ઓ આઝાદ પંછી
તું બહુ જ દૂર ચાલી ગયું છે
જો હવે તને ગમતાં વૃક્ષમાં પાનખર આવી છે
હમણાં હમણાં વરસાદ બહુ ઓછો પડે છે
એટલે પાનખર બહુ લંબાઈ છે
જો તારા ગમતાં વૃક્ષમાં
કેટલીક લીલીછમ ડાળીઓ સુકાઈ ગઈ છે
ને હવે તારો બનાવેલો જૂનો માળો પણ વીંખાઈ ગયો છે
પેલી ડાળ પર રહેલી બખોલ હવે બિહામણી લાગે છે
તું એક દિવસ આવીશ
જરૂર આવીશ મારી પાસે એ વિશ્વાસ છે
પણ જ્યારે આવીશ ત્યારે તને વિસામો આપવા છાયો નહીં હોય
તને માળો બનાવવાં માટે ઘટ્ટ ઘટા નહીં હોય
જો અહીંથી પસાર થતાં રસ્તાઓ પાદર બની ગયા છે
સૂરજના તાપમાં ને અંધારી રાતમાં
એક સ્વપ્ન સૂનું પડ્યું છે ચંદ્રની ચાંદનીમાં.
તારી આંખોની તરસ
અને સુકાયું છે હૃદયનું તળાવ આ
તારા આકાશમાંથી જ્યારે તું આવીશ
તારા આ ગમતાં વૃક્ષને ઓળખી શકીશ ને?
ઓ આઝાદ પંછી
જો એક પણ પાંદડું નથી રાખ્યું મેં લીલુંછમ્મ
જે બાંધી શકે તને કોઈ આશાઓની ઊર્મિઓથી
મને ખબર છે
તું કલરવ કરીશ સૂનાં ને શૂન્ય મારા આકાશને ભરવા
પણ આ ભેંકારમાં એ પડઘાં જ રહી જશે
તારી આંખોમાં અનુભવ, યાદો અને અખૂટ સ્વપ્નો છે
તારું ગમતું વૃક્ષ એ ભાર નહીં સહી શકે,
ઓ આઝાદ પંછી
સમય થાય એ પહેલાં
તારા ગમતાં વૃક્ષનો ખાલીપો તારા હૃદયમાં ભરાય એ પહેલાં
તારે જવું પડશે કોઈ લીલાંછમ્મ પ્રદેશમાં …
Email : navyadarsh67@gmail.com
![]()


એ જ રીતે, ગુજરાતી સુગમ સંગીતમાં નિનુ મઝુમદારે લખેલું-કમ્પોઝ કરેલું ગીત રક્ષા કરો જગદંબા ભવાની રાગ ગુજરી તોડીનું ઉત્તમ ઉદાહરણ છે. સૂરજની સાખે રાગ તોડીના પ્રાત:સ્વરોને જોડી જોજો. એ અનુભૂતિ અવર્ણનીય બની રહેશે. સવાર એટલે તાજગી, શુદ્ધતા અને સાત્ત્વિકતાનું પ્રતીક. આ સાત્ત્વિકતા સવારના રાગોમાં વિશેષ પ્રતિબિંબિત થાય છે. પ્રાત:કાલીન રાગો આપણા ચિત્તમાં કંઈક એવા ભાવો જગાવે છે કે એ ભાવમાં જ સમાઇ જવાની ઈચ્છા થઈ આવે. પંખીઓનો કલરવ સંભળાતો હોય, ઠંડી તાજી હવા મનને પ્રફુલ્લિત કરી રહી હોય અને ચાની ચૂસકી સાથે સવારના રાગનું ભાવવાહી ભક્તિ ગીત બજી રહ્યું હોય તો ચિત્તની પ્રસન્નતા ચરમસીમાએ પહોંચી જાય. નૂતન વર્ષે મા જગદંબાની ઉપાસના કરી બસ, એટલું જ પ્રાર્થીએ કે, રક્ષા કરો હે મા જગદંબા ભવાની. વૈિશ્વક સ્તરે માહૌલ અસુરક્ષિતતાનો હોય, ડગલે ને પગલે અસલામતીની ભાવના કોરી ખાતી હોય એ સંજોગોમાં અંબામાની આરાધના મનને પરમ શાંતિ આપે. મા આપણાં જીવનમાં જ્ઞાનનો અજવાસ ફેલાવે, નીરક્ષીરનો વિવેક પારખવાની શક્તિ આપે એ જ પ્રાર્થના આપણે કરવાની છે.