Opinion Magazine
Number of visits: 9552670
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Opinion - Opinion|17 March 2015

૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા

ગાંધીજીની હત્યા આઘાતજનક ઘટના જરૂર હતી, નિરાશાજનક નહોતી. શરમજનક એ લોકો માટે હતી જેમણે ગાંધીજીની હત્યા કરી હતી અને હજી આજે પણ તેનો બચાવ કરે છે. નિરાશાજનક એટલા માટે નહોતી કે ગાંધીજીએ હજારો કાર્યકરોની ફોજ તૈયાર કરી હતી જેઓ આત્મવિશ્વાસથી છલકાતા હતા અને તેમના મનમાં કોઈ પ્રકારની દુવિધા નહોતી. આ બધા જીવનદાની લોકો હતા. સમાજ એક અનસૂયાબહેન સારાભાઈને ઓળખે છે, કારણ કે એ અંબાલાલ સારાભાઈનાં પુત્રી હતાં. અનસૂયાબહેને પારિવારિક સાહેબી છોડીને સમાજ માટે જીવન સમર્પિત કરી દીધું હતું, પરંતુ એ સમયે શંકરલાલ બૅન્કર જેવા બીજા હજારો લોકો હતા જેમણે લોકસંગ્રહ માટે સ્વસંગ્રહ છોડી દીધો હતો. સમાજ એક હરિલાલને ઓળખે છે, કારણ કે તેઓ ગાંધીજીના પુત્ર હતા, પરંતુ એ યુગમાં ગાંધીને સમર્પિત કાર્યકરોના ઘરમાં અનેક હરિલાલો હતા જેમના મનમાં સ્વૈછિક ભૂખ સામે અસંતોષ હતો. જીવન ધારણ કરનાર બધા લોકો પોતાને માટે કે પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ થોડા લોકો એવા પણ હોય છે જેઓ પોતાને અને પોતાના પરિવારને સુધ્ધાં બાજુએ મૂકીને સમાજ માટે જીવન જીવે છે. કઠોપનિષદમાં આને અનુક્રમે પ્રેય અને શ્રેય તરીકે ઓળખાવવામાં આવ્યું છે.

કઠોપનિષદે જેને વ્યક્તિગત ગુણ કહ્યો છે એ શ્રેયને ગાંધીજીએ કદાચ ઇતિહાસમાં પહેલી વાર સામાજિક બનાવી દીધો હતો. ૧૯૪૮માં ગાંધીજી હજારોની સંખ્યામાં શ્રેયાર્થીઓને પાછળ મૂકતા ગયા હતા એટલે ગાંધીજીની હત્યાની ઘટના, આગળ કહ્યું એમ, આઘાતજનક ઘટના હતી, નિરાશાજનક નહોતી. આજે એક એક શ્રેયાર્થી આપણી વચ્ચેથી જાય છે ત્યારે હૃદયમાં ચીરા પડે છે. અંગત સ્વાર્થે જાણે દુશ્મનાવટ સાથે વળતું આક્રમણ કર્યું છે. આજે જે સ્વાર્થ જોવા મળે છે એ કઠોપનિષદે કહ્યું છે એવું પ્રેય નથી, પરંતુ કૃપણતા છે; જેને વિકૃતિ જ કહેવી પડે. કદાચ એવું હશે કે માનવી જ્યાં સુધી સેચ્યુરેશન લેવલે ન પહોંચે ત્યાં સુધી તેના મનમાં અભાવ પેદા થતો નથી. એ સમય જ્યારે આવશે ત્યારે સમાજને દિશાદર્શનની જરૂર પડશે એટલે ગાંધીજી જે અનેક દીવાદાંડીઓ આપતા ગયા હતા એમાં એક દીવાદાંડી નારાયણ દેસાઈ હતા. ચુનીભાઈ વૈદ્ય પછી ટૂંકા ગાળામાં આ બીજો આંચકો છે.

નારાયણભાઈ માટે મારા મનમાં વિલોભનીય આકર્ષણ હતું, કારણ કે તેમનો ગાંધીજી સાથેનો સંબંધ ગાંધીજીના બીજા સાથીઓ અને સમકાલીનો કરતાં જુદો હતો. મુદ્દલ કરતાં વ્યાજ વહાલું હોય એ ન્યાયે મહાદેવભાઈના પુત્ર નારાયણભાઈ ગાંધીજી માટે લાડકા હતા. નારાયણભાઈ ગાંધીજીનો બાબલો હતા એટલે ગાંધીજીના ખોળામાં બેસવાનો તેમને અધિકાર હતો. બાબલો સ્વતંત્ર મિજાજનો તરુણ હતો એટલે કોઈ પૂછવાની હિંમત ન કરે એવા સવાલો પૂછવાનો તેમને અધિકાર હતો. બાબુભાઈ (સર્વોદય પરિવાર માટે નારાયણભાઈ બાબુભાઈ હતા) ગાંધીજીના યુવાસાથી હતા અને તેમનું ઘડતર ગાંધીજીના હાથે થયું હતું. ૧૯૪૨માં મહાદેવભાઈનું આગાખાન પૅલેસમાં ગાંધીજી સાથે કેદમાં હતા ત્યારે અવસાન થયું હતું. ૧૯૪૪માં ગાંધીજીને આગાખાન પૅલેસમાંથી છોડવામાં આવ્યા એ પછી ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરે એવા યાતનાના દિવસો શરૂ થયા હતા. મહાદેવભાઈના અવસાન પછી ગાંધીજીની પાંખમાં નારાયણભાઈ હતા અને યુવાન નારાયણભાઈ એ યાતનાના સાક્ષી હતા. નારાયણભાઈને વાંચતી, સાંભળતી કે મળતી વખતે બાપુ-બાબલાના સંબંધોની એ પૃષ્ઠભૂમિ કાયમ મનમાં અંકાયેલી રહેતી.



મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને મળતાં ડર લાગે અને મેં એ નારાયણભાઈને પણ જોયા છે જેમને ક્યારે ય છોડવાનું મન ન થાય. જેમને સાક્ષાત્ ગાંધીજીની હૂંફ મળી હોય અને જેમણે ગાંધીજીના નિદ્વર્‍ન્દ્વ પ્રેમની સગી આંખે કસોટી થતી જોઈ હોય એ પોતે ઊંચાઈ ન પામે એવું બને ખરું? છેલ્લાં વર્ષોમાં નારાયણભાઈને પ્રેમથી છલકાતા મેં જોયા છે. ગયા વર્ષે નારાયણભાઈ તેમનાં નવા પ્રકાશિત થયેલા પુસ્તક ‘જિગરના ચીરા’ના લોકાર્પણ માટે મુંબઈ આવ્યા હતા. એ સમયે તેમણે મને કહ્યું હતું કે અત્યારે મારું ચિત્ત ગાંધીમય રહે છે અને ભાગ્યે જ બાપુ સિવાય બીજો કોઈ વિચાર આવે છે.



ગાંધીજીને સમજવાની અને સમજાવવાની એક તડપ નારાયણભાઈમાં હતી. ગાંડી ગુજરાત વધારે પડતી ગાંડી થવા લાગી ત્યારે નારાયણભાઈની એ તડપ વધારે તીવ્ર થવા માંડી હતી. એ અરસામાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી ત્યારે તેમણે ગુજરાતીમાં ગાંધીજીનું બૃહદ્દ ચરિત્ર લખવાનો સંકલ્પ કર્યો હતો. આધુનિક આયુર્વિજ્ઞાન થકી મળેલાં વર્ષોનો ઉપયોગ તેમણે સાર્વજનિક કામો ઓછાં કરીને પલાંઠી મારવા માટે કર્યો હતો. ગાંધીજીએ જેટલી તીવ્રતા સાથે ‘હિન્દ સ્વરાજ’ લખ્યું હતું એટલી જ તીવ્રતા સાથે તેમણે ત્રણ ભાગમાં ગાંધીજીનું ચરિત્ર લખ્યું હતું. ગોધરા પછીનું ગુજરાત તેમને માટે મોટો આંચકો હતું એટલે ત્યારે તેમણે ગામેગામ જઈને ગાંધીકથા કરવાનો સંકલ્પ કર્યો હતો. ગુજરાતમાં કથા-ર્કીતનની ઓરલ ટ્રેડિશન વધારે પ્રભાવી નીવડે છે તો તેમણે એનો પ્રયોગ કરી જોયો હતો. છેલ્લાં ૧૨-૧૩ વર્ષમાં ૧૫૦ જેટલી કથાઓ તેમણે કરી હતી જેમાં પાંચ દિવસ પાંચ-પાંચ કલાક તેઓ ગાંધીજીવન અને ગાંધીદર્શનનો શ્રોતાઓને સરળ ભાષામાં પરિચય કરાવતા હતા.

ગાંધીજીને પામવાની અને પમાડવાની તીવ્રતા એટલી હતી કે છેલ્લે-છેલ્લે તો તેઓ ગાંધીને શ્વસતા હતા. સાધારણ રીતે ગાંધીવાદીઓ કલાની બાબતમાં ઉદાસીન હોય છે અને કેટલાકને તો મેં રુક્ષ પણ જોયા છે. નારાયણભાઈ આમાં અપવાદ હતા. નારાયણભાઈ સારું ગાતા. તેમણે પોતે કેટલીક રચનાઓ સ્વરાંકિત પણ કરી છે. તેઓ ગુજરાતી-હિન્દી-અંગ્રેજી ઉપરાંત ઉડિયા અને બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા હતા. તેમણે ગુજરાતીમાં રેખાચિત્રો, જીવનચરિત્રો અને સંસ્મરણો લખ્યાં છે જે ભાષાલાલિત્યમાં કોઈ મૌલિક સાહિત્યકૃતિની બરાબરી કરે એવાં છે. જીવનચરિત્ર કેવું હોવું જોઈએ એનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો નારાયણભાઈએ તેમના પિતા મહાદેવભાઈ દેસાઈનું લખેલું ચરિત્ર ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ વાંચવું જોઈએ. તેમને સાહિત્ય માટેના રણજિતરામ સુવર્ણચન્દ્રક, મધ્યસ્થ અકાદમી અવૉર્ડ વગેરે ઇલકાબો તો મળ્યા છે, પરંતુ ગુજરાતના સારસ્વતોએ સર્વાનુમતે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ તરીકે ચૂંટયા હતા. બાય ધ વે મહાદેવભાઈ અને નારાયણભાઈ એવી એકમાત્ર પિતા-પુત્રની જોડી છે જેમને બન્નેને મધ્યસ્થ સાહિત્ય અકાદમીનો અવૉર્ડ મળ્યો છે. મહાદેવભાઈને ૧૯૫૫માં ડાયરીઓ માટે મરણોત્તર ઇલકાબ આપવામાં આવ્યો હતો. ઉંમર જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ નથી, પરંતુ ખપ જોતાં નારાયણભાઈ જવાનો અફસોસ મોટો છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 17 માર્ચ 2015

http://www.gujaratimidday.com/features/columns/feature-columns-315

Loading

Mahatmas storyteller : Narayan Desai

Sudheendra Kulkarni|Gandhiana|17 March 2015

Like all true Gandhians, Narayan Desai lived a life of simplicity and dedication

Mahatma Gandhi touched the lives of millions when he was alive, and he continues to do so long after departing from this world. But there are few left whom he had physically touched, an experience many have described as a rare privilege in their lives. Last month I met Patil Puttappa (96), an eminent Kannada journalist, who has described this experience in his memoirs as “life-changing”. As a student-volunteer, Puttappa had received the Mahatma’s pat on his back when the latter visited his village in Karnataka. A couple of years ago, Justice Chandrashekhar Dharmadhikari, another 88-year-old Gandhian, recounted a similar experience on a widely appreciated episode of Aamir Khan’s Satyamev Jayate.

Narayanbhai Desai (90), who passed away in his native village, Vedchi, in Gujarat on March 15, had an even closer physical and missionary association with the Mahatma. First, he was the son of Mahadev Desai, Gandhiji’s legendary personal secretary. The Mohan-Mahadev relationship was so special that after the latter’s untimely death on August 15, 1942, during their imprisonment at Aga Khan Palace in Poona in the wake of the Quit India Movement, Gandhiji remarked: “The whole life of Mahadev was a poem of devotion… Remaining the disciple, Mahadev became my guru.” As such, Gandhiji showered his love, affection and attention on young Narayan, who spent his early years in Sabarmati and Sevagram ashrams.

Second, Narayanbhai himself became a widely respected populariser of Gandhiji’s life, philosophy and mission through his performances of “Gandhi Katha”, week-long discourses in Gujarati, Gujarati and English conducted in the traditional Bhagawat Katha style with music and songs. He rendered more than 100 such programmes in India and abroad. In 2011, the Ahmedabad Management Association published the English translation of Gandhi Katha, with a foreword by Rajmohan Gandhi, who writes: “This book is your ticket to a noble age. India then seemed to be the world’s moral leader… No one can take you closer to Gandhi than 86-year-old Narayan Desai. He has lived longer with Gandhi than anyone else living today. He has understood Gandhi better than anyone else. He has an amazing memory. He has a gift for telling stories; he is a poet, too.”

We should be truly grateful to people like Narayanbhai, his father and also Pyarelal (who worked devotedly with Mahadev Desai and later became Gandhiji’s chief personal secretary in the final tumultuous years of the Mahatma’s life) because they were not only first-rate Gandhians but also first-rate scholars and writers. Narayanbhai wrote 40 books, including My Life is My Message, an epic four-volume biography of Mahatma Gandhi, which was ably translated by Tridip Suhrud.

The Fire and the Rose, his biography of his father, is a gem. It holds a mirror to Mahadev Desai’s extraordinary life of service and sacrifice. If the world knows a lot about Gandhiji’s incomparably transparent life, including the smallest details, it is due mainly to Mahadev Desai’s meticulous recordings in his diaries. Again, I take recourse to Rajmohan Gandhi’s brilliant foreword to The Fire and the Rose. “His [Mahadev’s]diaries recorded Gandhi’s doings, conversations, political parleys, ethical dilemmas. Sometimes his articles and briefings interpreted Gandhi’s mind better than Gandhi’s own pen or tongue. Waking up before Gandhi in pre-dawn darkness, and going to sleep long after his Master, Desai lived Gandhi’s day thrice over — first in an attempt to anticipate it, next in spending it alongside Gandhi, and finally in recording it into his diary.”

Like all true Gandhians, Narayanbhai lived a life of utmost simplicity and dedication. And most of it was spent in constructive activities, which were an integral part of Gandhiji’s mission. He was a close associate of Vinoba Bhave in the Bhoodan Movement, and of Jayaprakash Narayan in his Sampoorna Kranti campaign. He called his residence in Vedchi “Sampoorna Kranti Vidyalaya”, where he experimented with Gandhiji’s ideas about “Nai Talim” education. He was also active in the worldwide movement for peace and nuclear disarmament.

In 2013, Narayanbhai invited me to deliver the Kamalnayan Bajaj Memorial Lecture on “Technology and Nonviolence” at Gujarat Vidyapeeth, of which he remained the chancellor until his demise. My lecture at the university (founded by Gandhiji in 1920) was based on the theme of my book, Music of the Spinning Wheel — Mahatma Gandhi’s Manifesto for the Internet Age. Narayanbhai did not sound convinced with my argument that Gandhiji was not opposed to modern science and technology. Nor did he agree with me that tools of the digital era, if guided by the moral philosophy of the spinning wheel, can be helpful in ending the death and destruction man has inflicted on nature as well on members of his own species. Nevertheless, he listened to my views with an open and curious mind.

After the lecture, Narayanbhai’s close aides and I discussed an important project with him — the need to create a digital library of all the available audio and video recordings of his “Gandhi Kathas”, coupled with some fresh recordings to fill the gaps. Unfortunately, this project could not commence because of Narayanbhai’s failing health. Prime Minister Narendra Modi, who condoled his death in a tweet, should ask his government to execute this project. The legacy of Narayanbhai and Mahadevbhai is too precious to be lost to posterity due to societal and governmental apathy.

March 17, 2015 

The writer was an aide to former Prime Minister Atal Bihari Vajpayee

photo courtesy :  Parthiv Shah

http://indianexpress.com/article/opinion/columns/mahatmas-storyteller-narayan-desai/

Loading

આંખ આડે કાન રાખે, પણ કાન આડે શું રાખે ?

નયના પટેલ|Opinion - Short Stories|17 March 2015

ભરયુવાનીમાં અજય, સાથે ભણતી રીતુને પૂછી બેઠો હતો, ‘વૃધ્ધાવસ્થામાં સાંજે મારી સાથે સૂર્યાસ્ત જોવાનું પસંદ કરો ખરાં ?’ અને તેનો પ્રતિભાવ હકારમાં મળવા છતાં ય તેમ ન બની શક્યું.

વૃધ્ધાવસ્થાને આરે આવીને ઊભેલા અજયે લગભગ રોજ સાંજે પોતાની પ્રિય અગાશીમાં આરામખુરશીમાં બેસીને સૂર્યાસ્તને જોતાંજોતાં એને યાદ કરી છે અને સાથેસાથે પત્નીનો રોજનો ડાયલૉગ, “ખબર નહીં, એ જ સૂરજ ને એ જ આકાશ છતાં રોજ એને જોતાં ધરાતા જ નથી ! સૂરજ જોયા કરવાથી સંસાર નથી ચાલતો; ‘ઘરમાં કંઈ ધ્યાન આપો’. કહીકહીને મોં દુઃખી ગયું, પણ પથ્થર પર પાણી !”- પચાવ્યા કર્યો છે!

આંખ આડે કાન રાખે પણ કાન આડે શું રાખે ?

વિધવા માને ખુશ રાખવા મન તો માર્યું અને ન્યાતની જ એક છોકરી સાથે સગાઈ થવા દીધી, માએ આશ્વાસન આપ્યું, ‘તને ભણેલી જોઈતી હતી ને ! જો આ ક્રીશ્ના ભણેલી ય છે અને વળી આપણી ન્યાતની તો છે – ભલેને થોડી શ્યામ છે ! આ તો બેટા, તું સમજે છે ને ! તારા બાપુ ય નથી ને લોક આપણને …’

એને ક્રીશ્નાનાં રંગ સામે કે દેખાવ સામે કોઈ વાંધો જ ક્યાં હતો ? પરંતુ એને જોઈતું હતું કે તેની પત્નીની અને એની બૌદ્ધિક કક્ષા સરખી હોય; પ્રેમ થઈ જાય એવી કોઈ વાત તેનામાં હોય, જેમ કે રીતુમાં હતી!

જે હોય તે અજયે અસહાય બની સંજોગોને જીતવા દીધા ! પરંતુ સુરતમાં મળેલી લેક્ચરરની નોકરી ન સ્વીકારી, વડોદરા નોકરી લઈ લીધી; તો ક્રીશ્નાએ પણ બી.એડ. કરવા વડોદરા પસંદ કર્યું !

અજયની અલિપ્તતા ક્રીશ્ના ન સમજે એવી બુદ્ધુ નહોતી અને છતાં ન સમજ્યાનો ડોળ કરી અજય સાથે મનમેળ કરવા ક્યારેક ‘સુરસાગર’ પર મળવા બોલાવે, તો ક્યારેક તેની રૂમ પર જઈ ચઢી આશ્ચર્ય આપે, તો ક્યારેક એને પૂછ્યા વગર જ પિક્ચરની ટિકિટ લઈ આવે … જાણે પરિસ્થિતિને તાબે ન થવા કમ્મર કસી છે !

અજય ધીમેધીમે ક્રીશ્ના તરફ જોતો થયો અને માત્ર સહાનુભૂતિ બતાવવા એની આ બાલિશ રમતમાં અજાણ થઈને જોડાતો ગયો અને છતાં સુરસાગરને કિનારે સૂર્યાસ્ત જોઈને એ અચૂક ગમગીન બની જાય છે, તે ક્રીશ્નાએ નોંધ્યું છે.

ક્યારેક મા પણ વડોદરા રહેવા આવે છે અને ક્રીશ્નાને પસંદ કરીને ભૂલ નથી કરી એવું ગૌરવ લે છે.

અજય ધીમેધીમે ખુલતો ગયો. ક્યારેક પૉલિટિક્સની તો ક્યારેક બેમાંથી કોઈએ સારી ચોપડી વાંચી હોય તો તેની, તો ક્યારેક ભવિષ્યની વાતો કર્યા પછી એકલો પડેલો અજય સાચ્ચે જ એક બૌદ્ધિક સહચરી મળ્યાનો આનંદ અનુભવવા માંડ્યો …. ને એક દિવસ ગામથી આવેલા એક સગાએ ‘દૂધપાકમાં ટીપું કેરોસિન’ નાંખવાનું કામ કર્યું !

‘મામી, જરા આ ક્રીશ્નાની ઉંમરની તપાસ કરાવો ને !’ એણે એક કડવી સચ્ચાઈને તપાસવા કહ્યું.

પહેલાં તો એ વાતને ‘ન સાંભળી’ કરી પણ પછી માથી ન રહેવાયું. સુરત જઈને એમના મોટાભાઈને વાત કરી અને ‘કુશળતા’થી એનું બર્થ સર્ટિફિકેટ મેળવાયું અને સાચે જ ક્રીશ્ના અજયથી ચાર વર્ષ મોટી હતી.

‘તો શું થયું, ઘણા કિસ્સામાં એવું બને છે અને એ લોકો સુખી છે, ચાલે એ તો !’ પહેલાં તો માએ મન મનાવ્યું, પણ પછી અજંપો ઓછો કરવા અને ભવિષ્યમાં અજયને એમ તો ન થાયને કે માને ખબર હતી તો ય કહ્યું નહીં; એટલે અજયને સુરત બોલાવીને માએ બીતાંબીતાં કોઈ પણ પૂર્વભૂમિકા બાંધ્યા વિના ક્રીશ્નાનું બર્થસર્ટિફિકેટ બતાવ્યું. અજય તો પહેલાં કાંઈ સમજ્યો નહીં.

‘આ બતાવવા મને કોલેજમાં એક દિવસ પાડીને છેક વડોદરાથી અહીં બોલાવ્યો ?’ આશ્ચર્ય અને ગુસ્સાથી બોલતાંબોલતાં સર્ટિફિકેટમાં લખેલી તારીખે જાણે એના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો !

‘ન હોય મા, કાંઈ ભૂલ થઈ લાગે છે.’

મા ચૂપચાપ બેસી રહી. શું કરવું તે બન્નેમાંથી કોઈને સૂઝ્યું નહીં.

સાંજ પડવા આવી હતી. હંમેશની જગ્યાએ જઈને બેઠો.

પાણીની પાઈપ ઉપર એ અને રીતુ જે જગ્યાએ હંમેશાં બેસતાં તે જગ્યાએ જઈને બેઠો.

રૅશનલિસ્ટ છે, એટલે ‘ભગવાન’ સામાન્ય માણસો માટે એક મનોવૈજ્ઞાનિક જરૂરિયાત જ છે એમ એ પ્રામાણિકતાથી માને છે; અને એટલે આજે ઢળતા સૂર્યને પૂછી બેઠો, ‘મારી સાથે જ કેમ આમ થાય છે, કેમ ?’ અને જવાબ ન આપવો પડે એ બીકે સૂરજ પણ જલદી જલદી ક્ષિતિજે ઢળી ગયો.

રીતુ સાથે હંમેશાં ઢળતો સૂર્ય જોવાની એની કુંવારી લાગણીનું મોં દબાવીને, ગૂંગળાવીને મનના એક ખૂણે માંડ દફનાવી શક્યો છે અને હજુ ક્રીશ્ના સાથે મનમેળ સાધવા ધરખમ પ્રયત્ન કરે છે ત્યાં ….

મોડેથી ઘરે આવ્યો અને જમ્યા વગર જ સૂઈ ગયો.

‘હવે ?-’ મોટું પ્રશ્નાર્થ બનીને ઘરમાં આખી રાત અટવાતુંઅટવાતું વમળ બની ગયું. વમળમાં એનો મૂંઝાતો જીવ ડૂબી ગયો અને સવારે માંડમાંડ આંખ ખોલી !

મનને મજબૂત કરી અજય વડોદરા પહોંચ્યો.

ક્રીશ્નાને કારેલીબાગની એમની નિર્ધારિત જગ્યાએ એ જ ઘડીએ મળવા બોલાવી.

‘પણ અજુ, કોલેજ પછી મળીયે તો !’ થોડી લજ્જા ઉમેરી બોલી, ‘એટલી અધિરાઈ …’

ત્યાં જ અજયે ફોન કાપી નાંખ્યો.

ફફડતે મને એ કારેલીબાગ પહોંચી.

અજય એ પહોંચે તે પહેલા પહોંચી ગયો હતો.

હજુ તો ક્રીશ્ના શ્વાસ લે, તે પહેલા તો બ્રીફકેસમાંથી એનું સર્ટિફિકેટ કાઢીને ધરી દીધું !

જેની એને બીક હતી તે જ થયું ! એનાં માબાપે તો એ વાત છૂપાવવા જ એને કહ્યું હતું, પણ અજયને મળ્યા પછી એને થયું કે થોડી નિક્ટતા થયા પછી હું જરૂર કહીશ …. હવે એ અજયને કહેશે કે ‘એ કહેવાની જ હતી’ તો ય એ માનવાનો નહોતો એની એને ખાતરી થઈ ગઈ એટલે જમીન તરફ જોતી બેસી રહી.

સખત હારેલા યોદ્ધા જેવા સ્વરે અજય તરફડતા સ્વરે બોલ્યો, ‘દુ:ખ એ વાતનું થયું, ક્રીશ્ના, કે આટલી મોટી વાત તમે લોકોએ છુપાવી. પ્રામાણિકતાથી કહી દીધું હોત તો …..’

પછી એક ઊંડો શ્વાસ કે નિશ્વાસ લઈ બોલ્યો, ‘હું ઉંમરના આટલા તફાવતમાં નથી માનતો પણ જે વ્યક્તિ પ્રથમ પગથિયે જ દગો દે તે આગળ જતાં ….’

ન કહેવાનું નક્કી કર્યું હતું, છતાં એનાથી બોલાઈ જ ગયું … ’હું કહેવાની જ હતી …’

અજયનું સાવ જ પડેલું મોં, તિરસ્કારથી ખરડાયેલો ચહેરો અને અલિપ્ત બનવા મથતી આંખો જોઈને એ ચૂપ થઈ ગઈ. એને ખ્યાલ આવી ગયો, બધું ખલાસ થઈ ગયું !

એ ચૂપચાપ ઊઠી અને પાછળ જોવા મથતા મનને ઠપકારી, આશાના ઊગુંઊગું થતા કિરણને ભવિષ્યકાળના અંધકારમાં ઝબોળી દૂરદૂર નીકળી ગઈ !

એની શ્યામલ ત્વચા અને સાવ જ સામાન્ય દેખાવ, ગરીબ ઘર …. કે નસીબ જે કહો તે ક્રીશ્ના લગ્નની ઉંમર વટાવવા માંડી હતી. એમ કરતાંકરતાં એ ત્રીસની થઈ ! હવે એ બત્રીસની થશે અને ચાળીસની થશે અને ….. અને … ફરી એ આંખનાં આંસુને પી ગઈ.

અજયના નસીબે બબ્બેવાર એના માસૂમ મનને સાવ જ બેરહમીથી પીસી નાંખ્યું. ફરી એ ડૂબતા સૂરજને પૂછવા સુરસાગર પર ગયો. એને ચીસો પાડીને રડવાનું મન થયું, સુરસાગરમાં પડીને – છટ્‌ એ કાયર થોડો છે ?

સામે કિનારે એને ક્રીશ્ના જેવો જ કોઈનો પડછાયો દેખાયો કે ભ્રમ છે ? – વધુ ન વિચારતાં એ રૂમ ઉપર જતો રહ્યો.

આજે સૂર્યાસ્ત જોતાં અજયને એની પત્નીએ ફરી ટોક્યો અને અજયનો અત્યાર સુધી દબાવી રાખેલો – મા તરફનો, એના પ્રથમ પ્રેમ તરફનો અને ક્રીશ્ના તરફનો, જીવન તરફનો ક્રોધ મધ્યાહ્નના સૂર્યની જેમ ફાટ્યો.

એ ભૂલી ગયો કે એ ભણેલોગણેલો પ્રોફેસર છે, એ ભૂલી ગયો કે હંમેશાં સ્ત્રીસન્માનની એ વાતો વિદ્યાર્થીઓને કરતો હતો, એ ભૂલી ગયો કે એ હવે બે પૌત્રોનો ‘દાદા’ છે, એ ભૂલી ગયો કે ઘરમાં પુત્રવધૂ પણ છે !

‘મારે તારી સાથે પરણવું જ નહોતું. મારી ડોસીને લીધે …… ઘરમાં કોઈ કરવાવાળું નહોતું અટલે લાવવી પડી – જીવન બરબાદ કરી નાંખ્યું. બુદ્ધિનો છાંટો ય નથી ! રોજ એ તારી-મારી, ટી.વીની અક્કલ વગરની સિરિયલો અને વણમાગ્યો ઉપદેશ દેવા સિવાય, છે શું તારી પાસે ? એક મિનિટ શાંતિથી નથી જીવતી, નથી જીવવા દેતી !’

આટલાં વર્ષો સુધી પતિનું જોયેલુ રૂપ આ તો નહોતું જ !

શું થઈ ગયું એમને ?

ધીમેધીમે અજયનો દરેક શબ્દ છૂટોછૂટો પડી એની સમજમાં ઊતરવા માંડ્યો ….

રોજ કંકાસ કરતી પત્ની માત્ર ત્રણ જ વાક્યો બોલી, ‘ઘોડે ચઢીને તમે લેવા આવ્યા હતા મને.’

‘મને એ નહોતી ખબર કે વગર પૈસાની નોકરાણી જોઈતી હોય, ત્યારે પોતાને ખૂબ અક્કલવાળા કહેવાતા લોકો લગન નામનો ત્રાગડો રચે છે.’

‘અને રોજરોજ ડૂબતા સૂરજને જુઓ છો, એના કરતાં ઊગતા સૂરજનારાયણને પૂજ્યા હોત તો ……!’

અજયનો ક્રોધ જોઈને કે પછી બાકીનું વાક્ય શું બોલવું તેની ગતાગમ ન પડવાથી એ પગ પછાડતી નીચે જતી રહી.

•

સંપર્ક : nayna47@hotmail.com

(યુ.કે.ના સમાચારપત્રમાં સાપ્તાહિક ધારાવાહી ’કેડી ઝંખે ચરણ’નાં લેખિકા નયનાબેન પટેલ હાલ લંડનમાં રહે છે. ૧૯૪૭માં ભારતમાં જન્મ અને ઉછેર પામી તથા ગુજરાતી વિષયમાં બી.એ. કરીને ૧૯૬૮માં પતિને પગલે ઇંગ્લૅન્ડ સ્થાયી થયાં. પરદેશમાં રહીને દેશના ઝુરાપાની પોટલીમાં પોતાના અને અન્યોના અગણિત અનુભવોને સમેટતાં રહ્યાં, જે પ્રતિબિંબિત કરવા માટે તેમણે કલમ ઉપાડી અને પ્રથમ વાર્તા આકાર પામી- ‘આરંભ કે અંત ?’ અને યુ.કે.ની ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રથમ વાર્તાહરીફાઈમાં દ્વિતીય સ્થાન પામી. ત્યારપછી એમની કલમે કાંઈ કેટલીય લાગણીઓને શબ્દદેહ આપવા માંડ્યો અને લખાઈ ટૂંકી વાર્તાઓ : ‘રીડ ગુજરાતી’ની ૨૦૧૧ની વાર્તાહરીફાઈમાં પ્રથમ આવી-‘ડૂસકાંની દીવાલ’, પછી ‘મોનિટર’ મેગેઝિનમાં પ્રગટ થઈ ‘કોણ ન્યાય કરે અને કોને’- ૨૦૧૨,  ‘ભીષ્મ થવું પડ્યું’- ૨૦૧૨માં ‘સંદેશ’માં, ૨૦૧૩માં ‘પીળાં આંસુની પોટલી’ પ્રગટ થઈ ‘ફીલીંગ્સ’ મેગેઝિનમાં; અને હવે આપ સમક્ષ આવી રહી છે, ‘આંખ આડે કાન રાખે, કાન આડે શું રાખે ?’.)

http://webgurjari.in/2014/06/15/how-do-you-turn-off-your-ears/

Loading

...102030...3,7903,7913,7923,793...3,8003,8103,820...

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved