Opinion Magazine
Number of visits: 9571505
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જોગમાયા અગાસી

પંચમ શુક્લ|Poetry|26 July 2021

ગમે તો જુએ તેજરાયા અગાસી,
નહીંતર સૂએ જોગમાયા અગાસી.

અતિવૃષ્ટિમાં છત્રરૂપે છવાઈ,
થથરતી લઈ ભીની કાયા અગાસી.

ઉનાળે કડપથી દઝાડે ને પાછી,
શિયાળે હુંફાળી છે આયા અગાસી

વિરહી પ્રિયાના વ્યથિત કૃષ્ણપક્ષે,
કળાઓ ગણે ખેલખાયા અગાસી.

કદી વિસ્તરી જઈને અંતાક્ષરીમાં,
રચે કો નવી અર્થછાયા અગાસી.

અથાણાં, વડી, પાપડોને સૂકવતી,
ગૃહિણીની છે ભ્રાતૃજાયા અગાસી.

ધરી સ્વપ્ન હેન્ગિન્ગ-ગાર્ડનનું મનમાં,
ઉછેરે છે પીપળો ભૂજાયા અગાસી.

પતંગોની રંગીન ગતિના ચલનથી,
કળે ઉત્તરાયણની છાયા અગાસી.

નથી બીચનું સખ્ય જેનાં નસીબમાં,
છે એવા જનોને ‘પટ્ટાયા’ અગાસી.

 

તેજરાયા – અકાશના તેજસ્વી પદાર્થો (સંઃ ભોગીલાગ ગાંધી – “તું તારા દિલનો દીવો થા ને”)
જોગમાયા – સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં સહાયક બનતી ઈશ્વરની પોતાની બાર શક્તિઓમાંની એક શક્તિ, કારસ્તાની સ્ત્રી
કૃષ્ણપક્ષ – અંધારિયું પખવાડિયું; વદિ પક્ષ
ખેલખાયા – અનુભવી કે  જાણીતી સ્ત્રી  ( સામાન્ય રીતે વેશ્યાના અર્થમાં)
અર્થછાયા- શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ ન આપતાં ઓછો ખ્યાલ માત્ર આપે એવી પરિસ્થિતિ, ‘ન્યુઅન્સ’
ભ્રાતૃજાયા – ભાભી; ભોજાઈ, [ ભ્રાતૃ ( ભાઈ ) + જાયા ( સ્ત્રી )] હેન્ગિન્ગ-ગાર્ડન –  Trees being planted on a raised structure such as a terrace.
ભૂજાયા- [ભૂ ( પૃથ્વી ) + જાયા ( જન્મેલી ) ], પૃથ્વીમાંથી નીકળેલી, સીતા
પટ્ટાયા – Pattaya is a city on Thailand’s eastern Gulf coast known for its beaches.

Loading

માણસાઈ પકડી રાખવી કે છોડવી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|25 July 2021

આપણને એક જ જિંદગી મળી છે અને એમાં આપણે નક્કી કરવાનું છે કે તે કઈ રીતે જીવવી. આપણાં સંતાનને પણ એક જ જિંદગી મળી છે, અને એક મા-બાપ તરીકે જો કોઈ શિખામણ આપવાની હોય તો વિચારવું પડશે કે તેને તે કેવી જિંદગી જીવે એવી શિખામણ આપવી. જ્યારે શિખામણ આપશો ત્યારે તમારી પાસે પોતે નહીં જોયેલો અને નહીં અનુભવેલો, પણ કોઈકે કહેલો ભૂતકાળ (ઇતિહાસ) છે, તમે પોતે જોયેલો અને અનુભવેલો વર્તમાન છે અને તમારાં સંતાનને જેમાં જીવવાનું છે એવો ભવિષ્યકાળ છે. યાદ રહે, તમારી પાસે અને તમારાં સંતાનો પાસે જિંદગી એક જ છે અને તેમાં મૂલ્યવાન આયખું કેમ જીવવું એ અંગેનો મહત્ત્વનો નિર્ણય તમારે લેવાનો છે. 

નિર્ણય એ વાતનો લેવાનો છે કે માણસાઈના ગુણોને અપનાવીને, આત્મસાત કરીને, તેને હજુ વધુ સમૃદ્ધ કરીને ટકોરાબંધ માણસ બનવું અને સંતાનને માણસ બનવાનું કહેતા જવું કે પછી જેવા સાથે તેવા થવું અને સંતાનને એ જ શિખામણ આપતા જવું. આ જગતમાં એક પણ માણસ એવો નહીં મળે જેણે આ યક્ષપ્રશ્ન વિષે નિર્ણય લેવો ન પડ્યો હોય. કુટુંબની અંદર સગા ભાઈ સાથેના વહેવારમાં પણ આ બે વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ અપનાવવો પડતો હોય છે. માણસાઈ પકડી રાખવી કે માણસાઈ છોડવી? 

આપણા નિર્ણયને ત્રણ ચીજો પ્રભાવિત કરતી હોય છે. એક તો આપણો સ્વભાવ. દરેક વ્યક્તિમાં સત્, રજસ અને તમસ એ ત્રણ ગુણનો માત્રાફેર હોય છે અને તેની માત્રા માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. સાંખ્ય અને યોગદર્શન કહે છે કે માણસ જો ધારે તો માત્રાફેર કરી શકે છે. આ ફેરફાર મુશ્કેલ છે પણ અસંભવ નથી. તામસી માણસ સાત્ત્વિક બની શકે છે. તેની સાથે બીજી ચીજ છે સહિયારો સાંસ્કૃતિક વારસો. આ વારસો સહિયારો છે અને માટે અનેક રસાયણોનો બનેલો હોય છે. વરસો વહેતાં જાય છે એમ એવો પીંડ રચાય છે જેમાંથી ઘટક તત્ત્વોને અલગ તારવવાં મુશ્કેલ હોય છે. વરસ અને વારસો એક જ ધાતુના શબ્દો હોય એવો ભાસ થશે, પણ એવું નથી. એ વારસો મને મળેલો છે, મારો છે, મારાં સંતાનોને મારે આપતા જવાનો છે; પણ છે સહિયારો. એ મારો છે, પણ આપણો છે. આ સહિયારા સાંસ્કૃતિક વારસાએ રચેલો માનસપીંડ માણસના નિર્ણયને પ્રભાવિત કરે છે. ત્રીજી ચીજ છે, અનુભવ અને અનુભવકથન. આમાંથી પ્રત્યક્ષ અનુભવ તો બહુ ઓછો હોય છે, માંડ ચાર-પાંચ દાયકાનો, પણ અનુભવકથન હજારો વર્ષનું હોય છે. આ કહેવાતું અનુભવકથન એટલે કહેવાતો ઇતિહાસ. કહેવાતો એટલા માટે કે એ કોઈકે કહેલો છે.

એક તો માણસ માત્ર ત્રિગુણીય સ્વભાવ સાથે જન્મતો હોય છે તેમ જ તેની ગુણમાત્રા અલગ અલગ હોય છે અને એમાં એણે નિર્ણય લેવાનો હોય છે કે માણસાઈ પકડી રાખવી, તેને વધુ સમૃદ્ધ કરવી કે તેને છોડવી અને જેવા સાથે તેવા થવું? જો આપણે માણસાઈને જાળવી રાખવાનો પહેલો વિકલ્પ પસંદ કરીએ તો સહિયારો સાંસ્કૃતિક વારસો ઘણે અંશે ઉપયોગી થશે અને જો માણસાઈને ફગાવીને જેવા સાથે થવું હોય તો કોઈક દ્વારા કહેવાયેલું અનુભવકથન અથવા ઇતિહાસ ઉપયોગી થશે. વીતેલા યુગના ટકોરાબંધ પ્રમાણ કોઈ પાસે નથી એટલે તેનો લાભ લઈને આપણને આજે માફક આવે એ રીતે ગઈકાલની વાત કહી શકાય છે. જગત આખામાં ઇતિહાસકારો આજે માફક આવે એ રીતે ઇતિહાસ લખે છે; પછી તે ઇતિહાસકાર સામ્યવાદી હોય, રાષ્ટ્રવાદી હોય, કોમવાદી હોય કે વંશવાદી હોય. તટસ્થ ઇતિહાસ અને તટસ્થ ઇતિહાસકાર જેવું કશું હોતું નથી. દરેક ઇતિહાસકારને એમ લાગે છે કે મારે ઇતિહાસ એ રીતે કહેવો જોઈએ કે જે વર્તમાનમાં વાચકની વર્તણુકને પ્રભાવિત કરે. ઇતિહાસલેખનમાં એજન્ડા હોય જ છે, એજન્ડામુક્ત ઇતિહાસલેખન હોતું નથી.

હવે જો આપણે માણસાઈને જાળવી રાખવી હોય, તેને વધારે સમૃદ્ધ કરવી હોય અને માણસાઈનો વારસો આગલી પેઢીને આપીને જવો હોય તો આપણે ત્રિગુણમાત્રામાં શક્ય એટલો ફેરફાર કરીને વિવેક કેળવવો પડશે. ખુલ્લી આંખે દુનિયાને જોતાં શીખવું પડશે. કોઈકનું સારું અપનાવવું પડશે અને આપણું જે કાંઈ કલંકરૂપ હોય તેને છોડવું પડશે. આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાને વિવેકપૂર્વક અપનાવવો અને છોડવો પડશે. એ વારસાનું સહિયારાપણું પણ સ્વીકારવું પડશે અને એ તો પહેલી શરત છે. બીજા માટેનો તિરસ્કાર છોડવો પડશે અને આપણા શ્રેષ્ઠત્વનું ગુમાન છોડવું પડશે. બીજાની નિંદા નહીં કરવાનું કોઈ કહેતું નથી, પણ આપણે આપણી ઉણપ પણ જોવી પડશે અને બીજાનું સારાપણું પણ જોવું પડશે. વળી આ બધું આજે જ અને આપણે જ કરવું પડશે, કારણ કે જિંદગી તો એક જ મળી છે જે આજે જીવી રહ્યા છીએ અને તે તમારી છે. કરો અથવા ન કરો, આમાં ત્રીજો વિકલ્પ જ નથી. જો માણસાઈના પક્ષે નિર્ણય લેશો તો માર્ગ પણ એક જ છે અને તે છે સદ્સદ્ વિવેકનો. 

અને જો તમારો નિર્ણય માણસાઈને છોડીને જેવા સાથે તેવા થવાનો હોય તો ‘આજની જરૂરિયાત’ માટે ‘કોઈકે લખેલો ઇતિહાસ’ હાથવગો છે. કોઈકે લખેલો ઇતિહાસ સાચો માનીને માણસાઈને છોડવાનો નિણર્ય લેતા પહેલાં આજની જરૂરિયાત કોની છે અને કેવી છે એ સમજી લેજો. એના લાભાલાભની વાત અત્યારે બાજુએ મૂકો, પણ તમને કમ સે કમ એટલી જાણ તો હોવી જ જોઈએ કે તમે કોની અને કેવી આજની જરૂરિયાત માટે મૂલ્યવાન આયખું ખર્ચવાના છો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 25 જુલાઈ 2021

Loading

જાસૂસી અને રાજકારણઃ મેરા તુઝસે હૈ પહેલે કા નાતા કોઇ ….

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|25 July 2021

એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય

આપણી ડિક્શનરીમાં છેલ્લા બે વર્ષમાં જાતભાતના શબ્દો ઉમેરાયા છે. આપણે આલ્ફા અને બિટા વેરિયન્ટથી માંડીને રેમડેસેવીર જેવા શબ્દો ગૂગલ કરીને ઘણું બધું જરૂરી બિન જરૂરી જાણ્યા કરીએ છીએ. એમાં હવે છેલ્લા એક અઠવાડિયાથી આપણે સાંભળીએ છીએ પેગાસસ અને સ્નૂપિંગ વિશે. આપણું શબ્દભંડોળ વધુ સમૃદ્ધ કરનારા પેગાસસને રોગચાળા સાથે કોઇ સબંધ નથી, પણ રાજકારણીઓની જાસૂસી કોઇ નવી વાત નથી. પેગાસસનું વાવાઝોડું એકદમ નવું નક્કોર છે અને આ પહેલાં ભારતીય રાજકારણમાં સ્નૂપિંગ એટલે કે જાસૂસીનાં કાંડ થયાં જ છે પણ પેગાસસ સ્પાયવેરથી થયેલું સ્નૂપિંગ સૌથી સોફેસ્ટિકેટેડ કહી શકાય, જેમાં ટેક્નોલૉજીનો એટલી સટિકતાથી ઉપયોગ થયો છે કે એક નાનકડું સ્પાયવેર શું કરી શકે છે તેના વિચાર માત્રથી મોટાં માથાઓને અથવા તો જેમના કબાટમાં જાતભાતના કંકાલતંત્ર છે તેમને કંપારી છૂટી જાય.

પેગાસસની પધરામણી નિમિત્તે જો આપણે આ પહેલાં થયેલા જાસૂસી કાંડ યાદ કરીએ તો તેમાં સરકારો પડી ભાંગી છે, મુખ્ય મંત્રીઓએ રાજીનામાં ધરી દેવા પડ્યા છે, સી.બી.આઇ.ની તપાસ બેસાડાઇ છે અને સુપ્રિમ કોર્ટને ય હચમચાવી દેવાયો છે. જાસૂસ અને જાસૂસીની આપસાપસ એક ભેદ ભરમનું જાળું હંમેશાંથી રહ્યું છે. કાળી હેટ અને લાંબા ઓવરઓલ્સ, કાળાં ચશ્માંથી માંડીને ટેલિફોનના થાંભલે ચઢીને વાયરો આઘાપાછા કરીને લોકોની વાત સાંભળનારા જાસૂસો આપણે ફિલ્મો અને ટેલિવિઝનમાં જોયા છે. ફોન ટેપિંગ જે જાસૂસીનું સૌથી જૂનું શસ્ત્ર છે તેમાં સમયાંતરે આપણે સ્માર્ટ સોફ્ટવેર્સના ઉપોયગ તરફ વળ્યા છીએ. ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસ હવે સ્માર્ટ ફોનને ક્રેક કરવા માટેનો સર્વોત્તમ વિકલ્પ સાબિત થઇ ચુક્યું છે, ત્યારે આપણે ટેલિકોમના ઇતિહાસ જેટલા જ જૂના ગણાતા ફોન ટેપિંગ દ્વારા થયેલી જાસૂસીના સૌથી જાણીતા કિસ્સાઓ અને અન્ય પ્રકારની જાસૂસીની જાહેર થઇ ગયેલી વાતો પર નજર કરીએ.

એંશીના દાયકામાં રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંઘને ડર હતો કે રાષ્ટ્રપતિ ભવનના કેટલા ઓરડાઓમાં બગિંગ થયેલું છે, એટલે કે ત્યાં એવું ઉપકરણ છે જેનાથી ત્યાં થતી વાતચીત અને ફોન કૉલ્સ ટૅપ થઇ શકે. તેમને ડર હતો કે તત્કાલિક વડા પ્રધાન રાજીવ ગાંધીના કહ્યે આ ફોન ટૅપિંગ કરાવાતું હતું. ૧૯૮૮માં કર્ણાટકમાં ફોન ટૅપિંગના આરોપ ગંભીર વળાંકે જઇને ખડો રહ્યો. તત્કાલિક મુખ્ય મંત્રી રામકૃષ્ણે હેગડેએ આ વિવાદને પગલે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. વી.પી. સિંઘના જન મોરચા સાથે રામ કૃષ્ણે હેગડેની જનતા પાર્ટીનો એક હિસ્સો ભળી ગયો હતો અને દેવે ગૌડા અજીત સિંહ સાથે બાકીના જનતા પક્ષ સાથે જ રહ્યા હતા. દેવે ગૌડા અને અજીત સિંઘ વચ્ચેની વાતચીત ટૅપ કરવામાં આવી હતી. ૧૯૯૧માં હરિયાણાના બે ઇન્ટેલિજન્સ પુરુષો રાજીવ ગાંધીના રહેવાસની બહાર દેખાયા હતા, અને તેમણે બાદમાં કબૂલ્યું હતું કે રાજ્ય સ્તરના કયા રાજકારણીઓ રાજીવ ગાંધીને મળવા આવે છે, તે ચકાસવા તેઓ અહીં જાસૂસી કરી રહ્યા હતા. આ કારણે ચંદ્ર શેખરે રાજીનામું ધરી દેવું પડ્યું હતું. સમાજવાદી પક્ષના અમર સિંઘે ૨૦૦૬માં દાવો કર્યો હતો કે તેમના ફોન દિલ્હી પોલીસ દ્વારા ટૅપ કરાય છે તો ૨૦૦૯માં મમતા બેનર્જીના લેન્ડ લાઇન ફોન અને મોબાઇલ ફોન પર થતી વાતચીત પર ચાંપતી નજર રખાઇ રહી છે. ૨૦૦૭માં દિગ્વિજય સિંહની વાતચીત ટૅપ કરાઇ હતી જેમાં તે ૨૦૦૭ની સી.ડબલ્યુ.સી.ની ચૂંટણી માટે પંજાબના ઉમેદવારો અંગે એક કૉન્ગ્રેસના નેતા સાથે વાત કરી રહ્યા હતા. ૨૦૧૦માં તાતા અને નીરા રાડિયા ટેપ્સ સ્કેન્ડલની ચર્ચાથી પણ આપણે વાકેફ છીએ. જાસૂસીના કૌભાંડોમાં મોટે ભાગે વિરોધી પક્ષની વાતો ખુલ્લી પાડવાનો હેતુ રહેતો. ૨૦૧૧માં તત્કાલિન નાણાં મંત્રી પ્રણબ મુખર્જીએ મનમોહન સિંઘને પત્ર લખ્યો હતો કે તેમની ઑફિસ બગ્ડ છે તેવી પોતાને શંકા છે. આ પત્ર ખાનગી હતો પણ છતાં ય તે જાહેર થઇ ગયો હતો. ફેબ્રુઆરી ૨૦૧૨માં એક ઇન્ટેલિજન્સ ઑફિસરની તપાસમાં બહાર આવ્યું કે ડિફેન્સ મિનીસ્ટર એક એન્ટોનીની ઑફિસમાં કોઇ મોનિટરી ડિવાઇસ ફિટ કરાયેલું છે. આ સમયે યુ.એસ.એ.ના મીડિયા રિપોર્ટ્સમાં આવ્યું હતું વૉશિંગ્ટન ડી.સી.માં ભારતીય દૂતાવાસ યુ.એસ. એજન્સી દ્વારા નજર રખાતી હોય તેવા મિશન્સની યાદીમાં હતો. આ વર્ષે આંધ્રના રાજકારણીઓએ હેકર્સના ડરથી સ્માર્ટ ફોન્સ પર ઇ.મેઇલ ચેક કરવાનું બંધ કરી દીધું હતું.

વળી સ્નૂપિંગને મામલે સાહેબને આડકતરો અનુભવ પણ છે કારણ કે ગુજરાતમાં ૨૦૧૩માં થયેલા સ્નૂપગેટ કાંડમાં અમિત શાહે એક યુવા આર્કિટેક્ટ મહિલાના ફોન પર સર્વેલન્સ કર્યો હોવાના સમાચાર ન્યૂઝ વેબસાઇટે બ્રેક કર્યા હતા. આ ઉપરાંત શરદ પવાર અને આઇ.પી.એલ. ચીફ લલિત મોદી વચ્ચેની વાતચીત ૨૦૧૦માં ટૅપ થઇ હતી તો સી.પી.એમ.ના પ્રકાશ કરાતનું ફોન ટૅપિંગ ઇન્ડો યુ.એસ. ન્યુક્લિયર ડીલની વ્યૂહરચના સમજવા માટે કરાયું હતું. વરિષ્ઠ કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનાં રહેઠાણને બગ કરાયું હતું અને આ માટે બહુ જ ઉચ્ચ કક્ષાનું લિસનિંગ ડિવાઇસ ત્યાં ગોઠવવામાં આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી હતી. જો કે રાજકારણીઓના આ સ્નૂપિંગમાં સાસુ વહુનો ખટરાગ પણ એક વાર ચર્ચાએ ચઢ્યો તેમાં ય સાસુ જ્યારે ઇંદિરા ગાંધી હોય અને પુત્રવધૂ મેનકા ગાંધી હોય ત્યારે વહુનો આક્ષેપ આવે તો વિચાર તો કરવો પડે.

ભારતના સ્નૂપગેટ સામે અમેરિકાના વૉટરગેટ કૌભાંડનો ઉલ્લેખ પણ કરવો રહ્યો, જ્યારે સિત્તેરના દાયકામાં પ્રેસિડન્ટ રિચાર્ડ નિક્સને વિરોધ પક્ષના ફોન કૉલ્સ ટૅપ કરાવ્યા હતા અને અમુક દસ્તાવેજોની ચોરી પણ કરાવી હતી. જો કે આમાં પોલીસે આ ચોર જાસૂસોને રંગે હાથ પકડી પાડ્યા હતા, છતાં ય નિક્સન ફરી ચૂંટાયા હતા અને તેમણે પ્રેસિડન્ટ બન્યા પછી આ આખી વાત દાબી દેવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં બે પત્રકારોને કારણે આખી વાત બહાર આવી અને જેમણે સ્વતંત્ર યુ.એસ.એ.ના ઇતિહાસમાં રાજીનામું આપ્યું હોય તેવા તે એક માત્ર પ્રમુખ છે.

ભારતમાં દસ કેન્દ્રીય એજન્સીઝ છે જેમને ફોન ટૅપિંગ કે કોઇ પણ પ્રકારના સ્નૂપિંગની છૂટ મળેલી છે, એ સિવાય થતી જાસૂસી ગેરકાયદે ગણાય. તેઓ આતંકવાદથી માંડીને રાજકારણીઓના બેકગ્રાઉન્ડ ચેક્સ પણ કરતા હોય છે. જે રીતે પેગાસસ જેવા સ્પાયવેરથી સટિકતાથી જાસૂસી થઇ રહી છે, જેમાં પત્રકારો અને માનવતા અધિકાર માટે લડનારાઓ પણ બાકાત નથી તે દર્શાવે છે કે ભારતમાં સર્વેલિયન્સની પદ્ધતિઓ તથા મર્યાદાઓ પર આકરા પગલાં લેવાવા જરૂરી છે.

બાય ધી વેઃ

જાસૂસી કરાઇ હોવાનો આ પહેલો બનાવ નથી, પણ સરમુખત્યાર નેતાઓ જે પહેલેથી જ પોતાના વિરોધીઓ પર યેનકેન પ્રકારેણ નજર રાખતા આવ્યા છે તેમાં ક્યાંક રિસોર્સિઝનો દુરુપયોગ પણ દેખાઇ આવે છે. લોકશાહી દેશમાં પત્રકારો અન માનવાધિકાર માટે લડત ચલાવનારાઓની જાસૂસી કરાવવી કેટલી યોગ્ય ગણાય? ફોન ટૅપિંગ અને ફોનની તમામ વિગતોનું હાઇજેકિંગ બે જુદી બાબતો છે, અને આપણને ખબર છે કે બીજી બાબત જોખમી છે. સ્પાયવેરથી ગુનાખોરી અને ષડયંત્રનું કોકડું વધુ ગુંચવાય અને કોઇને ખોટી રીતે સાણસામાં લેવા હોય તે પણ આનાથી કરવું સહેલું થઇ પડે છે. વળી ભૂતકાળમાં લોકોએ જાસૂસી કરાવનારા નેતાઓને વખોડ્યા છે, તેમને રાજીનામા ધરી દેવા પડ્યા છે પણ પેગાસસને મામલે આમ જનતાનો પ્રતિભાવ પહેલાં કરતાં મોળો રહ્યો છે. સરમુખત્યાર ઇંદિરા ગાંધી જેમ ‘વિદેશી હાથ’ પર દોષ ઢોળતાં તેમ અત્યારે સરકાર દેશનાં નહીં પણ પોતાના વિરોધીઓને ટાર્ગેટ કરી રાષ્ટ્રવાદનું કાર્ડ દેખાડી દેશે. પોપ્યુલિસ્ટ માનસિકતા, સરમુખત્યાર શાહી, દેશપ્રેમ નહીં પણ વાદને મળતું જોર, સરકારની ટીકા નહીં સાંખી લેવાની માનસિકતાની વચ્ચે પેગાસસનો ઉપયોગ જેમની જાસૂસી કરવામાં થયો છે તે લોકશાહીને માથે તોળાતા ગિલોટીનનું દ્રશ્ય સ્પષ્ટ કરે છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  25 જુલાઈ 2021

Loading

...102030...1,8061,8071,8081,809...1,8201,8301,840...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved