જંગલમાંથી રસ્તો ગયો
રસ્તા પરથી લોકો ગયા
રસ્તાના કિનારે શહેર વસ્યું
દિવસ, મહિનો, વર્ષો વિત્યાં
ધીરે ધીરે જંગલ જવા લાગ્યું
પછી શહેરમાં પૂર આવ્યું
પ્રગતિને વહાવી ગયું
પરિવર્તનની તિરાડોમાંથી હવે
જંગલ ફરી ડોક્યું કરી રહ્યું છે
એની જમીન પાછી માગી રહ્યું છે.
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()





આ શહેરમાં વિવિધ જગ્યાએ કાંસ્ય શિલ્પો, ભીંતચિત્રો દ્વારા ઓમાહાના ઇતિહાસ, સંસ્કૃતિ અને સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ‘Omaha Public Art Displays’ શિલ્પકળાની દૃષ્ટિએ અદ્દભુત છે. કાંસ્યના આ શિલ્પોમાં ચાર અગ્રણી પરિવારો અને તેના ઢંકાયેલા વેગન છે જે ઓમાહાથી પશ્ચિમ તરફ સૂકી ખાડી પર રવાના થઈ રહ્યા છે તે રીતે દર્શાવેલ છે. મૂળનિવાસી મોર્મોન્સ સાથે ભેદભાવ કરવામાં આવ્યો હતો અને તેમને પશ્ચિમમાં ઉટાહ ખસેડવામાં આવ્યા હતા. તે ઘટનાને આ શિલ્પો જીવંત કરે છે. તેમની હિંમત અને ભાવનાને ઉજાગર કરે છે કારણ કે તેઓ અજાણી જગ્યાએ જાય છે અને તેમનાં સપનાં અને આકાંક્ષાઓ સિવાય તેમની સાથે બીજું કંઈ નથી. પશ્ચિમ તરફ મુસાફરી કરતા પરિવારો તેમની સાથે વ્યક્તિગત સંપત્તિ લાવ્યા ન હતા કેમ કે આવી વસ્તુઓ સ્થળાંતર સમયે સાથે લઈ જવી શક્ય નહોતી. મોટા ભાગના લોકો રસ્તા પર ચાલતા હતા, વેગનમાં પુરવઠો અને સાધનો હતાં. મહિલાઓ બાળકો સાથે ચાલતી હતી. 1800ના દાયકાના મધ્યમાં મોર્મોન્સ સમુદાયનું જીવન કેવું હશે, જ્યારે પરિવારો નવી જગ્યાએ નવા જીવનની તક માટે પોતે મૂળ સોતા ઉખડી જતા હતા. આ શિલ્પો એવી રીતે ગોઠવ્યા છે કે મુલાકાતીઓ ચાલતા ચાલતા મોર્મોન્સ સમુદાયના સ્થળાંતરની કલ્પના કરી શકે છે.