Opinion Magazine
Number of visits: 9456869
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માણસ આજે (૩ અને ૪)

સુમન શાહ|Opinion - Opinion|4 October 2024

માણસ આજે (૩)

આ પહેલાના લેખમાં મેં કહ્યું હતું કે અનુ-માનવવાદને સમજવા માટે એની તુલના માનવવાદ સાથે પણ કરવી જોઈએ. 

એ સંદર્ભમાં, Toni Ruuska અને Pasi Heikkurinen-એ આપેલા બીજા કોઠા અનુસાર, કહી શકાય કે  મનુષ્ય અન્ય જીવો કરતાં નિરપવાદપણે ચડિયાતો છે એ માન્યતાને વિવિધ પ્રકારે (ડિફરન્ટ વૅરિયન્ટ્સ અનુસાર) સમજી શકાય છે. 

ઑન્ટોલૉજિ – સત્ વિદ્યા :  આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે અન્ય જીવોનો આધાર મનુષ્યો છે. જો માણસનું અસ્તિત્વ ન હોત તો અન્ય જીવોનું પણ ન હોત. આ વાત સત્-વિદ્યાએ આપેલા, એક-સમાવિતા (ઑન્ટોલૉજિકલ ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે ખરું અસ્તિત્વ ધરાવનાર માત્ર મનુષ્ય જ છે.

ઍપિસ્ટીમોલૉજિ – જ્ઞાનમીમાંસા : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે વિશ્વનું મૂલ્યાંકન કરવાનું સામર્થ્ય તેમ જ નિર્ણયો કરવાની ક્ષમતા માત્ર મનુષ્યો અથવા કેટલાક મનુષ્યો જ ધરાવે છે. આ વાત,  જ્ઞાનમીમાંસાએ આપેલા, જ્ઞાનઅભિમાન (ઍપિસ્ટીમિક સુપિરિયોરિટી) વિચારને અધીન છે, જે સૂચવે છે કે જ્ઞાનનું ઉચ્ચ સ્તર અને સમજદારી મનુષ્યો જ ધરાવે છે, નહીં કે અન્ય જીવો.  

મૉરલ – નીતિમત્તા :  આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે માત્ર માણસો અથવા કેટલાક માણસો જ નૈતિક મૂલ્યો ધરાવે છે.

એજેન્શ્યલ – કર્તૃપરક : આ વૅરિયન્ટ અનુસાર, એમ કહેવાશે કે પૃથ્વી પર માત્ર માનવજાતિ જ કર્તૃત્વબુદ્ધિ ધરાવે છે. માત્ર મનુષ્યો જ અથવા કેટલાક મનુષ્યો જ કાર્યક્ષમતા કે પસંદગીઓ કરવાની ક્ષમતા ધરાવે છે.  આ વાત,  કર્તૃપરક એક-સમાવિતા (એજેન્ટિક ઍક્સક્લુસિવિટી) વિચારને અધીન છે, જે એમ સૂચવે છે કે મનુષ્યો જ કર્તધર્તા છે, અન્ય જીવો ક્ષમતા વિનાના છે. 

સ્પાસિયલ –સ્થળપરક : આ વૅરિયન્ટ અનુસાર,  એમ કહેવાશે કે પૃથ્વીસ્થળ માત્રમનુષ્યો માટે છે. એક-સમાવિતા, સર્વોપરિતા, અને સાધનત્વ જેવા વિચારો પર આધારિત છે, જે સૂચવે છે કે પોતાના હેતુઓ સિદ્ધ કરવા માટે પૃથ્વીના ભોગવટાનો અધિકાર મનુષ્યોનો છે, બીજા જીવો મનુષ્યોના હેતુઓની સિદ્ધિનાં માત્રઉપકરણો કે સાધનો છે.  

(ક્રમશ:)
(02Oct24:USA)
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°

માણસ આજે (૪)  

અનુ-માનવવાદ, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર મનુષ્યત્વના પરમ્પરાગત ખયાલોને પડકારે છે, અને ટૅક્નોલોજિના આ યુગમાં મનુષ્યની શી અવસ્થા હશે, એ સમજવા માટેની નવ્ય રીતો પ્રસ્તુત કરે છે. 

એ સંદર્ભમાં, હાઇબ્રિડિટી અને સાયબોર્ગ કલ્ચર, બન્ને વિભાવનાઓ અતિ મહત્ત્વની છે. 

એ સૂચવે છે કે મનુષ્યનું મનુષ્યત્વ બદલાઇ રહ્યું છે. દર્શાવે છે કે મનુષ્યો અને મશીનો વચ્ચેની સીમાઓનો, પ્રકૃતિ અને ટૅક્નોલૉજિ વચ્ચેની સીમાઓનો, જાણીતા પરિચયો અને એનાં નવ્ય સ્વરૂપો વચ્ચેની સીમાઓનો લોપ થઇ રહ્યો છે. 

આમ તો બન્ને વિભાવનાઓ એકબીજા સાથે સંકળાયેલી છે. પણ હાઇબ્રિડિટીને સાયબોર્ગ કલ્ચર માટે જવાબદાર ગણવામાં આવે છે. બન્નેને સમજી લઇએ :

હાઇબ્રિડિટી —

એટલે, ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓ, જાતિઓ કે વંશીય પરમ્પરાઓનું સંમિશ્રણ, એ જાતની વર્ણસંકરતા.

વિવિધ મૂળતત્ત્વો – ઍલિમૅન્ટ્સ – કે ગુણોથી સંયોજાયેલા વસ્તુપદાર્થની અવસ્થાને પણ હાઇબ્રિડિટી કહેવાય. 

સંસ્કૃતિઓ વિશેનાં અધ્યયનોમાં બે કે વધુ સંસ્કૃતિઓના મિશ્રણ-વિચારમાં હાઇબ્રિડિટી જોવાય છે : જેમ કે, ભારતમાં મુખ્યત્વે હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિઓ સંમિશ્રિત છે, જેને મલ્ટિકલ્ચરિઝમ કહેવાય છે. 

ટ્રાન્સજેન્ડરિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : લિન્ગભેદ ધરાવતી વ્યક્તિઓનાં જૂથો સમાજનો જ સંવિભાગ ગણાવા જોઈએ. જેમ કે, ભારતમાં તેમ સર્વત્ર LGBT વ્યક્તિઓ છે અને તેમનાં જૂથો છે, જેને ભારતીય કે તે તે સમાજનો હિસ્સો કહેવાય. 

ટ્રાન્સનેશનાલિઝમમાં પણ હાઇબ્રિડિટી જોવાય છે : રાષ્ટ્રીય સીમાઓ વચ્ચે વિભિન્ન પ્રજાઓ પોતપોતાની સંસ્કૃતિઓની રખેવાળી કરતાં કરતાં જીવતી હોય છે. સ્વદેશ છોડવાની ફરજ પડી હોય એ ખરા ડાયસ્પોરા લોકો, સ્વેચ્છાએ સ્વદેશ છોડી વિદેશે વસેલા લોકો, ઇમ્મિગ્રાન્ટ્સ અને નેટિવ્ઝ, સૌ વચ્ચે એક ખાસ સ્વરૂપની ઇન્ટરકનેક્ટેડનેસ પ્રગટી હોય છે. 

સાયબોર્ગ કલ્ચર —

એક સાંસ્કૃતિક મૂવમૅન્ટ છે. એમાં સૂચવાય છે કે મનુષ્યો કશી જુદી કે વ્યાવર્તક હસ્તીઓ નથી, તેઓ અન્ય જીવો તેમ જ ટૅક્નોલૉજિ સાથે સંકળાયેલા છે. સાયબોર્ગ કલ્ચર હાઇબ્રિડિટીનો જ આવિષ્કાર ગણાય, કેમ કે એ મનુષ્યો અને મશીન-તત્ત્વોના સંમિશ્રણની વાત માડે છે, એટલું જ નહીં, સૂચવે છે કે ભવિષ્યમાં માણસ અને મશીનને જુદાં પાડી શકાશે નહીં. આ મૂવમૅન્ટમાં જીવન્ત મનુષ્ય અને નિર્જીવ મશીન ભેગાં થવાથી સરજાતી પરિસ્થિઓનું નિરીક્ષણ અને પરીક્ષણ હાથ ધરાય છે. એમાં કુદરતી અને કૃત્રિમ બુદ્ધિ વચ્ચેની સીમાઓને પણ લક્ષમાં લેવાય છે.

અનુ-માનવવાદમાં પરમ્પરાગત માનવવાદની સમીક્ષા થતી હોય છે. પરન્તુ, ખાસ તો એ કે ટૅક્નોલૉજિની મદદથી માનવીય મર્યાદાઓને કેવી રીતે વટી જવાય, તેનો વિચાર થાય છે. અનુ-માનવવાદ એ દર્શાવે છે કે મનુષ્ય વિશેનો પરમ્પરાગત ખયાલ કાલગ્રસ્ત છે. સત – બીઇન્ગ – અને ચેતનાનાં નવાં સ્વરૂપો તેમ જ માણસોના જાણીતા પરિચયો કે ઓળખોને સ્થાને તેમનાં નવ્ય રૂપો પ્રગટી રહ્યાં છે. એ રૂપોના પ્રકારો છે, ટ્રાન્સહ્યુમનિસ્ટ, પોસ્ટ-હ્યુમેનિસ્ટ, હાઇબ્રિડ, કે ડિજિટલ.

ડિજિટલ આઇડેન્ટિટીની રક્ષા કરનાર સુરક્ષક —

હાલ, ડિજિટલ આઈડેન્ટિટીઝના પ્રકારને સમજીએ એટલું પૂરતું છે. ડિજિટલ ટૅક્નોલૉજિને કારણે તેમ જ ઑનલાઇન ક્રિયાપ્રતિક્રિયાથી એ રૂપો પ્રગટે છે. એ રૂપો વ્યક્તિની શારીરિક ઓળખથી તદ્દન જુદાં હોય છે. એટલું જ નહીં, સંભવ છે કે તેમાં બીજી વ્યક્તિઓ, અવતારો, કે ઑનલાઇન કૉમ્યુનિટીઝ સંડોવાયાં હોય. 

જેમ કે, જાણીતું છે કે મારી ઓળખ કે મારો પરિચય એટલે મારી વ્યક્તિમત્તા, દેખાવ, મારો ધર્મ કે મેં સ્વીકારેલાં જીવનમૂલ્યો. પણ મારી ડિજિટલ આઇડેન્ટિટી એટલે ઑનલાઇન ઉપલબ્ધ મારો પર્સનલ ડેટા – નામ, સરનામું, જન્મતારીખ. પછી, જે છે તે હું જ છું એ ઓળખની ખાતરી – વૅરિફિકેશન. પછી, ઑથેન્ટિફિકેશ, એટલે કે એ ખાતરી હું જે સાધનથી કરાવીશ તે અને તેની પ્રક્રિયા. 

ડિજિટલ આઈડેન્ટિટીની રક્ષા કરનારા સુરક્ષકો પણ હવે ઉપલબ્ધ છે. 

(ક્રમશ:)
(3Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

राहुल गाँधी की अमरीका में टिप्पणियां: सच या दुर्भावना

राम पुनियानी|Opinion - Opinion|4 October 2024

राम पुनियानी

अमरीका की अपनी हालिया यात्रा के दौरान राहुल गांधी (आरजी) ने लोगों के साथ कई बार बातचीत की. ऐसी ही एक बैठक के दौरान उन्होंने दर्शकों के बीच बैठे एक सिक्ख से उसका नाम पूछा. वे भारतीय राजनीति के दो ध्रुवों की चर्चा कर रहे थे और भारत में संकीर्ण कट्टरपंथी राजनीति के ज्यादा प्रबल और आक्रामक होने की ओर बात कह रहे थे. उन्होंने उन सज्जन की ओर मुखातिब होते हुए कहा कि भारत में “संघर्ष इस मुद्दे पर है कि उन्हें सिक्ख होने के नाते, पगड़ी पहनने दी जाएगी या नहीं, या कड़ा पहनने की इजाजत होगी या नहीं. या वे एक सिक्ख के रूप में गुरूद्वारे जा पाएंगे या नहीं. लड़ाई इसी बात की है. और यह मुद्दा सिर्फ उन तक सीमित नहीं है, बल्कि सभी धर्मों के लिए प्रासंगिक है.”

यह स्पष्ट है कि सिक्खों का उदाहरण दिया जाना केवल एक संयोग था और उनका इशारा भारत में अल्पसंख्यकों को आतंकित करने की व्यापक प्रवृत्ति की ओर था. भाजपा के कुछ सिक्ख और अन्य नेताओं ने आरजी पर हमला किया और हमेशा की तरह उन पर राष्ट्रविरोधी, विभाजक होने सहित कई अन्य आरोप लगाए. इन आलोचनाओं में सांस्कृतिक अधिकारों और समाज के भिन्न-भिन्न तबकों के भिन्न आचार-व्यवहार के मुद्दे की जानबूझकर उपेक्षा की गई. इस अवसर का उपयोग भाजपा ने एक बार फिर आरजी पर हमला करने के लिए किया. वे पहले भी भाजपा के निशाने पर रह चुके हैं.

आरजी ने एक ट्वीट कर अपने सपनों के भारत की अवधारणा को स्पष्ट किया “हमेशा की तरह भाजपा झूठ का सहारा ले रही है. वे मुझे चुप कराना चाहते हैं क्योंकि वे सच्चाई का सामना नहीं कर सकते. मैं हमेशा भारत को परिभाषित करने वाले मूल्यों के पक्ष में बोलता रहूंगा – अनेकता में एकता, समानता और आपसी प्रेम.”

आरजी की भावनाओं से बेखबर केबिनेट मंत्री हरदीप सिंह पुरी ने इंडियन एक्सप्रेस में प्रकाशित एक लेख में लिखा कि सिक्खों को सिर्फ 1980 के दशक के दौरान समस्याओं का सामना करना पड़ा. उनका इशार देश के कई हिस्सों, विशेषकर दिल्ली में हुए सिक्खों के नरसंहार की ओर था. उन्होंने आरजी के नजरिए को मोहम्मद अली जिन्ना जैसा बताया, जो देश का विभाजन करवाने पर तुले हुए थे. उन्होंने इस बारे में कुछ नहीं कहा कि भाजपा सरकार ने किसानों, जिनमें से बहुत से सिक्ख थे, की मांगों की कई महीनों तक पूरी तरह उपेक्षा की और उसके बाद ही किसान विरोधी कानूनों का वापिस लिया. उस दौरान हुए व्यापक विरोध में भाग लेने वाले सिक्खों को खालिस्तानी बताया गया था.

जहां तक 1984 के नरसंहार का सवाल है, उसके दोषियों को कभी माफ नहीं किया जा सकता. भारतीय राष्ट्रीय कांग्रेस के मनमोहन सिंह, जो एक दशक तक प्रधानमंत्री रहे, ने इसके लिए क्षमाचायना की थी और हमारी अपेक्षा है कि हिंसा के दोषियों के विरूद्ध शीघ्रातिशीघ्र उचित कानूनी कार्यवाही की जाएगी. 1984 के अपराधियों को कई दशकों तक दंडित न किया जाना अत्यंत निंदनीय है.

इस तथ्य की ओर ध्यान नहीं दिया जाता कि आरएसएस-भाजपा इस नरसंहार के दौरान सिक्खों के बचाव के लिए आगे नहीं आए. बल्कि, इसके विपरीत, शमसुल इस्लाम, जो भारत में कट्टरपंथ के जोर पकड़ने के विषय के प्रमुख अध्येताओं में से एक हैं, दावा करते हैं कि आरएसएस ने भी इस भयावह नरसंहार में भागीदारी की. “इस आपराधिक मिलीभगत का महत्वपूर्ण प्रमाण आरएसएस के एक प्रमुख विचारक स्वर्गीय नानाजी देशमुख  द्वारा 8 नवंबर 1984 को जारी किया गया ‘अंतरात्मा की खोज का समय’ शीर्षक वाला एक दस्तावेज है (जिसे जार्ज फर्नाडीज द्वारा संपादित हिंदी पत्रिका प्रतिपक्ष में प्रकाशित किया गया था). इससे उन कई अपराधियों के चेहरों पर से नकाब हटाने में मदद मिल सकती है जिन्होंने बेकसूर सिक्खों के कत्ल किए और उनके साथ दुष्कर्म किया, जिनका इंदिरा गांधी की हत्या से कोई लेनादेना नहीं था. इस दस्तावेज से इस बारे में भी जानकारी मिल सकती है कि वे स्वयंसेवक कहां से आए थे, जिन्होंने योजनाबद्ध ढंग से सिक्खों की हत्याएं कीं. नानाजी देशमुख इस दस्तावेज में 1984 में सिक्खों के नरसंहार तो सही ठहराते नज़र आते हैं.”

आरजी की आलोचना से जुड़ा एक मुद्दा और है. कई सिक्ख समूह इसे सिक्ख पहचान को मान्यता देने के स्वागत योग्य कदम की तरह देख रहे हैं. पूर्व आरएसएस प्रमुख के. सुदर्शन ने एक वक्तव्य में कहा था कि सिक्ख धर्म वास्तव में हिंदू धर्म का एक पंथ (सम्प्रदाय) है और खालसा की स्थापना हिंदुओं की इस्लाम से रक्षा करने के लिए की गई थी. 2019 में मोहन भागवत ने कहा था कि भारत एक हिंदू राष्ट्र है. इन दोनों वक्तव्यों के विरूद्ध कड़ी प्रतिक्रिया हुई थी. इन वक्तव्यों से आरएसएस की मानसिकता भी पता चलती है. हम जानते हैं कि सिक्ख मात्र एक पंथ नहीं है बल्कि एक धर्म है; जिसकी स्थापना गुरू नानक देवजी ने की थी. उन्होंने कहा था न हम हिंदू न हम मुसलमान.

पंजाब ट्रिब्यून और नवा जमाना जैसे प्रमुख पंजाबी समाचारपत्रों ने अपने संपादकीय में भागवत के वक्तव्य की कड़ी आलोचना की. वहीं शिरोमणि गुरूद्वारा प्रबधंक कमेटी (एसजीपीसी) और शिरोमणि अकाली दल (एसएडी), जो एनडीए का हिस्सा है, और भाजपा का सहयोगी दल रह चुका है, ने भी भागवत के वक्तव्य पर कड़ी प्रतिक्रिया की.

अकाल तख्त के कार्यवाहक जत्थेदार ज्ञानी हरप्रीत सिंह ने कहा कि उनका मानना है कि आरएसएस की इन हरकतों से देश में फूट पड़ेगी. “आरएसएस नेताओं के वक्तव्य देश के हित में नहीं हैं,” उन्होंने लिखा.

सिक्ख धर्म के हिंदू धर्म का हिस्सा होने के दावों का खंडन केहन सिंह की पुस्तक “हम हिंदू नहीं” में किया गया है. यदि हम सिक्खों की परंपराओं पर ध्यान दें, तो उनमें सांप्रदायिक मेलजोल नजर आता है. स्वर्ण मंदिर की नींव मियां मीर ने रखी थी. सिक्ख धर्म बाबा फरीद और अन्य सूफी संतों का सम्मान करता है और साथ ही भक्ति संतों जैसे कबीर और रैदास का भी. सिक्खों में गुरू का दर्जा रखने वाले गुरूग्रन्थ साहिब में सिक्ख गुरूओं की वाणी के साथ-साथ सूफी और भक्ति संतों को भी स्थान दिया गया है. उसका मुख्य विचार और लक्ष्य है मौलानाओं और ब्राम्हणवादी शिक्षाओं द्वारा लादी लिंग और जाति संबंधी गैरबराबरी को दूर करना.

भारतीय उपमहाद्वीप में जन्में धर्मो बौद्ध, जैन और सिक्ख सभी मानव जाति में बराबरी की वकालत करते हैं और एक तरह से जाति व लिंग संबंधी पदक्रम से दूरी बनाते हैं. कई सिक्ख नेता मात्र सत्ता की खातिर भाजपा में शामिल होने का प्रयास करते हैं, और उनका ध्यान सिक्खवाद के मानवीय मूल्यों और ब्राम्हणवादी रूढ़िवाद के बीच के विरोधाभास की ओर नहीं जाता. जैसा अम्बेडकर ने कहा कि ब्राम्हणवाद हिंदुत्व का सबसे महत्वपूर्ण हिस्सा है. इसी के चलते उन्होंने हिंदू धर्म छोड़कर बौद्ध धर्म स्वीकार किया.

सिक्ख धर्म भारतीय इतिहास के तथाकथित मुस्लिम काल में फला-फूला. कई सिक्ख संगठनों की कड़ी प्रतिक्रिया के बाद अब आरएसएस  सिक्ख धर्म को एक स्वतंत्र धर्म के रूप में स्वीकार करने लगा है. आरजी का वक्तव्य कहीं से भी विभाजनकारी नहीं है और भारतीय संविधान के मूल्यों का प्रतिनिधित्व करता है.

10 अक्टूबर  2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)

Loading

ગાંધી જયંતી ગઈ ને ગયા ગાંધીજી પણ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 October 2024

રવીન્દ્ર પારેખ

ગાંધી જયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પર માથું નમાવી આવ્યા એનો ફોટો વર્તમાનપત્રોમાં પ્રગટ થયો છે. એમાં રાજઘાટ પર ફૂલો પથરાયેલાં દેખાયાં ને મને હસમુખ પાઠકનું આ કાવ્ય યાદ આવ્યું :

રાજઘાટ પર –

આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય

ગાંધી કદી સૂતા નથી –

રાજઘાટ પર મળ્યું એટલું સૂવાનું ગાંધીને ક્યારે ય મળ્યું ન હતું. આટલાં ફૂલો ય મળ્યાં ન હતાં. એ નિરાંતનો જીવ જ ન હતા ને આપણે ગાંધીને ફૂલો નીચે શોધીએ છીએ. જો કે, હવે ગાંધીને બહુ શોધતા ય નથી. આપણે એટલા મતલબીય નથી કે એમ ભૂલી જઈએ. કમ સે કમ ગાંધી જયંતીએ તો યાદ કરીએ જ છીએ. એ ખરું કે જયંતી આવે છે કે ઢગલો ઝાડુ રસ્તે આવી પડે છે. સ્વચ્છતા અભિયાનને દાયકો થયો. એમાં શું સ્વચ્છ થયું તે તો નથી ખબર, પણ વર્ષથી મેલાં થઈ ગયેલાં ગાંધીજીનાં પૂતળાં તો સ્વચ્છ થઈ જ ગયાં છે. સુરતમાં તો પહેલાં ગાંધીજી ‘ગાંધીબાગ’માં હતા, તે હવે બાગની બહાર આવી ગયા છે. ગાંધી આગળ, બાગ પાછળ. ગાંધીજી એટલે સ્વચ્છતા ! ઠેર ઠેર સાફ થયેલા રસ્તાઓ પર ઝાડુઓ ફરવા લાગે છે ને બીજી ઓકટોબર એકદમ ‘સાફ’ થઈ જાય છે. સાહેબોનાં કપડાં મેલાં ન થાય એટલે અગાઉથી રસ્તા સાફ કરી દેવામાં આવે છે ને પછી સાહેબો હાથ સફાઈ કરે છે.

રાજકોટમાં ગાંધી મ્યુઝિયમ પાસે નેતાઓએ પહેલાં જોઈ લીધું કે કચરો ક્યાં નથી? એ પછી જ સફાઈ  અભિયાન શરૂ કર્યું. બધાંના ફોટા બહુ મસ્ત આવ્યા. સફાઈ તો એવી થઈ કે ઝાડુ પણ ક્યાંયથી મેલું ન થયું. સુરત મહાનગરપાલિકા પણ પાછળ ના રહી. સ્વચ્છતા હી સેવા-સૂત્રને સાર્થક કરવા બધાં ડુમસ બીચ પર ઊતરી પડ્યાં. 800 જેટલા સફાઇકર્મીઓએ એટલું બધું સાફ કર્યું કે એટલું તો ગાંધીજીએ પણ નહીં કર્યું હોય ! 800 જણાંએ 1,700 કિલો કચરો કાઢ્યો. તે ઉપરાંત 179 કિલો પ્લાસ્ટિક તો ખરું જ ! એવરેજ કાઢો તો બે કિલોથી પણ વધારે આવે. એમ પણ લાગ્યું કે સુરત સ્વચ્છ સિટીમાં પ્રથમ રહ્યું છે, એ હિસાબે કદાચ કોર્પોરેશનમાં હોય તેથી પણ ઓછો કચરો ડુમસમાં હશે. એક વર્ષનો 1,700 કિલો કચરો કૈં બહુ ન કહેવાય. હવે આવતે વર્ષે જશે તો આનાથી ય ઓછો કચરો થશે.

એ ખરું કે ગાંધીજી ચલણી નોટ પર જ રહી ગયા છે, એ પણ કોઈ બદલે તો નવાઈ નહીં, પણ હવે જ્યારે બાપુ છે જ ને દર વર્ષે બીજી ઓક્ટોબરે આવે જ છે, તો જ્યાં એમનો જન્મ થયેલો એ પોરબંદરમાં પણ થોડી સફાઈ થવી જોઈએને ! નહીં તો વિદ્યાર્થીઓને એમનો જન્મ પોરબંદરમાં થયેલો એવું ગોખાવવાનો કોઈ અર્થ ન રહે. ગમે તેમ તો ય આઇન્સ્ટાઈને એમને માટે કહેલું કે હાડચામનો આવો માણસ પૃથ્વી પર ફરતો હતો, તે થોડાં વર્ષો પછી કોઈ માનશે નહીં. જો કે, કે હવે વર્ષોની રાહ જોવાની રહી નથી. ગાંધીજીને અત્યારથી જ કોઈ માનતું નથી. આઇન્સ્ટાઇનને આપણે ઘણો વહેલો સાચો પાડ્યો. ગાંધીજીને કોઈ માનતું નથી એમ એટલે લાગે છે, કારણ, માનતા હોત તો પોરબંદરનું જન્મ સ્મારક ત્રણ વર્ષથી બંધ પડ્યું ન હોત !

આ ગાંધી જ્યંતીએ પણ મહાત્મા ગાંધીનું જન્મ સ્મારક ખૂલ્યું નહીં. સ્મારકનું હેરિટેજ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું, પણ ભારતીય પુરાતત્ત્વ વિભાગે અઢી વર્ષ સુધી એનાં તરફ ધ્યાન જ ન આપ્યું. ગમે તેમ તો ય ભારતીય પુરાતત્ત્વ વિભાગ છે, એ પણ જર્જરિત તો થાયને ! આઠેક મહિનાથી રિપેરિંગ ચાલે છે, પણ કામ પૂરું થયું નથી. પોરબંદરમાં જ્યાં મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ થયેલો તે સ્થળ પાસે સ્મારક બનાવાયું. તેનો ઉપરનો હિસ્સો જર્જરિત થતાં અઢી વર્ષથી તેને તાળું મારીને બહાર ‘વર્ક ઇન પ્રોગ્રેસ’નું પાટિયું મારી દેવાયું છે. એને કારણે દેશવિદેશથી આવતા પ્રવાસીઓને મકાનની નીચેનો ભાગ જોઈને જ પરત થવું પડે છે.

પોરબંદરમાં 2 ઓકટોબર, 2011ને રોજ નવી ચોપાટી પાસે ગાંધી સ્મૃતિ ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વધારામાં ગાંધીજીને લોકમાનસમાં જીવંત રાખવા લેસર શોની વ્યવસ્થા કરવામાં આવી. જાપાનથી ત્રણ પ્રોજેક્ટર ત્રણ કરોડને ખર્ચે લાવવામાં આવ્યાં. એનો કારભાર પાલિકા હસ્તક છે. કોરોના કાળ પહેલાંથી એ શો ટેકનિકલ કારણોસર બંધ છે. છેને કમાલ ! ભારત બહાર ગાંધીજીનાં 42 સ્મારકો છે, પણ તેમની જન્મભૂમિ પરનું સ્મારક બંધ હાલતમાં છે. હવે સ્મારક જોવા ભારતથી વિદેશ જવું પડે એમ બને. ગાંધી સ્મૃતિ ભવન ખાતે ગાંધીજીની પ્રતિમા, તસવીરો વગેરેની દુર્દશા સરકારી કારભારની ચાડી ખાય છે. 2011માં લોકાર્પણ થયું હોય ને તેર જ વર્ષમાં કોઈને જોવા લાયક પણ ન રહે એ કેવું? ત્રણ વર્ષથી મુખ્ય મંત્રી પણ એક જ રૂમ જોઈને પાછા વળી જાય છે ને હજી તો મંગળવારે જ મુખ્ય મંત્રી ત્યાં જઈ આવ્યા છે, તો એક સાદો સવાલ ન પુછાય કે એક જ રૂમ દર્શનની સ્થિતિ બદલાશે કે આ એક રૂમ પણ બંધ થવાનો છે?

કોઈ એમ ન સમજે કે હું ગાંધીજીનો ભક્ત છું. ભક્ત હું કોઈ ગાંધીનો નથી. ગાંધીજીના બ્રહ્મચર્યના વિચારોનો લિખિત વિરોધ મેં કર્યો છે. મહાત્મા હોય તો પણ બધું મળીને તે એક માણસ હતા. માણસમાં હોય તેવી નબળાઈ તેમનામાં પણ હતી, પણ સત્ય, અહિંસાનો જે સંદેશ એમણે આપ્યો એનો અસ્વીકાર જગત કરી શકે એમ નથી, છતાં લેબેનોનમાં ઈઝરાયેલના 8 સૈનિકોનાં મોત ગાંધી જ્યંતીએ જ થયા. ગાંધીનો એકડો કાઢવા જતાં શૂન્ય થઈ જવાનો ભય દેશને માથે છે જ ! તેમની સાદગી કોઈ સંત મહાત્મા પાસે પણ નથી. ચશ્માં, ચંપલ, ઘડિયાળ, લાકડી ને પોતડીથી સજ્જ જગતનો કયો રાષ્ટ્રપિતા હશે તે નથી ખબર. ગમે એટલા આગળ જઈએ તો પણ ગાંધી વિચાર પાસે થોભવું પડે એમ છે તે સમજી લેવાનું રહે.

દાંડી સત્યાગ્રહને 2005માં 75 વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે એક કાવ્ય લખેલું તે પ્રસ્તુત કરું છું :

દાંડી

0

દાંડી

ફૂલનો આધાર

દાંડી

ઢોલનો ધ્વનિ

દાંડી

ચશ્માંનો કાન

દાંડી

જડે નહીં તેવું ગામ

ત્યાં ઝૂક્યો એક હાથ

ને ઉપાડ્યું મીઠું

એ મીઠું પછી

મધમીઠું થયું

ને દાંડી થયું  

દીવાદાંડી !

0

ગાંધીજીને ઘણાંએ જોયા નથી. ઘણાંને અફસોસ પણ થાય છે કે પોતે ગાંધીજીને જોવાના રહી ગયા.

પ્રિયકાંત મણિયારનું એને લગતું એક સરસ કાવ્ય છે :

તમે ગાંધીજીને જોયા હતા?

0

એકદમ જ્યાં સાવ નાના ભાઈએ પૂછ્યું,

‘તમે ગાંધીજીને જોયા હતા?’

ત્યાં હું અચિંતો ને સહજ બોલી ગયો કે ‘હા’

અને એ ઓશિયાળી આંખથી જોઈ રહ્યો મુજને

અને બબડી ગયો –

‘ત્યારે અમે તો હીંચતા’તા ઘોડિયામાં

પેન-પાટી લૈ હજુ તો એકડાને ઘૂંટતા’તા રે અમે !’

હું હવે કોને કહું કે’ના તમે,

‘એ તો અમે !’

0

સાવ નાનો ભાઈ એકદમ મોટાભાઈને પૂછે છે કે તમે ગાંધીજીને જોયા હતા? તો મોટોભાઈ એમ જ બોલી પડે છે કે – હા. એ જાણીને નાનાભાઈને ઓશિયાળું લાગે છે કે એ તક પોતાને ન મળી. મોટાભાઇ એટલા નસીબદાર કે એમને ગાંધીજી જોવા મળ્યા, પણ ગમે તેટલું કરવા છતાં એ નસીબ પોતાનું તો ન હતું કારણ, ત્યારે તો પોતે ‘હીંચતા’તા ઘોડિયામાં’, એ સ્થિતિ જ ન હતી કે ગાંધીજીને જોવા જેટલા મોટા હોય. નાનાભાઈની તો પેન પાટી લઈને એકડો ઘૂંટવાની ઉંમર હતી. નાદાન હતો. ત્યારે મોટોભાઈ બહુ માર્મિક રીતે કહે છે કે નાદાન તમે ન હતા, અમે પણ મોટા હોવા છતાં એકડો જ ઘૂંટતા હતા. નાદાન જ હતા. સમજદાર હોત તો અમે પણ ગાંધીજીને ઓળખ્યા હોત !

આજે પણ ગમ્મત તો એ જ છે કે ઘણા ગાંધીજીને ઓળખતા નથી, ઓળખી શક્યા નથી ને ઓળખી કાઢ્યા હોય તેમ મૂછે તાવ દેતા ફરે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 ઑક્ટોબર 2024

Loading

...102030...407408409410...420430440...

Search by

Opinion

  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved