किया जाना बाकी है. इस विभाजक साम्प्रदायिक नजरिए के चलते घृणा, भय और अल्पसंख्यकों के हाशिए पर चले जाने के जो हालात बन गए थे, उसे एक हद तक तो चुनौती मिली है परंतु इस दिशा में अभी और बहुत कुछ किया जाना जरूरी है. महात्मा गांधी ने सभी धर्मों के लोगों को एकता का संदेश देने का जो कार्य बहुत सशक्त तरीके से प्रारंभ किया था, बीजेवाय भी वही करने का प्रयास था और इस काम को और आगे ले जाने की जरूरत है.

यात्रा का एक अन्य महत्वपूर्ण नतीजा था सामाजिक आंदोलनों जैसे भारत जोड़ो अभियान और इडुलू कर्नाटा जैसे के लिए आधार तैयार करना. इनमें भारतीय संविधान के मूल्यों को मजबूत करने की क्षमता है. ये आंदोलन, जो समाज के विभिन्न वंचित और असमानता से पीड़ित वर्गों को उनके अधिकार दिलवाने के लिए जुटे हुए हैं, एक-दूसरे से जुड़ रहे हैं और भारतीय संविधान के मूल्यों के संरक्षण हेतु एक-दूसरे की मदद कर सकते हैं. विविध प्रकार के ये समूह सभी के समान अधिकारां के लिए समर्पित और दृढ़ संकल्पित हैं. सभी के समान अधिकारों का यह विचार दक्षिणपंथियों को अत्यंत नागवार लगता है. उनका ‘अधिकारों और कर्तव्यों‘ का एजेंडा अलग-अलग वर्गों के लिए अलग-अलग है. उनकी दृष्टि में दौलतमन्दों के सिर्फ अधिकार हैं और वंचित वर्गों के सिर्फ कर्तव्य.

यह बहुत कुछ सामंती साम्राज्यों जैसा ही है जहां राजाओं, जमींदारों और पुरोहित वर्गों को सारी अधिकार हासिल रहते हैं और सारे कर्तव्य महिलाओं सहित समाज के निचले वर्गों के होते थे. यही स्थिति धन-संपदा के वितरण के संबंध में भी थी.

फड़नवीस के जरिए अब हमें पक्के तौर पर यह पता लग गया है कि बीजेए के कारण बीजेपी के चुनावी प्रदर्शन में गिरावट आई. और फड़नवीस के माध्यम से ही भाजपा, जो खुलकर राजनीति करती है और उसकी जननी आरएसएस (जो चुनावी राजनीति से दूर रहती है) के गहरे रिश्तों की हमारी समझ बेहतर हुई है. यह बात सबको पता थी लेकिन स्वयं भाजपा नेता के अपने मुंह से ये बातें सुनने के बाद अब शंका की कोई गुंजाइश नहीं बचती!

बुधवार, 20 नवम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ગૌતમ અદાણીનો ભ્રષ્ટ હિંદુ રાષ્ટ્રવાદ એ વિશ્વગુરુનું વિશિષ્ટ લક્ષણ છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|22 November 2024

હેમન્તકુમાર શાહ

હજુ હમણાં જ રતન ટાટાનું અવસાન થયું ત્યારે ભારતના સામાન્ય લોકોને પણ જાણે કે પોતાનો હમદર્દ ઉદ્યોગપતિ ગયો એવો અહેસાસ થયો હતો. રતન ટાટાને વ્યક્તિગત રીતે નહિ ઓળખતા કેટલાક લોકોની આંખમાં પણ આંસુ હતાં.

એ રતન ટાટા હતા અને હવે બીજી બાજુ છે ગૌતમ અદાણી. 

ગૌતમ અદાણી અત્યારે સંપત્તિની દૃષ્ટિએ ભારતના અને દુનિયાના અગ્રણી ઉદ્યોગપતિ છે. તેમની સામે અમેરિકામાં લાંચ અંગેનો કેસ થયો અને તેમની ધરપકડ માટે વોરંટ નીકળ્યું હોવાના અહેવાલ છે. 

વિશ્વગુરુ બનવા થનગની રહેલા ભારતની અદ્ભૂત ઘટના છે આ. ભારતના કોઈ મોટા ગજાના ઉદ્યોગપતિ સામે અમેરિકા જેવા લોકશાહી દેશમાં લાંચ આપવાનો ફોજદારી કેસ થયો હોય અને તેમની ધરપકડ માટે વોરંટ બહાર પડ્યું હોય એવો સ્વતંત્ર ભારતનો આ પ્રથમ કિસ્સો છે.

સવાલ એ નથી કે આ કેસનું પરિણામ શું આવે છે. સવાલ એ છે કે અમેરિકામાં કાયદાનું શાસન છે, કોઈ વ્યક્તિનું નહિ; એની સાબિતી એમાંથી મળે છે. ગમે તેવી મોટી ધનવાન, વિખ્યાત કે રાજકીય વ્યક્તિ હોય, ત્યાં કાયદો કાયદાનું કામ કરે જ.

આ મુદ્દો જ લોકશાહી શાસન માટે અગત્યનો છે. વિશ્વગુરુ કાયદાના શાસનથી થવાય, ધરમના ઢોલનગારાં વગાડવાથી ના થવાય એટલું સમજવાની જરૂર છે. 

સવાલ એ નથી કે ગૌતમ અદાણી કેમ આટલા સંપત્તિવાન થયા. સવાલ એ કેવી રીતે થયા એ પણ છે. એવો સવાલ ઉઠાવવાનો દરેક નાગરિકને અધિકાર છે. 

ગૌતમ અદાણી સાથે સંબંધિત કંપનીઓના કહેવાતા સોદાઓ અને વ્યવહારો વિશે સંસદીય સમિતિ નીમાતી નથી, સેબી નિષ્પક્ષ તપાસ કરવા માટે તૈયાર નથી અને મોદી સરકાર એને વિશે કશું કરવા ઈચ્છતી નથી એ હકીકત છે. 

ગૌતમ અદાણીની રાજકીય ભાઈબંધી જગજાહેર છે. એ કોઈ વ્યક્તિ કે પક્ષની તિજોરી તરીકે કામ કરતા હોય એવી એક છાપ ઊભી થઈ છે.

ઉદ્યોગપતિઓ અને રાજકીય પક્ષો કે નેતાઓ વચ્ચેની સાંઠગાંઠ દુનિયામાં બધે જ છે, પણ જ્યારે રાજ્ય ઉદ્યોગપતિઓને કાયદા કે નિયમો બદલીને કે પછી ગેરકાનૂની રીતે લાભ કરી આપે, અને ગ્રાહકોનાં હિતો જાય તેલ લેવા એમ વિચારીને એમના બેફામ ઇજારા ઊભા થવા દે ત્યારે તેને બદમાશ મૂડીવાદ અથવા ગઠિયાગોઠિયા મૂડીવાદ (crony capitalism) કહેવામાં આવે છે અને ગૌતમ અદાણી અને નરેન્દ્ર મોદી એનું માત્ર ભારતનું નહિ આખા વિશ્વનું એક વરવું ઉદાહરણ બની ગયા છે.

એ અર્થમાં આપણે વિશ્વગુરુ બનવા માટેની હોડ ઝડપી બનાવી દીધી છે એમ કહેવાય.

એટલું યાદ રાખવું જોઈએ કે ગૌતમ અદાણી જૈન છે, અને ભારતના બંધારણની કલમ-૨૫ (૨)(b) અનુસાર જૈનો હિંદુ છે. 

હવે હિંદુત્વના લડવૈયાઓને પૂછવું પડે કે શું આ જ હિન્દુત્વ છે? આખી જિંદગી પગે ચાલીને અહિંસાનો સંદેશો આપતા જૈન મુનિઓ ગૌતમ અદાણીને સમજાવશે ખરા કે બજારમાં તેઓ જે ઇજારા ઊભા કરે છે એ શોષણ છે અને શોષણ એ સૂક્ષ્મ હિંસા છે? 

ગૌતમ અદાણીના દાનથી ભવ્ય દેરાસરો ઊભાં થાય તો આ શોષણની સૂક્ષ્મ હિંસા દૂર થઈ ગણાય કે ના ગણાય? 

તા.૨૧-૧૧-૨૦૨૪
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...437438439440...450460470...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved