Opinion Magazine
Number of visits: 9663812
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્મૃતિમાં  છલકાયું

મનીષી જાની|Opinion - Opinion|4 August 2025

દેશ-દુનિયાના મિત્રો જેમને અચ્યુત યાજ્ઞિક તરીકે ઓળખે છે તે અમારા પરિવારના જયેન્દ્રભાઈ. 4થી ઓગસ્ટે તેમની વિદાયને બે વર્ષ થયાં. ઘણું ઘણું યાદ આવે છે. છેલ્લે મારે 2જી ઓગસ્ટે (2023) વાત થઈ હતી. મારી તબિયતના સમાચાર પૂછવા મને ફોન કર્યો હતો.

અમને સૌ પરિવારજનોને માહિતી અને જ્ઞાનનાં બારી-બારણાં ઉઘાડવામાં વિશેષ આપ્યું છે.

પણ તે ઉપરાંત આજે યાદ કરવા બેસું છું તો કેટકેટલી વ્યક્તિઓનાં જીવનને સમૃદ્ધ કરવા તેમણે ઉદ્દિપક જેવું કામ કર્યું છે તે નજર સામે દેખાવા માંડે છે ….

કંઈ કેટલા ય પત્રકારો, અમદાવાદના તો ખરા જ પણ દેશ વિદેશના ‘સેતુ’ની ઓફિસમાં તેમની કેબિનમાં અડ્ડો જમાવીને બેસતાં અને ગુજરાતના સામાજિક-આર્થિક, સાંસ્કૃતિક પ્રવાહો વિશેની ચર્ચા-વિમર્શ કરી કશુંક મેળવતા.

વ્યક્તિઓની વાત કરીએ તો પ્રા. શાલિની રાંદેરિયાની.એચ.ડી. કરતાં ત્યારથી જાણે કે સેતુ એમનું અમદાવાદમાં બીજું ઘર હતું … સાબરકાંઠામાં તેમણે ઘનિષ્ઠ સંશોધનકાર્ય કર્યું. આજે જીનીવા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરના હોદ્દા સુધી પહોંચ્યાં. પ્રા. સુજાતા પટેલે પણ અમદાવાદમાં સેતુમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગ-કામદારો વિશે નોંધપાત્ર સંશોધનકાર્ય કર્યું. બેલા ભાટિયા … આજે જાનના જોખમે દેશના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓ સાથે એકાકાર થઈ રહેતાં અને તેમનાં અધિકારો માટે સતત સંઘર્ષશીલ, ટીસમાં તેજસ્વી વિદ્યાર્થી રહેલાં સૌથી પહેલાં સેતુમાં રહી સાબરકાંઠાની બહેનો સાથે ઘણું બધું જાગૃતિનું કાર્ય કર્યું હતું. દેશ પરદેશમાં રહી પી.એચ.ડી કરતાં કે રિસર્ચ કરતા અને અચ્યુતભાઈ સાથે માર્ગદર્શન મેળવતાઓની યાદી ઘણી લાંબી છે …. ગુજરાતનાં આંદોલનો વિશે પુસ્તક લખનાર ડો. વર્ષા ભગત ગાંગુલીએ પણ વર્ષો લગી કામ કર્યું.

ખાસ વાત એ છે કે અચ્યુતભાઈના મહારાષ્ટ્રના સમાજવાદી મિત્ર માધવ સાઠેને કારણે મેધા પાટકર અમદાવાદમાં સેતુમાં સામાજિકકાર્ય કરવા જોડાયાં … અને અમારા પરિવારના સદસ્ય જેવાં બની રહ્યાં. 1981 પછી અમારા જેવા મિત્રો નર્મદા ડેમને કારણે વિસ્થાપિત થનારા આદિવાસીઓની જમીનના બદલામાં જમીન લડત જે આર્ચ વાહિની સંગઠને કર્મશીલ ફાધર જોસેફની સાથે રહી શરૂ કરી હતી તેમાં જોડાયા … એ પછી સેતુ સંસ્થાએ પણ 1984માં નક્કી કર્યું કે આ લડત મહારાષ્ટ્રમાં પણ શરૂ કરવી જોઈએ અને સેતુમાંથી એ કામ મેધાને સોંપાયું.

નર્મદાની પેલે પાર મેધા ગામડાં ખૂંદતા રહ્યાં … લોકોને સંગઠિત કર્યાં .. અને નર્મદા બચાવો આંદોલનનો એક ઇતિહાસ રચ્યો, એ આપણે સૌ કોઈ જાણીએ છીએ ….

અચ્યુતભાઈ 1981પૂર્વે પત્રકાર હતા ને પ્રેસ કામદારોના યુનિયનના સક્રિય આગેવાન તરીકે ય ઘણા બધાને મદદરૂપ બનતા રહ્યા હતા. મને યાદ છે 1975 બાદ તેમના યુવાસાથી પત્રકાર ધીરેન અવાશિયાએ ‘ગુજરાત સમાચાર’ છોડ્યું ત્યારે દિલ્હીના તેમના જૂના મિત્ર અને ખેડા કોમ્યુનિકેશન પ્રોજેક્ટ(પીજ ટી.વી.)ના કાર્યક્રમ નિર્માતાની મદદથી કાર્યક્રમ સહાયક તરીકેની કામગીરી અપાવડાવી અને પ્રિન્ટ માધ્યમમાંથી ધીરેનભાઈ ટી.વી. માધ્યમમાં પહોંચ્યા .. ને આગળ જતા તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં ડેવલપમેન્ટ કોમ્યુનિકેશનનો અનુસ્નાતક કક્ષાનો મહત્ત્વનો કોર્સ ઊભો કરવામાં પાયાનું કામ કર્યું.

આ જ કોર્સમાં અભ્યાસ અને અચ્યુતભાઈના માર્ગદર્શન માં સંશોધનકાર્ય પૂર્ણ કરનારા ધીમંત પુરોહિતનું નામ ‘આજ તક’ ટી.વી. ચેનલ આરંભ કરનાર તેમના પરમમિત્ર એસ.પી. સીંગને સૂચવ્યું હતું એ પણ મને યાદ આવે છે …

પરિવારજનો વચ્ચે અચ્યુતભાઈ .. જૂન 2023 .. તસવીર સૌજન્ય : સમીર પાઠક

સૌથી મહત્ત્વની વાત એ છે કે અચ્યુતભાઈ જે માનતા એવું જ જીવતા .. કોઈ પણ સંસ્થાના ટ્રસ્ટમાં પરિવાદવાદ નહીં જ ચાલવો જોઈએ, એવું તેઓ દૃઢ પણે માનતા … સેતુ સંસ્થામાં ક્યારે ય કોઈ ટ્રસ્ટીના દીકરા, દીકરી કે ભાઈ ભત્રીજાઓને રખાયાં નથી. સેતુ સંસ્થાના ટ્રસ્ટીઓ તરીકે દલિત પેન્થર્સના અધ્યક્ષ ડો. રમેશચંન્દ્ર પરમાર અને આદિવાસી એકતા પરિષદના અશોક ચૌધરી રહી ચૂક્યા છે …

અને સૌથી ગૌરવની વાત એ છે કે એસ.એ.સી. પાસ કરીને ભિલોડાથી આચાર્ય ભાનુભાઇ અધ્વર્યુની આંગળી પકડીને અમદાવાદ આવેલા અશોક શ્રીમાળી વર્ષોથી સેતુમાં કાર્યરત છે … અને સેતુનો તમામ ભાર સંસ્થાના મંત્રી તરીકે ઘણાં વર્ષોથી તેમણે ઉપાડી લીધો છે … દેશ વિદેશમાં અનેકાનેક પ્રવૃત્તિઓ, સેમિનારોમાં ભાગ લઈ સાવ છેવાડાના લોકોનું જીવન કેવી રીતે બહેતર બને અને તેમના અધિકારો માટેના સંઘર્ષો માં મદદરૂપ બનવાની ભૂમિકા તેઓ ભજવી રહ્યા છે … અચ્યુતભાઈએ ઊભી કરેલી પરંપરાઓને આગળ ધપાવી રહ્યા છે એ વિશેષ આનંદની વાત છે …

આ ક્ષણે જેટલું સ્મૃતિમાં  છલકાયું એ અહીં નોંધ્યું છે … લખવાનું તો ઘણું બધું …!

અચ્યુતભાઈને સ્મૃતિ સલામ!

સૌજન્ય : મનીષીભાઈ જાનીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

इस चुनाव में आप हिस्सा क्यों ले रहे हैं श्रीमान ! 

कुमार प्रशांत|Opinion - Opinion|4 August 2025

कुमार प्रशांत

बिहार के बहाने जो चुनाव आयोग सारे देश को धमका रहा है, हमारा सर्वोच्च न्यायालय उसे गुदगुदा रहा है; और हमारे राजनीतिक दल चुटकुले सुना रहे हैं. यह बड़ी पतित घड़ी है.

बिहार में चुनाव आयोग की सक्रियता ऐसी है कि वह किसी भी राजनीतिक दल को शर्मिंदा कर दे; किसी भी सरकारी विभाग को ईर्ष्या से भर दे. सरकारी अधिकारी ऐसी ताबड़तोड़ गति से काम करते या तो नोटबंदी के वक्त मिले थे या अब वोटबंदी का काम करते मिल रहे हैं. होगा क्या, कोई नहीं जानता लेकिन सब ऐसी मुद्रा धारे हैं मानो सारे ही डोनल्ड ट्रंप से ट्यूशन ले कर आए हैं.

चुनाव की गंध हवा में घुली नहीं कि राजनीतिक दलों के मुंह में लार घुलने लगती है. चुनाव की यही गली तो है जो सत्ता तक अथवा सत्ता पाने के ख्याली सुख तक उन्हें ले जाती है. पक्ष-विपक्ष का विभाजन एक अलग स्तर पर है लेकिन सत्ता व सत्ताकांक्षी के बीच खास बड़ा कोई विभाजन नहीं है. मिला-जुला मामला है. बकौल दुष्यंत कुमार :

पक्ष औ’  प्रतिपक्ष संसद में मुखर हैं 

बात इतनी है कि कोई पुल बना है 

यही पुल है जिससे ये राजनीतिक लोग इधर-से-उधर या उधर-से-इधर आते-जाते हैं और ऐसे आराम से कि पुल पर आत्मा का कोई भार भी नहीं पड़ता ! जब इधर थे तब जो बोलते थे उसका कोई नैतिक मूल्य नहीं था, अब उधर से जो बोलते हैं उसकी कोई नैतिक भित्ति नहीं है. फिर बोलने वाला कोई श्रीमंत सिंधिया हो कि कोई निशिकांत दुबे. इसलिए मतदाता यदि इनको अलग-अलग पहचानने से मना कर देता है तो वह उसके अज्ञान का नहीं, उसकी अदृश्य समझदारी की गवाही है.

चुनाव के नाम से ही जो लार इन सबके मुंह में घुलने लगती है, वह धीमे-धीमे जहर की तरह जनता -मतदाता- की रगों में उतरने लगती है. जहर फैलता जाता है. तब पुल पर आवाजाही करते पक्ष-विपक्ष के ये ही लोग, मौका व अपनी स्थिति देख कर समवेत हुआं-हुआं करने लगते हैं कि समाज अनैतिक हो गया है, उसे लोकतंत्र, संविधान, सांप्रदायिक सद्भाव आदि से कोई मतलब नहीं रह गया है. अब यह भी कहा जा रहा है कि लोगों पर हिंदू वर्चस्व का नशा ऐसा चढ़ा है कि वे दूसरा सब कुछ भूल बैठे हैं. बार-बार संविधान की कसमें उठाने व शोर मचाने वाले कौन हैं ये लोग ? जो अभी तक विपक्षी दलों में हैं और नरेंद्र मोदी व भारतीय जनता पार्टी का मुकाबला करने में जिनका दम फूला जा रहा है, वे सबसे मुखर हैं. फिर वे भी हैं जो जनता से एकदम कटे, तथाकथित बुद्धिवादी गिरोह के सदस्य हैं. इनका पिछला इतिहास देखेंगे आप तो पाएंगे कि राजनीतिक-सामाजिक नैतिकता, समता-समानता के संघर्ष, लोकतंत्र, संविधान, सांप्रदायिक सद्भाव आदि के प्रयासों से इन सबका दूर का नाता भी नहीं रहा है.

लोकविहीन लोकतंत्र की यह त्रासदी सारी दुनिया में एक-सी है. कहीं यूक्रेन में, कहीं गजा में, कहीं कंबोडिया में, कहीं भारत-पाक के बीच में, कहीं ईरान में यानी ग्लोब में जहां-जहां आज गहरे जख्म नजर आ रहे हैं, उन सबके पीछे लोकविहीन लोकतंत्र का दानव अट्टहास कर रहा है. लेकिन अभी मैं बात तो बिहार में मतदाता परीक्षण के बहाने नागरिकता की की जा रही गहरी पड़ताल की कर रहा हूं . यह संविधान को एकदम उलट देने वाली बात है. संविधान कहता है कि नागरिक अपनी सरकार का चुनाव करेंगे; चुनाव आयोग कह रहा है कि सरकार अपने नागरिक का चुनाव करेगी और चुनाव आयोग इस पुनीत कार्य में सरकार का एजेंट बनेगा.

दो सवाल हैं : मतदाता सूची में यदि अपात्र घुस गए हैं तो जवाबदेह कौन है ? मतदाता सूची बनाने, सुधारने, संवारने का काम हमारे संविधान ने सिर्फ चुनाव आयोग को दे रखा है. जो आपका एकाधिकार है, उसे पूरा करने में आप विफल रहे हैं, तो उसकी सजा सामूहिक तौर पर मतदाताओं को कैसे देंगे आप ? सजा तो आपको -चुनाव आयोग को – मिलनी चाहिए – तुरंत व आज ही मिलनी चाहिए. मतदाता सूची को अद्यतन व पात्रसम्मत बनाए रखने की संवैधानिक जिम्मेवारी के निर्वाह में आप विफल हुए हैं, तो पद से हटिए. नये चुनाव आयोग का गठन होना चाहिए. ऐसा करने के बजाए आप मतदाता को उसके अधिकार से वंचित कैसे कर सकते हैं ? वह संविधान का जनक भी है और हमारे चुनावी तंत्र का आधार भी. उसे खारिज कौन कर सकता है ? आप ? आपकी औकात इस मतदाता की वजह से ही है, यह भी भूल गए आप ?

अदालत ने कहा: आप बड़े पैमाने पर नाम काटेंगे तो हम दखल देंगे. अरे भाई अदालत, एक का नाम भी कटा तो लोकतंत्र कटा न ! क्या अदालत यह कहना चाहती है कि एक के साथ अन्याय हो तो वह मुंह फेर लेगी ? फिर तो वह अदालत नहीं, सरकारी महकमा हो जाएगा. संविधान ने अदालत को निर्देश दे रखा है कि एक-एक मतदाता के मतदान के अधिकार के संरक्षण की पहरेदारी आपको करनी है. मी लॉर्ड, यह मतदाता आपके जीवन-यापन का बोझ इसी कारण ढोता रहता है.

दूसरा सवाल यह है कि यह मतदाता पैदा कहां से होता है ? क्या कोई सरकार मतदाता पैदा करती है ? नहीं, मतदाता की हमारी यह हैसियत संविधानप्रदत्त है. भारत में जनमा हर व्यक्ति वयस्क होते ही भारत का मतदाता बन जाता है. आवेदन भी नहीं करना पड़ता है. किन कारणों से ऐसी स्वाभाविक नागरिकता संभव नहीं है, यह भी संविधान ने बता रखा है. संविधान ने यह भी बता रखा है कि जो भारत में नहीं जनमा है, विदेशी है, यदि वह चाहे तो वह भी भारत की नागरिकता के लिए आवेदन कर सकता है. उसकी नागरिकता की अर्जी को सरकार मनमाना खारिज नहीं कर सकती है. उसे इंकार के कारण बताने होंगे. मतलब सीधा व साफ है कि हमारी नागरिकता का कोई नाता सरकार से नहीं है. लेकिन आप सरकार में हैं,  इसका सीधा नाता मतदाता से है. वह जब चाहे आपको वहां से हटा सकता है. न हटाए तो भी आपकी अधिक-से-अधिक वैधानिक उम्र 5 साल की ही है. आगे के लिए आपकी अर्जी वह खारिज करे कि कबूल, यह मतदाता पर है. ऐसी मजबूत संवैधानिक हैसियत जिस मतदाता की है, उसकी नागरिकता की जांच आप करेंगे ! नागरिकता हमारा अधिकार है, आपकी अनुकंपा नहीं.

सर्वोच्च न्यायालय इस अयोग्य व अक्षम चुनाव आयोग को बर्खास्त करे ( मैं राहुल गांधी की तरह इसे ‘वोट-चोर’ अभी नहीं कह रहा हूं ) तथा नये चुनाव आयोग की चयन की प्रक्रिया घोषित करे. उस आधार पर नया चुनाव आयोग गठित हो जो अदालत के सामने वे सारे तथ्य रखे कि जिस आधार पर वह मतदाता सूची की गहन समीक्षा करना चाहता है. उसका कैलेंडर बने जो किसी चुनाव से टकराता न हो. तब जा कर यह कसरत शुरू होनी चाहिए.

सरकार ने हमारे अरबों रुपये फूंक कर, हमें मजबूर कर, आधार कार्ड बनवाया. नंदन नीलकेणी क्यों चूहे-से अब किसी बिल में छिपे बैठे हैं जबकि वे इसे ‘क्रांतिकारी अक्षय कार्ड’ कहते थे और हमें समझाते थे कि यह एक कार्ड  भारतीय नागरिक की तमाम पहचान का प्रमाण होगा ? चुनाव आयोग कह रहा है कि यह रद्दी कार्ड है. तो नंदन नीलकेणी बाहर आकर हमारे साथ खड़े हों और हमारी आवाज में आवाज मिला कर पूछें कि हमारे अरबों रुपये कौन वापस करेगा ? कार्ड बनवाने के लिए हमें जबरन जिस जहालत में डाला गया, उसका जिम्मेवार कौन है ? हमारे करोड़ों रुपये खर्च कर चुनाव आयोग के तब के आका शेषण साहब ने मतदाता कार्ड बनवाया था. अगर वह भी रद्दी का टुकड़ा है तो हमारे वे पैसे भी वापस करें आप ! सरकार को या चुनाव आयोग को यह अधिकार किसने दिया कि आप हमारे ही पैसों से मनमानी करें और हमें ही कठघरे में खड़ा करें ? जाति प्रमाण-पत्र, मनरेगा प्रमाण-पत्र आदि सब आपके ही सरकारी कागजात हैं. इन सबकी कोई वकत नहीं ? वैसे यह बात तो है ही कि जब आपके नोट की कोई वकत नहीं तो कार्ड की क्या होगी! याद है न कि यह अदालत भी नोटबंदी के सवाल पर मुंह बंद कर बैठ गई थी ? अचानक नहीं, गिराते-गिराते आपने हमारे लोकतंत्र इस मुकाम पर पहुंचाया है.

ऐसे में सरकारों को भी, चुनाव आयोग को भी, अदालतों को भी तथा इन तमाम छुटभैय्यों को भी यह अहसास कराने की जरूरत है कि मतदाता आपके खिलाफ सत्याग्रह पर उतरने को तैयार हो रहा है. यह सच है कि मतदाता संगठित नहीं है. वह परेशान होता है लेकिन एक आवाज में बोल नहीं पाता है, सामूहिक कार्रवाई नहीं कर पाता है. वह मतदान कर अपना फैसला देता है लेकिन उसके मतों का ऐसा विभाजन हो जाता है कि वह उसकी सामूहिक अभिव्यक्ति का प्रमाण नहीं बन पाता है. गांधी से ले कर जयप्रकाश तक लोकतंत्र में मतदाता की स्थायी संगठित उपस्थिति का रास्ता खोजते व सुझाते रहे लेकिन वह अभिक्रम अभी अधूरा है.

लेकिन मैं समझ नहीं पा रहा हूं कि गरीब-कमजोर, अनपढ़ या निरक्षर लाखों-लाख मतदाताओं को चुनाव आयोग ने बिहार में जैसी परेशानी में डाल रखा है, उन्हें अपमानित कर रहा है, जिस तरह उसने मतदाताओं की तरफ से अपने आंख-कान-नाक सब बंद के लिए हैं, उसके बाद भी हमारा विपक्ष चुनाव लड़ने पर इस तरह आमादा क्यों है ? वह बिहार के नागरिकों की मदद करेगा, बिहार के बाद जिन राज्यों की तरफ सरकार की कुदृष्टि है, उन राज्यों के नागरिकों की मदद करेगा, वह अदालत की मदद करेगा यदि वह आज की स्थिति में चुनाव लड़ने से मना कर देगा.

हमारे विपक्ष की लज्जाजनक स्थिति यह है कि वह शासकों की रद्दी कार्बन कॉपी बन कर रह गया है. वह अपना कोई अलग चरित्र न बना पा रहा है, न दिखा पा रहा है. वह जनता की बनाईं खिंचड़ी खाना तो खूब चाहता है, अपनी खिंचड़ी बनाने का अभिक्रम नहीं करना चाहता है. मुझे याद आता है कि संपूर्ण क्रांति के अपने आंदोलन में हमने जब बिहार की विधानसभा को भंग करने की मांग की थी तब कांग्रेस व सीपीआई को छोड़ कर सारा विपक्ष हमारे साथ आ खड़ा हुआ था लेकिन जैसे ही लोकनायक जयप्रकाश ने विपक्ष के विधायकों से विधायकी छोड़ने का आह्वान किया, सबको सांप सूंघ गया था. बमुश्किल दो-ढाई दर्जन विधायकों ने इस्तीफा दिया था. इस सवाल पर सारे दलों में विभाजन हो गया था. विपक्ष खुद को कसौटी पर चढ़ाने से बचता है. वह चाहता है कि मतदाता उसके हिस्से की लड़ाई लड़ें, उसके लिए प्रचार की मार-काट करें, उसके लिए वोट डालें और वह तभी बाहर निकले जब उसके गले में जीत का जयमाल हो.

नहीं, अब देश का लोकतंत्र उस मुकाम पर खड़ा है कि विपक्ष को हिम्मत के साथ अपने मतदाता के साथ खड़ा होना होगा. विपक्ष को यह घोषणा करनी चाहिए कि मतदाता सूची का यह परीक्षण जारी रहा तो वह चुनाव में शरीक नहीं होगा. अदालत अपनी कार्रवाई करे इससे पहले उसके सामने यह नई स्थिति भी खड़ी कर देनी चाहिए कि बिहार का सारा विपक्ष चुनाव में हिस्सा नहीं लेने का निर्णय किए बैठा है. यदि न्यायपालिका विपक्षविहीन चुनाव की तरफदारी करना चाहे तो करे, यह वोट-सत्याग्रह वापस नहीं लिया जाएगा. अब फैसला न्यायपालिका को करना है.

संविधान भले न कहता हो कि विपक्षविहीन चुनाव की स्थिति में क्या करना चाहिए, नैतिकता कहती है कि ऐसा चुनाव अर्थहीन हो जाएगा. इसलिए जिस परिस्थिति की कल्पना संविधान ने नहीं की, सुप्रीम कोर्ट को उस बारे में निर्देश देना है. यही वह काम है जो सुप्रीम कोर्ट ने राष्ट्रपति-राज्यपाल द्वारा अनिश्चित काल के लिए राज्य सरकारों के विधयकों को रोकने के संदर्भ में किया है. इस बारे में संविधान में लिखा कुछ नहीं है लेकिन संविधान बोलता स्पष्ट है. संविधान की उस आवाज़ को सुप्रीम कोर्ट ने साफ किया है. इसके लिए ही तो हमने सुप्रीम कोर्ट बना रखा है. इसलिए अदालत भी कसौटी पर है, चुनाव आयोग भी, सरकार भी और विपक्ष भी. आज बिहार में चुनाव आयोग जो कर रहा है उस खेल में जो भी शामिल होगा, वह जीत कर भी वैसे ही हार जाएगा जैसे महाभारत में सब हारे थे. यह याद रखने की जरूरत हैं कि नैतिक हथियार कभी खाली नहीं जाता है. 

(03.08.2025) 
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

બાળપણમાં ‘દંડો’ કહીને મજાક થઇ, દુનિયામાં ટર્બન ટોર્નેડો તરીકે મશહૂર થયો

રાજ ગોસ્વામી|Opinion - Opinion|4 August 2025

રાજ ગોસ્વામી

અંગ્રેજીમાં એક પ્રચલિત કહેવત છે : Age is just a number. તેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિની ક્ષમતાઓને તેની ઉંમર સાથે સંબંધ નથી. તેનું શરીર ગમે તેટલું ઉંમરવાળું હોય, તેનું દિલ અને દિમાગ એટલું જ યુવાન, એટલું જ સક્રિય અને એટલું જ સર્જનાત્મક હોય છે જેટલી તેની દૃઢતા અને ધૈર્ય હોય છે. ઉંમર ફકત એક નંબર છે અને તે વ્યક્તિના અનુભવો, ક્ષમતાઓ અને સપનાને સીમિત નથી કરતી. પ્રસિદ્ધ ઇંગ્લિશ વ્યંગકાર માર્ક ટ્વેઇનના નામે એક વિધાન છે; Age is just an issue of mind over matter. If you don’t mind, it doesn’t matter. વ્યક્તિ કોઇપણ ઉંમરે કશું પણ હાંસલ કરી શકે છે.

આ કહેવત એવા લોકો ચરિતાર્થ કરતા હોય છે જેઓ કોઇપણ ઉંમરે કંઈક નવું શરૂ કરવા અથવા હાંસલ કરવા માટે પ્રેરિત હોય છે. એવું જ એક નામ ફૌઝા સિંહ છે. અથવા હતું. 14મી જુલાઈએ તેમનું અવસાન થઇ ગયું. તે વખતે તેમની ઉંમર 114 વર્ષની હતી. હજુ 22 વર્ષ પહેલાં જ, 92 વર્ષની ઉંમરે, ફૌઝા સિંહે ટોરંટોની મેરાથોનમાં દોડીને વિશ્વ વિક્રમ બનાવ્યો હતો.

ઉંમરના આ પડાવ પર આવીને મેરાથોન રનર તરીકે નામ કમાનારા ફૌઝા સિંહને મીડિયાએ પાઘડીવાળું તોફાન, દૌડવીર બાબા અને સુપરમેન શીખ જેવા ખિતાબોથી નવાજ્યા હતા. રમતગમત સંબંધી અનેક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના તે પ્રચારક હતા. 2004માં, સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સના નિર્માતા એડિડાના પ્રચારમાં તેઓ વિશ્વ વિખ્યાત ખેલડી ડેવિડ બેકમ અને મહોમ્મદ અલીની લગોલગ ઊભા હતા. 

ફૌઝા સિંહની વાર્તા શાનદાર અને જાનદાર છે. વિચાર કરો કે જે છોકરો પાતળા અને નબળા પગને લઈને જન્મનાં પહેલાં પાંચ વર્ષ સુધી ચાલી ન શક્યો હોય, અને એટલે લોકો તેને મજાકમાં ‘દંડો’ કહેતાં હતા, તે 89 વર્ષની વયે એવું નક્કી કરે છે કે હવે હું મેરેથોનમાં પણ દોડીશ, અને લોકો તેને ટર્બન ટોર્નેડો કહેવા લાગે છે.

ગમતું કામ તમે કોઈપણ સમયે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકો છો. તેના માટે દિલમાં કંઇક કરવાની ઇચ્છા અને મહેનત કરવાની તૈયારી હોવી જોઈએ. દોડવીર ફૌજા સિંહે આ સાબિત કર્યું છે. ફૌજા સિંહનો જન્મ 1 એપ્રિલ, 1911ના રોજ બ્રિટિશ રાજ હેઠળ પંજાબના જલંધરમાં બિયાસ પિંડ ખાતે થયો હતો. તેઓ ખેડૂત પરિવારના ચાર બાળકોમાં સૌથી નાના હતા.

ફૌજા સિંહનું બાળપણ સરળ નહોતું. તેના પરિવારને લાગતું હતું કે ફૌઝા અપંગ છે કારણ કે તે ચાલી શકતો ન હતો. પાંચ વર્ષ પછી તેના પગ જમીન પર ગોઠવાયા હતા અને મોટા થયા પછી તે ખેતીમાં જોતરાઈને પરિવારનો ટેકો બન્યો હતો. ત્યારે પણ તે પગને ઠીક કરવા માટે દોડતો હતો, પરંતુ ભારતના વિભાજન પછી દોડવાનું છોડી દીધું હતું. પછી તો લગ્નના પગલે ઘર-પરિવારની જવાબદારી આવી પડી હતી.

90ના દાયકામાં ફૌઝાના જીવનમાં ટ્રેજેડીઓ ઘટી, જેમાંથી ઉભરવા માટે તે તેમના દોડવાના જૂના શોખના શરણે ગયા. 1994માં તેમના પાંચમા દીકરા કુલદીપનું એક બાંધકામ વખતે અકસ્માતમાં મૃત્યુ થઇ ગયું. બે વર્ષ પહેલાં જ, તેમની પત્ની અને મોટી દીકરીનું અવસાન થઇ ગયું હતું. ઘરમાં ઉપરાછાપરી ત્રણ લોકોની વિદાયથી ફૌઝા નાસીપાસ થઇ ગયા હતા અને તેમના અન્ય એક દીકરા સાથે રહેવા માટે ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. 

અહીં આવીને તેમણે તેમની એકલતાને ભરવા માટે ‘પગ ખંખેર્યા.’ તેમણે પહેલાં રોજેરોજ વ્યસ્ત રહેવા માટે થઈને દોડવાનું શરૂ કર્યું હતું અને પછી તેમને તેને એક સ્પોર્ટ્સ તરીકે લેવાનું ચાલુ કર્યું. 89 વર્ષની વયે તેઓ ઇંગ્લેન્ડના એસેક્સમાં ટ્રેનિંગ માટે ગયા ત્યારે થ્રી-પીસ સૂટ પહેરીને ગયા હતા! તેમના કોચે તેમને શું પહેરવું અને કેવી રીતે દોડવું તે શીખવાડ્યું હતું. 

તે રોજ 24 કિલોમીટરનું અંતર સરળતાથી દોડી લેતા હતા અને તેમણે મેરાથોન દોડવાની સપનું પણ એવા ભ્રમમાં જ જોયું હતું કે તે 26 કિલોમીટરની હોય છે. વાસ્તવમાં મેરાથોન 26 માઈલ(42 કિલોમીટર)ની હોય છે એવી સમજણ પણ કોચે આપી હતી. ફૌઝાએ તે પછી 42 કિલોમીટરને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. તે પછી, અંગ્રેજીમાં કહે છે તેમ, તેમણે પાછું વાળીને જોયું નહોતું.

93 વર્ષની ઉંમરે તેમણે 6 કલાક અને 54 મિનિટમાં મેરાથોન પૂરી કરી હતી. તેમણે તેમની ઉંમરના લોકોની યુ.કે. સ્પર્ધામાં 200, 400 અને 800 મીટરના તમામ રેકોર્ડ 94 મિનીટમાં તોડ્યા હતા. 100ની ઉંમરે તેમણે એક જ દિવસમાં આઠ વર્લ્ડ એજ ગ્રુપ રેકોર્ડ બનાવ્યા હતા. 

તમને આ બધું વાંચીને સવાલ થતો હશે કે એક માણસ આ ઉંમરે આટલી સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી શકે? તો તેનો જવાબ ફૌઝા સિંહની જીવનશૈલીમાં છે. તેમણે એકવાર લંડનના ‘ધ ગાર્ડિયન’ સમાચારપત્રને કહ્યું હતું કે, ‘લાંબા અને તંદુરસ્ત જીવનનું રહસ્ય તનાવરહિત જીવવામાં છે. તમારે નકારાત્મક લોકોથી અને વિચારોથી દૂર રહેવું જોઈએ, હસતા રહેવું જોઈએ, કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ અને નિયમિત વ્યાયામ કરતા રહેવું જોઈએ.”

ફૌઝા દૃઢપણે માનતા હતા કે શારીરિક સ્વાસ્થ્ય જેટલી જ માનસિક શાંતિ અગત્યની છે. તેઓ કહેતા હતા, ‘તમે ક્યારે ય સાંભળ્યું છે કે કોઈ માણસ આનંદિત હતો એટલે મરી ગયો?’ ફૌઝા 90 અને 100ના થયા ત્યાં સુધી શિસ્ત અને સંયમથી જીવતા હતા. તે નવરા બેસી રહેતા નહોતા. તેઓ રોજ ચાર કલાક ચાલતા હતા અને 10 કિલોમીટર દોડતા હતા. 

તે ઘરનો જ ખોરાક ખાતા હતા. તેમણે ક્યારે ય દારૂ-સિગારેટને હાથ લગાડ્યો નહોતો. તેઓ કહેતા કે તમે તમારા શરીરમાં શું નાખો છો તેના પર ઘણો આધાર છે – ચાહે તે ખાવાનું હોય, પીવાનું હોય કે વિચારો હોય.

તમારા પગ નથી દુ:ખતા? તમને આ બધું છોડીને બેસી જવાનું મન નથી થતું? એવા કાયમ પુછાતા પ્રશ્નના જવાબમાં તે કહેતા, ‘હા, મારા પગ દુ:ખે તો છે, પણ જે લોકો આખો દિવસ બેસી રહે છે તેમના પગ પણ દુઃખે છે. મારા તો મજબૂત થાય છે.”

છેલ્લા અમુક સમયથી ફૌઝા સિંહ તેમના વતન બિયાસ પિંડ આવ્યા હતા. તેઓ 114 વર્ષના હતા. 14મી જુલાઈએ સવારે ચાલવા નીકળ્યા હતા અને એક અજાણ્યા વાહનની અડફેટમાં આવી ગયા હતા. તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પણ ત્યાં તેમણે જીવ ગુમાવી દીધો હતો. 100 વર્ષ સુધી જે પગ દોડતા રહ્યા હતા તે ચાલતી વખતે જ એક ટક્કરમાં કાયમ માટે શાંત થઇ ગયા હતા. ફૌઝા સિંહ જીવતે જીવ જંપીને બેઠા નહોતા, હવે નિરાંતે સ્વર્ગમાં બેઠા હશે. 

(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 03 ઑગસ્ટ 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...188189190191...200210220...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved