– અંદાજપત્ર : એની એ મોઈ અને એના એ ડાંડિયા, એ જ ચિદમ્બરમ્ અને એ જ જેટલી, ક્યાં સુધી ..
છેવટે, ભલે મીડિયાકૃપાએ પણ કેજરીવાલે હયાતીનું સર્ટિફિકેટ આપ્યુ ખરું ! તાજેતરના કલાકોમાં જે બધી આડીઅવળી એકપંક્તિકાઓ (વનલાઇનર્સ) સાંભળવા મળી, અંદાજપત્ર અંગે, એમાં કેજરીવાલ સચોટ કહ્યું કે આંખો મીંચીને સાંભળીએ તો એમ જ લાગે કે માળું આ તો ચિદમ્બરમ્ જ બોલે છે !
કેજરીવાલની વાત જરી રહીને કરીશું, પણ અરુણ જેટલીની બજેટ રજૂઆત વિશેની આ નિરીક્ષા અને નુકતેચીનીના સગડ દબાવતા ચાલીએ તો શું સમજાય છે? કદાચ, મોદી સરકારનું પ્રથમ અંદાજપત્ર યુ.પી.એ.ની પરંપરામાં છે. એમાં કશું નવું કે જૂદું મુદ્દલ નથી એમ નહીં, પણ સાતત્ય ખાસું બધું છે. બલકે, અા સાતત્યકથા યુ.પી.એ.ના દસકા કરતાં પણ પાછળ જાય છે. નરસિંહરાવ અને મનમોહનસિંહે જે ઉઘાડ કર્યો હતો, કંઇક એવો જ અનુભવ કેટલાકે આમાં પણ કર્યો છે.
જે ઉઘાડ કર્યો હતો, કંઇક એવો જ અનુભવ કેટલાકે આમાં પણ કર્યો છે. આનો અર્થ કંઇ નહીં તો પણ એટલો તો થઈ જ શકે કે દેશે વૈશ્વિકીકરણકરણ કહેતાં નિયોલબિરલ એવો જે રાહ કોંગ્રેસ નેતૃત્વ તળે પકડ્યો એના કરતાં ભાજપી રાહ અને તરાહ ન્યારાં નથી. વસ્તુત: ઇન્દિરા ગાંધી પુન: સત્તારૂઢ થયાં ત્યારે એમના (પ્રણવ મુખરજીના) પહેલાબીજાં અંદાજપત્રોના વારાથી આનાં ચિહ્નો દેખાવા જ લાગ્યાં હતાં, પણ નરસિંહરાવ-મનમોહનસિંહ સાથે તે એકદમ સ્ફૂટ થઈને રહ્યું અને વાજપેયીનાં છ વરસ પણ એમાં અપવાદ નહોતાં.
જો આ રીતે જોઈએ તો ખ્યાલ આવે છે કે, નમોજેટલી સ્કૂલ તાજેતરનાં વરસોમાં આર્થિક નીતિઓ સબબ કેન્દ્ર સરકારની જે બધી ટીકાઓ કરતી હતી તે વસ્તુત: અગાઉની એન.ડી.એ. સરકારની જ પરંપરામાં હોઈ એમની ખુદની પણ ટીકા હતી. બેલાશક, ભ્રષ્ટાચારના કે બીજા કિસ્સાઓમાં કોંગ્રેસ અને ભાજપનાં સામસામા નિશાન વાજબી હોઈ શકે; પણ આર્થિક નીતિ તત્ત્વત: એક જ હતી.
મતલબ, ભલે પોતીકી માવજત અને નજાકતથી પણ અરુણ જેટલીએ અત્યારે કરેલી રજૂઆત કોઈ વિકલ્પની નથી, પણ ચિદમ્બરમના સબસ્ટિટયૂટ તરીકેની એટલે કે બદલી ભરનાર તરીકેની છે. વસ્તુ સ્થિતિની રીતે નોંધતી વેળાએ તેવીસ ચોવીસ વરસ પરની એક ચર્ચા સાંભરે છે. નરસિંહરાવ -મનમોહનસિંહના એ દિવસોમાં અડવાણી સાથે વાત કરવાનું બન્યું ત્યારે એ જરી વહી ગયા હતા કે આ તો અમે જેની હિમાયત કરતા હતા તે જ આર્થિક અભિગમ છે. એ સંજોગોમાં, કોઇકે પૂછ્યું, તમે અને કોંગ્રેસ હવે જુદા શા માટે રહો ? અડવાણીએ કહ્યું કે અમારું જુદા હોવું રહેવું સ્વાભાવિક છે. કારણ, આ આર્થિક નીતિ તે કંઈ ‘હમારી પહેચાન’ નથી.
અમારી ઓળખ તો હિંદુત્વ છે. તેમ છતાં ૨૦૧૪ની ચૂંટણીમાં કોમી ધ્રુવીકરણથી માંડી ઓ.બી.સી. ઓળખ ઉછાળાની કોશિશ નહોતી એમ તો નહીં કહી શકાય, પણ સર્વાધિક શોર અને આગળ કરાયેલ બાબત તો કથિત ગુજરાત મોડલ અને ‘વિકાસ’ની હતી. પણ જોવાનું એ છે કે આર્થિક નીતિવ્યૂહમાં યુ.પી.એ.-એન.ડી.એ. લગભગ સરખાં છે. ગાંધી, નહેરુ પટેલની કોંગ્રેસે અવાડી અધિવેશન સાથે લીધેલો સમાજવાદી રાહ કે પછી જનતા અવતારના સંસ્કાર સમેત છૂટા પડેલા જનસંઘે (ભાજપે) શરૂમાં ઘોષિત કરેલો ગાંધીવાદી સમાજવાદ, આજના યુ.પી.એ.-એન.ડી.એ.માં શોધ્યાં જડે એમ નથી.
કોંગ્રેસે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં લોકશાહી સમાજવાદનો જે રાહ લીધો એ કોઈ એકદમ આવી પડેલી આકસ્મિક ઘટના નહોતી. સ્વરાજની લડત દરમિયાન ‘કોંગ્રેસ સમાજવાદી પક્ષ’ સાથે શરૂ થયેલી એ એક પ્રક્રિયા હતી. નરસિંહરાવ-મનમોહનસિંહના દોરમાં લેવાયેલો ‘યુ ટર્ન’ કોઈ જ લાંબી બહસ અને રાષ્ટ્રીય એકંદરમતી વગરનો બનાવ હતો.
વસ્તુત:, જ્યાં સુધી વિકલ્પ ચર્ચાનો સવાલ છે, દેશને ૧૯૪૫માં ગાંધીએ નહેરુ જોગ પત્રમાં છેડેલા મુદ્દાઓથી માંડીને લોહિયા-જયપ્રકાશનાં સપ્તક્રાંતિ અને સંપૂર્ણક્રાંતિનાં એલાનોમાં રહેલી વિષમતા નિર્મૂલનકારી આર્થિક નીતિઓની ચર્ચાની જરૂર છે. ચિદમ્બરમ્ અને અરુણ જેટલીના ડાહ્યા ડમરા બદલીદાવમાં નહીં ગંઠાતાં અભીપ્સુ મધ્યમવર્ગો સમાનતાના ઉફાન અને તોફાનનો નવો પથ પ્રશસ્ત કરવાપણું છે. જટા-જંઘાનું રાજકારણ બહુ ચાલ્યું, સવાલ સગરપુત્રોના નવ્ય રાજકારણનો છે. એક સ્થૂળ પક્ષ તરીકે નહીં પણ યુગબળ અને ઘટનારૂપે અહીં ‘આપ’ જેવાઓની ભૂમિકા બને છે જે સગરપુત્રો કહેતાં વિશાળ આમજનતાના નવા રાજકારણનો સંચાર કરી શકે.
ચૂંટણીજંગ પૂર્વે ચમત્કારિક પ્રવેશ પછી આ ઘટના ચોમાસાની પેઠે ખેંચાઈ ગઈ છે એ સાચું; પરંતુ એટલું જ સાચું એ પણ છે કે જે ગરવીનરવી ચર્ચા આપસી મતભેદો સબબ યોગેન્દ્ર યાદવ અને અરવિંદ કેજરીવાલે કરી તે આપણા હાલના બદલીબહાદુરોના કિસ્સામાં શક્ય નથી. મુદ્દે, નવા રાજકારણની જે શક્યતા લોકપહેલ અને ભાગીદારથી વરતાઈ છે એણે નિયોલબિરલ ગંઠાપાથી ઉફારી નવ્ય આર્થિક નીતિની પણ ભોં ભાંગવાની છે. પ્રશાન્ત ભૂષણની સ્વરાજ વિદ્યાપીઠ અને એ ઘાટીએ ચાલતાં બીજા નાના-મોટા વિચારથાણાં નથી એમ તો નથી …
એની એ મોઈ અને એના એ ડાંડિયા, એ જ ચિદમ્બરમ્ અને એ જ જેટલી, ક્યાં સુધી, ક્યાં સુધી …
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 12 જુલાઈ 2014
![]()


અખિલ જિંદગી જેણે પીડ પરાઈ જાણી હોય એવા ભેખધારી ગાંધીવાદી વૈષ્ણવજનો, દલિતોની કલેજા ચીરતી ભયકથાઓ ટાણે અડીખમ ઊભેલા આંબેડકરવાદીઓ અને જેનું જીવનલક્ષ્ય 'દુનિયા કે મજદૂર એક હો'ના નારાને બુલંદ કરવામાં વીત્યું એવા ડાબેરી સંઘર્ષવીરો – આવા અનેક કર્મશીલો દેશ આઝાદ થયાના છ દાયકા દરમિયાન ગુજરાતને મળ્યા અને પોતપોતાની વિચારધારા મુજબ લડયા. પણ, આઝાદીના આ અધૂરા જંગમાં, જેણે પોતાની કર્મશીલતા થકી પોતાને માટે એવું જોખમ ઊભું કર્યું હોય કે ગુજરાતની રાજસત્તા ગમે ત્યારે જાનથી મારી શકે અને એ જોખમની વચ્ચે પણ એ વ્યક્તિ અણનમ માથું બનીને સતત લડતી રહી હોય તો કદાચ એ એક જ 'જન સંઘર્ષ મંચ'ના જોરાવર કર્મશીલ ડો. મુકુલ સિંહા. નરેન્દ્ર મોદી સામે લડનારો સૌથી મહત્ત્વનો યોદ્ધો. ફેફસાંના કેન્સરની બીમારી સામે ઝઝૂમીને ૧૨ મે ૨૦૧૪ના રોજ આપણા આ બાહોશ સાથીનું અવસાન થયું. રાજસત્તાને હચમચાવી નાખવાનું ગજુ ધરાવતો આ માણસ મૂળ છત્તીસગઢના બિલાસપુરનો, પણ જીવ્યો સવાયો ગુજરાતી બનીને. જિંદગીના ૩૦ વરસ સુધી ડો. મુકુલ સિંહાએ જે રીતે ગુજરાતનાં વંચિતો, શોષિતો, પીડિતો માટે અવિરત સંઘર્ષ કર્યો, તેનો જોટો જડવો મુશ્કેલ છે.
કાનપુર આઈ.આઈ.ટી.માંથી ૧૯૭૧માં ગોલ્ડમેડલ જીતી, ગ્રેજ્યુએટ થયેલ મુકુલ સિન્હા ૧૯૭૩માં અમદાવાદની પી.આર.એલ.(ફિઝિકલ રિચર્સ લેબોરેટરી)માં ભૌતિકશાસ્ત્રી તરીકે જોડાયા અને પ્લાઝ્મા ફિઝિક્સ પર ડોક્ટરેટ કર્યું. એ ભૌતિકશાસ્ત્રીમાંથી એક્ટિવિસ્ટ અને પછીથી એડવોકેટ બન્યા, એના મૂળમાં પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડની રોજીરોટીનો સવાલ. પી.આર.એલ.ના સિક્યુરિટી ગાર્ડે પોતાના અધિકારો માટે યુનિયન બનાવ્યું એ જોઈને સંસ્થાએ તમામ કર્મચારીઓ પાસેથી એવું લેખિત લેવાનું ચાલુ કર્યું કે તેઓ ક્યારે ય યુનિયનમાં નહીં જોડાય. મુકુલભાઈએ ધરાર કહી દીધું, યુનિયનમાં નહીં જ જોડાઉં એવી બાંહેધરી ના આપું. પરિણામસ્વરૂપ પી.આર.એલ.માંથી એમને પાણીચું પકડાવી દેવામાં આવ્યું. બસ એ જ ક્ષણથી કર્મચારીઓ-કામદારોના યુનિયન એ એમની જિંદગીનું અભિન્ન અંગ બની ગયા. પી.આર.એલ.માં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓનું યુનિયન બનાવી એમણે ટ્રેડ યુનિયનિસ્ટ તરીકે પદાર્પણ કર્યું અને બીજી તરફ કોર્ટમાં પોતાનો કેસ દાખલ કર્યોં. ધારાશાસ્ત્રી ગિરીશ પટેલ મુકુલભાઈનો કેસ લડે. ૯ વરસ સુધી કેસ ચાલ્યો. સુપ્રીમ કોર્ટ સુધી મેટર ગઈ. સુપ્રીમના જજે મુકુલભાઈને પૂછેલું – વોટ અ સાયન્ટિસ્ટ હેઝ ટૂ ડૂ વીથ લેબર યુનિયન (વિજ્ઞાનીને લેબર યુનિયન સાથે શું લેવા દેવા). મુકુલભાઈ ઘણીવાર અમને કહેતા કે પી.આર.એલ.નો કોઈ સાયન્ટિસ્ટ ઈન્કલાબ ઝિંદાબાદ કે લાલ સલામ બોલે એ વાત જ પેલા જજને હજમ થતી નહોતી … એ પછી મુકુલભાઈ પોતે વકીલ બની ગયા. એ વાતને આજે અઢી દાયકા થયા. આ અઢી દાયકા દરમિયાન મુકુલભાઈએ ઘણી કંપનીઓ, સંસ્થાઓ, મિલો-કારખાનાઓના માલિકો સામે યુનિયન બનાવીને લડત આપી. હજ્જારો ઝૂંપડાવાસીઓ માટે ઝઝૂમ્યા. માનવાધિકાર ભંગના સેંકડો કેસો ઉપાડયા. અનેક જાહેર હિતની અરજીઓ કરી.
કહે છે ને કે તલવારના ધણી જીવે છે, સદા જીવે છે ! − એ જ પ્રમાણે કલમના ધણી પણ જીવે છે અને એવી શાનથી જીવે છે કે એમની સામે તલવારના ધણી ઝાંખા પડી જાય છે. હિન્દુસ્તાનના અંતિમ મુગલ બાદશાહ બહાદુર શાહ – ઝફર એક અચ્છા શાયર હતા અને સાચું પૂછો તો તેમની શાયરી સામે બાદશાહતની કોઈ હેસિયત ન હતી. બાદશાહની હેસિયતે તે વિસરાયા, પણ કવિ તરીકે આજે ય મોજૂદ છે. લોકોનાં દિલો પર રાજ કરે છે.
આપણે આ પહેલાં કવિ ઝૌક વિશે વાંચી ગયા છીએ. તેઓ એક ઉસ્તાદ કવિ હતા. તેમના એકાધિક શિષ્યોમાંના એક દાગ દહેલ્વી એક પ્રતિષ્ઠ શાયર અને પોતાના ઉસ્તાદથી એક મૂઠ ઊંચા ઉસ્તાદ હતા. અલ્લામા મુહમ્મદ ઇકબાલ અને જિગર મુરાદાબાદી જેવા ઉચ્ચ શ્રેણીના શાયરો અને અન્ય અનેક તેમના શિષ્યો હતા. તેમની શૈલી ખાસી અાકર્ષક હતી. અશઆરમાં નાવીન્ય લાવવા, રિવાયતો તોડવા ને નવા વિચારો – નવા વિષયો આમેજ કરવા પ્રતિ તેમનું લક્ષ હતું.