
જયપુર, જાન્યુઆરી ૨૫, ૨૦૧૩
પ્રસિદ્ધ લેખિકા અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવીએ કહ્યું છે કે તે અમર રહેવા માગે છે, પરંતુ તેમની ઇચ્છા છે કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમના દેહને ગુજરાતની ધરતી પર દફનાવવામાં આવે. તેઓ એમ પણ ઇચ્છે છે કે તેમની કબર પર મહુડાનું ઝાડ ઉગાડવામાં આવે.
આ નરેન્દ્ર મોદીનું ગુજરાત નહીં પરંતુ ગુજરાતના આદિવાસીઓનો વિસ્તાર તેજગઢ છે. તેમણે એમ પણ કહ્યું કે આજના આધુનિક સમાજોએ આધુનિકતાના અસલી પાઠ રાજસ્થાન સહિત દેશના જુદા જુદા પ્રદેશોમાં રહેતા આદિવાસીઓ પાસેથી શીખવા જોઈએ કેમ કે તેમનામાં ભાગલા નથી.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ઉદ્ઘાટન ભાષણ બાદ ‘ભાસ્કર’ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું, ‘હું નથી ઇચ્છતી કે મને અગ્નિદાહ આપવામાં આવે. મને પશ્ચિમ બંગાળના પુરુલિયામાં દફનાવવામાં આવે તેમ ઇચ્છું છું. અગ્નિદાહ અને અસ્થિ વિસર્જનમાં મને વિશ્વાસ નથી પરંતુ પુરુલિયામાં અત્યંત જૂની માન્યતા ધરાવતા હિન્દુઓ વસે છે. તેઓ મને ત્યાં દફનાવવાની મંજુરી આપશે નહીં. માટે મેં નિર્ણય કર્યો છે કે મને ગુજરાતમાં દફનાવવામાં આવે. તેજગઢ વિસ્તારમાં જીએનદેવી ગણેશદેવી કામ કરે છે અને મેં આ વિસ્તાર પણ જોયો છે. આ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હું ઇચ્છું છું કે મને દફન કર્યા બાદ મારી કબર પર મહુડાનો છોડ લગાડવામાં આવે જે વૃક્ષ બનીને લહેરાયા કરે.’
[‘દિવ્ય ભાસ્કર’માંથી સાભાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 12
![]()


ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી પ્રવીણ દરજીને ઈ.સ. ૨૦૧૪નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થવાના પ્રસંગે મને સૌપ્રથમ યાદ આવે છે શ્રી રઘુવીર ચૌધરીના અમદાવાદ ખાતેના મહાદેવનગર સોસાયટીના નિવાસસ્થાને એક વાતચીતમાં ઉચ્ચારેલા શબ્દો : ‘તમારા અક્ષર પ્રવીણ દરજી જેવા જ છે.’ ત્યારથી પ્રવીણ દરજી પ્રત્યેનું મારું આકર્ષણ આરંભાયેલું, કારણ એટલું જ કે હું મારા અક્ષર માટે ભારે આકર્ષણ અનુભવતો હતો. પ્રવીણ દરજીના અક્ષરો જોવાનો પ્રસંગ તો હમણાં જ આવ્યો, પરંતુ તેમના ‘ચીસ’ કાવ્યસંગ્રહનું અવલોકન ‘ગ્રંથ’માં કરવાનું બન્યું હતું. તે સમયે તેમની અછાન્દસ અભિવ્યક્તિ આશાસ્પદ જણાઈ હતી.
એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું ગણી, લખી, વાંચી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી આવી નિશાળો બોમ્બે પ્રેસિડેન્સીનાં શહેરોમાં અને કેટલાંક ગામડાઓમાં ફેલાયેલી હતી. અલબત્ત, બીજી પચ્ચીસીની શરૂઆતથી ધીમે ધીમે બ્રિટીશ પદ્ધતિથી શિક્ષણ આપતી સ્કૂલોએ તેમનું સ્થાન લેવા માંડ્યું.
નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની આ મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઈ ત્યારથી ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું: પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ — ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ પારસી હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા. નવી કમિટીના સંચાલક મંડળમાં ૧૨ અંગ્રેજો ઉપરાંત ૧૨ દેશી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું. તેમાંના ચાર પારસી હતા: ફરામજી કાવસજી, હોરમસજી ધનજી, મુલ્લા ફિરોઝ, જમશેદજી જીજીભાઈ, ચાર હિંદુ હતા: દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, જગન્નાથ શંકરશેઠ, ધાકજી દાદાજી, અને ચાર મુસલમાન હતા: મુંબઈના કાજી, કાજી ગુલામ હુસેન, મોહમ્મદ અલી રોગે, મોહમ્મદ ઈબ્રાહીમ મકાબા. બે મંત્રીઓ પણ નીમવામાં આવ્યા જેમાંનો એક અંગ્રેજ અને એક હિંદુ હતો. આજે આપણને આ કોઈ બહુ મોટી વાત ન લાગે. પણ એ વખતે બીજા કેટલાક અંગ્રેજ અધિકારીઓએ દેશીઓને સંચાલનમાં સહભાગી બનાવવાના એલ્ફિન્સ્ટનના આ પગલાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. કારણ તેમને બીક હતી કે આ રીતે આજે આંગળી આપશું તો વખત જતાં દેશીઓ પોંચો પકડશે. પણ એલ્ફિન્સ્ટનનું દૃઢપણે માનવું હતું કે દેશીઓને સાથે રાખ્યા વગર શિક્ષણનું કામ થઈ શકશે નહિ. ૧૮૨૨ના ઓગસ્ટની ૨૧મી તારીખથી નવી સંસ્થા કમિટીમાંથી સોસાયટી બની અને માતૃસંસ્થાથી અલગ, સ્વતંત્ર રીતે કામ કરતી થઈ. ૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં તેણે આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં: (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) આપણે ત્યાં એક એવો ભ્રમ પ્રચલિત થયો છે કે ૧૮૫૯માં પ્રગટ થયેલાં હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો. પણ હકીકતમાં પહેલાં પાઠ્ય પુસ્તકો તો ૧૮૨૩ સુધીમાં પ્રગટ થયેલાં આ છ પુસ્તકો. તેવી જ રીતે સોસાયટીએ પાંચ મરાઠી પાઠ્ય પુસ્તકો પણ પ્રગટ કર્યાં હતાં તે પણ મરાઠી ભાષાનાં પહેલવહેલાં પાઠ્ય પુસ્તકો.