કવિતાના પ્રાણમાં
પ્રચ્છન્ન કે પ્રગટ પુછાતો પ્રશ્ન હોય છે,
સમાજને, સત્તાને, સ્વયમ્ સૌની સમજને.
*
વેદનાની સ્મૃતિમાંથી સરતા શબ્દો હૃદયસ્પર્શી હોય છે,
વ્રણમાંથી વહેતા શબ્દો વિરલ હોય છે,
માનવીય અસ્તિત્વનો આધાર હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2021; પૃ. 16
![]()


ગુજરાત પ્રદેશના સંસ્કૃત સાહિત્યમાં ખાસ કરીને મહાભારતના મર્મોને ખુલ્લા કરી આપનાર શ્રેષ્ઠ વક્તા તરીકે જેમની ગણના થાય તેવા સંસ્કૃતના પ્રકાંડ પંડિત, એક ઉમદા વિવેચક ડૉ. શાન્તિકુમાર પંડ્યાનું તા. ૧૭/૫/૨૦૨૧ના રોજ નિધન થયું છે, જેનાથી સંસ્કૃત જગતમાં ન પુરાય તેવી ખોટ પડી છે. ગુજરાતમાં રચાયેલાં મહાભારત આધારિત રૂપકોના અભ્યાસીઓનો જાણે અસ્ત થઈ ગયો છે.
ઘણા લોકો આજકાલ 'ડિપ્રેસન' શબ્દ બહુ વાપરે છે. અંગ્રેજી ન જાણતા હોય એવા લોકો પણ બોલે છે : જેમ કે, શનિબુન બોલતાં હોય – મને હારું આજકાલ ડિપ્રેસન બૌ થાય છે. કેમ કે એમનું જીવાભૈ હારેનું કનેક્શન તૂટી ગયું હોય …