Opinion Magazine
Number of visits: 9692334
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

Chatrapati Shivaji Maharaj : To Each Ones’ Own !

Ram Puniyani|English Bazaar Patrika - OPED|27 August 2015

Some concerned citizens have filed a Public Interest Litigation (August 17 2015) to stop the highest award of Maharashtra Government, Maharashtra Bhushan to Babasaheb Purandare. Purandare is known for his work ‘Raja Shivaji Chatrapati’ and the play ‘Jaanata Raja’ (wise king) his is not the first time that such a controversy around Purandare has come up. Few years ago Maharashtra Government had appointed him as Chairman of the Committee which was to plan the statue of Shivaji in Arabian Sea. The Maratha Mahasangh objected to this appointment on the ground that Shivaji was a Maratha while Purandare is a Brahmin. Purandare’s interpretation of Shivaji presents him as the one who was devoted to Brahmins and Cows (Go Brahman Pratipalak) and the one who was against Muslims. This interpretation of Shivaji has been the major version used by sectarian political groups. As this on one hand presents him as upholder of supremacy of upper caste and at the same time looks down upon Muslim kings.

Maharashtra has seen many a controversies on Shivaji issue times and over again. There was an attack on Bhandarakar Oriental Research Institute (BORI), Pune few years ago. The issue at that time was that this institute had helped the western author James Laine for writing his book, ‘Shivaji: Hindu King in Islamic India’. In this book he had cast aspersions on Shivaji’s mother by mentioning some rumors. Maratha-Brahmin politics was at the root of this. BORI is regarded more as being Brahminical. In yet another controversy, just before the elections in Sangli area (2009), the poster of Shivaji killing Afzal Khan with a knife, was the provocation for communal violence, in which one person was killed and a tense atmosphere was created. The symbolism was that Shivaji is representing Hindus while Afzal Khan represents Muslims. This is the fertile ground for hatred and the consequent violence, which polarized the communities and the communal forces won the election.

One recalls another controversy around Shivaji and that was when the Human rights activist Teesta Setalvad had prepared a hand book of history for school teachers in which she narrated the incident of Maharashtra Brahmins refusing to coronate Shivaji as he was a Shudra. The priest from Kashi; Gaga Bhat; had to be invited, who did coronate him but with the little toe of the left foot, as that is the organ which according to Brahmanical norms is lowest in the body hierarchy.

The local Shiv Sainiks objected to this handbook on the ground that how dare someone call Shivaji as Shudra? History has its own truth and emotions operate on different wavelength! What is true is that Shivaji was a King who reduced the burden of taxation on the poor peasants. That’s what made him popular amongst the masses. Also the legend of Shivaji asking his army to return the Muslim daughter in law of Kalyan’s Nawab is a matter of deep respect for him amongst the people of Maharashtra. The memories of his policies towards the rayyat (cultivating farmers) make him very revered figure in Maharashtra.

Lokmanya Tilak was the first one who recalled Shivaji’s role by organizing a Shivaji festival. Tilak presented him as protector Brahmins and Cows. Since then Shivaji came back in the social memory but with upper caste orientation. The later popularization of Shivjai was done by communal forces that centered the narration on Shivaji’s battles with Aurangzeb and Afzal Khan. This was in a build up to Shivaji’s own kingdom. These battles with these two Muslim kings are highlighted while Shivaji’s battles with Hindu kings are underplayed or omitted from the recall. While his battle with Aurangzeb was for power; the official who came from Aurangzeb’s side was Raja Jaisingh who was a big official in Aurangzeb’s administration. In case of Afzal Khan it was Shivaji’s Muslim body guard who advised him to carry the iron claws, while on Afzal Khan’s side we see Krishnaji Bhaskar Kulkarni as his secretary. The battles for power have been given religious color.

Today Shivaji on one side is being used for sharpening communal (Hindu Muslim divides) and on other hand between Brahmin-Marathas.

The rational understanding of Shivjai has been excellently presented by late Com. Govind Pansare in his very popular book Shivaji kon Hota? (Who was Shivaji?) Com Panasre’s you tube video is also a brilliant watch, ‘Janatecha Raja Shivaji’. One need to realize that the shadow boxing around Shivaji is in a way is reflection of the underlying communal politics and caste struggles. Real Shivaji needs to be understood so that we can undermine these sectarian tendencies.

Loading

Modi SarkarnuM Andaajpatra : Aane Aayojan Kahevay Kharun ?

સનત મહેતા|Samantar Gujarat - Samantar|27 August 2015

મોદી સરકારનું અંદાજપત્ર : આને આયોજન કહેવાય ખરું ?

નોંધ :- લેખ મોકલવામાં વિલંબ કે ચૂક ન થાય, તેની ભારે ચીવટ રાખતા સનતભાઈએ તેમની વિદાય પહેલાળ આ લેખ તૈયાર કરી રાખ્યો હતો, જે તેમના અવસાન પછી તેમના છેલ્લા લેખ તરીકે પ્રગટ થઈ રહ્યો છે. સનતભાઈની નિસબતને-ચીવટને આખરી સલામ.

શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે

ભારતના અંદાજપત્રનો પ્રથમ ત્રિમાસિક ગાળો પૂરો થઈ ગયો છે. એટલે હવે એનાં પરિણામો આવવાં શરૂ થશે. મોદી સરકારનાં પ્રથમ બે અંદાજપત્રનું પૃથક્કરણ બતાવે છે કે તેમાં સામાજિક વિકાસનાં પાસાંને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. ભારત, આમ પણ  સામાજિક વિકાસ માટે વિશ્વના પ્રગતિશીલ રાષ્ટ્રોની  તુલનામાં ઓછો ખર્ચ કરતું આવ્યું છે. વર્ષ 2012માં ભારતે શિક્ષણ અને આરોગ્ય પાછળ એના જી.ડી.પી.ના  માત્ર 7.4 ટકા ખર્ચ કર્યો હતો. અફઘાનિસ્તાન આરોગ્ય અને શિક્ષણ પાછળ 8 ટકા ખર્ચ કરે છે અને નેપાળનો  જાહેર આરોગ્ય અને શિક્ષણ માટે માટેનો ખર્ચ 10 ટકા છે.

આવા વૈશ્વિક સંદર્ભમાં, આ વરસના અંદાજપત્રકમાં પાછલાં વરસોની તુલનામાં સમાજકલ્યાણના વિવિધ પાસામાં મૂકાયેલા કાપ ન સમજાય તેવા અને ભારતના વિકાસના ઘડિયાળના કાંટાને પાછા મૂકવાની પ્રક્રિયા  સમાન છે. આરોગ્યનો દાખલો લઈએ. 2011-12 માં આરોગ્ય માટેની ભારતની બજેટ જોગવાઈ રૂ.17,840 કરોડ હતી, જે ગયે વરસે રૂ.22,000 કરોડ કરાઈ હતી. આને ઘટાડી આ વરસે આ રૂ.18,000 કરોડ કરાઈ છે. ટકાવારીની દૃષ્ટિએ સૌથી મોટો કાપ આ વરસના બજેટમાં સર્વશિક્ષા અભિયાનની જોગવાઈમાં કરાયો છે. આ માટે રૂ.22,000 કરોડની કરાયેલી જોગવાઈ 22 ટકાનો કાપ બતાવે છે. મધ્યાહ્ન ભોજન માટેની આ વરસની જોગવાઈ 2009-10ના વરસ જેટલી છે. બજેટમાં થયેલ ખર્ચની જોગવાઈ સાથે કરવેરાના ફેરફારોનો કયાસ કાઢીએ તો ચાલુ વરસે બજેટની 98 દરખાસ્તો એવી છે કે જેમાં કસ્ટમ ડયુટીમાં એના વપરાશકારોને લાભ અપાયો છે. આમાં કેટલીક રાહત ઉદ્યોગ અને ખનિજને લગતી છે. ધારો કે આવી રાહત રોજગારી વધારવા અપાઈ હોય. આ સિવાય કેટલાંક પ્રાણીઓ, વૃક્ષો, છત્રી, કૃત્રિમ ફૂલો, તમાકુને અપાયેલી છૂટછાટ ન સમજાય તેવી છે. 

સૌથી વધુ આશ્ચર્ય અને આઘાત પહોંચાડે તેટલી રાહત સોનું અને હીરા-ઝવેરાત ઉદ્યોગને રૂ.75,000 કરોડની અપાઈ છે. આ રાહત સર્વશિક્ષા અભિયાન, મધ્યાહ્ન ભોજન અને આરોગ્ય માટે કરાયેલ કુલ ખર્ચની જોગવાઈ કરતાં વધુ છે. કદાચ આની પાછળનું રોકાણ આ ક્ષેત્રમાં મળતી રોજગારી અને નિકાસ કરાણભૂત હોય. પણ, સવાલ એ થાય છે કે રોજગારી અને નિકાસમાં આના જેવું જ યોગદાન આપનાર બીજા આવા ઉદ્યોગધંધાને આવો કરલાભ કેમ નથી મળ્યો? દાખલા તરીકે કાપડઉદ્યોગ ૪૫૦ થી ૬૦૦ લાખને રોજગારી આપે છે અને નિકાસમાં એવો જ હિસ્સો આપે છે. એને માત્ર રૂ 16,000 કરોડની રાહત મળી. રોજગારીમાં હીરા ઝવેરાત ઉદ્યોગ ૩૦ લાખને રોજગારી આપે છે એ નોંધવુ રહ્યું. સાક્ષરતા, આરોગ્ય, શિક્ષણ વગેરે સામાજિક વિકાસની જોગવાઈ બજેટમાં કમી કરવા પાછળ એક કારણ નાણાંમંત્રીએ એ આપેલું  કે આ વખતે કેન્દ્ર સરકારે નાણાં પંચની ભલામણોનો સ્વીકાર કરી મોટી રકમની ગ્રાન્ટ રાજય સરકારોને ફાળવી છે. ઉપરાંત નાણાંમંત્રી માને છે કે આમાંની કેટલીક યોજનાઓમાં કરાયેલ  કાપ, રાજય સરકારો નાણાંપંચની ભલામણોના કારણે મળેલ ગ્રાન્ટમાંથી ખર્ચ કરી સરભર કરશે.

આમાં એવું બન્યું છે કે, વડાપ્રધાને આયોજનપંચને વિખેરી નીતિ આયોગની રચના કરી છે. નીતિ આયોગે કેન્દ્રિય યોજનાઓ ઘટાડી રાજયને એ યોજના સોંપવા માટે, કઈ યોજના કેન્દ્રિય અને રાજયહસ્તક રાખવી એનો નિર્ણય કરવા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના અધ્યક્ષપદે રાજયોના મુખ્યમંત્રીઓની સમિતિ  બનાવી છે.  સમિતિની એકાદ બેઠક થઈ છે. પણ આખરી નિર્ણય થયો નથી. એટલે નાણાંમંત્રીને પૂરક માગણીઓ મૂકી વધારાના રૂ.19,000 કરોડ ફાળવવા પડયા છે. આ પૂરક માગણીમાં ‘મનરેગા’ને વધારાના રૂા.7 હજાર કરોડ; સ્વચ્છ ભારત મિશનને રૂ.1,500 કરોડ, પીવાના પાણી માટે વધારાના રૂ.1,000 કરોડ, યુનિસેફની આઈ.સી.ડી.એસ.-બાળવિકાસ યોજના માટે રૂ.3,600 કરોડ અને પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના માટે રૂ.4,495 કરોડ મુખ્ય છે. ત્રણ વાત આમાંથી સમજવા જેવી છે. એક. મનરેગા યોજના, જેને વિશ્વબેંકે  દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના ગણાવી, પણ જેને વડાપ્રધાને કોંગ્રેસ શાસનની નિષ્ફળતાની પ્રતીક ગણાવી હસી કાઢી તે જ યોજનાની બજેટ મંજૂર થયાના ત્રણ માસમાં જ જોગવાઈ વધારવી પડી. બે. જેને વડાપ્રધાને પોતાની નવી યોજના ગણાવી છે તે સ્વચ્છ ભારતમાં જોગવાઈ વધારવી પડી છે. સ્વચ્છ ભારત માટે ભા.જ.પ.ના પહેલાં અંદાજપત્રમાં રૂ.2,850 કરોડ ફાળવાયેલા. પછી 2015-16ના બીજા બજેટમાં નજીવો વધારો કરી રૂ.3625 કરોડ કરાયા અને બજેટ પછી હમણાં વધારો કરી સ્વચ્છ ભારત માટે રૂ.5,125 કરાયા. આને આયોજન કહેવાય ખરું ?

ત્રણ. ’બેટી બચાવ, બેટી ભણાવ’ એ માટે 2014-15 ના બજેટમાં રૂ.628 કરોડ ફાળવાયા હતાઃ પણ, 2015-16 ના બજેટમાં કોઈ ફાળવણી જ નહોતી કરાઈ. હવે, પૂરક માગણીમાં માત્ર રૂ.400 કરોડ ફાળવાયા છે. બાકીનું કામ મોદીજીની ઘોષણામાંથી થઈ જશે? આ બધી કરરાહત, ખર્ચની જોગવાઈ જેવી સવાલ જન્માવે છે કે, નાણાંમંત્રીએ રજૂ કરેલ અંદાજપત્રક કોને માટે ઘડાયું છે અને કયાં લક્ષ્યાંકો પાર પાડવા માગે છે? તાજેતરનાં રાષ્ટૃીય સર્વેક્ષણ સંસ્થાનાં સર્વેક્ષણ બતાવે છે કે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો જાહેર સેવાઓને બદલે ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ તરફ વળી રહ્યા છે. શિક્ષણક્ષેત્રે આવું વલણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લગભગ સરખું છે. આરોગ્યસેવામાં લગભગ 70 ટકા લોકો ખાનગી ક્ષેત્ર તરફ ઝૂકી રહ્યાં છે. આ પસંદગીના કારણે હોસ્પિટલની આંતરિક સેવાનો લાભ લેનાર સરકારી સેવાની તુલનામાં ચાર ગણાં વધુ નાણાં ખર્ચે છે. આ નાણાં લાભ લેનારને પોતાના ગજવામાંથી ખર્ચવા પડે છે. કારણ માંડ 13 ટકા લોકો આરોગ્ય વીમા યોજના નીચે આવરી લેવાયા છે. આવો વધારાના ખર્ચનો બોજ ધીમે ધીમે સામાન્ય માનવીના ભરણપોષણના કાપમાં પડી રહ્યો છે.

પરિણામે વિશ્વના આફ્રિકા સહિતનાં કેટલાંક રાષ્ટ્રો કરતાં ભારતમાં પાંચ વરસની ઉંમરના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘણું વધતુ જાય છે. એનું સીધું પરિણામ એ આવે છે કે, આર્થિક સમૃદ્ધિ વધવાને કારણે ગરીબીની રેખાથી ઉપર ઊઠનારાં કુટુંબો અચાનક આવેલી માંદગીના ખર્ચના બોજના કારણે ફરી ગરીબીની રેખા નીચે ધકેલાઈ જઈ રહ્યાં છે. અંદાજપત્રકમાં સામાજિક સેવાઓ માટેના નાણાંની ફાળવણીમાં કાપ મૂકવાની નીતિ અંતે રાષ્ટ્રમાં ગરીબીનું પ્રમાણ વધારવામાં પરિણમી રહી છે. આરોગ્યની સેવાઓ ખાનગીક્ષેત્રને સોંપવાની  નીતિના  વિશ્વમાં કે ભારતમાં જયાં જયાં પ્રયાસો થયા એ બધા નિષ્ફળ નીવડયા છે. ખાનગીક્ષેત્રને કોઈ પણ ક્ષેત્રે દાખલ થવાનું મૂળભૂત આકર્ષણ નફો હોય છે.

આખરે આપણે જ સમજવાનું રહ્યું કે બજેટ કોના કલ્યાણ માટે ઘડાયું છે?

સૌજન્ય : ‘સર્વેક્ષણનું તારણ’, “દિવ્ય ભાસ્કર”, 27 અૉગસ્ટ 2015

Loading

Janataani PrivacymaM DNAnI Daraa

રાજ ગોસ્વામી|Opinion - Opinion|26 August 2015

જનતાની પ્રાઇવસીમાં DNAની દરાર

જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે.

આધાર યોજના હેઠળ દેશના તમામ નાગરિકોનો જે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવામાં આવશે તેમાં સંવૈધાનિક નિજતા અધિકાર(ફંડામેન્ટલ રાઇટ ટુુ પ્રાઇવસી)નો ભંગ થાય છે કે નહીં તે અંગે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા કેસમાં બાયોમેટ્રિક્સ યોજનાનો બચાવ કરતા નરેન્દ્ર મોદીની સરકારે તાજેતરમાં અદાલતને એવું કહ્યું હતું કે સંવિધાનના મૂળભૂત અધિકારોમાં પ્રાઇવસીના અધિકારનો સમાવેશ થતો નથી.

આધાર બાયોમેટ્રિક્સ યોજનાની કાનૂની યોગ્યતાને પડકારતી અરજીઓની સામૂહિક સુનાવણી દરમિયાન દેશના એટર્ની જનરલ મુકુલ રોહતગીએ 1950માં સર્વોચ્ચ અદાલતનો એક આદેશ ટાંક્યો હતો જેમાં નિજતાનો અધિકાર એ સંવૈધાનિક મૂળભૂત અધિકાર નથી એવું ઠરાવવામાં આવ્યું હતું.

સંવિધાનમાં નિજતાના અધિકાર(રાઇટ ટુ પ્રાઇવસી)નો કોઇ ઉલ્લેખ નથી તે વાત સાચી છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા, જીવન, દેશની અંદર સ્થળાંતર, ધાર્મિક માન્યતા વગેરે જેવા મૂળભૂત અધિકારો જેમ અમુક મર્યાદાઓને અધીન હોય છે તેવી જ રીતે રાઇટ ટુ પ્રાઇવસી પણ અમુક દાયરાઓને અધીન છે એવી સરકારની દલીલ છે. સર્વોચ્ચ અદાલતના છેલ્લા બે દાયકાના (1950ના પેલા ચુકાદા પછીના) અનેક ચુકાદાઓ કે તારણોમાં રાઇટ ટુ પ્રાઇવસીને મૂળભૂત અધિકાર માનવામાં આવ્યો છે. સરકારે આ તમામ નિષ્કર્ષ પર પુન:વિચારણા કરવાની પણ માગણી કરી છે.

કર્ણાટકની ઉચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ કે.એસ. તુદ્રાસ્વામી અને સિટિઝન્સ ફોરમ ફોર સિવિલ લિબર્ટીસ જેવા અરજદારોએ આધાર યોજનાની કાનૂની વૈધતાને સર્વોચ્ચ અદાલતમાં પડકારીને કહ્યું કે બાયોમેટ્રિક્સ ડેટા એકઠો કરવાનું કામ નાગરિકોની પ્રાઇવસીમાં દખલઅંદાજી કરવા સમાન છે. બાયોમેટ્રિક્સ યોજના સામે એવો ડર વ્યક્ત થઈ રહ્યો છે કે લોકોનો વ્યક્તિગત ડેટા સરકારના અમુક વિભાગો અને પ્રાઇવેટ સેક્ટર પાસે જઈ રહ્યો છે. આ ડેટા પર કોઈ નિગરાની નથી અને એના ગેરઉપયોગની સંભાવના છે.

આધાર યોજના આમ તો સ્વૈચ્છિક છે પરંતુ સરકારની ઘણી યોજનાઓમાં આધાર નંબર ફરજિયાત છે જેથી આધાર કાર્ડ મેળવવું એક રીતે ફરજિયાત બની ગયું છે. આ કાર્ડ માટે માહિતી એકઠી કરવા એન.જી.ઓ., પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ રોકવામાં આવી છે. આ ડેટા કોઈના પણ હાથમાં જઈ શકે છે. ટેક્નોલોજીના વિકાસ અને વહીવટી અડચણોને લઈને સરકાર એની યોજનાઓ અને કાર્યક્રમો માટે ઇન્ટરનેટ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. નાગરિકોનો અંગત કહી શકાય એવો વિશાળ ડેટા આવા પ્લેટફોર્મ પર પડેલો હોય છે. જન્મતિથિથી લઈને બ્લડ ગ્રૂપ જેવી અંગત માહિતીની પ્રાઇવસીનો નાગરિકને અધિકાર નથી એવી મોદી સરકારની દલીલ જોખમી એટલા માટે છે કે સરકાર હ્યુમન ડી.એન.એ. પ્રોફાઇલિંગ બિલ પસાર કરવાનો પ્રયાસ કરી રહી છે. અદાલતી અને પોલીસની કાર્યવાહીમાં ઓળખ સાબિત કરવા માટે આ હ્યુમન પ્રોફાઇલિંગ એક સશસ્ત્ર ટેક્નોલોજી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંગત રસ લઈને આ બિલને કાનૂની સ્વરૂપ આપવા પ્રયાસ કરી રહ્યા છે.

ક્રિમિનલ ફોરેન્સિક અને બિન ફોરેન્સિક કાર્યવાહીમાં સંબંધિત વ્યક્તિ કે વ્યક્તિઓનો ડેટા સરકારી એજન્સીઓ માટે ખાસ્સો હાથવગો સાબિત થાય તેમ છે. સરકાર આ બિલ મારફતે નેશનલ ડી.એન.એ. ડેટાબેંક ઊભી કરવા માગે છે. અકસ્માત કે દુર્ઘટનાનો શિકાર થયેલા કે ખોવાઈ ગયેલા લોકોની ઓળખાણ, અદાલતમાં ચાલતા વિવિધ દાવાઓ, વાલી-વારસદાર વિવાદ, સ્થળાંતરને લગતા મુદ્દાઓ, વસ્તીના આંકડા કે આઇડેન્ટિફિકેશન રિસર્ચ જેવી બાબતોમાં આ ડેટાબેંકની મદદ લેવાનો સરકારનો હેતુ છે. આ ડેટાબેંકના સેમ્પલમાં વ્યક્તિનાં જનનાંગોના ટિસ્યુથી લઈને વિડિયોફોટોગ્રાફી જેવા ડેટા પણ હશે.

આધાર કાર્ડ, ડી.એન.એ. પ્રોફાઇલિંગ અને સરકારની ત્રીજી એક મહત્ત્વાકાંક્ષી યોજના નેશનલ ઇન્ટેિલજેન્સી ગ્રીડને તમે જો સરકારની દલીલ ‘રાઇટ ટુ પ્રાઇવસી એ સંવૈધાનિક અધિકાર નથી’ સાથે જોડો તો દાખલો એવો બેસે કે તમારી આંખના રંગથી લઈને તમારા શરીરમાં કેવા પ્રકારના જીન્સ છે તે તમામ માહિતી સરકારની 11 જેટલી એજન્સીઓ, જેવી કે રિસર્ચ એન્ડ એનાલિસીસ વિંગ, ઇન્ટેિલજન્સ બ્યુરો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, નેશનલ ઇન્વેિસ્ટગેશન એજન્સી, સી.બી.આઇ., ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેિલજન્સ અને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો પાસે હશે.

એટલે તમે રેલ કે હવાઈ મુસાફરી કરો, ઇન્કમટેક્સ ભરો, ફોન કોલ્સ કરો, બેંક ટ્રાન્ઝેક્શન કરો, ક્રેડિટ કાર્ડ વાપરો, સંપત્તિની આપ-લે કરો, ઇમિગ્રેશન પેપર્સ ભરો કે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવો તે તમામ ગતિવિધિ આમાંની કોઈપણ એજન્સીની નજરમાં હશે. નાગરિકોની તમામ ગતિવિધિઓ પર નિગરાની રાખતી આ એજન્સીઓ કોને અને કેવી રીતે જવાબદેહ હશે એની કોઈ સ્પષ્ટતા નથી. 2010માં નેશનલ ગ્રીડની યોજના માટે કેબિનેટની સિક્યુરિટી કમિટીની બેઠક મળી ત્યારે તેમાં આ માહિતીઓનો રાજકીય હેતુસર ગેરઉપયોગ થવાનો ભય વ્યક્ત કરાયો હતો. તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહનસિંહે ત્યારે નાગરિકોની પ્રાઇવસીનું રક્ષણ કરવા માટે પૂરતો બંદોબસ્ત કરવાનું સૂચન કર્યું હતું.

ત્યારથી લઈને આજ સુધી લોકોના સંવેદનશીલ ડેટાની ગુપ્તતા અને સુરક્ષા અંગેના સવાલો અનુત્તર રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ટેક્નોલોજિકલ પ્લેટફોર્મ પર પડેલી માહિતી ક્યારે ય નાબૂદ થતી નથી એટલે તમે 25 વર્ષની ઉંમરે કોઈક ખોડ ખાંપણથી પીડાયેલા હો (અને તમે 50 વર્ષની ઉંમરે સંપૂર્ણપણે ફિટ હો) તો એ વાત ‘મેરા બાપ ચોર હૈ’ની જેમ કાયમ માટે જડાયેલી રહે. તમે ભૂતકાળમાં સાઇક્યિાટ્રિક સારવાર લીધી હોય કે એક્સ્ટ્રા મેરિટલ સંબંધ માટે કોર્ટનાં ચક્કર કાપી આવ્યા હો તો એ માહિતી પણ એજન્સીઓના ખિસ્સામાં હશે.

તમારી અને સરકાર વચ્ચે આ પ્રકારનો સંબંધ હોય, જ્યાં તમારી તમામ ગોપનીય માહિતી એજન્સી પાસે હોય અને તમને એના ઉપયોગ (કે ગેરઉપયોગ) અંગે કશી જ ખબર ન હોય, એ હકીકત જ અકળાવનારી છે. આ યોજના પર સરખી ચર્ચા થાય તે પહેલાં સરકારે આ ડી.એન.એ. ડેટા વિશ્લેષણ માટે અમેરિકાની તપાસ સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેિસ્ટગેશન પાસેથી એક વિશેષ પ્રકારનું સોફ્ટવેર ખરીદવાની સમજૂતી પણ કરી લીધી છે.

ડી.એન.એ. ટેક્નોલોજીના વિશેષજ્ઞ, વૈજ્ઞાનિક અને કાનૂની નિષ્ણાતો ડી.એન.એ. સેમ્પલની સચ્ચાઈ વિશે પણ સંદેહ વ્યક્ત કરી રહ્યા છે. આમાં સૌથી મોટું ઉદાહરણ દિલ્હીનો આરુષિ હત્યાકાંડ છે જેમાં ડી.એન.એ. સેમ્પલ લેતી વખતે થયેલી ગરબડના કારણે પૂરી તપાસ અધ્ધર લટકી ગઈ હતી. અમેરિકા અને બ્રિટનમાં ડી.એન.એ. પ્રોફાઇલિંગની ગોપનીયતા અને સચ્ચાઈને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. ભારતમાં એને લઇને ઢંગની ચર્ચા પણ થઈ નથી.

આમાં ગોપનીયતા ઉપરાંત પૂરી યોજનાનું બજેટ કેટલું છે અને એમાં કેટલી અને કેવી ટેક્નોલોજીનો ઉપયોગ થશે તે પણ સ્પષ્ટ નથી. આધાર કાર્ડની યોજનાના ચાર વર્ષ પછી પણ એના બજેટથી લઈને એની વ્યવસ્થા સંબંધી કેટલા ય સવાલો અનુત્તર છે. દુનિયાભરમાં આવી યોજનાઓ પર બહુ વિરોધ અને વિવાદ થયા છે. માનવાધિકાર સંગઠનો આને લોકતંત્ર માટે જોખમી માને છે. અમેરિકાએ સુરક્ષા માટે થઈને આવી સખત યોજનાઓ બનાવી તે પછી પણ આતંકવાદ પર નિયંત્રણ આવી શક્યું નથી. સુરક્ષાનાં કારણોને આગળ ધરીને સરકાર પોતાના જ લોકોની જાસૂસી કરે એવી વ્યવસ્થા જ લોકોમાં અસુરક્ષા અને ભય પેદા કરવા પૂરતી છે. ભારતમાં રાજનૈતિક હેતુઓ માટે વિરોધીઓના ફોન ટેપ કરવાની ‘ગૌરવશાળી’ પરંપરા બહુ જૂની છે. તેવા સંજોગોમાં સત્તાધારી સરકાર ડી.એન.એ. પ્રોફાઇલિંગ હેઠળના વિશાળ ડેટાબેંકનો રાજકીય આશયથી ઉપયોગ કરે તેવી સંભાવના અસ્થાને નથી.

ભારતમાં આઇ.ટી. એક્ટ, 2008 હેઠળ શંકાના આધારે કોઈ પણ વ્યક્તિના ફોનને સીમિત સમય સુધી ટેપ કરી શકાય છે. મઝાની વાત એ છે કે બ્રિટિશ શાસનના સમયમાં બનાવાયેલા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટમાં આમ લોકોની પ્રાઇવસીની પૂરતી તકેદારી રખાઈ હતી. એ કાનૂન પ્રમાણે સુરક્ષા અથવા તો કટોકટી જેવી સ્થિતિમાં જ ફોનથી જાસૂસી કરી શકાતી હતી. 2008માં સુધારિત એક્ટ પ્રમાણે સરકાર હવે કોઈ પણ બાબતની તપાસમાં શંકા પડે તો ફોન ટેપ કરાવી શકે છે.

મશહૂર અમેરિકન લેખક એન રેન્ડે કહ્યું હતું કે સમાજ જ્યારે પ્રાઇવસી તરફ પ્રગતિ કરે ત્યારે એની સભ્યતા વધુ ઘનિષ્ઠ થતી જાય. સંગઠિત સમાજ અને જંગલી જીવનમાં આ જ તફાવત છે. જંગલમાં બધું જ સાર્વજનિક હોય છે. નિજતા, ગોપનીયતા અથવા પ્રાઇવસી એ સામાજિકતાની નિશાની છે. સરકાર, પછી તે ગમે તે પક્ષની હોય, હંમેશાં પોલીસ સ્ટેટના પક્ષમાં હોય છે જેમાં આમ લોકોની તમામ બાબતો પર સરકારની નજર કે નિયંત્રણ હોય. પ્રાઇવસીનો મતલબ એ કે વ્યક્તિ ખુદ નક્કી કરે કે કેટલી હદ સુધી એ પોતાને બીજી વ્યક્તિ સાથે વહેંચે અથવા શેર કરે. સરકારને જે રીતે લોકોના ડી.એન.એ.થી લઈને પરિવાર સુધીની માહિતી પોતાના નિયંત્રણમાં લેવા માગે છે તેમાં આપણે સાર્વજનિક, જંગલ જીવન તરફ આગળ વધતા હોઈએ તેવું લાગે છે.

e.mail : rj.goswami007@gmail.com

http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5092262-NOR.html

Loading

...102030...3,7583,7593,7603,761...3,7703,7803,790...

Search by

Opinion

  • એક સરકારી કર્મીનો પ્રેમપત્ર
  • બંધારણ – દેશનું દર્પણ, દેશની ઓળખ, દેશની શોભા  
  • નથુરામનું ‘હુતાત્મા’ પદ અને કુરુંદકરનો તર્ક
  • ‘ડિવાઈડ એન્ડ રુલ’ની શતરંજનાં પ્યાદાં ન બનીએ
  • ઝાંઝવાનાં જળ

Diaspora

  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved