1.
તારા શબ્દો
અને મારી સંવેદના
ત્યારે બને છે એક કવિતા.
પણ જ્યારે હું મૌન
ત્યારે તારી કલમ પણ મૌન
તો તારી સંવેદનાનું શું?
2.
મેં કહ્યું
ને તું સાંભળતો જ રહ્યો
અપનાવ્યો તે રસ્તો મારો
અને બનતો ગયો તું મારો
હું જરા તારા રસ્તા પરથી દૂર થઈ
અને થઈ ગઈ મૌન
ત્યારે
તારી ન કહેવાયેલી વાતોનું શું?
3.
બહુ જીદ્દી છું
અને નાદાન પણ
ક્યારેક ગુસ્સો કરી લઉં છું
તો ક્યારેક હદથી વધારે પ્રેમ
જ્યારે આવી છું તારી પાસે
તું મને ત્યાં જ મળ્યો છે
ક્ષિતિજની પેલે પાર સંધ્યાના રંગો વચ્ચે
હંમેશાં હસતો, આવકારતો
ત્યારે
તારી જિદ્દ તારી સમજદારીનું શું?
4.
હું ઉદયમાન ઉષા
તું ઢળતી સંધ્યા
ભૂલો કરતી,
અનુભવ લેતી
અને શીખતી
ક્યારેક કોમળ
તો ક્યારેક તપતી
તું અંધકારની જેમ હૂંફ આપતો જ રહ્યો
ત્યારે
ચંદ્રની શીતળતામાં દાઝતી તારી વેદનાનું શું?
5.
મારું તારા જીવનમાંથી જવું
સાવ સાધારણ ઘટના
તો પણ
તારા સ્વપ્નાંઓનું ડૂબી જવું
વિચારોનું તૂટી જવું
કલમનું રોકાઈ જવું
રસ્તાઓનું ભૂલાઈ જવું
જીવનનું દિશાવિહીન, ઉદ્દેશ્યવિહીન બની જવું
ત્યારે
તારા અસ્તિત્વનું છું?
Email : nayvadarsh67@gmail.com
![]()


ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ગાંધીજીઃ ભાગ-4
માતાની જેમ લેખા દિવ્યેશ્વરી પણ શિક્ષણમાં ઊંડો રસ ધરાવતી હતી. મેટ્રિક સુધી સાગરમાં શિક્ષણ મેળવ્યા બાદ તેણે આગળ અભ્યાસ માટે બહારગામ મોકલવી પડે તેમ હતી, પરંતુ મોસાળનું રાણા પરિવાર કુંવરીને શહેર જવા દેવા તૈયાર નહોતું. તેમને દહેશત હતી કે શહેરમાં ભણવા ગયેલી લેખા પોતાની માનાં પગલે ચાલી શકે, જે લેખા માટે હિતાવહ ન હતું. તેવામાં મોસાળની સદંતર નારાજગી વચ્ચે લેખાના પિતા મહેન્દ્રસિંહ સાગર આવીને લેખાને મુરતિયો બતાવવાના બહાને પોતાના ઘરે ઝાંસી લઈ ગયા. પરંતુ ઝાંસી જવું તો એક બહાનું હતું. તેઓએ લેખાને બનારસ લઈ જઈને ત્યાંની બેસન્ટ વિમેન્સ કોલેજ તથા હોસ્ટેલમાં પ્રવેશ અપાવી દીધો ! અને ત્યારબાદ લેખાના મોસાળિયાઓને સાચી વાતની જાણ કરી. આમ યુવતી લેખા દિવ્યેશ્વરીને નેપાળના રાજ ઘરાણાંના પરંપરાવાદી માહોલમાંથી બનારસના સ્વતંત્ર માહોલમાં આવીને વસવાનો મોકો મળ્યો.
અગિયારમી ડિસેમ્બરની સમાચારડમરી આછરી ગઈ છે. પૂર્વે વિશ્વનાથ પ્રતાપસિંહના ઉદય વેળાએ પરોઢના અંધારમાંથી પૉ ફાટવાનો જે ક્ષણજીવી સુખાનુભવ થયો હતો તે જાણે કે અનુભવાઈ રહ્યો છે. હિંદી પટ્ટામાં લાંબે ગાળે ત્રણ-ત્રણ સરકાર રચવાની પ્રક્રિયામાંથી કૉંગ્રેસ પસાર થઈ રહી છે. જગન અને જશન જો કે એટલાં સહેલાં નથી તે આ કલાકોની નેતૃત્વ-તાણથી સમજાઈ રહે છે. ગમે તેમ પણ. વિજય-પરાજ્યમાં સ્વલ્પ સરસાઈ છતાં કૉંગ્રેસમુક્ત ભારતનું મોદી-ભા.જ.પ.નું અમિત શાહે દીધેલ સૂત્ર આ કલાકોમાં વળતું દાંતિયું કરતું સંભળાય છે, અને સરસંઘચાલક મોહન ભાગવતે વિજ્ઞાનભવન વ્યાખ્યાનોમાં કૉંગ્રેસમુક્તિના નારા વિશે વ્યક્ત કરેલ નારાજગીનું લૉજિક કદાચ અણચિંતવી રીતે સામે આવી રહ્યું છે.