ડૃાઇવ-વેની બાજુમાં જ
જેપેનીઝ મૅપલ છોડ વાવેલો.
પરાયી ભૂમિમાં
ઊગ્યો, ફૂલ્યો, ફાલ્યો
ને
મોટું વૃક્ષ થયો.
વર્ષો સુધી
દર ઉનાળે
એનાં રતુંબડાં પાંદડાં લહેરાય
અને
મારું હૈયું હરખાય.
એક ભર ઉનાળે
અચાનક
એનાં પાંદડાં
કરમાયાં, સુકાયાં, ખરી પડ્યાં.
દિવસો સુધી
હું
અને
સૂકુંભટ થડ
એકબીજાં સામે મોં વકાસી
જોતાં રહ્યાં.
અંતે
મેં લૅન્ડસ્કેપરને બોલાવ્યો.
એણે
થડ વેડી નાંખ્યું.
જડ કરી ગયેલાં મૂળિયાં ઊતરડી નાંખ્યાં.
મૅપલ વૃક્ષની જગ્યાએ
થઈ ગયો
અાંખના ગોખલા જેવો
મોટો ખાડો.
ખાડો તો ક્યાં સુધી રખાય ?
એટલે પછી
એમાં માટી પૂરી
ઘાસનાં બિયાં વાવ્યાં.
ધીમે ધીમે
ત્યાં
લીલુંછમ ઘાસ ઊગ્યું
ને
ભળી ગયું
અાસપાસના ઘાસની જાજમમાં.
પણ
અાંખને દર ઉનાળે થયા કરે છે
મૅપલ વૃક્ષનું સ્મરણ …
(સૌજન્ય : “કવિલોક”, હેમન્ત વિક્રમ સંવત 2070 : નવેમ્બર-ડિસેમ્બર 2013 : સળંગ અંગ 336 : વર્ષ 56 : અંક : 6
![]()


પણ રાજા નાગો ન હોય તો ય તેનાં જૂનાં પુરાણાં કપડાં બદલવાનો સમય આવી ગયો છે એમ કોઈક પીપીંગ ટોમે તો કહેવું પડે ને? ગૂજરાત (કોઈ સાચો ગુજરાતી ‘ગૂજરાતી’ એવી જોડણી ભાગ્યે જ કરે, પણ આ વિદ્યાપીઠ તેવી જોડણી કરે છે અને એટલા જ એક માત્ર કારણથી વૈકલ્પિક જોડણી તરીકે ‘ગૂજરાત’ને સ્વીકારે છે.) વિદ્યાપીઠનો સાર્થ ગુજરાતી જોડણીકોશ ગુજરાતી શબ્દોની જોડણી માટે સર્વમાન્ય અને સર્વોપરી હોવાનું કહેવાય છે. (હકીકત તેના કરતાં જૂદી હોવાનો સંભવ છે.)
એ વ્યક્તિ તે બેહેરામજી મેહેરવાનજી મલબારી, ૧૯મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ. ૧૮૫૩માં મે મહિનાની ૧૮મી તારીખે એમનો જન્મ. પિતાનું નામ ધનજીભાઈ મહેતા. ગાયકવાડ સરકારમાં સાધારણ કલાર્ક તરીકે નોકરી કરતા. બેહેરામજી માંડ પાંચ વર્ષના થયા ત્યાં તો પિતા બેહસ્તનશીન થયા. માતા ભીખીબાઈ અને બેહેરામજી અનાથ થઈ ગયાં. હવે વડોદરામાં રહેવું અશક્ય હતું. અનેક વિટંબણાઓ વેઠીને વડોદરાથી ચાલતાં ચાલતાં વીસ દિવસે દીકરાને લઈને ભીખીબાઈ સુરત પહોંચ્યાં, પિતાને ઘરે. કોઈ વાહનમાં મુસાફરી કરી શકાય એટલા પૈસાય ગાંઠે નહીં એટલે પગપાળા પ્રવાસ. પિતાએ વિધવા દીકરીને અને તેના પોરિયાને પ્રેમથી આવકાર્યાં.