સંબંધોની એક ગૂંથેલી જાળ હવે તો તૂટી ગઈ,
મરી ગયું છે મચ્છ પાળ હવે તો તૂટી ગઈ.
રણની વચ્ચે દરિયાનું શબ એવું તરતું આવે,
વૃક્ષો તણાયાં જાય ભાળ હવે તો છૂટી ગઈ.
અંધારાની પીઠ પર બેસી અજવાળાને જુઓ કોઈ,
આગિયે ઝબક્યું આભ ફાળ હવે તો ફૂટી ગઈ.
તંબૂરાની તીણી તીણી સાંજને તો સુણો લ્યો,
છલબલતા એ હૈયાની લાળ હવે તો લૂંટી ગઈ.
લ્યો આ અમને આપી શકો તો આપો ક્ષણને,
ફુગ્ગો ફૂટ્યો હમણાં પાળ હવે તો તૂટી ગઈ.
e.mail : hbpandya1963@gmail.com
![]()


આવતી કાલે [05 સપ્ટેમ્બર] શિક્ષક દિન. એ દિવસે સુરતના સપૂત ભગવતીકુમાર શર્માની વિદાયને બે વર્ષ થશે. ચોર્યાસી વર્ષની જિંદગીમાં ૮૪ લાખ ફેરા જેટલું જીવ્યા હોય એટલું વિપુલ સર્જન અને પત્રકારત્વ ભગવતીભાઈએ કર્યું છે. હાઈસ્કૂલમાં હતા ત્યારે જ નબળી આંખોને કારણે ડોકટરે વાંચવા લખવાની મનાઈ ફરમાવેલી. આ જ વાત ‘અસૂર્યલોક’માં ડો. તાંજોરકર દ્વારા લેખકે નવલકથાના નાયક તિલક માટે પણ કહેવડાવી છે. કોઈને એમાં આત્મકથાના અંશો જણાય તો નવાઈ નહીં. બીજો કોઈ છોકરો હોત તો રડીને ખૂણે બેસી ગયો હોત, પણ ભગવતીભાઈ ૧૪ વર્ષની ઉંમરે ગાંધીજીની હત્યાથી વ્યથિત થઈને પહેલી કવિતા લખે છે.