આજની તારીખે
'ચાલો,
જીવનમાંથી એક વર્ષ
ઓછું થયું !'
એવી વાત કરવી
એ
તદ્દન બોગસ વાત છે.
જિંદગી એ કંઈ
બજાર ને વેપારની
જમા-ઉધારની
રૂપિયાબાજી છે ?
જ્યાં જમા જ નથી
ત્યાં ઉધારની કેવી તે
વાત ?
એનો એવો પણ
અર્થ નથી જ
કે
ભૂતકાળને જનાવરની
જેમ વાગોળ્યા કરવો.
"અમે નાનાં હતાં ત્યારે આમ હતું ને તેમ ન હતું ..
અમારાં જમાનામાં તો એવું હતું ને તેવું ન હતું ..
અમે જ્યારે જવાન હતા ત્યારે તો …"
આવો ભૂતકાળનો બકવાસ
એટલે પતી ગયાની, ખુદ ખતમ થઈ ગયાની વાત,
જાણે
પોતાની જ શોકસભામાં
માઈક ખેંચી
પોતે જ લાંબું ભાષણ
ઠોકવા જેવી વાત !
ખરેખર તો
બારી ખોલીને,
બહાર જોઈને,
પોતાની જાતને
એકાદ સવાલ પૂછવો ના જોઈએ કે
ગયા વર્ષે તેં શું કર્યું ?
પોતે જ પોતાની જાતને,
ખુદને સવાલ પૂછવો
એ મને મુશ્કેલ, અઘરી વાત લાગે છે
પણ
જન્મદિનની કેક
કાપવાથી ય
વિશેષ
આનંદ
ખુદને સવાલ પૂછવાથી
કદાચ મળી શકે,
એવું ખરું કે નહીં ?
08 ડિસેમ્બર 2018
![]()



ભારતના અંતિમ વાઇસરોયના પદે રહેલા માઉન્ટબેટનનું નામ હાલ ચર્ચામાં છે અને તેનું કારણ છે નેટફ્લિક્સ પર રજૂ થયેલી ‘ધ ક્રાઉન’ નામની સિરીઝ. આ સિરીઝ યુનાઇટેડ કિંગ્ડમના વર્તમાન ક્વિન એલિઝાબેથ બીજાનાં જીવન પર આધારિત છે. તેઓ છેલ્લાં સિત્તેર વર્ષથી આ પદે છે અને તેમના આ કાળમાં રાજવી પરિવારની કેટલીક ઘટનાઓ અંગે રહસ્ય રહ્યું છે. આ રહસ્યને ઉજાગર કરતી આ સિરીઝની પ્રથમ સિઝન 2016માં રજૂ થઈ હતી, હાલમાં તેની ચોથી સિઝન રિલીઝ થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝને નિર્માણ કરવાનું સાહસ જાણીતા પ્રોડ્યુસર-રાઇટર પિટર મોર્ગન લીધું છે અને તે માટે આધાર 2006માં રજૂ થયેલી ‘ધ ક્વિન’ ફિલ્મમાંથી લીધો છે. આ ફિલ્મના લેખક પણ તેઓ પોતે જ હતા. ‘ધ ક્રાઉન’ના ચાર સિઝનમાં 40 એપિસોડ રજૂ થઈ ચૂક્યા છે અને તેમાં એક હિસ્સો લોર્ડ માઉન્ટબેટનની હત્યા અંગેનો છે. લૂઇ માઉન્ટબેટનનું નામ ભારતના આઝાદીકાળના ઇતિહાસમાં અવારનવાર આવે છે. આઝાદી વખતે તેમની ભૂમિકા ચાવીરૂપ રહી હતી. અતિ ઘટનાપ્રચૂર આ સમયગાળામાં લૂઇ માઉન્ટબેટનની જે રીતે ઉપસ્થિતિ રહી છે, તે કારણે ભારતના વાઇસરોય તરીકે આપણી સ્મૃતિમાં એ છે. જો કે ભારત સિવાય માઉન્ટબેટનનાં જીવનની ભાગ્યે જ ચર્ચા થઈ છે. ‘ધ ક્રાઉન’ સિરીઝ દ્વારા હાલમાં માઉન્ટબેટનના હત્યા વિશે પ્રશ્નો થઈ રહ્યા છે. માઉન્ટબેટનનું જીવન અને તેમની સાથે સંકળાયેલા વિવાદોની યાદી લાંબી છે. ઉપરાંત, તેમની હત્યાને લઈને પણ તર્કવિતર્ક છે.