અર્ધ ઉર્ધ્વ છું
નથી સમજાતું
કેમનો ફરું છું
સંપુર્ણ સમેટાયલું
બિન્દુ છું
નથી સમજાતું
કેમનો સર્વત્ર છું
અંદર નથી, બહાર નથી
ડગર નથી, ઘર નથી
પણ દ્વાર પર
અધ્ધર શ્વાસે અધ્ધર છું
આ કલશોરમાં
છતાંય લો
સંભળાય છે
છુટું સંગીત
રૉબિનનું, રૅનનું
સંગીતમય કાબર બ્લૅક બર્ડનું
e.mail : skylarkpublications@gmail.com
![]()


ગાંધીજીની આત્મકથામાંથી એ બાબત જાણવા મળે છે કે તેમને બાઇબલનો જૂનો કરાર મહત્ત્વનો લાગ્યો ન હતો, પરંતુ નવા કરારનો પ્રભાવ તેમના પર વિશેષ પડ્યો હતો. ખાસ કરીને તેમના પર મહાત્મા ઈશુના ગિરિ-પ્રવચનની ઊંડી છાપ પડી હતી. તેમના જ શબ્દોમાં, “જ્યારે ‘નવો કરાર’ વાચ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિ-પ્રવચનની ખૂબ જ સારી અસર થઈ. તે હૃદયમાં સોંસરું ઊતરી ગયું. બુદ્ધિએ ગીતા સાથે તેની સરખામણી કરી.”
ગાંધીજીના વિચારોથી જાણકાર વ્યક્તિને એ વાત તરત સમજાશે કે તેમના વિચાર ઈશુના વિચારોને ખૂબ મળતા આવે છે. તેમણે પણ સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, સાધનશુદ્ધિ, સેવા વગેરે પર કોઈ રીતે ઓછો ભાર નથી મૂકયો. તે સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારવાનો તેમણે ભરચક પ્રયત્ન કર્યો હતો. સંત પોલે ભાવનાને ખૂબ મહત્ત્વ આપ્યું હતું. તેમણે એમ કહ્યું છે કે શબ્દોને અક્ષરશઃ લેવાથી વિચારનો આત્મા હણાય છે. ગાંધીજી પણ એવું જ માનતા હતા. માટે જ તેમના વિચારોમાં ક્યાંક ઉપરછલ્લી રીતે જોતાં વિરોધાભાસ દેખાય છે, જો કે ખરેખર એવું નથી. ઈશુની જેમ તેઓ પણ ભાવનાની શુદ્ધિને ખૂબ મહત્ત્વ આપતા હતા. તેની સાથે જ, ગાંધીજીએ નીતિના આ સનાતન સિદ્ધાંતોનો અર્થ જમાનાને અનુરૂપ કર્યો અને તે મુજબ સમાજનો વિકાસ થાય તે માટે ‘સત્યાગ્રહ’ની પદ્ધતિનું નિર્માણ કર્યું.