Opinion Magazine
Number of visits: 9562341
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈશ્વરના પસ્તાવાનો પાર નથી !

અાશા બૂચ|Opinion - Opinion|20 February 2014

ઈશ્વરના પસ્તાવાનો પાર નથી
અાશા બૂચ
બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. અંતરીક્ષમાં નભોમંડળ રચ્યું, સૂર્યમાળાના ગ્રહો તરતા મુક્યા. કાળક્રમે પૃથ્વીનો જન્મ થયો જેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ એ પંચમહાભૂતના અસ્તિત્વને પરિણામે અન્ય જીવસૃષ્ટિ પ્રગટ થઈ. જળચર, ખેચર અને ભૂચર પ્રાણી યોનીઓ મા ધરતીનો ખોળો ખુંદવા લાગ્યાં અને ઉત્ક્રાંતિનાં ચરમ ચરણે માનવ જાતની વ્યુત્પત્તિ થઈ.
માનવ જાત બાલ્યાવસ્થામાં હતી ત્યારે એને પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, જીવનનો શો હેતુ છે, પ્રકૃતિનું શું રહસ્ય છે, કુદરત સાથે અને તમામ જીવસૃષ્ટિ સાથે કેમ વર્તવું એ વિષે જિજ્ઞાસા જાગી. તેવે ટાણે ભગવાને કેટલાક ઉત્કૃષ્ટ કોટિના માનવોને અદ્દભુત અાંતરદૃષ્ટિ આપી અને તેના બધા સવાલોના જવાબ આપવા ઉપરાંત મનુષ્યે રચેલ નવી સમાજરચનાને સુપેરે ચલાવવા માટે આચાર સંહિતા આપી, જેને દુનિયા આખીના લોકોએ પોતપોતાની ભાષામાં ધર્મ, मज़हब, Religion, Faith વગેરે નામ આપ્યું.
આ તબક્કે ઈશ્વરને થયું કે તેનું કર્તવ્ય પૂરું થયું. હવે પ્રાણી જગતમાં સહુથી વધુ બુદ્ધિ, ભાષા અને સંસ્કૃિત ધરાવતી હોવાને કારણે અન્ય પ્રાણીઓ પર શારીરિક અને માનસિક પ્રભુત્વ ધરાવતી માનવ જાત આ જગતના તમામ જીવો અને પરસ્પરની સાથે હળી મળીને શાંતિથી રહેશે. અને થયું પણ તેમ જ. આજથી પાંચ સાત હજાર વર્ષ પહેલાં દુનિયાની મહા નદીઓને કિનારે અલગ અલગ સંસ્કૃિતઓનો વિકાસ થયો.
ઈત્તફાક પણ કેવો, ચીન, ઈજિપ્ત, મેસોપોટેમિયા, ઇઝરાયેલ, ભારત વગેરે દેશોમાં બસો, પાંચસો અને એક હજાર વર્ષને ગાળે એક પછી એક અવતારી પુરુષો જન્મ્યા. મજાની વાત એ છે કે તેમને ઈશ્વરની કૃપાથી લગભગ એક સરખું દર્શન લાધ્યું. અને એ થયું ધર્મનું પહેલું અંગ. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એથી સાબિત થાય છે કે ઈશ્વરની લીલા એવી તો અપરંપાર છે કે તેનું પૂર્ણ દર્શન કોઈ દેહધારી માનવને માટે સુલભ નથી. પરંતુ લાઓત્સે, કન્ફ્યુશિયસ, મોઝીસ, બુદ્ધ, જીસસ, મહાવીર, મોહમ્મદ અને જરથુષ્ટ્ર જેવા આર્ષદ્રષ્ટાઓને જે કાંઈ આંશિક અનુભૂતિઓ થઈ તે તેમણે પોતાની આસપાસના સમાજના લોકોને દાખલા, દ્રષ્ટાંતો અને કથાઓના રૂપમાં કહી સંભળાવી. આ કથાઓ ધર્મના બીજા અંગ રૂપે ઉભરી આવી. એ દરેક સંદેશવાહકોએ ભગવાનના જુદા જુદા પાસાઓના ગુણાનુવાદ કર્યા પણ એ બધાના ઉપદેશના ગર્ભમાં સત્યાચરણ કરવું, પ્રેમ કરવો, કરુણા દાખવવી, સમત્વ અને અહિંસાનું પાલન કરવું જેવા નીતિ-વિચારો રહેલા અનુભવાય છે. અને એ નીતિમત્તાના ખ્યાલો બન્યા ધર્મનું ત્રીજું અંગ. પરમાત્મ દર્શન, ધર્મકથાઓ અને નીતિ-નિયમોમાં વિવિધતા છે પણ સામ્ય પણ એટલું જ જોવા મળે છે અને વિરોધ તો ક્યાં ય દ્રષ્ટિગોચર નથી થતો. આજ કારણસર માનવ જાતને ધર્મ જેવી મૂલ્યવાન ભેટ આપ્યા બદલ ભગવાન ખુશ હતો અને માનવો પણ સુખ ચેનથી રહેતા હતા.
હવે દ્રશ્ય અહીંથી બદલાય છે. અત્યાર સુધી સુખેથી જીવતા અલગ અલગ ધર્માનુયાયીઓ ભગવદ્દ ભજનની જુદી જુદી વિધિઓ – કે જે ધર્મનું ચોથું અંગ છે અને ધર્મ દ્વારા સ્થાપિત ધારા-ધોરણ, નિયમો – કે જે ધર્મનું પાંચમું અંગ છે એ મુદ્દે પરસ્પર વાદ વિવાદ થવાથી બાખડવા લાગ્યા. કોઈ પગ ઉલટા વાળે, કોઈ પલાંઠી મારે, કોઈ ઊભા ઊભા ભજે, કોઈ પ્યુ પર બેસીને ધ્યાન ધરે, કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે પણ સહુ છેવટ તો ભગવાનને ભજતા હોય છે. કોઈ સ્કાર્ફ બાંધે, કોઈ પાઘડી બાંધે, કોઈ માથે ઓઢે, કોઈ સ્કલ કેપ પહેરે, કોઈ માથે ગોળ ટોપી પહેરે પણ એ બધાને મન સર્વશક્તિમાન પ્રત્યે આદર બતાવવાની જ ભાવના હોય છે. કોઈનું પૂજાગૃહ ચર્ચના નામે ઓળખાય, કોઈનું મંદિર કે મસ્જિદ તરીકે પંકાય, કોઈ સીનેગોગમાં ઈશ્વર ખોળે તો વળી કોઈ ગુરુદ્વારામાં ભગવાનના ગુણગાન ગાય, અંતે તો તમામ શ્રદ્ધાળુઓ પરમ કૃપાળુ સાથે અનુસંધાન કરવા માંગે છે. અને મજાની વાત તો એ છે કે હિબ્રુ, સંસ્કૃત, ઈંગ્લિશ, અરેબીક, પાલી કે પંજાબી ભાષામાં ગવાતાં ભક્તિ ગીતોનું કોઈ ભાષાંતર કરી આપે તો એમના અર્થ અને ભાવમાં એટલું તો સામ્ય ભાસે કે ‘અમે પણ અમારી ભાષામાં આ જ મતલબનું ગાઈએ છીએ’ એમ કહ્યા વિના ન રહી શકાય.
પણ તો પછી સવાલ એ ઊઠે કે તો આવી બાહ્ય બાબતો માટે ઝઘડો શાને? જેમ દરેક દેશના કાયદાઓ જે તે પ્રદેશના જીવન, વ્યાપાર, સંસ્કૃિત અને આર્થિક નીતિ-નિયમો પર આધારિત હોય છે અને તેમાં સમય બદલાય ત્યારે સુધારા વધારા થતા રહે છે તેમ જ જો કોઈ ધર્મ સંસ્થાને પોતાના અનુયાયીઓને આચાર સંહિતા કે ધારા-ધોરણો આપવા હોય તો એ જે તે દેશના કાનૂનથી વિરુદ્ધ ન હોય અને સમય-સ્થળને અનુરૂપ હોય તે જોવાની કાળજી કરે તો જ તેનું પાલન શક્ય બને. ક્રિશ્ચિયન કેનન લો હોય, હિન્દુઓનો મનુસ્મૃિતમાં પ્રબોધેલો નિયમ હોય કે ઇસ્લામનો શારિયા લો એ બધાને માનવ અધિકારના ત્રાજવે તોળીને માન્ય રાખી તેનું સમતાથી પાલન આવશ્યક બને, નહીં તો એ ફાયદા કરતાં નુકસાન કરનારા વધુ સાબિત થાય અને હાલ એવી જ સ્થિતિ પ્રવર્તે છે.
ઉપરવાળાએ જયારે ધર્મ સ્થાપનાને પગલે પગલે વાડાબંધી થયેલી જોઈ, પંથો બનેલા જોયા અને તેમાં પણ અસંખ્ય ફાંટા પડેલા જોયા ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. તેણે એક સંશોધન હાથ ધર્યું. દુનિયામાં પ્રવર્તમાન છ મુખ્ય ધર્મ છે, દરેકમાંથી સો સો અનુયાયીઓને એમણે એકઠા કર્યા. પ્રેમથી સહુને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા પછી દરેકની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, દરેક ધર્મના મહાપુરુષોને થયેલ આત્મ દર્શન માટે તમને કોઈ વાંધો છે? સહુએ કહ્યું, બિલકુલ નહીં કેમ કે તેમાં તો માની ન શકાય તેટલું સામ્ય છે. તો પછી એક બીજાની ધર્મકથાઓ અને નીતિ-વિચારોનો વિરોધ કરો છો? તમામે તમામ એકી અવાજે બોલી ઉઠ્યા, ‘હરગીઝ નહીં, અમે તો એવી કથાઓ અને નીતિ-વિચારોની આપ-લે કરીને પોતપોતાના ધર્મના અનુયાયીઓને વૈવિધ્યભર્યો અનુભવ કરાવ્યો.’ હવે ઈશ્વરની ધીરજ ખૂટી અને અવાજમાં પ્રગટ થતી નિરાશાને છુપાવી બને તેટલા કરુણા સભર સ્વરે કહ્યું, ‘મારા વહાલા સંતાનો, તો પછી ઉપાસના પદ્ધતિ અને ધારા-ધોરણોના નામ માત્રના તફાવતોને કારણે આવો માનવ સંહાર શા કારણે કરો છો? આવી અસહિષ્ણુતાને કારણે ધર્મના પહેલાં ત્રણ મુખ્ય અંગો કપાઈ રહ્યાં છે. તમારામાંથી કયા ધર્મના અનુયાયીઓએ ધર્મને નામે હિંસા આચરવાનું દુષ્કૃત્ય નથી કર્યું એ કહેશો?’
કરુણામય ઈશ્વરના આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ નહોતો. પોતાની અત્યંત પ્યારી માનવ જાતને જે ભગવાને ધર્મની પ્રેરણા આપેલી તેમણે ગહન વિચારને અંતે માનવ જાતના આવા અવિચારી કૃત્ય બદલ શિક્ષા કરવા ફેસલો આપ્યો, ‘માનવ જાતને ધર્મ જેવી ઉત્કૃષ્ટ વિભાવનાની બક્ષીસ આપીને મેં ભૂલ કરી છે તેમ લાગે છે. હાલ પૂરતું હું એ ધર્મ ભાવના તમારા સંતાનો પાસેથી પાછી લઇ લઉં છું. જયારે ધર્મના પાછલાં બે પરિબળોને નામે પરસ્પર વિખવાદ, નફરત, ધિક્કાર અને સંહારની વૃત્તિ ત્યાગી એકમેકના ધર્મના મૂળ તત્ત્વોને સમજવાની કોશિશ કરશો ત્યારે તમને પ્રેમથી નવો ધર્મ આપીશ.’
e.mail : 71abuch@gmail.com

Loading

ઈશ્વરના પસ્તાવાનો પાર નથી !

અાશા બૂચ|Opinion - Opinion|20 February 2014

બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી. અંતરીક્ષમાં નભોમંડળ રચ્યું, સૂર્યમાળાના ગ્રહો તરતા મુક્યા. કાળક્રમે પૃથ્વીનો જન્મ થયો જેમાં પૃથ્વી, અગ્નિ, વાયુ, જળ અને આકાશ એ પંચમહાભૂતના અસ્તિત્વને પરિણામે અન્ય જીવસૃષ્ટિ પ્રગટ થઈ. જળચર, ખેચર અને ભૂચર પ્રાણી યોનીઓ મા ધરતીનો ખોળો ખુંદવા લાગ્યાં અને ઉત્ક્રાંતિનાં ચરમ ચરણે માનવ જાતની વ્યુત્પત્તિ થઈ.

માનવ જાત બાલ્યાવસ્થામાં હતી ત્યારે એને પોતે કોણ છે, ક્યાંથી આવ્યો, જીવનનો શો હેતુ છે, પ્રકૃતિનું શું રહસ્ય છે, કુદરત સાથે અને તમામ જીવસૃષ્ટિ સાથે કેમ વર્તવું એ વિષે જિજ્ઞાસા જાગી. તેવે ટાણે ભગવાને કેટલાક ઉત્કૃષ્ટ કોટિના માનવોને અદ્દભુત અાંતરદૃષ્ટિ આપી અને તેના બધા સવાલોના જવાબ આપવા ઉપરાંત મનુષ્યે રચેલ નવી સમાજરચનાને સુપેરે ચલાવવા માટે આચાર સંહિતા આપી, જેને દુનિયા આખીના લોકોએ પોતપોતાની ભાષામાં ધર્મ, मज़हब, Religion, Faith વગેરે નામ આપ્યું.

આ તબક્કે ઈશ્વરને થયું કે તેનું કર્તવ્ય પૂરું થયું. હવે પ્રાણી જગતમાં સહુથી વધુ બુદ્ધિ, ભાષા અને સંસ્કૃિત ધરાવતી હોવાને કારણે અન્ય પ્રાણીઓ પર શારીરિક અને માનસિક પ્રભુત્વ ધરાવતી માનવ જાત આ જગતના તમામ જીવો અને પરસ્પરની સાથે હળી મળીને શાંતિથી રહેશે. અને થયું પણ તેમ જ. આજથી પાંચ સાત હજાર વર્ષ પહેલાં દુનિયાની મહા નદીઓને કિનારે અલગ અલગ સંસ્કૃિતઓનો વિકાસ થયો.

ઈત્તફાક પણ કેવો, ચીન, ઈજિપ્ત, મેસોપોટેમિયા, ઇઝરાયેલ, ભારત વગેરે દેશોમાં બસો, પાંચસો અને એક હજાર વર્ષને ગાળે એક પછી એક અવતારી પુરુષો જન્મ્યા. મજાની વાત એ છે કે તેમને ઈશ્વરની કૃપાથી લગભગ એક સરખું દર્શન લાધ્યું. અને એ થયું ધર્મનું પહેલું અંગ. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું એથી સાબિત થાય છે કે ઈશ્વરની લીલા એવી તો અપરંપાર છે કે તેનું પૂર્ણ દર્શન કોઈ દેહધારી માનવને માટે સુલભ નથી. પરંતુ લાઓત્સે, કન્ફ્યુશિયસ, મોઝીસ, બુદ્ધ, જીસસ, મહાવીર, મોહમ્મદ અને જરથુષ્ટ્ર જેવા આર્ષદ્રષ્ટાઓને જે કાંઈ આંશિક અનુભૂતિઓ થઈ તે તેમણે પોતાની આસપાસના સમાજના લોકોને દાખલા, દ્રષ્ટાંતો અને કથાઓના રૂપમાં કહી સંભળાવી. આ કથાઓ ધર્મના બીજા અંગ રૂપે ઉભરી આવી. એ દરેક સંદેશવાહકોએ ભગવાનના જુદા જુદા પાસાઓના ગુણાનુવાદ કર્યા પણ એ બધાના ઉપદેશના ગર્ભમાં સત્યાચરણ કરવું, પ્રેમ કરવો, કરુણા દાખવવી, સમત્વ અને અહિંસાનું પાલન કરવું જેવા નીતિ-વિચારો રહેલા અનુભવાય છે. અને એ નીતિમત્તાના ખ્યાલો બન્યા ધર્મનું ત્રીજું અંગ. પરમાત્મ દર્શન, ધર્મકથાઓ અને નીતિ-નિયમોમાં વિવિધતા છે પણ સામ્ય પણ એટલું જ જોવા મળે છે અને વિરોધ તો ક્યાં ય દ્રષ્ટિગોચર નથી થતો. આજ કારણસર માનવ જાતને ધર્મ જેવી મૂલ્યવાન ભેટ આપ્યા બદલ ભગવાન ખુશ હતો અને માનવો પણ સુખ ચેનથી રહેતા હતા.

હવે દ્રશ્ય અહીંથી બદલાય છે. અત્યાર સુધી સુખેથી જીવતા અલગ અલગ ધર્માનુયાયીઓ ભગવદ્દ ભજનની જુદી જુદી વિધિઓ – કે જે ધર્મનું ચોથું અંગ છે અને ધર્મ દ્વારા સ્થાપિત ધારા-ધોરણ, નિયમો – કે જે ધર્મનું પાંચમું અંગ છે એ મુદ્દે પરસ્પર વાદ વિવાદ થવાથી બાખડવા લાગ્યા. કોઈ પગ ઉલટા વાળે, કોઈ પલાંઠી મારે, કોઈ ઊભા ઊભા ભજે, કોઈ પ્યુ પર બેસીને ધ્યાન ધરે, કોઈ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે પણ સહુ છેવટ તો ભગવાનને ભજતા હોય છે. કોઈ સ્કાર્ફ બાંધે, કોઈ પાઘડી બાંધે, કોઈ માથે ઓઢે, કોઈ સ્કલ કેપ પહેરે, કોઈ માથે ગોળ ટોપી પહેરે પણ એ બધાને મન સર્વશક્તિમાન પ્રત્યે આદર બતાવવાની જ ભાવના હોય છે. કોઈનું પૂજાગૃહ ચર્ચના નામે ઓળખાય, કોઈનું મંદિર કે મસ્જિદ તરીકે પંકાય, કોઈ સીનેગોગમાં ઈશ્વર ખોળે તો વળી કોઈ ગુરુદ્વારામાં ભગવાનના ગુણગાન ગાય, અંતે તો તમામ શ્રદ્ધાળુઓ પરમ કૃપાળુ સાથે અનુસંધાન કરવા માંગે છે. અને મજાની વાત તો એ છે કે હિબ્રુ, સંસ્કૃત, ઈંગ્લિશ, અરેબીક, પાલી કે પંજાબી ભાષામાં ગવાતાં ભક્તિ ગીતોનું કોઈ ભાષાંતર કરી આપે તો એમના અર્થ અને ભાવમાં એટલું તો સામ્ય ભાસે કે ‘અમે પણ અમારી ભાષામાં આ જ મતલબનું ગાઈએ છીએ’ એમ કહ્યા વિના ન રહી શકાય.

પણ તો પછી સવાલ એ ઊઠે કે તો આવી બાહ્ય બાબતો માટે ઝઘડો શાને? જેમ દરેક દેશના કાયદાઓ જે તે પ્રદેશના જીવન, વ્યાપાર, સંસ્કૃિત અને આર્થિક નીતિ-નિયમો પર આધારિત હોય છે અને તેમાં સમય બદલાય ત્યારે સુધારા વધારા થતા રહે છે તેમ જ જો કોઈ ધર્મ સંસ્થાને પોતાના અનુયાયીઓને આચાર સંહિતા કે ધારા-ધોરણો આપવા હોય તો એ જે તે દેશના કાનૂનથી વિરુદ્ધ ન હોય અને સમય-સ્થળને અનુરૂપ હોય તે જોવાની કાળજી કરે તો જ તેનું પાલન શક્ય બને. ક્રિશ્ચિયન કેનન લો હોય, હિન્દુઓનો મનુસ્મૃિતમાં પ્રબોધેલો નિયમ હોય કે ઇસ્લામનો શારિયા લો એ બધાને માનવ અધિકારના ત્રાજવે તોળીને માન્ય રાખી તેનું સમતાથી પાલન આવશ્યક બને, નહીં તો એ ફાયદા કરતાં નુકસાન કરનારા વધુ સાબિત થાય અને હાલ એવી જ સ્થિતિ પ્રવર્તે છે.

ઉપરવાળાએ જયારે ધર્મ સ્થાપનાને પગલે પગલે વાડાબંધી થયેલી જોઈ, પંથો બનેલા જોયા અને તેમાં પણ અસંખ્ય ફાંટા પડેલા જોયા ત્યારે તેના દુઃખનો પાર ન રહ્યો. તેણે એક સંશોધન હાથ ધર્યું. દુનિયામાં પ્રવર્તમાન છ મુખ્ય ધર્મ છે, દરેકમાંથી સો સો અનુયાયીઓને એમણે એકઠા કર્યા. પ્રેમથી સહુને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા પછી દરેકની આંખમાં આંખ પરોવીને પૂછ્યું, દરેક ધર્મના મહાપુરુષોને થયેલ આત્મ દર્શન માટે તમને કોઈ વાંધો છે? સહુએ કહ્યું, બિલકુલ નહીં કેમ કે તેમાં તો માની ન શકાય તેટલું સામ્ય છે. તો પછી એક બીજાની ધર્મકથાઓ અને નીતિ-વિચારોનો વિરોધ કરો છો? તમામે તમામ એકી અવાજે બોલી ઉઠ્યા, ‘હરગીઝ નહીં, અમે તો એવી કથાઓ અને નીતિ-વિચારોની આપ-લે કરીને પોતપોતાના ધર્મના અનુયાયીઓને વૈવિધ્યભર્યો અનુભવ કરાવ્યો.’ હવે ઈશ્વરની ધીરજ ખૂટી અને અવાજમાં પ્રગટ થતી નિરાશાને છુપાવી બને તેટલા કરુણા સભર સ્વરે કહ્યું, ‘મારા વહાલા સંતાનો, તો પછી ઉપાસના પદ્ધતિ અને ધારા-ધોરણોના નામ માત્રના તફાવતોને કારણે આવો માનવ સંહાર શા કારણે કરો છો? આવી અસહિષ્ણુતાને કારણે ધર્મના પહેલાં ત્રણ મુખ્ય અંગો કપાઈ રહ્યાં છે. તમારામાંથી કયા ધર્મના અનુયાયીઓએ ધર્મને નામે હિંસા આચરવાનું દુષ્કૃત્ય નથી કર્યું એ કહેશો?’

કરુણામય ઈશ્વરના આ પ્રશ્નનો કોઈ પાસે જવાબ નહોતો. પોતાની અત્યંત પ્યારી માનવ જાતને જે ભગવાને ધર્મની પ્રેરણા આપેલી તેમણે ગહન વિચારને અંતે માનવ જાતના આવા અવિચારી કૃત્ય બદલ શિક્ષા કરવા ફેસલો આપ્યો, ‘માનવ જાતને ધર્મ જેવી ઉત્કૃષ્ટ વિભાવનાની બક્ષીસ આપીને મેં ભૂલ કરી છે તેમ લાગે છે. હાલ પૂરતું હું એ ધર્મ ભાવના તમારા સંતાનો પાસેથી પાછી લઇ લઉં છું. જયારે ધર્મના પાછલાં બે પરિબળોને નામે પરસ્પર વિખવાદ, નફરત, ધિક્કાર અને સંહારની વૃત્તિ ત્યાગી એકમેકના ધર્મના મૂળ તત્ત્વોને સમજવાની કોશિશ કરશો ત્યારે તમને પ્રેમથી નવો ધર્મ આપીશ.’

e.mail : 71abuch@gmail.com

Loading

પીપીપી પદ્ધતિ ધરમૂળથી ફેરફાર માગે છે

સનત મહેતા|Samantar Gujarat - Samantar|20 February 2014

પારદર્શક, કડક નિયમન નીચે ન મુકાય તો ટોલમથક પરના બનાવો અર્થતંત્રને છિન્નભિન્ન કરી નાખશે

મહારાષ્ટ્રમાં પહેલા 'શિવસેના’ અને પછી 'મનસે’એ મહારાષ્ટ્રના રસ્તા પર ઊભા કરાયેલાં ટોલ કેન્દ્રો પર મોટે પાયે ભાંગફોડનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. ‘મહારાષ્ટ્ર નવનિર્માણ સેના’ના ભાંગફોડ કરવાના પ્રયાસોને કોઈ કાળે વાજબી ઠરાવી શકાય નહીં. બીજી તરફ રસ્તાના ટોલમથકોની કિંમત અને નાણાં ચૂકવવા છતાં વિલંબના કારણે જન્મી રહેલાં અસંતોષને ઉવેખી શકાય તેમ નથી. વિશ્વના અન્ય ભાગોમાં પણ ટોલ ઉઘરાવાય છે, પણ ત્યાં આવા ટોલ રસ્તાના પર્યાય તરીકે ટોલ વગરના રસ્તાની સગવડ અપાય છે. પ્રારંભમાં તો ભારતમાં આવા પર્યાય રોડનો વિચાર સુધ્ધાં કરાયો નહતો.

જેમને ટોલ ભારરૂપ લાગે એ પર્યાય રસ્તે મુસાફરી કરી શકે એવું વિચારાયું પણ નહોતું. ભારતમાં ઊલટી પ્રક્રિયા ચાલે છે. હવે તો જ્યાં ટોલ નહોતો એવા રસ્તાઓને પહોળા કરીને ટોલ ઉઘરાવાનું શરૂ કરાયું છે. ઘણી વખત રસ્તો પૂરેપૂરો તૈયાર ન થયો હોય તો પણ ટોલ ઉઘરાણી શરૂ કરાય ત્યારે પણ અસંતોષ જન્મે છે. ટોલની રકમ પણ વાહનચાલક તરત જ નાણાં ચૂકવી શકે એવી રાખવાને બદલે ૨૧,પ૧,૭૪,૭૮ જેવા આંકમાં રખાય છે. એની પાછળ ઉતાવળે જનાર પાસેથી બાકીના છૂટા પરત ન આપવાની દાનત હોય છે આનું કારણ એ છે કે, ટોલ નક્કી કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શી નથી – ન તો યોગ્ય પ્રમાણિત રેગ્યુલેટર પદ્ધતિ છે.

ટોલ નક્કી કરવાના માપદંડ જેવા કે રસ્તાનો કે પુલનો ખર્ચ, વાહનોની ગણતરી અને થતો સામયિક વધારો, ટોલ દ્વારા મેળવવા ધારેલી રકમ વગેરે માહિ‌તી જાહેર જનતાને સહજ પ્રાપ્ત થાય તેવી રીતે રખાવી જોઈએ. અત્યારે આર.ટી.આઈ. નીચે પણ મુશ્કેલ છે. એવા દાખલા છે કે, ટોલ દ્વારા ધારેલી રકમ મળી ગઈ હોય તો ય ટોલની ઉઘરાણી ચાલુ રહી હોય અને છેવટે સિવિલ સોસાયટીને ર્કોટનો આશરો લઈ ન્યાય મેળવવો પડતો હોય. આ ટોલ રોડની પદ્ધતિ, પી.પી.પી. – ‘પ્રાઇવેટ : પબ્લિક પાટર્નરશિપ’થી વ્યાપક થઈ છે. થોડા સમય પહેલાં આઇ.ટી.આઈ. મદ્રાસે આ પદ્ધતિથી તૈયાર થતા રસ્તાઓ પર સંશોધન કરી અહેવાલ તૈયાર કર્યો છે, પણ સત્તાવાળાઓને આ જોઈ જવાની ફુરસદ જ નહીં મળી હોય.

આમ તો પી.પી.પી. પદ્ધતિ નરેન્દ્ર મોદી જેવા મુખ્યમંત્રીઓ, રાજય, કેન્દ્રના સનદી અધિકારીઓ અને ખાનગી ભાગીદારીઓને મન જાદુઈ લાકડી બની ગઈ છે. આમાં જાહેર ધોરી માર્ગો સૌથી મોખરે છે. પછી વીજ ઉત્પાદન અને હવે તો શિક્ષણ અને આરોગ્યમાં ભારે નુકસાન કરવા છતાં આ પદ્ધતિ અમલી બનાવાઈ રહી છે. રાજનેતાઓ અને સનદી અધિકારીઓને વિશેષ ગમે છે, કારણ આમાં સરકાર પર નાણાં ઊભા કરવાની જવાબદારી ઓછી આવે છે. પણ વિદેશોની જેમ એનું નિયમન કરનાર તંત્ર ન હોય તો એ ક્રોની પ્રકારના મૂડીવાદને અને ભ્રષ્ટાચારને વધારે છે. ૧૯૯૦થી ૨૦૧૪ સુધીમાં, પી.પી.પી. પદ્ધતિ નીચે ૧,૯૦,૦૦૦ કરોડના ધોરી માર્ગોના કોન્ટ્રાકટ અપાયા છે.

ખુદ ૨૦૧૩-૧૪માં પ૦૦ કિલોમીટર લાંબા રસ્તા પી.પી.પી.માં અપાયા છે. આમાંથી રૂ. ૬પ હજાર કરોડના રસ્તા ૨૦૧૪-૧પમાં પૂરા થવાનું નિર્ધારિત થયું છે. જ્યારે રૂ. ૮૩ હજાર કરોડના રસ્તા નિર્ધારિત મુદ્દતમાં પૂરા થયા નથી. મદ્રાસ આઇ.ટી.આઈ.ના સંશોધને જણાવ્યું છે કે, કોન્ટ્રાકટની નિશ્વિત કિંમતમાં પૂરા ન થવાની બાબતમાં પી.પી.પી. પદ્ધતિની ટકાવારી ૨૭.૭૬ ટકા છે. જ્યારે બિન-પી.પી.પી. પદ્ધતિનું આ પ્રમાણ ૧૦ ટકાથી પણ નીચું છે. જ્યારે મુદ્દતમાં કામ પૂરું ન કરી શકવાની બાબતમાં પી.પી.પી.ની ૧૨ ટકાના પ્રમાણ સામે બિન પી.પી.પી.નું પ્રમાણ પ૪ ટકા છે .. આ બતાવે છે કે, જો બજેટ પ્રમાણેના ખર્ચમાં જ રસ્તા પૂરા થયા હોય તો આપણે આટલી જ કિંમતમાં ૧૬ ટકા વધુ રસ્તા બાંધી શક્યા હોત.

સંશોધનમાં, આંધ્ર, બિહાર, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ એમ છ રાજ્યોની સરેરાશ બતાવે છે કે, કિંમતમાં પૂરા થનારનું રાષ્ટ્રનું સરેરાશ પ્રમાણ ૧૬.૨પ ટકા છે. જ્યારે સમયસર પૂરું ન કરી શકવાનું પ્રમાણ ૪૧ ટકા છે. બંનેના પરિણામે, હવે બીડિંગને બહુ ઓછો પ્રતિભાવ મળવા લાગ્યો છે. પરિણામે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે પી.પી.પી. પદ્ધતિમાં કોન્ટ્રાકટ આપવાનું બંધ કરી ચાલુ સાલે પ હજાર કિ.મી.ના રસ્તા સરકારને ખર્ચે બાંધવાનું નક્કી કરી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રકશન ઇ.પી.સી. પદ્ધતિ અપનાવી છે. ભારતમાં પી.પી.પી. પદ્ધતિથી હાથ ધરાયેલા ૮૮૧ પ્રોજેકટમાં પ૨ ટકા રસ્તાના છે.

જ્યારે બીજો નંબર ઊર્જા‍નો ૮૮ ટકા હિ‌સ્સો છે. ત્રીજા નંબરે બંદરો ૭ ટકા સાથે છે. માર્ગો એ ભારતના માળખાકીય વિકાસનું હાદૃ છે, પણ એનો અર્થ એ નથી કે આ જનતાની હાલાકી અને લૂંટમાં પરિણામે ? ટોલનાકે થતાં વિલંબથી ટ્રાફિક જામ માટે મામલો ર્કોટે જાય. ખાનગી ભાગીદારો-રાજનેતાઓ અને અમલદારોની ભાગીદારી ઊભી થાય. સારો ઉપાય એ છે કે, સમગ્ર પદ્ધતિનું પારદર્શક અને કડક વિનિયમન નીચે મુકાય. વડોદરાથી ભૂજ જતા રૂ. ૬૦૦ ટોલ લેવાય અને બદલામાં અગવડ જ મળે અને એનો ઉકેલ ન લવાય તો પરિસ્થિતિ વણસી જશે. બાવાના બેઊ બગડશે ? પી.પી.પી. પદ્ધતિ ધરમૂળથી ફેરફાર માગે છે.

સનત મહેતા લેખક ગુજરાત રાજ્યના પૂર્વ નાણાપ્રધાન છે.

(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 20 ફેબ્રુઅારી 2014)

Loading

...102030...3,9873,9883,9893,990...4,0004,0104,020...

Search by

Opinion

  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો
  • જો સંયુક્ત પરિવારમાં બાંધછોડ કરવી પડતી હોય તો ભારાત તો દુનિયાનો સૌથી મોટો સંયુક્ત પરિવાર છે
  • ચલ મન મુંબઈ નગરી —319

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved