Opinion Magazine
Number of visits: 9557158
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજ કપૂર શતાબ્દીએ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|14 December 2024

રવીન્દ્ર પારેખ

આજે 14 ડિસેમ્બર, 2024. ફિલ્મ સર્જક રાજ કપૂરને આજે સો વર્ષ થયાં. આખો દેશ આ અવસરને ઊજવવાનો છે. કપૂર ખાનદાનના સભ્યોએ પણ ‘આગ’, ‘બરસાત’, ‘આવારા’, ‘શ્રી 420’, ‘જાગતે રહો’, ‘જિસ દેશમેં ગંગા બહેતી હૈ’, ‘સંગમ’, ‘મેરા નામ જોકર’, ‘બોબી’, ‘રામ તેરી ગંગા મૈલી’ દર્શાવવાની વાત કરી છે. આ શતાબ્દી પર્વને યાદગાર બનાવવા કપૂર પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું ને તેમણે ‘રાજ કપૂર 100 ફિલ્મ ફેસ્ટિવલ’માં ઉપસ્થિત રહેવાની સંમતિ પણ આપી છે. આ ઉજવણીમાંથી સુરત પણ બાકાત નથી. ‘વિન્ટેજ વેટરન્સ’ના રોહિત મારફતીઆએ ‘રાજ કપૂર જન્મ શતાબ્દી મહોત્સવ’ નામક વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યું છે. આ ગ્રૂપને દર મહિનાના ત્રીજા શનિવારે કાપડિયા હેલ્થ ક્લબમાં રાજ કપૂરની ફિલ્મો બતાવવાનું ઠરાવાયું છે. એના પ્રથમ મણકા તરીકે આજે રાજ કપૂર અભિનિત, નિર્મિત, દિગ્દર્શિત ‘આવારા’ (1951) સાંજે સાડા ચારે બતાવાશે. એ પ્રસંગે પદ્મશ્રી યઝદી કરંજિયા અને આશિત મહેતા ‘આવારા’ અને રાજ કપૂરની વાતો કરશે. 

‘આવારા’માં રાજ કપૂર, નરગીસ, પૃથ્વીરાજ કપૂર, કે.એન. સિંઘ જેવા કલાકારોએ અભિનય કર્યો છે. ફિલ્મમાં ગીતો હસરત જયપુરી અને શૈલેન્દ્રનાં છે ને સંગીત છે શંકર જયકિશનનું. ‘આવારા હૂં (મુકેશ)’, ‘તેરે બિના આગ યે ચાંદની (લતા, મન્નાડે, સાથી), ‘ઘર આયા મેરા પરદેસી (લતા, સાથી), ‘હમ તુઝસે મુહબ્બત કર કે સનમ (મુકેશ) જેવાં ગીતો આજે પણ લોક જીભે છે. ’આવારા’ એ ફિલ્મ છે જે ભૌગોલિક ભારતીય સીમાડાઓ વળોટીને રશિયા, તુર્ક સુધી પહોંચી હતી. ફિલ્મમાં સ્વપ્ન દૃશ્યનું વાર્તા સાથે અદ્દભુત અનુસંધાન ‘તેરે બિના’ અને ‘ઘર આયા’ ગીતોથી સધાયું છે. હિન્દી ફિલ્મમાં આવું સ્વપ્ન દૃશ્ય કદાચ પહેલીવાર આટલી અસરકારક રીતે આવ્યું છે. આખા ય સ્વપ્ન દૃશ્યમાં સંગીત દ્વારા જે ભાવ વૈવિધ્ય પ્રગટાવાયું છે તે અદ્દભુતથી ય વધારે અદ્દભુત છે. 

‘આવારા’ અને ‘ધરમ કરમ’ની સ્ટોરી પણ સરખાવવા જેવી છે. ‘આવારા’માં ઉછેર, સંસ્કારોની ઉપરવટ જાય એ મુખ્ય ધ્વનિ છે તો ‘ધરમ કરમ’માં સંસ્કાર, ઉછેરના મહોતાજ નથી એ વાત પર ભાર મુકાયો છે. ‘જિસ દેસ મેં ગંગા બહેતી હૈ ..’માં ડાકુનું હૃદય પરિવર્તન કેન્દ્રમાં છે, તો ‘રામ તેરી ગંગા મૈલી’માં જળ પ્રદૂષણનો મુદ્દો છે. ‘પ્રેમરોગ’માં વિધવા વિવાહની વાત હતી, તો ‘બોબી’ અને ‘બરસાત’માં મુગ્ધ પ્રણયને વાચા મળી હતી. ‘બરસાત’માં પ્રતીક્ષા કેન્દ્રમાં છે, તો ‘બોબી’માં પ્રણયની વચ્ચે આવતો અમીરી-ગરીબીનો સંઘર્ષ કેન્દ્રમાં છે. ફિલ્મી વિલન પ્રાણની ભૂમિકા ‘ઉપકાર’માં બદલાઈ એવું કહેવાય છે, પણ એની શરૂઆત ‘આહ’માં થયેલી. એમાં તે વિલન નથી, મિત્ર છે. 

‘આહ’ અને ‘દેવદાસ’માં નાયકો જીવલેણ બીમારીથી પીડાય છે ને અંત વેળાએ બંને નાયિકાને મળવા ટ્રેનમાં ને ટાંગામાં નીકળે છે. એક દૃશ્યમાં રાજ ખૂબ ખાંસે છે ને ગીત ઉપાડે છે, ‘આજા રે, અબ મેરા દિલ પુકારા ..’ (મુકેશ) એકાએક ખાંસી આવે છે ને ગીત અટકે છે ને થોડી સ્વસ્થતા ધારણ થતાં ફરી ઉપાડાય છે. ‘આહ’ 1953માં અને ‘દેવદાસ’ 1955માં આવેલી. ‘આહ’ અને ‘દેવદાસ’નાં અંતિમ દૃશ્યોમાં ગજબનું સામ્ય છે. આમ તો બંને ફિલ્મના દિગ્દર્શકો એટલા સમર્થ છે કે આ સામ્યને અકસ્માત ગણવું પડે. પાછળથી ‘આહ’નો અંત બદલાયેલો ને રાજને સ્વસ્થ બતાવાયેલો તે કઠેલું.

કુરૂપ ચહેરાની વાત હીરો સંદર્ભે ‘આગ’માં ને હિરોઈન સંદર્ભે ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’માં આવી. રાજ કપૂરને ભલા, ભોળા નાયકની ભૂમિકા માફક આવી ને તેવી ભૂમિકાઓ ‘અનાડી’, ‘છલિયા’, ‘જિસ દેસ મેં ..’, ‘દુલ્હા દુલ્હન’, ‘તીસરી કસમ’, ‘મેરા નામ જોકર’ જેવી ફિલ્મોમાં ભજવી પણ ખરી. રાજ કપૂર પર ચાર્લી ચેપ્લિનનો પ્રભાવ હતો, પણ તેમાંથી મુક્ત થવાનું પણ બન્યું. રાજના ચરિત્રને અનુરૂપ એક ગીત અચૂક આમેજ કરાતું. જેમ કે, ‘આવારા હૂં’, ‘સચ હૈ દુનિયાવાલોં ..’, ‘દીવાના મુઝ કો લોગ કહે …’, ‘મેરા નામ રાજુ ..’, ‘કહેતા હૈ જોકર ..’ વગેરે. ભૂમિકાઓ કોઈ પણ હોય, પણ રાજ કપૂરનો કરુણા જન્માવતો ચહેરો દર્શકોને આકર્ષતો રહ્યો છે. ‘શ્રી 420’નાં ગીત, ‘પ્યાર હુઆ, ઇકરાર હુઆ …’માં એક પંક્તિ છે, ‘મૈં ન રહૂંગી, તુમ ન રહોગે, ફિર ભી રહેંગી નિશાનિયાં ..’ 

એવી ઘણી નિશાનીઓ રાજ કપૂરની રહી ગઈ છે જેને સમય પણ ભૂંસી શકે એમ નથી. પૃથ્વી’રાજ કપૂર’ના મોટા દીકરા(સૃષ્ટિનાથ કપૂર-મૂળ નામ)એ ‘પૃથ્વી’ છોડીને પાછલું નામ ‘રાજ કપૂર’ અપનાવ્યું ને ફિલ્મી સૃષ્ટિ વસાવી. પિતાની નાટ્ય અને ફિલ્મ કારકિર્દીની ’પૃથ્વી’ તેણે ફિલ્મી બ્રહ્માંડમાં એવી તો ફરતી રાખી કે તે આજે ય ફરતી રહી છે. જેમ મા અને ભગવાનને માનાર્થે બોલાવીએ તો એ કૃત્રિમ લાગે એમ રાજને પણ ‘આપ’ કહીએ તો નકલી લાગે. એ ગ્રેટેસ્ટ શો મેન હતો, પણ તે પહેલાં તો એ માણસ હતો. એના ફિલ્મી હિરોઈનો નરગીસ અને વૈજયંતી માલા સાથેના સંબંધો ચર્ચામાં રહ્યા છે. આમ પણ ફિલ્મી જગતમાં એની નવાઈ નથી, પણ ભાગ્યે જ કોઈ સંવેદનશીલ માણસ એમાં પીડાથી વધારે કૈં પામે છે.

નરગીસને એ ચાહતો હતો ને નરગીસનું પણ એવું જ હતું. રાજની મુશ્કેલી એ હતી કે તે પત્ની કૃષ્ણા અને પરિવારને છોડી શકે એમ ન હતો ને ચાહતનો તો કોઈ પાર ન હતો. આ કશ્મકશ વ્યક્તિને રૂંવે રૂંવેથી તોડતી હોય છે. નરગીસ ચાહતી હતી, પણ લગ્ન વગર રહેવા તૈયાર ન હતી. ત્યાં ‘મધર ઇન્ડિયા’માં શૂટિંગ દરમિયાન આગની ઘટના બની ને સુનિલ દત્તે નરગીસને બચાવી. અહીંથી નરગીસની જિંદગીનો નવો અધ્યાય શરૂ થયો ને ‘આગ’થી શરૂ થયેલા પ્રણય પર રાખ ફરી વળી. રાજ કપૂરને માટે નરગીસની વિદાય ‘આગ’, ‘આહ’નો સરવાળો બની રહી. રાજ કપૂરના જ દીકરા ઋષિ કપૂરે કહ્યું છે કે તેની માતા સંતાનો સાથે ઘર છોડી ગયેલી ને નરગીસ પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી પરત ન આવવાનું ઠરાવેલું. સમજી શકાય એવું છે કે એ દિવસોમાં રાજને શું વીત્યું હશે. 

નરગીસ છૂટી, પણ ફિલ્મો ન છૂટી. શો મસ્ટ ગો ઓન-માં માનતા રાજ કપૂરે ફિલ્મોમાં જાત ડુબાડી દીધી. ક્લેપર બોયથી શરૂ થયેલો રાજ 11 વર્ષની ઉંમરે ‘ઇન્કિલાબ’માં કામ કરે છે ને ‘નીલકમલ’માં મધુબાલા સામે પહેલી વાર નાયકની ભૂમિકામાં આવે છે. ચોવીસેકની વયે ‘આગ’ને રાજ કપૂરે ડિરેક્ટ કરી, પણ નિર્દેશિત ફિલ્મોમાં પહેલી ફિલ્મ સફળ થઈ તે ’બરસાત’. રાજે તેમાં નાયકની ભૂમિકા કરી અને નરગીસ સાથેની તેની કેમિસ્ટ્રી એવી જામી કે વાયોલિન સાથેનો તેનો પોઝ આર.કે.નો લોગો બન્યો. રાજની નિર્દેશિત ફિલ્મોમાં ‘મેરા નામ જોકર’ ભારે નિષ્ફળતાને વરી. ફિલ્મમાં બે ઇન્ટરવલ પણ હોય એ પ્રયોગ રાજ કપૂરે કરી જોયો, પણ દર્શકોને એ ફિલ્મ માફક ન આવી. તેનો પહેલો ખંડ તો કચકડાની નાજુક કવિતા છે. એનાં દૃશ્યો એટલાં સંવેદનશીલ છે કે કિશોરવયનાં પ્રણયને એ અગાઉ હિન્દી સિનેમામાં આટલી સલુકાઈથી મુકાયો નથી. જોકરની ભૂમિકા ભજવતા રાજને માતાનાં મૃત્યુની જાણ શો દરમિયાન જ થાય છે ને એણે કામ તો હસાવવાનું કરવાનું છે. એ વખતે મા માટેનો ચિત્કાર એવી રીતે ઊઠે છે કે સર્કસના પ્રેક્ષકો હસે ને થિયેટરના પ્રેક્ષકો રડે. જિંદગીની લાચારીને ફિલસૂફીથી મઢીને ‘જોકર’નાં ગીતોમાં રજૂ કરાઈ છે. ‘જીના યહાં, મરના યહાં’, ‘જાને કહાં ગયે વો દિન’ જેવાં ગીતો આજે પણ લોકપ્રિય છે. ફિલ્મ હિટ થાય તો એવી ચાલી નીકળે કે તેના સર્જકથી દૂર થતી જાય, પણ જે ફિલ્મમાં જીવ રેડાયો હોય તે ન ચાલે તો તે સર્જકનાં હૈયામાં ઊંડે ઊતરતી જાય.

રાજકપૂરની સંગીતની સૂઝ કોઈ નીવડેલા સંગીતકારથી ઓછી ન હતી. ‘આ અબ લૌટ ચલે’માં લતાનો હૃદય સારી નાખતો આલાપ છે તે ભાગ્યે જ કોઈ સંગીત પ્રેમી ભૂલ્યો હશે. એ જ રીતે ‘સંગમ’માં ‘એ મેરે સનમ ..’માં શરૂઆતનો જે આલાપ છે તે રૂંધાતી નાયિકાની ચામડી ફોડીને ઉપર ઊઠતો હોય એવો મર્મભેદી છે. 

‘બરસાત’માં નિર્દેશનનો એક નમૂનો જોઈએ. રાજ કપૂર વિરહી અવસ્થાથી પીડાતો પ્રતીક્ષારત પ્રેમી છે ને પ્રેમનાથ પ્રેમ ખરીદી શકાય તેવું માનતો મિત્ર છે, પણ રાજની દશા તેનાથી જોવાતી નથી, એટલે તેને કારમાં લઈને નીકળી પડે છે. રસ્તામાં કોઇકના લગ્નની શરણાઈઓ વાગે છે તો પ્રેમનાથ રાજને કારમાંથી બહાર આવવાનો આગ્રહ કરે છે, પણ શરણાઈ પ્રેમિકાની યાદ અપાવે છે એટલે તે ના પાડે છે.  કાર આગળ નીકળે છે. તે ઊતર્યો હોત તો ખબર પડી હોત કે જેની શોધમાં તે ભટકી રહ્યો છે એ જ પ્રેમિકાનાં લગ્નની શરણાઈ વાગી રહી છે. એવું જ એક દૃશ્ય ‘બૂટપૉલિશ’નું છે. સ્વમાની ભાઈ બહેનને ભીખનો પૈસો લેવા બદલ મારે છે ને પરિસ્થિતિ એવી બદલાય છે કે ભીખ માંગતા ભાઈના લંબાવાયેલા હાથોમાં બહેન પૈસો મૂકે છે. રાજ કપૂર નિર્મિત ને અભિનિત ‘જાગતે રહો’ રાતની કથા કહેતી નોંધપાત્ર ફિલ્મ છે. તરસને કારણે પાણી શોધતો ગામડિયો (રાજ કપૂર) ચોર ગણાઈ જાય છે ને તે સોસાયટીના ઓરડાઓમાં સંતાતો ફરે છે. એમાં રહેવાસીઓની પોલ ખૂલતી જાય છે. ગામડિયો જીવ બચાવવા પાઇપ પર ચડે છે, ત્યારે કોઈ પથરો મારે છે ને લોહી નીકળે છે, તે સાથે જ બારીમાંથી વધસ્તંભે ચડેલા ઇસુની પ્રતિમા ક્લોઝઅપમાં આવે છે. ગામડિયાની સ્થિતિ પણ વધસ્તંભે ચડાવેલા ઇશુ જેવી જ છેને ! 

14 ડિસેમ્બર, 1924માં પેશાવરમાં જન્મેલો રણબીર કપૂર, રાજ કપૂરને નામે 9 ફિલ્મફેર એવોર્ડ્સ અંકે કરે છે, તો 1971માં પદ્મભૂષણ મેળવે છે. વિદેશમાં ‘આવારા’ અને ‘બૂટ પૉલિશ’ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પામ ડી’ઓર માટે નોમિનેટ થઈ હતી. સ્ટારડસ્ટ એવોર્ડ્સ દ્વારા 2001માં ‘બેસ્ટ ડિરેક્ટર ઓફ મિલેનિયમ’નું સન્માન મળે છે ને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર 1988માં તે વખતના રાષ્ટ્રપતિને હસ્તે મળે છે, ત્યારે રાજ કપૂરની અસ્થમાને કારણે એવી સ્થિતિ નથી કે મંચ સુધી પહોંચે. એ પછી દિલ્હીમાં જ 2 જૂન, 1988ને રોજ રાજ કપૂર ‘હમ તો જાતે અપને ગાંવ સબ કો રામ રામ ..’ કહેતો વિદાય લે છે. એ વાતને પણ વર્ષો વીત્યાં. આજે પણ રાજ કપૂર ગઈ કાલનો તો ઠીક, આવતી કાલનો શો મેન લાગે છે. ખૂટે છે તે એટલું જ કે એ દિવસો જોઈ શકાય છે, પણ ત્યાં જઈ શકાતું નથી, નહીં તો એવો સવાલ શું કામ થાય, ‘જાને કહાં ગયે વો દિન …’       

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 ડિસેમ્બર 2024

Loading

મત મફતમાં ન મળે, પણ મફત આપો તો મળે પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 December 2024

રવીન્દ્ર પારેખ

રાજકારણીઓને થૂંકેલું ચાટવાની નવાઈ નથી હોતી. અગાઉ જે વાતો માટે સામેના પક્ષોની ટીકા કરી હોય એ જ વાતો પોતે કરવાની આવે તો જરા ય સંકોચ વગર શાસકો કરતાં હોય છે. એક સમયે આમ આદમી પાર્ટી સહિતના પક્ષો મફત આપવાની વાત કરતા હતા, તો વડા પ્રધાન તે પક્ષોની ‘રેવડી’ કહીને ઠેકડી ઉડાડતા હતા ને ભા.જ.પ. રેવડીમાં માનતો નથી એવો પ્રચાર કરતા હતા ને હવે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજની થાળી પીરસે છે તેનો વાંધો આવતો નથી. રાજકારણમાં તો એવું બધું જ હોય અથવા એવું હોય તેને જ રાજકારણ કહેવાતું હોય તો ભલે, પણ મહેનતુ પ્રજાને મફતનું ખવડાવીને હરામ હાડકાંની કરવામાં કયું ગૌરવ છે તે નથી સમજાતું. ખરેખર તો ગરીબોને રોજગારી અપાય ને તે સંદર્ભે આવી મદદ થાય તે અપેક્ષિત છે. રાજકીય પક્ષો જાણે છે કે મત મફતમાં મળતા નથી. બીજી તરફ પ્રજા પણ હવે ભોળી અને મૂરખ રહી નથી, તે પણ સામે શું મળે છે તે જુએ છે ને પછી મત ઢીલા કરે છે. 

કોરોના આવ્યો ત્યારે 2020માં વડા પ્રધાને ગરીબોને મફત અનાજ આપવાનું ઠરાવ્યું એ ખરેખર આવકાર્ય પગલું હતું. કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ગરીબ પરિવારોને દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા આપવાનું શરૂ કર્યું, પણ કોરોના ગયો પછી પણ એ યોજના આજ સુધી ચાલુ રહી છે, ત્યારે તેના રાજકીય હેતુઓ સ્પષ્ટ થતા આવે છે. કેન્દ્ર સરકાર નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (NFSA) હેઠળ મફત અથવા સબસિડીવાળું રેશન પૂરું પાડે છે, પણ જેમની પાસે કાર્ડ નથી એવા પરિવારોને એનો લાભ મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ કરીને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કોરોના કાળ વખતે સ્થળાંતરિત ગરીબ પરિવારોને રેશન કાર્ડ આપવાની તાકીદ કરી છે, જેથી મફત અન્ન યોજનાનો લાભ તેને પણ મળી રહે. કોર્ટે એવો આદેશ પણ આપ્યો છે કે જેમની પાસે કાર્ડ નથી, પણ જે શ્રમિકો ઇ- શ્રમિક પોર્ટલ પર નોંધાયેલા છે તેમને પણ મફત રેશનનો લાભ મળે. 

સુપ્રીમ કોર્ટે એ નોંધ્યું છે કે રોજગારીની તકો ઊભી કર્યા વગર 81 કરોડ લોકોને સરકાર મફત અનાજનો લાભ આપી રહી છે તે ઠીક નથી, તે સાથે જ એવી ટકોર પણ કરી છે કે આટલા લોકોને યોજનાનો લાભ અપાઈ રહ્યો હોય તો તેનો મતલબ એ જ થાય કે કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે. છે ને કમાલ ! જેમના કરમાંથી મફત યોજનાનો લાભ અપાઈ રહ્યો છે, તે જ એ યોજનાની બહાર છે. સુપ્રીમે સોંસરું પૂછ્યું છે કે આ મફતનું ક્યાં સુધી ચાલવાનું છે? એના કરતાં વધુ સારું એ નથી કે રોજગારીની વધુ તકો ઊભી થાય તે જોવાય? 

કેન્દ્રે કોર્ટને કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81 કરોડ લોકોને મફત અથવા સબસિડીવાળું અનાજ અપાય છે. સુપ્રીમ સુધી વાત પહોંચવાનું કારણ છે એક એન.જી.ઓ.ની અરજી ! અરજદાર તરફથી હાજર રહેલા એડવોકેટે એવી માંગણી કરી કે ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા સ્થળાંતરિત કામદારોને પણ મફત અનાજનો લાભ મળે. સુપ્રીમની અગાઉની બેન્ચે 4 ઓક્ટોબરે એવો આદેશ આપ્યો હતો કે NFSA મુજબ જે રેશન કાર્ડ-અનાજ માટે લાયક છે અને જે સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઓળખ પામેલા છે, તેઓને 19 નવેમ્બર પહેલાં રેશન કાર્ડ આપવામાં આવે. એનો 26 નવેમ્બરે સરકારે એવો જવાબ દાખલ કર્યો કે તેની જવાબદારી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013ની ફરજિયાત જોગવાઈ હેઠળ જ રેશન કાર્ડ પ્રદાન કરવાની છે, એટલે કાયદામાં આપેલી મર્યાદાની ઉપરવટ જઈને રેશન કાર્ડ ન આપવા સરકાર વિવશ છે. એની સામે અરજદારની દલીલ એવી હતી કે 2021માં વસ્તી ગણતરી થઈ હોત તો સ્થળાંતરિત શ્રમિકોની સંખ્યા પણ વધી હોત, પણ સરકાર અત્યારે જે ડેટાનો આધાર લે છે તે 2011ની વસ્તી ગણતરીનો છે. આ કેસની વધુ સુનાવણી 8 જાન્યુઆરીએ થવાની છે, ત્યારે જે ચુકાદો આવે તે ખરો. 

સુપ્રીમે મફતનું ક્યાં સુધી ચાલવાનું છે એવો સવાલ ભલે પૂછ્યો હોય, પણ કેન્દ્ર સરકાર કોર્ટનું સાંભળવાના મૂડમાં ન હોય તેમ, મફત અનાજની યોજના વધુ પાંચ વર્ષ ચાલુ રાખશે તેવી જાહેરાત કરી ચૂકી છે. 2023ના નવેમ્બરમાં છત્તીસગઢ વિધાનસભાના ચૂંટણી પ્રચારમાં ખુદ વડા પ્રધાને એવી જાહેરાત કરી હતી કે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ બીજાં પાંચ વર્ષ, 81 કરોડ લોકોને સરકાર મફત રેશન આપશે. આ જાહેરાત પાછળનો છૂપો હેતુ તો એ હતો કે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં અને 2024ની લોકસભાની ચૂંટણીમાં પ્રજા ભા.જ.પ.ને મત આપે. એ જુદી વાત છે કે આટલી મફત યોજનાઓ છતાં કેન્દ્રમાં સ્પષ્ટ બહુમત મળ્યો નહીં ને થોડા ટેકાથી ટકી જવાનું આવ્યું. એમ લાગે છે કે ચૂંટણીઓ ચાલશે, ત્યાં સુધી મફતની યોજના પણ ચાલશે.

વડા પ્રધાનને તો 81 કરોડની જનતાના ‘આશીર્વાદ’ જ જોઈએ છે. આ આશીર્વાદને કારણે જ તેઓ ‘પવિત્ર’ નિર્ણયો લઈ શકે છે એવું તેમનું માનવું છે. નિર્ણયો પવિત્ર છે કે કેમ તે તો વડા પ્રધાન જાણે, પણ પ્રજાના પવિત્ર મત તો તેમને મળે જ છે એ સ્વીકારવું પડે. વડા પ્રધાન પ્રજાહિતને મામલે ખાસા ઉદાર છે. 5 કિલો અનાજથી તેમને સંતોષ નથી, એટલે ઘઉં, ચોખા ઉપરાંત અન્ય ખાદ્ય ચીજો પણ રેશનમાં મફત આપવાનું ઠરાવ્યું છે. નવાં વર્ષથી જ સરસવનું તેલ, બાજરી, મસાલા જેવી 10 વસ્તુઓ મફત અપાશે એવી જાહેરાત થઈ ચૂકી છે. આમ કરવા પાછળનો હેતુ પ્રજાનું પેટ ભરવાનો જ નહીં, પણ પોષક તત્ત્વો પણ મળી રહે એ જોવાનો પણ છે, તે સારી વાત છે. પૂરતી આવકને અભાવે ઘણી ચીજ વસ્તુઓ પ્રજા ખરીદી ન શકતી હોય ત્યારે તેને પોષક તત્ત્વો યુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે એ જોવાનો ઉપક્રમ ઉમદા જ ગણાય. અહીં ખૂટે છે તે સ્વમાન ! પ્રજા આ બધું મફતમાં મેળવે એના કરતાં મહેનત કરીને, કમાઈને જરૂરી ચીજ વસ્તુઓ મેળવે એ સ્થિતિ ઊભી થાય તે જરૂરી છે. 

વડા પ્રધાન કે ભા.જ.પ.ના નેતાઓ ભલે એ વાતે ગર્વ અનુભવે કે સરકાર 81 કરોડ લોકોને મફત અનાજ આપે છે, પણ એ સિદ્ધિ કરતાં શરમની વાત વધુ છે. જે દેશની 81 કરોડ જનતા એટલી પાંગળી હોય કે તે પોતે માનભેર ખરીદીને ખાઈ ન શકે તો તેનો ક્ષોભ સરકારને થવો જોઈએ. એ ખરું કે સરકાર પ્રજાની દશા જોઈને બેસી રહેવાને બદલે તેનું પેટ પાળવા થઈ શકે તે બધું જ કરે છે. સુપ્રીમ કોર્ટ કરદાતાઓ જ આ યોજનાથી વંચિત છે એવું ભલે સંભળાવે કે રોજગારી ઊભી કરવાનું કહે, પણ સરકાર આ યોજના બંધ કરે એ શક્ય નથી. મત હશે, ત્યાં સુધી મફત પણ હશે જ એમ માનવામાં નથી લાગતું કે અતિશયોક્તિ છે. સુપ્રીમની ટકોર વાજબી જ છે, પણ સરકાર અનુદાર રહે તો પણ ટીકાને પાત્ર બને એ પણ એટલું જ સાચું છે. ખૂટે છે તે એટલું જ કે મફત, મતનો ભાગ બને છે એટલું, મહેનતનો ભાગ નથી બનતું. એ થાય તો કરદાતાઓના નાણાંનો દુર્વ્યય થતો અટકે. કમ સે કમ કરદાતાઓ આટલી ઉપેક્ષાને પાત્ર તો નથી જ!

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ડિસેમ્બર 2024

Loading

तालिबान, महिलाओं की समानता और हिंदुत्व राष्ट्रवाद

राम पुनियानी|Opinion - Opinion|13 December 2024

राम पुनियानी

तवलीन सिंह एक जानी-मानी स्तंभ लेखक हैं. गत 8 दिसंबर 2024 को द इंडियन एक्सप्रेस में प्रकाशित उनके कॉलम में उन्होंने अफगानिस्तान में महिलाओं के चिकित्सा विज्ञान पढ़ने पर प्रतिबंध की चर्चा की है. यह प्रतिगामी कदम उठाने के लिए उन्होंने अफगानिस्तान की तालिबान सरकार की  बहुत तीखे शब्दों में आलोचना की है और यह ठीक भी है. इसी स्तंभ में उन्होंने यह भी लिखा है कि वामपंथी-उदारवादी तालिबान के प्रति सहानुभूति का रूख रखते हैं. यह कहना मुश्किल है कि उदारवादी-वामपंथियों के तालिबान और ईरान  (जहां के शासकों की भी महिलाओं के बारे में वैसी ही सोच है) के प्रति रूख के बारे में तवलीन सिंह की टिप्पणी कितनी सही है. तवलीन सिंह ने उन लोगों की भी आलोचना की है जो हिन्दू राष्ट्रवादियों की नीतियों औैर कार्यक्रमों की तुलना तालिबान से करते हैं.

हिन्दू राष्ट्रवादियों और तालिबान की नीतियां और कार्यक्रमों में परिमाण या स्तर का फर्क हो सकता है मगर दोनों में मूलभूत समानताएं हैं. तालिबान, खाड़ी के कई देशों और ईरान के महिलाओं के प्रति दृष्टिकोण एक-दूसरे से मिलते-जुलते हैं परंतु एकदम एक समान नहीं हैं. बल्कि किन्हीं भी दो देशों की नीतियां एकदम एक-सी नहीं हो सकतीं. परंतु सैद्धांतिक स्तर पर हम उनमें समानताएं ढूंढ सकते हैं. इन देशों में धार्मिक कट्टरता में बढ़ोत्तरी की शुरूआत 1980 के दशक में ईरान में अयातुल्लाह खौमेनी के सत्ता में आने के साथ हुई. खौमेनी ने ईरान का सामाजिक-राजनैतिक परिदृश्य पूरी तरह से बदल दिया.

धार्मिक कट्टरता से क्या आशय है? धार्मिक कट्टरता से आशय है चुनिंदा धार्मिक परंपराओं को राज्य की सत्ता का उपयोग कर समाज पर जबरदस्ती लादना. कई बार यह काम सरकार की बजाए वर्चस्वशाली राजनैतिक ताकतों द्वारा किया जाता है. जो परंपराएं लादी जाती हैं वे अक्सर प्रतिगामी, दकियानूसी और दमनकारी होती हैं. इस दमन का शिकार महिलाओं के साथ-साथ समाज के अन्य कमजोर वर्ग भी होते हैं. धार्मिक कट्टरता स्वयं को मजबूत करने के लिए हमेशा एक भीतरी या बाहरी दुश्मन की तलाश में रहती है. अधिकांश खाड़ी के देशों में निशाने पर महिलाएं हैं. कई देशों में “शैतान अमरीका”‘दुश्मन के रूप में प्रस्तुत किया जाता है. जो भी दुश्मन चुना जाता है, समाज और देश की सारी समस्याओं के लिए उसे ही दोषी ठहरा दिया जाता है. जर्मनी में जन्मे फासीवाद और धार्मिक कट्टरतावाद में यह एक समानता है. जर्मनी में देश की सारी समस्याओं के लिए यहूदियों को जिम्मेदार ठहरा दिया गया और उनके खिलाफ नफरत इस हद तक पैदा कर दी गई कि जर्मनी के लोग यहूदियों के कत्लेआम को भी नजरअंदाज करने लगे. और यह सब केवल सर्वोच्च नेता की सत्ता को मजबूती देने के लिए किया गया था.

फासीवाद और धार्मिक कट्टरतावाद में एक और समानता है- महिलाओं के प्रति उनका दृष्टिकोण. फासीवादी जर्मनी में कहा जाता था कि महिलाओं की भूमिका रसोईघर, चर्च और बच्चों तक सीमित है. दूसरे देशों में भी धार्मिक कट्टरतावाद, महिलाओं पर कुछ इसी तरह के प्रतिबंध लगाता है.

हिन्दू राष्ट्रवादियों के निशाने पर मुसलमान और कुछ समय से ईसाई भी हैं. हमने पिछले कुछ दशकों में साम्प्रदायिक हिंसा को भयावह ढंग से बढ़ते देखा है. साम्प्रदायिक हिंसा का परिमाण भी बढ़ा है और उसके तौर-तरीके अधिक व्यापक और खतरनाक बन गए हैं. पहले अयोध्या में एक मस्जिद को ढहाने का भयावह कृत्य किया गया. उसके बाद जमकर खून-खराबा हुआ और अब हर मस्जिद के नीचे मंदिर ढूंढा जा रहा है. इसके अलावा गाय और गौमांस के मुद्दे पर लिंचिंग हो रही है और गौरक्षकों की पूरी एक सेना खड़ी हो चुकी है. ‘’जिहाद’ शब्द का इस्तेमाल मुस्लिम अल्पसंख्यकों को निशाना बनाने के लिए किया जा रहा है. लव जिहाद से शुरू होकर कोरोना जिहाद, लैंड जिहाद, यूपीएससी जिहाद आदि की बातें की जा रही हैं.

यह सही है कि मुसलमानों को निशाना बनाने के अलावा भारत में धार्मिक कट्टरतावाद के अन्य लक्षण उतने स्पष्ट नहीं दिखलाई दे रहे हैं. मगर उनके अस्तित्व से इंकार नहीं किया जा सकता. जहां तक महिलाओं का प्रश्न है, सती प्रथा पर प्रतिबंध लगाया जा चुका है. देश में सती की आखिरी घटना 1980 के दशक का रूपकुंवर कांड था. लेकिन फिर भंवरी देवी मामले मे ऊंची जाति के बलात्कारी को अदालत ने यह कहते हुए बरी कर दिया कि भला कोई ऊंची जाति का व्यक्ति नीची जाति की महिला से बलात्कार कैसे कर सकता है. यह मानसिकता जाति प्रथा से उपजी है.

हिंदू राष्ट्रवादी नीतियों को बारीकी से देखने पर यह समझ में आता है कि वे मूलतः महिला विरोधी हैं. जैसे लव जिहाद की अवधारणा को लें. यह परिवार के पुरूष सदस्यों को ‘उनकी’‘महिलाओं  और लड़कियों पर नजर रखने का एक बहाना देता है. जो लोग लव जिहाद का विरोध करते हैं वे ही लड़कियों को जींस नहीं पहनने देना चाहते. हिंदू राष्ट्रवादियों के हिंसा के प्रति दृष्टिकोण की झलक हमें बिलकिस बानो मामले से मिलती है. इस मामले में बलात्कार और हत्या के दोषियों का जेल से रिहा होने पर स्वागत किया गया था. यह अच्छा है कि अदालत ने उन्हें वापिस जेल भेज दिया. गोवा की एक महिला प्रोफेसर, जिसने मंगलसूत्र की तुलना जंजीर से की थी, को गाली-गलौच का सामना करना पड़ा.’ मनुस्मृति’ को आदर्श बताया जाता है.

तवलीन सिंह हिंदू राष्ट्रवादियों के हमलों को हिंदू धार्मिकता बताती हैं. यह एकदम गलत है. उन्होंने स्वयं जय श्रीराम न कहने पर तीन मुसलमानों की चप्पलों से पिटाई का उदाहरण दिया है. क्या यह धार्मिकता है? ऐसी घटनाओं को ‘धार्मिकता’ बताना, धार्मिक कट्टरतावाद से उनके जुड़ाव को छिपाना है. मुस्लिम कट्टरतावाद को जिहादी इस्लाम कहना भी ठीक नहीं है. मुस्लिम कट्टरतावाद के कई स्वरूप हैं. मिस्त्र और कई अन्य देशों में उसे मुस्लिम ब्रदरहुड कहा जाता है. फिर ईरान की अयातुल्लाह सरकार तो है ही.

धार्मिकता तो उसे कहते हैं जिसका आचरण लाखों-करोड़ों हिंदुओं द्वारा अन्य धर्मों के लोगों के साथ रहते हुए सदियों से किया जा रहा है. इसीने भारत को बहुवादी और विविधवर्णी देश बनाया है. हिंदू राष्ट्रवाद की वर्तमान नीतियां सावरकर और गोलवलकर की विचारधारा पर आधारित हैं. ये दोनों उपनिवेशवाद के खिलाफ संघर्ष से उपजे भारतीय राष्ट्रवाद के कटु विरोधी थे. बीसवीं सदी के महानतम हिंदू महात्मा गांधी को बहुवादी भारत का पक्षधर होने की कीमत अपने सीने पर गोलियां खाकर चुकानी पड़ी.

तवलीन इस ‘धार्मिकता’ से नफरत करती हैं. मगर उन्हें यह समझना चाहिए कि जिहादी इस्लाम और इस्लामिक कट्टरतावाद भी इसी रास्ते से उभरा था. राजनीति को धर्म से जोड़ा जाता है और फिर धर्म के नाम पर राजनीति पूरे समाज को बर्बाद कर देती है. भारत में अभी यही हो रहा है. चाहे वह मस्जिदों पर दावा करना हो, मुसलमानों के घरों पर बुलडोजर चलाना हो, तृप्ता त्यागी द्वारा मुस्लिम विद्यार्थियों को पिटवाना हो या मांसाहारी भोजन स्कूल में लाने के लिए बच्चों को स्टोर में बंद करना हो या फिर मंगलौर में पब से बाहर आ रही लड़कियों की पिटाई लगाना हो – ये सब उसी का नतीजा हैं जिसे तवलीन सिंह ‘धार्मिकता’‘कहती हैं.

बुधवार, 11 दिसम्बर 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

...102030...415416417418...430440450...

Search by

Opinion

  • કૉમનવેલ્થ ગેમ્સ / ઓલિમ્પિક તો બહાનું છે, ખરો ખેલ તો જુદો જ છે !
  • સત્યકામ – ધર્મેન્દ્ર અને ઋષિકેશ મુખર્જીની શ્રેષ્ઠ ફિલ્મ
  • નાયકન : પોતાના જ બનાવેલા રસ્તામાં અટવાઈ જતા ઘાયલ માણસની જીવન યાત્રા
  • ‘પંડિત નેહરુ, રામની જેમ, અસંભવોને સંભવ કરનારા હતા !’
  • વીસમી સદીની પહેલી બ્લોક બસ્ટર નવલકથા

Diaspora

  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved