Opinion Magazine
Number of visits: 9456624
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

राज्यमाता गाय और माँसाहारी सावरकर

राम पुनियानी|Opinion - Opinion|22 October 2024

राम पुनियानी

गाय पिछले तीन दशकों से भारतीय राजनीति में  एक महत्वपूर्ण भावनात्मक मुद्दा बनी हुई है. गाय को एक पवित्र पशु बताया जाता है. कई हिंदुओं के लिए गाय मां का दर्जा रखती है और हिंदू राष्ट्रवादी राजनीति ने समाज के ध्रुवीकरण के लिए इस आस्था का भरपूर इस्तेमाल किया है. हिंदुत्वादी विचारकों ने ‘हिंदुत्व’ शब्द को मात्र हिंदू धर्म नहीं बल्कि ‘समग्र हिंदुत्वता’ का प्रतिनिधित्व करने वाला शब्द बताया और आरएसएस ने इसी आधार पर अपनी राजनीति और हिंदू राष्ट्र के अपने लक्ष्य को निर्धारित किया. और वह लगभग पिछले 100 सालों से इस लक्ष्य की प्राप्ति के लिए लगातार प्रयासरत है. पिछले तीन दशकों में आरएसएस की राजनीति की जड़ें बहुत मजबूत हुई हैं क्योंकि उसके द्वारा उठाए जाने वाले भावनात्मक मुद्दे देश के राजनीतिक परिदृश्य पर हावी हैं.

गाय का मुद्दा एक बार फिर सुर्खियों में है. भाजपा के नेतृत्व वाले महाराष्ट्र के सत्ताधारी गठबंधन ने गाय (मगर केवल देसी गाय) को राज्यमाता-गौमाता घोषित किया है. यह पक्के तौर पर कहा जा सकता है कि ऐसा महाराष्ट्र विधानसभा चुनावों के मद्देनजर किया गया है. आम धारणा यह है कि भाजपा इन चुनावों में सशक्त स्थिति में नहीं है. हाल में हुए लोकसभा चुनाव में उसका प्रदर्शन अच्छा नहीं रहा है और उसके बाद से वह लगातार इस तरह के ध्रुवीकृत करने वाले मुद्दों का सहारा लेने के प्रयास में जुटी हुई है.

संयोग से लगभग इसी समय कर्नाटक के एक मंत्री ने बयान दिया है कि हिन्दू राष्ट्रवादी विचारधारा के पितृ पुरूष सावरकर गौवध के खिलाफ नहीं थे और वे गाय को पवित्र नहीं बल्कि एक अत्यंत उपयोगी पशु मानते थे. गांधी जयंती के अवसर पर बेंगलुरू में आयोजित एक कार्यक्रम में मत्री दिनेश गुंडू राव ने दावा किया कि सावरकर न केवल मांसाहारी थे और बीफ का सेवन करते थे, बल्कि इसका सार्वजनिक प्रचार भी करते थे.

कांग्रेस के मंत्री ने कहा कि सावरकर एक ब्राम्हण होने के बावजूद खानपान की परंपरागत बंदिशों का पालन नहीं करते थे बल्कि उनका नजरिया आधुनिक था. दिनेश गुंडु राव ने कहा, “सावरकर ब्राम्हण थे, लेकिन वे बीफ खाते थे और मासांहारी थे. वे गौवध के विरोधी नहीं थे, बल्कि इस संबंध में उनका नजरिया काफी आधुनिक था.” यह जाना-माना तथ्य है कि सावरकर मांसाहारी थे. दक्षिण अफ्रीका में अपने कार्यों के लिए समर्थन जुटाने के लिए अपनी यात्राओं के दौरान गांधीजी सावरकर से मिलने गए. सावरकर अपना रात्रि का भोजन तैयार कर रहे थे और झींगे तल रहे थे. उन्होंने इन्हें गांधीजी को भी पेश किया, जिन्होंने उनका सेवन करने से इंकार कर दिया क्योंकि वे विशुद्ध शाकाहारी थे.

सावरकर यह भी कहते थे कि गायों को पूजा नहीं जाना चाहिए. लेखक वैभव पुरंदरे कहते हैं, “सावरकर का नजरिया यह था कि गाय केवल बैल की मां है, और हालांकि उनके गौमांस सेवन का कोई दृष्टांत नहीं मिलता, लेकिन वे इसके खिलाफ नहीं थे”. “सावरकर: द ट्रू स्टोरी ऑफ द फादर आफ हिंदुत्व” पुस्तक के लेखक पुरंदरे ने बंगलौर लिट्रेचर फेस्टिवल में कहा कि गौरक्षा के मुद्दे पर  सावरकर असमंजस में फंसे हुए थे क्योंकि उनका विचार था कि यदि हिंदुओं को आहत करने के लिए जानबूझकर गायों की हत्या की जाती है तो इससे समस्या पैदा होगी…लेकिन उनका मानना था कि यदि आप ऐसा सिर्फ इसलिए करते हैं क्योंकि आपको गौमांस पसंद है, तो इसमें कोई समस्या नहीं है,” लेखक ने आगे कहा.

जहां तक गायों को पवित्र मानने का सवाल है, वैदिक काल में गायों की बलि देने के विवरण वाली बहुत सी लिखित सामग्री उपलब्ध है. स्वामी विवेकानंद ने अपने लेखन में कई जगह जिक्र किया है कि पवित्र अनुष्ठानों के दौरान गाय की बलि चढ़ाई जाती थी और गौमांस का सेवन भी वर्जित नहीं था. “आपको आश्चर्य होगा यदि मैं आपको बताऊं कि प्राचीनकाल में होने वाले समारोहों में गौमांस का सेवन न करने वाले को अच्छा हिंदू नहीं माना जाता था. कई अवसरों पर बैल की बलि चढ़ाना और उसके मांस का सेवन अनिवार्य होता था.” (विवेकानंद का शेक्सपियर क्लब, पेसाडेना, कैलिफ़ोर्निया, अमरीका में दिया गया भाषण. “द कम्पलीट वर्क्स ऑफ स्वामी विवेकानंद, खंड 3 कलकत्ताः अद्विता आश्रम, 1997, पृष्ठ 536).

यह भी ध्यान देने योग्य है…कि “स्वयं स्वामी विवेकानंद द्वारा स्थापित रामकृष्ण आश्रम द्वारा करवाए गए शोध कार्यों से भी इस बात की पुष्टि होती है. इनमें से एक कहता है “वैदिक काल में ब्राम्हणों समेत आर्य मछली, मांस और यहां तक कि गौमांस तक का सेवन करते थे. किसी विशिष्ट अतिथि के प्रति सम्मान प्रदर्शित करने के लिए उसे भोजन में गौमांस परोसा जाता था. हालांकि वैदिक कालीन आर्य गौमांस का सेवन करते थे, लेकिन दूध देने वाली गायों को नहीं काटा जाता था. गाय का एक पर्यायवाची शब्द था अग्नया जिसका अर्थ होता है ‘जिसका वध नहीं किया जाएगा’. लेकिन वह अतिथि गोगना कहलाता था जिसके लिए गाय की हत्या की जाती थी. लेकिन केवल बैलों, बछड़ों और बांझ गायों का वध किया जाता था” {सी कुन्हन राजा, “वैदिक कल्चर” सतीश कुमार चटर्जी एवं अन्य  (संपादक) द्वारा “द कल्चरल हैरिटेज ऑफ इंडिया, खंड 1 (कलकत्ताः रामकृष्ण मिशन, 1993) पृष्ठ 217 में उदृत}

अंबेडकर द्वारा किए गए अध्ययनों से भी इसकी पुष्टि होती है. प्राचीन भारत के इतिहासवेत्ता प्रोफेसर डी. एन. झा, उनके विद्वतापूर्ण अध्ययन, “मिथ ऑफ होली काऊ” में बताते हैं कि “अथो अन्नं विया गऊ (गाय भोजन है ) जैसे छंद वेदों में मौजूद हैं. बौद्ध धर्म और ब्राम्हणवाद के बीच हुए टकराव के कारण बाद में गाय को माता और पवित्र का दर्जा दिया गया. यह ब्राम्हणवाद के पुनरूत्थान और बौद्ध धर्म पर किए जाए रहे हमलों का हिस्सा था. उस समय भारत में बौद्ध धर्म का सफाया किया जा रहा था.

बाद में स्वाधीनता संघर्ष के दौरान, जब हिंदू और मुस्लिम साम्प्रदायिक राजनीति ने जोर पकड़ा, तब गाय और सूअर का इस्तेमाल दोनों ताकतों ने अपनी-अपनी स्थिति मजबूत बनाने के लिए किया. मस्जिद में सुअर का मांस या मंदिर में गौमांस फेंकने जैसी हरकतें साम्प्रदायिक हिंसा भड़काने के लिए की जाने लगीं जिनसे इन विभाजक प्रवृत्तियों ने जोर पकड़ा. बाद में ऐसे मामले भी सामने आए जब हिंसा भड़काने के लिए मंदिरों में जानबूझकर गौमांस फेंका गया.

गौहत्या पर प्रतिबंध जैसे मुद्दों के जोर पकड़ने और अखलाक से लेकर जुनैद और रकबर खान तक की हत्या इस मुद्दे पर किए जाने से मुस्लिम समुदाय में भय बढ़ता जा रहा है. इस प्रवृत्ति से अल्पसंख्यक समुदाय को कई मुसीबतों का सामना करना पड़ रहा है. मानवतावादी हर्षमंदर ने “कारवां ए मोहब्बत” नामक संगठन बनाया है जो लिंचिंग के शिकार हुए लोगों के परिवारों के जख्मों पर मरहम लगाने का काम करता है. इस तरह के मामलों में निशाने पर सिर्फ मुस्लिम होते हैं. उत्तर-पूर्वी राज्यों (किरण रिजूजू ने खुद स्वीकार किया है कि वे गौमांस का सेवन करते हैं), केरल और गोआ के निवासी इस तरह के हमलों के शिकार नहीं बन रहे हैं.

महाराष्ट्र सरकार ने बहुत चालाकी से केवल देसी गायों को राजमाता का दर्जा दिया है, अन्य किस्मों की गायों को नहीं. भारत से गौमांस का निर्यात साल दर साल बढ़ता जा रहा है. दिलचस्प बात यह है कि विजय त्रिवेदी की अटल बिहारी वाजपेयी पर केन्द्रित पुस्तक “हार नहीं मानूंगा” में जिक्र है कि वाजपेयी अमरीका में गौमांस का सेवन कर रहे थे (पृष्ठ 236) और जब इस बारे में उसी मेज पर बैठे एक व्यक्ति ने उनसे सवाल किया तो वाजपेयी ने मुस्कराते हुए कहा कि यह भारतीय गाय का मांस नहीं है इसलिए इसे खाने में क्या दिक्कत है?

16 अक्टूबर  2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

ખુશ્બૂદાર ઇન્સાન: રતન ટાટાના જવાથી અજાણ્યા લોકો કેમ ઉદાસ થયા?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|22 October 2024

રાજ ગોસ્વામી

અભિષેક બચ્ચનની ફિલ્મ ‘ગુરુ’માં તેના પાત્ર ગુરુકાંત દેસાઈનો એક સંવાદ છે. ગુરુકાંત પર કાનૂનોના ઉલ્લંઘન અને અનુચિત રીતે વેપાર કરવાનો આરોપ મુકવામાં આવે છે, ત્યારે તે કહે છે;

“દો કમીઝ એક બીવી ઔર એક સાલે કો લેકર બૉમ્બે આયા થા. સોચા થા બિઝનેસ કરૂંગા. યહાં પહુંચા તો દેખા કી ધંધે કરને કે સારે દરવાજે બંધ થે. વો ખુલતે થે તો સિર્ફ અમીરોં કે લિએ. સરકારી દરવાજે થે યે આપ કે બનાયે હુએ, યા તો લાત માર કે ખુલતે થે યા જી હજુરી કરકે. મૈંને દોનો કિયા. જહાં લાત માર સકતા થા, લાત મારી. જહાં બોલા સલામ દો, મૈંને કહા સલામ લો … મૈં બાપુ નહીં હૂં, મૈં બસ અપના ધંધા કરના જાનતા હૂં. અગર પૈસા બન સકતા થા, તો મૈંને બનાયા હૈ.”

નિર્દેશક મણિરત્નમે, વેપાર-ધંધાનાં મૂલ્યોમાં આવેલા બદલાવને બતાવવા માટે આ ફિલ્મ બનાવી હતી. તે એ વાતને ચિત્રિત કરવા માંગતા હતા કે કેવી રીતે સામાજિક હિત હાંસિયામાં જતાં રહ્યાં છે અને વ્યક્તિગત હિત કેન્દ્રમાં આવી ગયાં છે. મૂડીવાદ અથવા બજારવાદની એક ટીકા એ થાય છે કે તેમાં પૈસા બનાવવા તે એક માત્ર સૌથી મહત્ત્વનો હેતુ ગણાય છે અને તેના માટે જે પણ કરવું પડે તે ઉચિત મનાય છે. 

તાજેતરમાં જેમનું અવસાન થયું તે ઉદ્યોગપતિ રતન તાતા આનાથી સામેના છોર પર ઉભા હતા. તેમણે મૂડીવાદનો સમાજવાદી ચહેરો બતાવ્યો હતો. તેમણે એ સાબિત કર્યું હતું કે ઉદારતા, માનવતા અને નૈતિકતા સાથે પણ પૈસા બની શકે છે. 

ઘણા લોકો એવી દલીલ કરે છે કે બિઝનેસ અને નૈતિકતા વચ્ચે મનમેળ શક્ય નથી. ભારતનો એક મોટો વેપારી વર્ગ માને છે કે આ દેશમાં ચોખ્ખા રહીને ધંધો ન થઇ શકે. ‘ગુરુ’ ફિલ્મનો કેન્દ્રિય વિચાર પણ એ હતો કે પૈસા નિયમોને આધિન રહીને નથી બનતા. પરંતુ રતન ટાટાએ એ સાબિત કર્યું હતું કે નૈતિકતા બિઝનેસમાં સુસંગત છે એટલું જ નહીં, સફળતાપૂર્વક બિઝનેસને જાળવી રાખવા માટે તે અનિવાર્ય પણ છે. 

ભારતીય મૂડીવાદી વર્ગમાં, રતન ટાટાને નૈતિકતા અને સચ્ચાઈના ઠેકેદાર ગણવામાં આવતા હતા. તેમના અવસાનથી જે લાખો લોકોએ દુઃખ અનુભવ્યુ હતું તેની પાછળ મૂળ કારણ તેમનો ‘એથિકલ બિઝનેસ’ હતો.  તેમના અવસાનના સમાચાર આવ્યા, ત્યારે એક મિત્રએ મેસેજ કર્યો હતો, જેમાં લાખો લોકોના દિલની વાત હતી: 

“છઠ્ઠી પેઢીએ પણ જેની સાથે લેવાદેવા નથી, જેને કદી સપનાંમાં પણ મળ્યા નથી, માત્ર તેમના વિશે વાંચ્યું અને જોયું હોય તેવા રતન ટાટાના જવાથી કેમ ‘કંઈક સારું ન થયું’નો ભાવ લાખો લોકોમાં જોવા મળતો હશે? શું ભલમનસાઈ, ઉદારતા, માનવતા, સાદાઈનો આ પ્રભાવ હશે?” 

એક શાયરની પંક્તિ છે : હર જગહ ઈત્ર હી નહીં મહકા કરતે, કભી કભી શખ્સિયત ભી ખુશ્બૂ દે જાતી હૈ. ટાટા માટે આ લાઈન એકદમ બંધ બેસે છે. ઉદ્યોગપતિઓ અને અમીરો તો ઘણા છે, પણ 140 કરોડ લોકોના દેશમાં, જેમના જવાથી સામાન્ય લોકો વ્યથિત થઈ જાય તેવા કેટલા? ટાટાના  અવસાનના સમાચાર આવ્યા, ત્યારે મુંબઈ-ગુજરાતના અનેક ગરબા સ્થગિત થઈ ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આવું માન કેટલાને?

બહુ ઓછા ઉદ્યોગપતિઓ લોકોનાં જીવનને, સીધી કે આડકતરી રીતે, પ્રભાવિત કરી શકે છે. ટાટા એમાંથી એક હતા. તેનું કારણ એ હતું કે તે સુદૂર સ્વર્ગમાં બેઠેલા કોઈ અમીર સેલિબ્રિટી નહોતા, પણ લોકોની વચ્ચે રહેતા અને પોતીકા લાગતા ઇન્સાન હતા. ઉદ્યોગ જનતાનું, જનતા દ્વારા અને જનતા માટેનું સાહસ છે એવું પ્રતીત કરવાના ટાટા પહેલા ઉદ્યોગપતિ હતા. 

તે મોટા માણસ નહોતા, બલ્કે તેમણે લોકોને મોટા હોવાનો અહેસાસ કરાવ્યો હતો. એકવાર તે કોઈને કહ્યા વગર બે વર્ષથી બીમાર કર્મચારીની ખબર જોવા માટે પૂણે પહોંચી ગયા હતા. એકવાર તે નેનો કાર લઈને હોટેલ તાજના એક કાર્યક્રમમાં ગયા હતા. એકવાર ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસ છોડીને ઇકોનોમી ક્લાસમાં યાત્રા કરી હતી.

તેમની અંગત અને વ્યવસાયિક ફિલોસોફી ચાર બાબતો પર ટકેલી હતી : નિષ્ઠા, નૈતિકતા, કરુણા અને સેવા. આ એક જ બાબત તેમને બીજા ઉદ્યોગપતિઓ કરતાં જુદા પાડતી હતી. ટાટા જેવી કેટલી બ્રાન્ડ વિશ્વાસ સાથે જોડાયેલી છે?

રતન આધ્યાત્મિક ગુરુ નહોતા. પરંતુ તેનાથી ઉતરતા પણ નહોતા. તેમની વાતોમાં, કિસ્સા-કહાનીઓમાં પ્રેરણાદાયી વાતો હતી. ભારતમાં એવા કેટલા ઉદ્યોગપતિ છે, જેમણે અછડતાં કહેલી વાતો અવતરણો બનીને લોકોમાં લોકપ્રિય થઇ હોય! તેઓ અચ્છા બિઝનેસમેન હતા, પરંતુ બીજા જેવા નફાખોર નહોતા. કદાચ આ જ કારણ છે કે જ્યારે રાજકીય ઝપાઝપીમાં ઉદ્યોગપતિઓ પર કાદવ ફેંકવામાં આવે છે, ત્યારે રતન ટાટાનું દામન શુદ્ધ રહ્યું હતું. 

મૂડીવાદ ખરાબ છે એવું જે કહે છે (જે મહદ્દ અંશે સાચું પણ છે), તેમણે રતન ટાટાનો અભ્યાસ કરવો જોઈએ. મૂડીવાદનો સમાજવાદી ચહેરો જોવા મળશે. તેમને “પર્સનલ વેલ્થ”માં દિલચશ્પી નહોતી. તેમની 65% કમાણી સમાજ સેવામાં જતી હતી. આ કારણથી જ, તેમનું નામ ક્યારે ય “સૌથી અમીર” ઉદ્યોગપતિઓની સૂચિમાં આવ્યું નહોતું. 

તેમણે સંપત્તિનું વરવું પ્રદર્શન નહોતું કર્યું. તે પોતાને ટાટા ગ્રુપના માલિક નહીં, ટ્રસ્ટી ગણતા હતા. આ વાત નાનીસૂની નથી, કારણ કે પૈસા કમાવાનો આપણે એક જ અર્થ કરીએ છે; મને મન થાય તેમ વાપરું, મારા છે. એટલા માટે ટાટા કહેતા ગયા હતા કે મારું અવસાન થાય ત્યારે ગ્રુપ કંપનીઓમાં રજા જાહેર ના કરતા, કારણ કે લાખો પરિવારો કામ પર નભે છે. 

અબજોનું સામ્રાજ્ય હોય, છતાં “આ મારું નથી” એવી ભાવના સાથે જીવવું (અથવા કંપનીના હેડક્વાટર “બોમ્બે હાઉસ”માં મુંબઇનાં રખડતાં કૂતરાં માટે આશ્રય સ્થાન બનાવવું) એ કેવી મોટી સમૃદ્ધિ હશે! વિશ્વના છ ખંડોમાં 100થી વધુ દેશોમાં તેમની 30થી વધુ કંપનીઓ ફેલાયેલી હતી, પરંતુ તેઓ સાદું જીવન જીવતા હતા.

દુનિયાની સૌથી સસ્તી ટાટા નેનો કાર, ભલે નિષ્ફળ ગઈ, પણ ભારતના સામાન્ય માણસો અને તેમની ભાવનાઓને કેન્દ્રમાં રાખવાની ટાટા ગ્રુપની નીતિનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. તેને લઇને, ટાટાના આ શબ્દમાં એ વાતની પ્રતિતી છે કે કેમ તેમના જવાથી લાખો લોકોને ઉદાસી મહેસૂસ થઈ:

“મને યાદ છે, મેં એકવાર મુંબઈના ભારે વરસતા વરસાદમાં, ૪ લોકોના એક પરિવારને મોટરસાઇકલ પર બેસીને જતો જોયો હતો. ત્યારે મને થયું કે જે પરિવારો વિકલ્પોના અભાવે જીવનનું જોખમ ઉઠાવે છે, તેમના માટે માટે કંઈક કરવું જોઈએ. અમે નેનો લૉન્ચ કરી, ત્યારે અમારી કોસ્ટ વધી ગઈ હતી, પરંતુ મેં સસ્તી કારનું વચન આપ્યું હતું, અને અમે એ પાળી બતાવ્યું. પાછળ વળીને જોઉં છું તો, મને આજે પણ તે કારનું અને તેને બનાવાના નિર્ણયમાં આગળ વધવાનું ગૌરવ છે.”

જો ભારતના નિર્માણમાં ઋષિ-મુનિઓ અને સંતોના યોગદાનને શ્રેય આપવામાં આવતું હોય, તો રતન ટાટા જેવા ઉદ્યોગપતિનું પણ તેમાં એવું જ યોગદાન છે. જેમણે મૂલ્ય આધારિત મૂડીવાદને નવી રીતે પરિવર્તિત કરીને સમાજમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, તેમણે પોતાના બિઝનેસ સ્વચ્છ અને પારદર્શક સિદ્ધાંતોની એવી રેખા દોરી, જેને ભૂંસી નાખવી મુશ્કેલ છે. તેમના જવાથી ભારતમાં “એથિકલ બિઝનેસ”નો એક યુગ પૂરો થયો છે. ભ્રષ્ટાચાર અને અમીર-ગરીબની વિકરાળ ખાઈમાં જીવતા આ દેશના સામાન્ય લોકોને એ નૈતિકતાની કમી સાલી રહી છે. 

(પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 20 ઑક્ટોબર 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

માણસ આજે (૧૦) 

સુમન શાહ|Opinion - Opinion|22 October 2024

સુમન શાહ

ભારતીય દર્શનોની ૬ પ્રમુખ શાખાઓ સુવિદિત છે : ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, મીમાંસા અને વેદાન્ત. 

“ન્યાય”-ના કેન્દ્રમાં તર્ક અને જ્ઞાનમીમાંસા છે. તાર્કિક પદ્ધતિથી તર્કસરણીએ જ્ઞાનના સ્વરૂપને ઓળખી શકાય છે, પામી શકાય છે.

ન્યાયના ૪ મુખ્ય વર્ગો છે : ઉપમાન, અર્થાપત્તિ, વ્યતિરેક, અનુપલબ્ધિ.

જ્ઞાન-પ્રાપ્તિ માટે અનિવાર્ય સિદ્ધાન્તો કે વિભાવો ૯ છે : પ્રમા, પ્રમાણ, પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ, વ્યતિરેક અને તર્ક. 

કેટલાયે ન્યાય જાણીતા થયા છે; જેમ કે, રજ્જુ-સર્પ, ચિત્ર-યુરગ, ધૂમ-અગ્નિ, વગરે અનેક.  

+ +

હરારી વિસ્તારથી કહે છે કે, માહિતી એટલે શું. એમાં ક્યાંક કિંચિત્ મને “ન્યાય”-પદ્ધતિ વરતાઈ છે. મને એમ સમજાયું છે કે તેઓ માહિતીની રજૂઆત, વાસ્તવિકતા અને સત્ય, એમ, માહિતીનાં સ્વરૂપ, પદ્ધતિ અને કાર્યની ચર્ચા કરી રહ્યા છે. વિચારવાની એમની રીત તાર્કિક રહી છે, તેમ છતાં, માહિતી-વાસ્તવિકતા-સત્ય વિશેના પોતાના એ મન્તવ્યના સમર્થનમાં તેઓ ઐતિહાસિક દૃષ્ટિબિન્દુને વળગી રહ્યા છે. એમણે અનેક ઉદાહરણો આપ્યાં છે, વીગતોમાં ઊતરીને અને પુનરાવર્તન કરીને પણ ઉદાહરણોનાં રસપ્રદ વિવરણ કર્યાં છે. પરિણામે, ચર્ચા તર્કસરણીએ નહીં એટલી વાતચીતની રીતે ચાલી છે. 

+ +

હરારી કહે છે તદનુસાર, એક બહુ પ્રચલિત દૃષ્ટિબિન્દુ એ છે કે માહિતીથી વાસ્તવિકતાની રજૂઆત કરી શકાય છે અને એ રજૂઆતમાં સફળતા મળે તો સત્ય સુધી પ્હૉંચી શકાય છે. જેમ કે, હું કહું કે ‘સામે દેખાય છે એ સર્પ છે’, તો એ વાક્ય ‘સર્પ’-ને રજૂ કરે છે, અને સામે જઈને જોવામાં આવે, ને જો ‘સર્પ’ જ હોય, તો મારું કહેવું સત્ય ઠરશે, પણ જો ‘રજ્જુ’ હશે, તો મારું કહેવું ખોટું ઠરશે, મારે સ્વીકારવું પડશે કે મારી રજૂઆત સફળ નથી થઈ. 

પણ માહિતી-વાસ્તવિકતા-સત્ય, એ દૃષ્ટિબિન્દુને હરારી naive view ગણે છે, એટલે સુધી કહે છે કે — મારું આ પુસ્તક (Nexus) આ દૃષ્ટિબિન્દુનો ધરાર વિરોધ કરે છે. તેઓ ઉમેરે છે કે કેટલાક પ્રસંગોમાં એમાં સફળતા મળતી હશે, પણ એ રીતે માહિતીને ન ઓળખાવી શકાય; પોતાનું પુસ્તક એમ દર્શાવે છે કે માહિતી એક જુદી જ વસ્તુ છે. માનવસમાજમાં તેમ જ બાયોલૉજિકલ અને ફિઝિકલ સિસ્ટમ્સમાં કેટલીયે માહિતી એવી છે જે કશું જ રજૂ નથી કરતી. તેઓ ચોખ્ખા શબ્દોમાં લખે છે  — does not represent anything. 

એમણે દર્શાવ્યું છે કે વાસ્તવિકતાનાં કેટલાંક પાસાંની એકદમ ચોખ્ખી, સર્વથા વિશદ, રજૂઆત, સત્ય છે. આ વીગતને તેઓ પોતાના પુસ્તકનો સૈદ્ધાન્તિક પાયો ગણે છે.

એમના એ વિચારપક્ષનો સાર કંઈક આવો છે :

તેઓ જણાવે છે કે સાર્વત્રિક વાસ્તવિકતા, યુનિવર્સલ રીયાલિટી, છે અને રહેશે. તેથી સત્યની શોધને તેઓ યુનિવર્સલ પ્રોજેક્ટ ગણે છે. કેમ કે, દેખીતું છે કે વિભિન્ન પ્રજાઓ, રાષ્ટ્રો, સંસ્કૃતિઓ જુદાં જુદાં સત્યો ન સ્વીકારી શકે. 

કહે છે, વાસ્તવિકતા વસ્તુલક્ષી હોય છે, તેમાં અનેક દૃષ્ટિબિન્દુઓ ભળ્યાં હોય છે. વાસ્તવિકતા હકીકતો પર ભરોસો રાખે છે, તો પણ, વાસ્તવિકતામાં લાગણીઓ, ભાવનાઓ, માન્યતાઓ જેવી આત્મલક્ષી બાબતો ભળી ગઈ હોય છે. દાખલા તરીકે, નાગરિકના જીવનમાં રાષ્ટ્રીયતા; રાષ્ટ્રીયતા પણ પ્રજાનાં દૃષ્ટિબિન્દુને પ્રભાવિત કરે છે. કહે છે, વાસ્તવિકતાની રજૂઆતમાં કેટલાંક પાસાંની ઉપેક્ષા કરાય છે, કેટલીક હકીકતોને વિકૃત પણ કરાય છે. 

એ પણ ખરું કે માણસ વાસ્તવને રજૂ કરતાં ભૂલ કરી બેસે છે, જેમ કે, સામે દેખાતી વસ્તુ રજ્જુ હતી પણ હું એને સર્પ સમજી બેઠેલો. હરારી કહે છે, એવી ભૂલ સહજ છે, એથી misinformation મળે છે. જો કે માણસ ઇરાદાપૂર્વક પણ ભૂલ કરે છે, જેમ કે, સામે સર્પ હતો ને મેં કહેલું કે રજ્જુ છે. હરારી કહે છે, એથી disinformation મળે છે. 

તેઓ વાતનો સાર દર્શાવે છે કે, વાસ્તવિકતાનું ચોખ્ખું અને પૂર્ણ સ્વરૂપ પામવાનું અશક્ય બની જાય છે. 

ઉપરાન્ત, હરારી ત્રણ મહત્ત્વના વિચાર રજૂ કરે છે : 

એક, એ કે ઇન્ફર્મેશન વસ્તુઓને ફૉર્મેશનમાં મૂકે છે. કહે છે, જેમ કે, હોરોસ્કોપ પ્રેમીઓને ઍસ્ટ્રોલૉજિકલ ફૉર્મેશનમાં મૂકે છે, પ્રૉપેગેન્ડા બ્રૉડકાસ્ટ મતદારને પોલિટિકલ ફૉર્મેશનમાં મૂકે છે, માર્ચિન્ગ સૉન્ગ્સ સૈનિકોને મિલિટરી ફૉર્મેશનમાં મૂકે છે. 

બીજો વિચાર, એ કે માહિતીના કેટલાક આવિષ્કારો એવા હોય છે જે કશું જ રજૂ ન કરતા હોય, તો પણ અનેક લોકોને જોડતા હોય છે. જેમકે, સંગીતની સિમ્ફનીઝ, મૅલડીઝ કે ટ્યુન્સ કશી પણ વાસ્તવિકતાને રજૂ નથી કરતાં, તેથી એમને સાચાં કે ખોટાં ઠેરવવાનો પ્રશ્ન પણ ઊભો થતો નથી. તેમછતાં, તે અનેકાનેક લોકોની લાગણીઓને સિન્ક્રોનાઇઝ કરી શકે છે, લોકોને પોતાની સાથે જોડી શકે છે. 

અહીં મને ‘ચિત્ર-તુરગ’ ન્યાયે કહેવાનું મન થાય છે કે ચિત્રમાં છે એ ‘તુરગ’, એટલે કે ઘોડો, વાસ્તવિક નથી છતાં એ ઘોડો નથી એમ પણ નથી. ચિત્ર-તુરગ કલાકૃતિ છે, એથી કશું જ રજૂ નથી થતું, તેમછતાં, એ અનેક લોકોને પોતાની સાથે જોડે છે.

એ જોડાણ, કનેક્ટિવિટી, હરારીના મન્તવ્ય અનુસાર, માહિતીનું પાયાનું લક્ષણ છે.

ત્રીજો વિચાર, એ કે માહિતી નવી વાસ્તવિકતા સરજી શકે છે. 

તો, એમની વાતનો બોધ શું છે? : તેઓ પોતે જ કહે છે એમ — ઇતિહાસમાં માહિતી શો ભાગ ભજવે છે તેની ઊંડી તપાસ કરવી જોઈએ — આપણને પ્રશ્નો થવા જોઈએ કે એ કઇ પદ્ધતિએ વાસ્તવિકતાને રજૂ કરે છે, એ રજૂઆત કેટલી સાચી છે, કેટલી ખોટી છે — એ કેવી રીતે લોકોને જોડે છે — એ કઈ નવી વાસ્તવિકતા સરજે છે.

+ +

વાતને સમજવા-વિચારવાની થોડીક પ્રેરણા મળે એ માટે, માહિતીનું હું એક ઉદાહરણ રજૂ કરું છું : 

‘વન્દે માતરમ્’ -એ સંસ્કૃત વાક્ય છે. એનો અર્થ છે, ‘માતા, હું તને વન્દન કરું છું’. એ વાક્ય, ભૂતકાળમાં કોઈક ક્ષણે, ‘હું માતૃભૂમિને વન્દન કરું છું’ એવા અર્થમાં એક ગીતમાં વપરાયું. એ પછી, નાગરિક અને રાષ્ટ્ર વચ્ચે સન્તાન અને માતા વચ્ચેની આત્મીયતા સૂચવવા એનો ઉપયોગ એક માહિતી-સૂત્ર રૂપે થવા લાગ્યો, જે વર્તમાનમાં પણ એ જ અર્થમાં થાય છે, બલકે એને રાષ્ટ્રભક્તિના ગીતનો દરજ્જો પણ અપાયો છે. 

ગીતનો ઇતહાસ શું છે? : 

ગીતની પહેલી બે ટૂક બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાયે ૧૮૭૬-માં સંસ્કૃતમાં લખી હતી, જેમાં માત્ર માતૃભૂમિની વન્દના છે. બીજી બાકીની ટૂકો પોતાની નવલકથા “આનંદમઠ”-માં ઉમેરવાના હેતુથી બંગાળીમાં લખી હતી, જેમાં દુર્ગાની સ્તુતિ છે. 

ગીતના ઇતિહાસનો બીજો તબક્કો : 

ગીતને રાજકારણમાં લઈ જવાય છે. રવીન્દ્રનાથ ટાગોર કૉન્ગ્રેસના કલકત્તા-અધિવેશનમાં એ ગીતને કમ્પોઝ કરે છે, ગાય છે. એટલે ગીતમાં સંગીત પણ ભળે છે.

ગીતના ઇતિહાસનો ત્રીજો તબક્કો : 

ગીત સાથે અન્ય ભાષકો જોડાય એ હેતુથી એના અનુવાદો થાય છે. શ્રી અરવિન્દ એનો અંગ્રેજીમાં અને આરિફ મોહમ્મદ એનો ઉર્દૂમાં અનુવાદ કરે છે. 

ત્રીજો તબક્કો : 

ગીતને રાજકારણમાં વિધિવત્ માન્યતા અપાય છે. ૧૯૩૭-માં ગીત વિશે કોંગ્રેસમાં ચર્ચા થાય છે. જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની સમિતિ ગીતને માન્યતા આપે છે. એ સમિતિમાં અબુલ કલામ આઝાદ પણ હાજર હતા. 

ચૉથો તબક્કો : 

એ. આર. રહેમાન ગીતને સંગીતકલાની ઊંચાઇએ પ્હૉંચાડે છે, ગીતના સ્વીકાર અને ઝીલણમાં અપૂર્વ વૃદ્ધિ થાય છે.

+ +

પરન્તુ, ગીતના એવા માહિતીસંચયના આ મૂલ્યવાન વિસ્તારમાં બંકિમ ચન્દ્રની એ નવલકથા “આનંદમઠ” બાબતે મુસ્લિમોએ ઊભી કરેલી ચર્ચાનું વિસ્મરણ થઈ ગયું છે. મુસ્લિમોનું કહેવું એમ હતું કે નવલમાં મુસ્લિમોને વિદેશી અને દેશદ્રોહી દર્શાવ્યા છે. વળી, ગીતમાં માતાની વન્દના છે, પણ ઇસ્લામમાં વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવાની મનાઇ છે. 

સમગ્ર માહિતી-સંચય મને આટલા મુદ્દા બાબતે ચિન્ત્ય લાગે છે : 

૧: માહિતીથી વિકસેલા રાષ્ટ્રપ્રેમમાં આમ ભંગાણ ઊભું થાય છે.

૨: બંકિમ ચન્દ્રની નવલનું re-reading કે deconstruction અનિવાર્ય બની જાય છે.

૩: અને જો મુસ્લિમોની વાત ખોટી પડે છે, તો એમના રાષ્ટ્રપ્રેમ વિશે પ્રશ્ન જાગે છે.

 ૪: અને જો સાચી પડે છે, તો બંકિમ ચન્દ્રના સર્જક-કર્તૃત્વ વિશે પ્રશ્ન જાગે છે.

૫: પ્રશ્ન એ સમયના સમગ્ર ઑથોરિયલ ઍથિક્સ વિશે પણ ઊભો થાય છે.

૬: બૌદ્ધિકો પરનો પ્રજાકીય વિશ્વાસ ઊઠી જાય છે. 

૭: સમજાય છે એમ કે રાજકારણે ગીતનો ઉપયોગ સ્વહેતુથી કર્યો એથી માહિતીનું રૂપ બદલાયું બલકે એથી માહિતીના વિસ્તારની શક્યતા સરજાઇ. 

૮: સમજાય છે એમ કે કલાની સત્તા અને રાજસત્તા વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે.

 ૯: સૂચવાય છે એમ કે રાજસત્તા ગમે તે ક્ષણે સર્વોપરી થઈ શકે છે. 

૧૦: સત્ય શું છે અને ક્યાં છે, એ નથી સમજાતું. 

૧૧: છેલ્લે, આ સમગ્ર માહિતી-સંચયને અભરાઈએ મૂકી દેવાય છે.

૧૨: સમય વીત્યે, આ સઘળા માહિતી-સંચયનું વિસ્મરણ થવાનું. છતાં, નાનું કારણ મળે, અને બીજાં તત્ત્વો ભળે, એટલે એ ગમે તે ઘડીએ ફરીથી સામે આવી શકે છે.

૧૩: ત્યારે, એ નવી વાસ્તવિકતા કહેવાશે, જે આજના માણસને વિમાસણમાં મૂકી દેશે.  

+ +

હું આ ઉદાહરણને ઇન્ફર્મેશન નેટવર્કનો એક કામચલાઉ દાખલો ગણું છું. 

= = =

(22Oct24USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...379380381382...390400410...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved