Opinion Magazine
Number of visits: 9684606
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં સુધી નદીના તટને ફરીથી પ્રાકૃતિક બનાવવામાં નહીં આવે …

‘એકોનોમિક ઍન્ડ પોલિટિકલ વીકલી’|Opinion - Opinion|2 September 2019

આ વર્ષે પૂરે મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળનાં લોકોનાં જીવન અને સંપત્તિનો જે વિનાશ વેર્યો છે, તે ગત વર્ષ કરતાં ઘણા મોટા પ્રમાણમાં છે. આ વખતે માત્ર પશ્ચિમઘાટના પર્વતીય પ્રદેશો જ નહીં, પરંતુ કર્ણાટકના શહેરી વિસ્તારો અને બેલાગવીની ફળદ્રુપ જમીન અને મહારાષ્ટ્રના કોલ્હાપુર, સતારા અને સાંગલી જિલ્લાઓમાં પણ ધોવાણ થયું હતું, કેટલાક વિસ્તારો પાણીમાં ૧૨-૧૫ ફૂટ નીચે ડૂબી ગયા હતા. અંદાજે ૭.૭ લાખ લોકો રાહતશિબિરોમાં છે અને ૧.૫ લાખ હૅક્ટર ઉત્પાદક ખેતીની જમીન તથા લાખો મકાનો ધરાશાયી થયાં છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને વાદળ ફાટવાની સાથે બિહાર, આસામ અને ગુજરાતમાં પણ આવો વિનાશ સર્જાયો છે.

જ્યારે ટૂંકા સમયમાં ભારે અને અવિરત વરસાદ હવે એક નિયમિત ઘટના બની રહી છે, ત્યારે ડેમનો ગેરવહીવટ અને જમીનનું અવક્ષય એ એવાં અન્ય બે પરિબળો છે, જેણે ભારતના વિવિધ ભાગોમાં વારંવાર પૂરના વલણની સ્થિતિમાં વધારો કર્યો છે. આ પરિબળોને કારણે જ ૨૦૧૩માં ઉત્તરાખંડ, ૨૦૧૫માં ચેન્નઇ, ૨૦૧૮ અને ૨૦૧૯માં કેરળ અને કર્ણાટક, અને ૨૦૦૫ અને ૨૦૧૯માં મહારાષ્ટ્રમાં ભારે પૂર આવ્યાં છે અને પરિસ્થિતિ બગડી છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ અને કેરળ રાજ્યની તમામ નદીઓ અને તેમની સહાયક નદીઓ ઉપર ડેમ બંધાયેલા છે. ત્યાં સત્તાવાળાઓ વચ્ચે ઝઘડો અને સંકલનના અભાવ તેમ જ મોડું પાણી છોડવાના અને એકાએક પાણી છોડવાના કારણે નીચેની નદીઓમાં ખતરો ઊભો થયો હોય તો પણ આ ક્ષેત્ર માટે જીવલેણ સાબિત થયું છે. કર્ણાટકમાં કૃષ્ણા નદી પર અલમત્તી ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડવાથી નીચેના વિસ્તારોને તો ડૂબી જવાનો ભય રહે જ છે, પરંતુ સમયસર પાણી છોડવામાં નિષ્ફળ જવાના પરિણામે મહારાષ્ટ્રના ઉપરી વિસ્તારો પણ ડૂબી ગયા હતા. ચોમાસાની મોસમ અને ભારે વરસાદની આગાહી હોવા છતાં, બેસિનના અન્ય ડેમો તેની સપાટી જાળવી શક્યા ન હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે, ચેતવણીઓ આપી દેવામાં આવી છે, કારણ કે એવો ભય છે કે કર્ણાટકના કાવેરી પરના ડેમોમાંથી પાણીનો નિકાલ નીચેના તમિલનાડુનાં જળાશયોને ઓવરફ્‌લો કરી દેશે.

‘ડેમસર્જિત’ પૂર લોકો પર અચાનક ત્રાટકે છે, તેમને અજાણતા જ પૂરની ઝપેટમાં જકડી લે છે અને તેમાં જેનાથી લોકો વધુ પરિચિત હોય છે, તેવા ‘લય’ કુદરતી પૂરનો કે ભય હોતો નથી. ઇન્ટરનલ ડિસ્પ્લેસમેન્ટ મૉનિટરિંગ સેન્ટર અનુસાર, ભારત એક એવો દેશ છે, જે આપત્તિ-વિસ્થાપનનું ઉચ્ચતમ સ્તર ધરાવે છે અને તેણે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૮ની વચ્ચે સરેરાશ ૩૬ લાખ લોકોને વિસ્થાપિત કર્યા છે, જેમાંથી મોટા ભાગનાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની સ્થિતિનાં કારણો હતા.

ભૂમિના ઉપયોગમાં માળખાકીય પરિવર્તન, જંગલવિસ્તારનું નિર્મૂલન, પર્વતના ઢોળાવનું કપાવું અને અવરોધિત પ્રવાહોને લીધે ગટર વાટે પાણીના નિકાલ માટેની જગ્યાઓ સંકોચાઈ રહી છે અને નદીઓ સૂકાઈ રહી છે, પરિણામે પશ્ચિમઘાટ અને હિમાલયનાં રાજ્યોમાં ભૂસ્ખલન અને પૂરની સ્થિતિ સર્જાય છે. આ કારણે શહેરી પૂરના કિસ્સાઓમાં પણ વધારો થયો છે અને તેનાથી શહેરમાં આવતા રહેવાસીઓ માટે વિનાશક પરિણામો પેદા થયાં છે. ભરાયેલી ખાડીઓના કારણે મુંબઈ ૨૦૧૮માં મહાનગરમાં વસઈ-વિરારમાં આવેલું પૂર તેનું એક ઉદાહરણ છે. તાજેતરમાં જ, થાણે જિલ્લાના ઉલ્હાસ નદીના પૂરનાં પાણીમાં ફસાયેલા આશરે ૧,૦૦૦ લોકોને કોલ્હાપુરની મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી બચાવી લેવાયા હતા, જેનો બફર ઝોન બિનઆયોજિત બાંધકામો દ્વારા પચાવી પાડવામાં આવ્યો છે. આ વર્ષે કેરળના પલક્કડની જે નદીને પ્લાસ્ટિકના કચરાથી ચૉક કરી નાખી હતી, તે નદીએ શહેરોમાં ફરી વળી એને પાછો ઠાલવી દીધો છે.

માળખાકીય હસ્તક્ષેપોને કારણે નદીઓને જમીન પર વહેવાની મંજૂરી મળતી નથી, રિયલ એસ્ટેટ પોતાનાં બાવડાંના બળે નદીઓ ઉપર કબજો જમાવી લે છે. ઍરપોર્ટ (જેમ કે કોચી, ચેન્નઈ, મુંબઈ અને આગામી નવી મુંબઈમાં) જેવાં નિર્ણાયક જાહેર માળખાકીય બાંધકામો નદીઓ માટે આવી કોઈ વિચારણા માટે જગ્યા છોડતાં નથી. વહેણવિસ્તાર પર કબજો, સમતળ તળાવો, મેન્ગ્રુવ, વેટલૅન્ડ્‌સ અને રિવરબેડ્‌સ જમીનમાં પાણીને શોષી લેવાની કુદરતી ગતિવિધિને અવરોધે છે અને તેથી ભારે વરસાદના પ્રભાવોને ઘટાડવામાં અવરોધ સર્જાય છે. વધુમાં આનાથી, જમીનની વધુ અધોગતિ અને ત્યાર બાદ દુષ્કાળની સ્થિતિનો માર્ગ મોકળો થાય છે.

નદીઓ અને જમીન પ્રત્યેનો આ પ્રકારનો અભિગમ – જ્યાં એવું માનવામાં આવે છે કે તેઓ ‘વિકાસ’ના હિતમાં લેવાય છે અને ઉપયોગમાં લેવાય છે – આપત્તિનાં કારણો પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી.

રાહત-પ્રવૃત્તિઓ સાથે કામ કરતી વખતે પણ, વધુ માનવીય અને સમન્વયવાદી અભિગમની આવશ્યકતા રહે છે, ખાસ કરીને અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવા અને રાજકારણીઓ દ્વારા ફૂડપૅકેટો પરનાં ‘સ્ટીકરયુદ્ધો’ને ધ્યાનમાં રાખીને આમ કહેવાની જરૂર પડી છે. બીજી બાજુ, કોલ્હાપુરમાં દુઃખ વ્યક્ત કરી રહેલા લોકો અને તેમના નુકસાન સાથે સંઘર્ષ કરી રહેલા લોકો પર ફોજદારી કાર્યવાહીની સંહિતાની કલમ ૧૪૪ લાદવામાં આવે છે. ઘણાં જીવ બચાવી શકાયાં હોત, પણ ખોખલી સહાયની રાહ જોયા પછી પાણીમાં વધારો થતાં, હતાશા અને ગભરાટ સાથે, સાંગલીના બ્રહ્મનાલ ગામે ફસાયેલા લોકો સ્વબચાવ માટે રિકટી મોટરબોટમાં બેઠા અને ભારથી ભરેલી નૌકા ડૂબી ગઈ, ૧૭ મરાયા! કોણ જવાબદાર?!

અધૂરામાં પૂરું વન, પર્યાવરણ અને ક્લાયમેટચેન્જ મંત્રીએ ક્લાયમેટચેન્જને પ્રલયનું કારણ ગણાવવા ઇન્કાર પર્યાવરણીય જોખમો અને કટોકટીઓ એક અનિશ્ચિત ગતિ, પ્રચંડતા અને વિકરાળતા સાથે પ્રગટ થઈ રહી છે, તેમ છતાં સંબંધિત સરકારી સંસ્થાઓ જૂનવાણી વિચારધારામાં ફસાયેલી હોય એવું લાગે છે. બેસિન-લેવલના આકર્ષક પ્લાન, કેચમેન્ટ્‌સનું ઇકો-રિસ્ટોરેશન અને ડ્રેનેજ-સિસ્ટમની જાળવણી ઠીક કરવાની તાતી જરૂરિયાત છે, પરંતુ ફક્ત વધુ ‘પ્રૅક્ટિકલ’ વ્યવસ્થાઓની તરફેણમાં તેની અવગણના કરવામાં આવી છે. પરંતુ અકસીર ઇલાજ તરીકે જ્યાં સુધી નદીના તટને ફરીથી પ્રાકૃતિક બનાવવા માટે પગલાં લેવામાં નહીં આવે, ત્યાં સુધી પૂરના સર્જનનું સંકટ કાયમ રહેશે.

(૧૭ ઑગસ્ટ, ૨૦૧૯)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14

Loading

પ્રકાશોત્સવ

'કૃષ્ણાદિત્ય'|Opinion - Opinion|2 September 2019

 

આગ્રહો અવશ્ય
પૂર્વગ્રહ નહીં,
કહેવું પડે તે કહેવું,
જે તરફ સહી;
વાચા અર્પવા પ્રયત્નશીલ સતત,
છેલ્લે ઊભેલ મૂક માનવી આહને,
સલામ એવા શબ્દને પ્રકાશનાર શાહને.

બોસ્ટન

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 14

Loading

ઘર

રમણીક અગ્રાવત|Poetry|2 September 2019

આ દુનિયા મને પસંદ નથી
… શું કરું, મારું ઘર આ ભૂમિમાં ઊગેલું છે
એક દિવસમાં તો નથી થયું ઘર
કોઈને ક્યાં એમ એકાએક ઘર મળે છે
મારા ઘરને ઘર બનતું મેં અનુભવ્યું છે
એક-એક ધબકારે તો ચણાયું છે,
મારા ઘરને ઘેરી લેતા રસ્તા ય કેવા જટાજૂટ છે
ઝેરીલા –
તો ય મને ગમે છે એ
વળીવળીને આવ્યો છું પાછો ઘર ભણી,
ઘુમાવી-થકાવીને એ પાછા મૂકી જાય મને મારે દરવાજે
હું ય કંઈ ઓછો નથી
ગાળો, બખાળા, ચીડ કાઢતો રહું છું રસ્તા ઉપર
સતત શંકાની નજરે એને ધિક્કાર્યા છે,
ચાહ્યા છે ભરપેટ
ઘરમાં રહ્યે-રહ્યે કેટલી ય વાર નાસી છૂટ્યો છું ક્યાં ય
બે-ત્રણ હજાર વરસ ઉપરે ય આમ કરેલું,
પાછો ‘ભિક્ષાંદેહિ’ કહી ઊભો રહ્યો હતો યશોધરાને આંગણે
ચૌદ-ચૌદ વરસ એ જ ઘર,
પાછળ પાછળ ભમ્યું છે, ભટક્યું છે, રઝળ્યું છે
પંચવટીમાં દંડકારણ્યમાં કિષ્કિંધામાં-રાક્ષસનગરીમાં
ન જાણે ક્યાં-ક્યાં
અરે આ જ હાથે બાળ્યું છે એને ખાંડવવનમાં મેં
જરાસંઘની ગદાથી ધ્વસ્ત થયેલા ઘરને,
ફરી ખડું થતું જોયું છે મેં દ્વારિકામાં
એટલે છેટે નથી જવું,
થોડાંક સો વરસો પહેલાં
ઘોડા હાથી, ઊંટો લાદી-લાદી, પોઠો ભરી-ભરી
અરબરણમાં લઈ જઈ રહેંસી નાખ્યું છે મેં મારા ઘરને
ઠાંસોઠાંસ વહાણોમાં, ઠાંસોઠાંસ આગબોટોમાં ખડકી,
ફેંદી મૂક્યું છે એને ઇંગ્લૅન્ડ યુરોપ સુધી
હજી નજીક અટવીએ ચડેલું આ રહ્યું એ ઘર
અમેરિકાની ક્રાંતિ સળગાવી ગઈ કોનાં કોનાં ઘર?
આફ્રિકામાં ગુલામીખતમાં લખાયાં કોનાં ઘર?
ભારતવિભાજનની કરવતથી વહેરાયાં કોનાં-કોનાં ઘર?
ઇરાકમાં, અફઘાનિસ્તાનમાં, શ્રીલંકામાં સળગાવાયાં કોનાં ઘર?
સિરિયાના તાંડવમાં રહેસાયાં કોનાં- કોનાં ઘર?
સ્થળ પર જઈ તપાસ કરનારને દરેક વખતે હણાયેલો મળ્યો
એકનો એક માણસ, એનો એ જ બધે.
એનો એ જ.
કેટલી વાર – કેટલી વાર હણાયો એકનો એક માણસ?
કેટલી વાર – કેટલી વાર હણાશે એકનો એક માણસ?
હળાહળ વાસ્તવમાં ક્યાં ય કરસનની ખોલી તૂટી જાય,
ક્યાં ય રહીમની ઝૂંપડી સળગી જાય,
ક્યાં ય નાનકની દુકાન લૂંટાઈ જાય
ક્યાં ય મામદની બકાલાંની નાની વાડી ભેળાઈ જાય,
ક્યાં ય બજરંગનો ખૂમચો ઝૂંટવાઈ જાય,
સરવાળે તો રસ્તા પર રહેનારને રસ્તો જ રહે નસીબ,
હણાઈ જાય કોઈના સપનાનું અમથું ઘર
જ્યાં એક ટુકડો આકાશ, થોડી મજરે ભૂમિ
અને પોતાનો શ્વાસ લેવાની મોકળાશ
જ્યાં નિરાંતની પલાંઠી વાળી શકાય, જ્યાં હાશમાં લંબાવી શકાય
એવું અદના આદમીનું ઘર
હણાતું રહે શસ્ત્રોથી, છળથી, પીડાથી આંસુથી, ઉદ્વેગથી, તર્કથી, ભ્રમથી
ભૂંસાતું રહે ઘર ફરીફરી
તો ય અનુભવાય ક્યારેક એ
અંદર, છાતીમાં ડાબી બાજુએ
સાક્ષાત્‌, દઝાડતું.

(૧૯૯૪માં લખાયેલું આ કાવ્ય થોડા સુધારાવધારા સાથે.)

૭, મુક્તાનંદ સોસાયટી,  નર્મદાનગર, જિ. ભરુચ, ૩૯૨ ૦૧૫.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2019; પૃ. 16

Loading

...102030...2,7352,7362,7372,738...2,7502,7602,770...

Search by

Opinion

  • એક ‘રાની પંખીડું’ જિતુભાઈ પ્ર. મહેતા
  • આગળ જુઓ, નહીં તો પાછળ રહી જશો : બેન્જામિન ફ્રેન્કલિન
  • રળિયામણું, રંગીલું રાજકોટ ???
  • માણસ કૂતરાને કરડે એવા વિચિત્ર સમાચારોનું આચમન
  • શિક્ષકો કૂતરાં ગણવાના હોય તો પણ, કૂતરાં શિક્ષકોને નહીં ગણકારે …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • મુખોમુખ
  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved