Opinion Magazine
Number of visits: 9570816
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

एक हादसा और अनेक सवाल

कुमार प्रशांत|Opinion - Opinion|18 December 2021

आखिर वह खबर आ ही गई जिसकी आशंका से देश का मन भारी हुआ जा रहा था. 8 दिसंबर से 15 दिसंबर तक, लगातार 8 दिनों तक मौत से मशक्कत करने के बाद ग्रुप कैप्टन वरुण सिंह ने विदाई मांग ली. यही होना था. 80 फीसदी जले इंसान के बचने की संभावना 20 फीसदी भर होती है. जांबाज वरुण इतने दिन संघर्ष जारी रख सके क्योंकि वे फौजी प्रशिक्षण से गुजरे जवान थे, उम्र उनके साथ थी. लेकिन मौत भी तो विधाता की फौज में प्रशिक्षित हुई होगी न ! वरुण की मौत के साथ भारतीय वायुसेना के हैलिकॉप्टर हादसे का अंतिम जीवित व्यक्ति भी नहीं रहा. अब हमारे व वरुणजी के परिवार के लिए शून्य, असीम आकाश ही बचा है.

जब सारा देश 2021 को विदा देने की तैयारी में है, हमें शोक से भरी बहुत सारी स्मृतियों को विदाई देनी पड़ रही है. 700 से ज्यादा प्रतिबद्ध किसानों के बलिदान को हम न भी गिनें, क्योंकि उनकी मृत्यु एक दिन, एक तारीख को नहीं हुई थी बल्कि वे तिल-तिल कर मारे गए थे तो भी नगालैंड के 14 निरीह लोगों की हत्या से हम कैसे मुंह फिरा सकते हैं ? इन 14 नागरिकों की मौत न कोरोना में हुई थी, न किसी हैलिकॉप्टर हादसे में. हमारे ये सारे नागरिक कानून के हाथों, गैर-कानूनी तरीके से मारे गए.

8 दिसंबर के हैलिकॉप्टर हादसे से इतना शोक छाया और इतना शोक रचा गया कि इस हादसे की समीक्षा हो ही नहीं सकी. जिस फौजी जांच की बात कही गई है, उसमें तकनीकी पहलू आएंगे और किसी फाइल में बंद कर दिए जाएंगे. लेकिन जिस दुर्भाग्यपूर्ण हादसे में भारतीय सेना के 13 बहादुरों का खात्मा हुआ जिनमें भारतीय सेना प्रमुख जेनरल विपिन रावत भी एक थे, क्या उसकी खुली समीक्षा होनी नहीं चाहिए ? जो घटित हुआ वह तो हो गया, अब यह समीक्षा ही हमारे बस में बची है. इसलिए शोक से निकल कर हमें कई सवाल पूछने चाहिए, कई जवाब मांगने चाहिए.

सारा देश इस दुर्घटना से विचलित हुआ है. इतने सारे वरिष्ठ सैन्य अधिकारी जब एक साथ मारे जाते हैं तो ऐसा लगता है जैसे अचानक ही आसमान खाली हो गया. इससे देश की सुरक्षा में सेंध लगती है. वैसे तो हर जान कीमती होती है लेकिन ऐसी विशेषज्ञता के धनी, अनुभवसंपन्न फौजी अधिकारियों का इस तरह जाना ऐसा अहसास जगाता है जैसे किसी ने चौक-चौराहे पर लूट लिया हो. उनके परिवारों का निजी दुख राष्ट्रीय दुख में बदल जाता है. डॉक्टरों, इंजीनियरों, वैज्ञानिकों आदि को तैयार करने में ही नहीं बल्कि राष्ट्रीय सुरक्षा से जुड़े ऐसे सैनिक, पुलिस के जवान व विशेषज्ञ फौजी अधिकारियों को तैयार करने में भी राष्ट्र को बहुत निवेश करना पड़ता है. जब वे उस मुकाम पर पहुंचते हैं कि राष्ट्र भरोसे से उनकी तरफ देख सके तभी किसी चूक से हम उन्हें खो देते हैं, तो निजी नुकसान, राष्ट्रीय नुकसान में बदल जाता है. शोक की लहर का अपना मतलब होता ही है लेकिन विवेकसम्मत सवालों के जवाब से आगे की दिशा खुलती है.

आज और अभी ही यह सवाल पूछना जरूरी हो जाता है कि एक साथ, एक ही जहाज से इतने सारे उच्चाधिकारियों का सफर करना कैसे संभव हुआ ? सामान्य निर्देश है कि दो से अधिक उच्चाधिकारी एक ही विमान से सफर नहीं करेंगे. फिर जनरल विपिन रावत के साथ इतने सारे फौजियों को सफर करने की इजाजत कैसे मिली और किसने दी ?  क्या जनरल रावत ने खुद दी ऐसे निर्देश की अवहेलना करने का निर्देश दिया था ? कहीं से, किसी ने तो इस हैलिकॉप्टर उड़ान की योजना बनाई होगी, किसी ने तो इसे जांचा होगा और सफर की इजाजत दी होगी. वह कौन है ? वह पूरा दस्तावेज कहां है जिसमें यह पूरी प्रक्रिया दर्ज है ? यह पता तो चले कि अपने अनुशासन और आदेश के पालन के लिए जानी जाने वाली फौज में यह सब कैसे चलता है ? और कौन है जो यह सब चलने से रोक देता है ? क्या जेनरल रावत जैसे किसी उच्चाधिकारी को ऐसा अधिकार है वह सुरक्षा के सामान्य निर्देशों की अवहेलना का आदेश दे सके और सारी फौजी व्यवस्था चूं तक न कर सके ?

भारतीय वायु सेना का हैलिकॉप्टर एमआई-17वी5 एक सुरक्षित व विश्वसनीय मशीन मानी जाती है. यह रूसी हैलिकॉप्टर हमारी सेना की शक्ति का प्रतीक भी माना जाता है. लेकिन यह पहली बार नहीं है कि यह मशीन खतरों में पड़ी है और इसने हमें खतरे में डाला है. इसलिए नहीं कि यह मशीन खराब है या कमजोर है बल्कि इसलिए कि यह मशीन ही तो है. मशीनों के साथ मानवीय सावधानी व कुशलता का मेल हो तभी वह अपनी सर्वोत्तम क्षमता से काम करती है. तब क्या यह सवाल नहीं उठता है कि इस उड़ने वाली मशीन पर कितना बोझ डालना इसे अत्यंत बोझिल बनाना नहीं है, यह बात सार्वजनिक की जाए  ? क्या यह सावधानी जरूरी नहीं है कि मशीन पर उसकी क्षमता से कुछ कम ही बोझ डाला जाए खास कर तब जब वह एक साथ अपने इतने बेशकीमती फौजी उच्चाधिकारियों को ले कर उड़ने वाली हो ? यदि इसका ध्यान नहीं रखा गया तो यह गैर-जिम्मेदारी का अक्षम्य नमूना है.

यह भी माना जाता है कि फौजी उच्चाधिकारियों के ऐसे सफर में, जो युद्ध के लिए नहीं है, संरक्षक टुकड़ी भी साथ होती है. क्या ऐसी कोई व्यवस्था इस सफर के साथ थी ? होती तो दुर्घटना के बाद जले अधिकारियों को बचाने, पानी पिलाने तथा इलाज तक ले जाने की व्यवस्था तुरंत बन ही सकती थी. यह न पूछे कोई कि उससे क्या होता; यह बताए कि सावधानियां पूरी रखी गई थीं, इससे देश का भरोसा बनता है या नहीं ? वैसे देखें तो यह कोई फौजी अभियान नहीं था जिस पर जेनरल रावत जा रहे थे. यह सामान्य फौजी समारोह था. फिर इतने सारे उच्चाधिकारी वहां क्यों जा रहे थे ? मैं नहीं समझता हूं कि यह फौजी पिकनिक का सरकारी आयोजन होगा. तो क्या राजनेता का काफिला कितना बड़ा है, इससे उनकी राजनीतिक औकात नापने का पैमाना ही फौज में भी लागू होने लगा है ? हमारी फौज का जिस तरह का राजनीतिकरण पिछले दिनों में हुआ है, जनरल रावत जिस तरह के राजनीतिक बयान देते रहे हैं, उससे किसी स्वस्थ्य लोकतंत्र की  खुशबू तो नहीं आती है. इसलिए यह हादसा हमें कई प्रकार से सावधान करता है. तमिलनाड का कुन्नूर लैंडिंग के लिए कभी भी आसान नहीं माना जाता है. यदि यह कोई नाजुक फौजी अभियान नहीं था तो कुन्नूर को टालने की कोशिश क्यों नहीं की गई ? फिर मधुलिका रावतजी को साथ क्यों लिया गया ? इस विषय में फौजी गाइडलाइन क्या कहती है ?

अफसोस व पश्चाताप से भरे राष्ट्र के मन में सवाल-ही-सवाल हैं. इन्हें प्रायोजित शोक की चादर से ढकने की कोशिश आत्मघाती होगी.

(17.12.2021)

मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें 

https://kumarprashantg.blogspot.com

Loading

ચલ મન મુંબઈ નગરી—124

દીપક મહેતા|Opinion - Opinion|18 December 2021

ગ્રામોફોન આવ્યું ઘરે ઘરે સંગીત લાવ્યું

કોણ જાણે કેમ બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં

રેકર્ડની ત્રણ ન્યાત તો પિનની ચાર જાત 

એક છોટા સા મંદિર બનાયેંગે,
અપની દેવી કો ઉસમેં બિઠાયેંગે.

એક જમાનામાં કુંવારા જુવાનોમાં આ ગીત ખાસ્સું પોપ્યુલર થયેલું. મોટેથી ગાવાની હિંમત તો ન ચાલે, એટલે કોઈ રૂપાળી પોટ્ટીને જોઈને મનમાં ગણગણી લે. પણ કહી શકશો, આ ગીત કઈ ફિલ્મનું છે? ૧૯૩૮માં રિલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું ‘ગ્રામોફોન સિંગર.’ સુંદરદાસ, તેની પત્ની મોહિની, અને તિલોત્તમા વચ્ચેના પ્રણય ત્રિકોણની વાત. એ ત્રણ પાત્રો ભજવ્યાં હતાં એ જમાનાના અગ્રણી એક્ટર-ગાયક સુરેન્દ્ર, પ્રભા અને બિબોએ. પણ તમે કહેશો : આમાં ગ્રામોફોન વચમાં કેવી રીતે આવ્યું? સુંદરદાસ અને મોહિનીનો સુખી સંસાર. પણ સુંદરદાસ અને તિલોત્તમા બંને જાણીતાં ગ્રામોફોન સિંગર. તિલોત્તમા પહેલાં સુંદરદાસના અવાજના અને પછી ખુદ સુંદરદાસના પ્રેમમાં પડે છે. અને પછી … પણ આપણે કાંઈ ફિલ્મની વાત નથી કરવી. વાત કરવી છે ગ્રામોફોનની.

આમ તો, છેક ૧૮૯૮થી પરદેશી ગ્રામોફોન મશીન મુંબઈમાં અને કલકત્તામાં વેચાતાં થયાં હતાં. એ હતાં ભૂંગળાવાળાં, અને હાથથી હેન્ડલ ફેરવીને ચલાવવાનાં. વગાડવા માટેની રેકર્ડ પણ બ્રિટન-અમેરિકાથી આવે, બધી પશ્ચિમી સંગીતની. અને આ બધું એટલું તો મોંઘુ દાટ કે મોટા શ્રીમંતોને જ પોસાય. પણ પછી ભૂંગળા ગયાં, સાઉન્ડ બોક્સ આવ્યાં, સ્પ્રિંગની ચાવી આવી. અને સૌથી વધુ મહત્ત્વનું તે તો આપણાં ‘દેશી’ ગાયક-ગાયિકાનાં ગીતોનું રેકોર્ડિંગ કલકત્તામાં શરૂ થયું. ગ્રામોફોન અને રેકર્ડ આવ્યાં ત્યારે હજી ‘સારા ઘરની’ સ્ત્રીઓ જાહેરમાં ગાતી-નાચતી નહિ, નાટકમાં પણ ભાગ ન લેવાય! હજી ફિલ્મો તો આવી નહોતી. એટલે રેકોર્ડિંગ કંપનીએ ‘નોચ ગર્લ્સ’નો આશરો લીધો. મિસ દુલારી, મલકાજાન, અંગુરબાલા, ઇન્દુબાલા, કમલાબાઈ, ગોહરજાન એ જમાનાની જાણીતી ગાયિકાઓ બની અને એમનો અવાજ અનેક ઘરોમાં સંભળાતો થયો. શરૂઆત હિન્દી-ઉર્દૂ ગઝલ અને દાદરા, ઠુમરી, વગેરેથી થઈ. પછી આવ્યું ભક્તિ સંગીત, લોક સંગીત, નાટ્ય સંગીત, અને છેલ્લે ફિલ્મ સંગીત. અને પાછું આ બધું દેશની જુદી જુદી ભાષાઓમાં. ગુજરાતીની વાત કરીએ તો આવ્યું બાળસંગીત, આવ્યા ગરબા-રાસ, આવ્યાં લગ્ન ગીતો.

સાઉન્ડ બોક્સવાળું ગ્રામોફોન

ગીતોનું રેકોર્ડિંગ દેશમાં થતું, પણ તે પછી રેકર્ડ ‘પ્રેસ’ કરવા માટે તો એ રેકોર્ડિંગ પરદેશ જ મોકલવાં પડતાં. મોટા ભાગની રેકર્ડ જર્મનીમાં પ્રેસ થતી અને ત્યાંથી આપણા દેશમાં આયાત થતી. શરૂઆતની રેકર્ડોમાં ગાયક કે ગાયિકા છેલ્લે અંગ્રેજીમાં પોતાનું નામ બોલે છે તે આ કારણે. જર્મન ટેકનિશિયનોને આપણી ભાષાઓ તો આવડે નહિ. એટલે અંગ્રેજીમાં બોલાયેલું નામ રેકર્ડ બનાવામાં અને પછી તેને ઓળખવામાં મદદ કરે. ધીમે ધીમે ગ્રામોફોન અને રેકર્ડે મુંબઈના મધ્યમ વર્ગનાં ઘરોમાં પ્રવેશ કર્યો. જે ઘરમાં ગ્રામોફોન હોય એ ઘરનો અડોશપડોશમાં છાકો પડી જતો. વીસમી સદીનાં પહેલાં પચાસેક વરસ મુંબઈનાં ઘરોમાં ગ્રામોફોનનું સ્થાન રહ્યું.

આ લખનારને આજે ય તે બરાબર યાદ છે એ કાળું, નાનું, સાઉન્ડ બોક્સવાળું એચ.એમ.વી. કંપનીનું ગ્રામોફોન. (કોણ જાણે કેમ એ વખતે બધાં ગ્રામોફોન કાળા રંગનાં જ આવતાં.) દિવાળીના ચાર દિવસ સવારના પહોરમાં ગ્રામોફોન વગાડવાનું એટલે વગાડવાનું જ. ધનતેરસ અને કાળી ચૌદસે સવારે છથી સાડા છ. દિવાળીને દિવસે સાડા પાંચથી છ. અને બેસતે વરસે પાંચથી સાડા પાંચ. દિવાળી અને બેસતે વરસે સૌથી પહેલાં બિસ્મિલ્લા ખાંની શરણાઈની રેકર્ડ વગાડવાની. તે પહેલાંના બે દિવસ વાગે ક્લેરિનેટ પર વગાડેલા રાગ સગરાઈ કાનડાની રેકર્ડ. આ ક્લેરિનેટ તે આપણી શરણાઈને મળતું આવતું પશ્ચિમી વાદ્ય. એ વખતે કેટલાક કલાકારો તેના પર આપણું રાગ સંગીત વગાડતા. પછી બીજાં હિન્દી-ગુજરાતી-બંગાળી ગીતો વગાડવાનાં. આમ, દિવાળીના ચાર દિવસ ઘરમાં સવારની શરૂઆત થાય સંગીતથી. અને એ શરૂઆત કરવાનું ઉત્તરદાયીત્ત્વ સોપાયેલું આ નાચીઝને. એટલે સવારના પહોરમાં મીઠાઈ ખાધા વગર મોઢું ગળ્યું ગળ્યું.

ચાર રંગ, ચાર જાતની પિન

ગ્રામોફોનનો રૂઆબ ગજબનો. પહેલાં હળવે હાથે કાળું ઢાકણું ખોલવાનું. પછી સફેદ કપડાના ચોખ્ખા કટકાથી ટર્ન ટેબલ સાફ કરવાનું. તેના પર લીલા રંગનું મખમલ જેવું કપડું જડેલું હોય. પહેલાં જૂની પિન કાઢીને એક ખાલી ડાબલીમાં મૂકી દેવાની, જેથી ભૂલમાં પણ કોઈને વાગી ન જાય. પછી બીજી દાબડીમાંથી નવી પિન કાઢવાની. દાબડી પાછી ચાર રંગની આવે. કાળા રંગની દાબડીની પિનનો સૌથી મોટો અવાજ. લાલ રંગના ઢાંકણાવાળી દાબડીની પિનથી મોટો અવાજ આવે. લીલા ઢાંકણાવાળી ડાબલીની પિનથી એકદમ ‘સોફ્ટ’ અવાજ આવે. પીળા રંગની દાબડી એ બંને વચ્ચેની, મધ્યમ, માફકસરનો અવાજ. સાઉન્ડ બોક્સમાં અવાજ નાનો મોટો કરવાની સગવડ એ વખતે નહિ. એટલે એ માટે આ ચાર જાતની પિન પર આધાર. હવે જાડા કાગળની ‘સ્લીવ’માંથી હળવે હાથે કાળી, ચકમકતી રેકર્ડને સંભાળીને કાઢવાની. એ વખતે હજી ‘વિન્યાલ’ની રેકર્ડ આવેલી નહિ. એટલે તડ પડતાં કે તૂટતાં વાર ન લાગે. અરે, ઉઝરડો પડ્યો હોય તો ય પિન આગળ વધે જ નહિ. એકની એક પંક્તિ વાગ્યા કરે. ઘણાં ગલઢેરાંને એકની એક વાત ફરી ફરી કરવાની ટેવ હોય છે. ત્યારે કહેવાતું કે ‘એમની તો પિન અટકી ગઈ છે.’ રેકર્ડને ટર્ન ટેબલ પર મૂકવાની. હવે કામ કરવાનું ચાવી ચડાવવાનું. હળવે હાથે હેન્ડલ ઘુમાવો એમ સ્પ્રિંગ વાઈન્ડ થતી જાય. એક વાર વાઈન્ડ કરો પછી રેકર્ડની બંને બાજુ વગાડી શકો. સ્ટોપર ખોલીને ગ્રામોફોન ચલાવવાનું. ટર્ન ટેબલ સાથે રેકર્ડ ઘૂમવા લાગે એટલે સાઉન્ડ બોક્સનું હેન્ડલ ઉપાડીને પિનને રેકર્ડની બહારની ધાર પર મૂકવાની. અને આખા ઘરમાં જ્યુથિકા રોયનો અવાજ ગુંજી રહે : ‘ઘૂંઘટ કા પટ ખોલ, તોહે પિયા મિલેંગે.’

ગ્રામોફોન રેકર્ડ

એ વખતે ગ્રામોફોન રેકર્ડમાં સમાજવાદનો જમાનો હતો. નાની-મોટીનો ભેદ નહોતો. બધી રેકર્ડ ૧૦ ઇંચ અને ૭૮ RPM(રાઉન્ડ પર મિનિટ)ની. સાડા ત્રણ મિનિટ વાગે. પણ પછી રેકર્ડની દુનિયામાં નાની-મોટીના ભેદ ઊભા થયા. બાર ઈંચની લોંગ પ્લેયિંગ (LP) રેકર્ડ ૩૩ RPMની. અને સૌથી નાની ૭ ઈંચની, ૪૫ RPMની. પણ આ નાની-મોટી રેકર્ડ એક જ મશીન પર વગાડવાનું શક્ય બન્યું તે તો ચાવીવાળાંને બદલે ઇલેક્ટ્રિકથી ચાલતાં ગ્રામોફોન આવ્યાં તે પછી. તેમાં પછી તો નાનાં લાઉડ સ્પીકર પણ મૂકાયાં. ગ્રામોફોનને રેડિયો સાથે જોડીને બન્યું રેડિયોગ્રામ. રેકોર્ડિંગ કરવાનું અને રેકર્ડ પ્રેસ કરવાનું વધુ ને વધુ સહેલું અને સસ્તું બનતું ગયું. એક જમાનામાં આઝાદ મેદાન કે ક્રોસ મેદાનમાં દર વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર દરમ્યાન ‘ફન-ફેર’ કે મેળા ભરાતા. તેમાં નાનાં રેકોર્ડિંગ બૂથ પણ હોય. પાંચ રૂપિયા (એ વખતે એ નાની રકમ નહોતી) આપીને તમે બૂથમાં જાવ. ગમે તે ગાવ કે બોલો. પછી પાંચ-દસ મિનિટ રાહ જોવાની. જાડા પૂંઠા પર લગાડેલા લાખવાળી તમારી નાનકડી રેકર્ડ તૈયાર. ત્યાં તો સાંભળી જ શકો, ઘરે જઈને પણ ગ્રામોફોન પર સાંભળી શકો.

દાયકાઓ સુધી આપણા દેશમાં ગ્રામોફોન રેકર્ડની દુનિયામાં એચ.એમ.વી., કોલમ્બિયા, અને એન્જલ, એ ત્રણ કંપનીએ અડ્ડો જમાવેલો. પણ પછી ‘દેશી’ઓ પણ આગળ આવ્યા. કલકત્તામાં ‘હિન્દુસ્તાન રેકર્ડ’ શરૂ થઈ, તો મુંબઈમાં નેશનલ રેકોર્ડિંગ કંપની. ૧૯૩૫ના જૂન મહિનાની ૨૭મી તારીખે તેની સ્થાપના થઈ. તેનું સરનામું હતું ૧૧૦ મેડોઝ સ્ટ્રીટ, આજનું નામ નગીનદાસ માસ્તર રોડ, કોટ, મુંબઈ ૧. (એ જમાનામાં દેશમાં પિન કોડ નહોતા.) આ લખનારના અંગત સંગ્રહમાં તેનું ઓક્ટોબર ૧૯૩૮નું ‘દિવાળી રિલીઝ’નું કેટલોગ છે. તેના પૂંઠા પર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો ફોટો છાપ્યો છે. કેમ? એ દિવાળીએ કંપની તેમની બે નવી રેકર્ડ બજારમાં મૂકવાની હતી. ટીએમ ૮૩૪૪ નંબરની રેકર્ડની બંને બાજુ પર મેઘાણીનું અત્યંત જાણીતું, દેશદાઝથી ઊભરાતું કાવ્ય ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’ તેમના જ અવાજમાં રજૂ થયું હતું. બીજી રેકર્ડ ટીએમ ૮૩૨૭ પર મેઘાણીએ ગાયેલાં બે હાલરડાં હતાં ‘તારે આવડી લાલપ ક્યાંથી,’ અને ‘તમે મારા દેવાના દીધેલ છો.’ આ ઉપરાંત રંગભૂમિનાં જાણીતાં કલાકાર અમીરબાઈ કર્ણાટકીનાં નાટ્યગીતો, સુમતિબહેન દરુ અને પાર્ટીના ગરબા, કમલેશ એન્ડ પાર્ટીનું કોમેડી નાટક ‘ગોર જજમાન’ વગેરે નવી રેકર્ડો પણ એ દિવાળીએ કંપનીએ બજારમાં મૂકી હતી. એ વખતની જાહેર ખબરની ભાષાનો એક નમૂનો જુઓ. સુમતિ દરૂ અને તેમની રેકર્ડનો પરિચય આપ્યા પછી અંતે લખ્યું છે : “જ્યારે અમારા ડિલર્સ પાસે આ રેકર્ડ સાંભળવા જાવ ત્યારે વધુ નહિ તો દોઢ રૂપિયો તો આપના ખિસ્સ્સામાં રાખાશો જ, નહિ તો કોઈ સ્નેહી પાસેથી ઉછીનો લઈને પણ આ રેકર્ડ તમારે ખરીદવી જ પડશે. – એ જ આ રેકર્ડનો જાદુ છે.”

એમ્પલિફાયર અને મોટાં લાઉડ સ્પીકર આવ્યાં તે પછી ગ્રામોફોન ઘરની બહાર નીકળ્યું. સાર્વજનિક સમારંભો કે કાર્યક્રમોમાં રેકર્ડો વગાડવાનું સામાન્ય બન્યું. સત્યનારાયણની પૂજા છે? વગાડો ભક્તિગીતો. ગણેશોત્સવ છે? મંડપમાં વગાડો :

जय देव जय देव, जय मंगल मूर्ति
दर्शनमात्रे मनःकामना पूर्ति
जय देव जय देव

નવરાત્રીના નવ દિવસ રાતે સંભળાય :

જય આદ્યા શક્તિ, મા જય આદ્યા શક્તિ …

અરે! બેટરીથી ચાલતાં ગ્રામોફોન, એમ્પલિફાયર, સ્પીકરની મદદથી વરઘોડામાં પણ રેકર્ડો વગાડતા! પેટ્રોમેક્સના દીવા માથે ઉપાડીને ચાલતી ‘બાઈઓ’ અને જૂની પુરાણી જીપમાં ગોઠવેલ લાઉડસ્પીકરમાંથી વાગતાં ગીતો એ તો મોભાની નિશાની ગણાતી. પણ જે ઊગે છે તે આથમે છે, જે ચડે છે તે પડે છે. ગ્રામોફોન અને તેની રેકર્ડે ઘણાં વરસ જાહોજલાલી ભોગવી. પણ પછી ગ્રામોફોન ઓશિયાળું બનીને ખૂણો પાળતું થયું. ઘરમાં આવ્યો માથાભારે રેડિયો. પણ એની વાત હવે પછી ક્યારેક.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 18 ડિસેમ્બર 2021 

Loading

ઝીણાં ઝીણાં સંવેદનોનો આંસુ ભીનો આસ્વાદ : ‘21મું ટિફિન’

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|17 December 2021

‘21મું ટિફિન’, રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ‘હેલ્લારો’ પછીની બીજી કલાત્મક ફિલ્મ છે. કલાત્મક કહીએ એટલે ફિલ્મ અઘરી લાગવા માંડે અને પ્રેક્ષકો ઘટવા માંડે, પણ એવો ભય આ ફિલ્મ માટે રાખવાની જરૂર નથી. આ એકદમ સરળ અને સંવેદન સભર ફિલ્મ છે. તેના દિગ્દર્શક વિજયગિરિ બાવાએ કલાત્મક અને કમર્શિયલ ફિલ્મ વચ્ચેની ભેદ રેખા ભૂંસી નાખી છે. હા, થોડી કાળજીથી ફિલ્મ જુઓ તો આનંદ બેવડાય એ ખરું. જેમ કે, ટાઈટલમાં ‘ટિફિન’નું લેટરિંગ એવું કર્યું છે કે એમાં તમને ટિફિનનો આકાર અનુભવાય. એવું કોઈ પકડે તો તેને વધારે આનંદ થાય. બીજી મજા એ છે કે ફિલ્મની નાયિકા મા, દીકરી, પત્ની, બહેન, મિત્ર વગેરે છે, પણ તેને ફિલ્મમાં નામ જ નથી આપ્યું, તે એટલે કે સ્ત્રીની જે તે ભૂમિકા જ તેનું નામ થઈ જતું હોય છે. એ તો છેલ્લે ફિલ્મનો નાયક ધ્રુવ, જેને માટે ગિફ્ટ લાવ્યો છે, તેનું નામ જાણતો નથી એટલે લખતો નથી ત્યારે પ્રેક્ષકોને પણ ખબર પડે છે કે આ આધેડ મહિલાને નામ જ નથી.

ફિલ્મ શરૂ થાય છે ત્યારે ધ્રુવ છ મહિનાની ઇન્ટર્નશિપમાં ભાવનગરથી અમદાવાદ આવે છે ને એક રૂમમાં ચારેક જણાની સાથે રહે છે. ધ્રુવની માતાનો આગ્રહ છે કે બહારનું ખાવું નહીં. મિત્રો પેલી ‘ન-નામી’ બાઈ પાસેથી ટિફિન મંગાવીને જમતા હોય છે ને એમનું ટિફિન ધ્રુવ ચાખે છે. એને એવો ચટકો લાગે છે કે ટિફિન લાવતાં વડીલને પોતાનું ટિફિન બંધાવવાનું કહે છે, પણ નાયિકા ‘નહીં ફાવે’ એવું કહીને ટાઢું પાણી રેડી દે છે. ધ્રુવ ફરી કહેવડાવે છે, પણ વીસ ટિફિન ભરતી નાયિકા 21મું ટિફિન ભરવા તૈયાર નથી. ના પાડવાનાં તેની પાસે પૂરતાં કારણો પણ છે. ઘરમાં ભણતી દીકરી છે. તે એ મુદ્દે ઝઘડતી રહે છે કે ટિફિન બનાવવાની કોઈ લાચારી નથી, છતાં મા પ્રેશરની તકલીફ સાથે ઉદાસ ચહેરે બધું કરતી રહે છે. વેકેશનને ભોગે દીકરી નીતુ, ટિફિન સર્વિસમાં માને મદદ કરવા રાજી નથી. ઘરમાં નાયિકાનો પતિ છે, પણ તે પોતાનામાં જ વ્યસ્ત છે. નાયિકાને ટિફિનની એવી ટેવ પડી છે કે ઊંઘમાં પણ તેને મિક્સરનો અવાજ સંભળાયા કરે છે. તે અજંપ છે. નાયિકાને તેની બા પણ છે ને તેને તીવ્ર ડાયાબિટીસ અને અલ્ઝાઇમર છે. તેને મધ જેવી સુખડી ખાવી છે, પણ ભારે ડાયાબિટીસને કારણે તેનાં દીકરા-વહુ તેને ગળ્યું ખાવાં દેતાં નથી. નાયક ધ્રુવ ટિફિનની ના આવતાં પોતે નાયિકા સુધી પહોંચે છે ને તેની રસોઈનાં મન મૂકીને વખાણ કરે છે. નાયિકા માટે આ નવું છે. આજ સુધી કોઈએ તેને બે સારા શબ્દ કહ્યા નથી ત્યાં ધ્રુવની પ્રશંસા તેને તેની ઓળખ આપે છે. ઠીંગરાઈ ગયેલી નાયિકાનો જાણે જીર્ણોદ્ધાર થાય છે ! આમ તો તે ચેતનવંતી છે જ. રસોઈમાંથી ઊઠતી વરાળને બે હથેળીમાં ભરી લેવાનું તે માણે છે, પણ કોઈને તેની ખબર પડતી નથી એટલે તેનાં વ્યક્તિત્વ પર ઉદાસીની પરત ચડી ગઈ છે. ધ્રુવની પ્રશંસા એ પરત તોડે છે ને મૂર્તિમાંથી નાયિકા જાણે માનવીય રૂપે પ્રગટ થાય છે. તેને સારા દેખાવાનું ગમવા લાગે છે. ધ્રુવને ગમશે એમ માનીને તે રસોડામાં ઊંચેથી બરણી ઉતારી ટિફિનમાં અથાણું મોકલે છે. ધ્રુવને તે એટલું ભાવે છે કે એટલું જ ખાઈને પેટ ભરી લે છે. કોઈક નિમિત્તે ધ્રુવ ઘરે આવતો જતો રહે છે ને નાયિકા તેને માટે જુદાં જ આકર્ષણે તૈયાર થતી રહે છે. ધ્રુવની સહાનુભૂતિ પણ વધતી રહે છે, ખાસ તો એ પ્રસંગે જ્યારે નાયિકા સુખડી બનાવે છે ને ડાયાબિટીસ વધશે એની ચિંતા વગર બાને ખવડાવી આવે છે ને પછી અપરાધભાવે પીડાય છે. મમ્મીમાં આવેલો મહેક્તો ફેરફાર દીકરી નીતુ નોંધે છે. તેને નથી ગમતું, પણ મમ્મીને એ ખીલતાં રોકી શકતી નથી. તેની સાથે સમસંવેદન પણ અનુભવે છે. નીતુના પપ્પા તેને કહે પણ છે કે તું તારી મમ્મી જેવી જ થતી જાય છે, તો નીતુ કહે છે કે મમ્મી જેવી જ નહીં, મમ્મી જ થઈ ગઈ છું. એટલે જ તો મા દીકરીના વાળ ઓળે છે. દીકરી જાણે મા થઈ ગઈ છે ને મા દીકરી થઈ ઊઠે છે ! નાયિકાને આશા ભોંસલેના ગીતો સાંભળવાનું ગમવા માંડે છે, કારણ ધ્રુવને એ ગમે છે. ઘરમાં એ ચંપાનાં ફૂલો સજાવે છે, કારણ એ ફૂલો પહેલીવાર ધ્રુવ ઘરમાં સજાવી ગયો છે. પણ જે ચંપાની નિયતિ છે તે જ નાયિકાની થાય છે. ચંપામાં રૂપ, રંગ ને ગંધ છે, પણ ભ્રમર તેની પાસે આવતો નથી. ધ્રુવ ઇન્ટર્નશિપ પૂરી થતાં વિદાય લે છે ને નાયિકાને એવો આઘાત લાગે છે કે રોજની જેમ બીજા ટિફિનની જેમ 21મું ટિફિન ભરવા બરણી ઉતારે છે ને દીકરી યાદ અપાવે છે કે હવે 21મું ટિફિન ભરવાનું નથી …

ફિલ્મ અહીં પૂરી થાય છે.

‘નવનીત- સમર્પણ’માં આવેલી રામ મોરીની એ જ શીર્ષકની વાર્તા પરથી વિજયગિરિ બાવાએ ‘21મું ટિફિન’ ફિલ્મ દિગ્દર્શિત કરી છે. રામ મોરીની જ વાર્તા ‘મહોતું’ પરથી વિજયગિરિ બાવાએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પહેલી શોર્ટ ફિલ્મ બનાવેલી. ‘21મું ટિફિન’ પણ શોર્ટ ફિલ્મ જ બનવાની હતી. રામે એની સ્ક્રિપ્ટ પણ લખી લીધેલી. કાસ્ટિંગ પણ થઈ ગયેલું, પછી લાગ્યું કે એની ફીચર ફિલ્મ થઈ શકે એમ છે ને પછી એ દિશામાં ગતિ થઈ ને તે ફીચર ફિલ્મ તરીકે 10 ડિસેમ્બરે થિયેટરોમાં રજૂ થઈ. નાયિકાની ભૂમિકા નીલમ પંચાલે ભજવી છે ને કહેવું જોઈએ કે ઝીણાં ઝીણાં સંવેદનો, સ્ત્રી સહજ ભાવો ને ભાવોમાં આવતું પરિવર્તન તેણે સુપેરે પ્રગટ કર્યાં છે. નીતુની ભૂમિકા નેત્રીએ કરી છે ને આજના સમયની છોકરીને તેણે આબેહૂબ રજૂ કરી છે. દીકરી તરીકે તે ઝઘડે ય છે ને મમ્મીને ચાહે પણ છે. તો, ધ્રુવ તરીકે રોનક કામદારે પણ સજીવ અભિનય આપ્યો છે.

ફિલ્મ વાર્તા પરથી બને ત્યારે માધ્યમને અનુરૂપ ફેરફારો કરવા પડે એ સાચું, પણ ફેરફાર મૂળ વાતને અનુરૂપ હોવા ઘટે. નાયિકાનો ભાઈ, બાને લઈ જવાની ગણતરીએ તેને બોલાવે ને પછી બાને બદલે બાનો સામાન લઈ જવાનું કહે ને નાયિકા પણ સામાનને બદલે સાડી અને પતંગિયાનું ભરત ભરેલો થેલો જ લઈ આવે ત્યારે એ યુક્તિ પકડાઈ જાય કે થેલામાં ટિફિન ભરવા માટે જ નાયિકાનું પિયર ઊભું કરવું પડ્યું છે. ધ્રુવનું પાત્રાલેખન પણ થોડું વિચિત્ર એ રીતે છે કે તે સહાનુભૂતિ બતાવે ત્યાં સુધી તો ઠીક છે, પણ તે ય આકર્ષાતો હોય તેવું જે બતાવાયું છે તે પ્રતીતિકર નથી લાગતું. આમ તો આ એવો સંબંધ છે જે કોઈ સામાજિક માળખામાં ગોઠવાઈ શકે એમ જ નથી. આ કેવળ સંવેદન છે ને તેનો માત્ર અનુભવ જ થઈ શકે છે. કેટલી ય એવી લાગણીઓ છે જે જીવાઈ જ નથી, બાકી રહી ગઈ છે ને તેને ધ્રુવ જેવો આવીને અંકુરિત કરી આપે છે. બુદ્ધિ તો કહે જ છે કે આ લાગણીઓ સામાજિક નથી, પણ મન એને અસામાજિક નથી માનતું ને થોડું જુદું જીવાઈ પણ જાય છે ને એક આઘાત સાથે પરત આવી જવાનું થાય છે, જ્યાં ચંપો નથી, વરસતા વરસાદમાં, પલળેલા ઘાસમાં ઊછળીને જળમોતીઓ ટકરાવવાના નથી. ત્યાં તો 20 ટિફિનોની ઘરેડ જ છે. એમાં જીવવાનું તો છે, પણ જીવન નથી !

આ ફિલ્મ 52માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી પામીને રજૂ થઈ ચૂકી છે. તે સાથે જ તેને  આઇ.સી.એફ.ટી. યુનેસ્કો ગાંધી ચંદ્રક પણ મળી ચૂક્યો છે ને બીજા ઘણાં પુરસ્કારો તેને મળે તેવી તેની ક્ષમતા છે. જો કે, ‘21મું ટિફિન’ને હજી સુધી તો ગુજરાતી પ્રેક્ષકો જોઈએ એટલા મળ્યા નથી. કોણ જાણે કેમ પણ ગુજરાતીઓએ ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મોને જેટલો અન્યાય કર્યો છે એટલો બીજા કોઈએ કર્યો નથી. એ જ કારણે ગુજરાતી ફિલ્મો ઓછી અને ઓછી ગુણવત્તાની ઊતરી છે. હવે જ્યારે કોઈ પણ ભાષાની ફિલ્મોને ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે, ત્યારે ગુજરાતી પ્રેક્ષકોએ તેને મન મૂકીને વધાવવી જોઈએ. બીજી ભાષાના પ્રેક્ષકોએ આ ફિલ્મને વધાવી હોય ને ગુજરાતમાં તેને પ્રેક્ષકો ન મળે એ કોઈ રીતે આવકારદાયક નથી. ટેક્નિકલી પણ આ ફિલ્મ સમૃદ્ધ છે. તેની ફોટોગ્રાફી પાર્થ ચૌહાણની છે. ફિલ્મ શરૂ થાય છે ત્યારે સ્ક્રીન પર કેમેરા ડાબેથી જમણે સરકે છે – એમાં ક્રેડિટ ટાઈટલ્સની સાથે એક પછી એક રસોઈની સામગ્રી અને સાધનો દેખાતાં આવે છે ને એ રસોઈ જેમાં ભરાવાની છે તે 20 ટિફિનો એક સાથે બતાવાય છે ને છેલ્લે બતાવાય છે ચંપાફૂલોની સાથે અલગ ચમકતું 21મું ટિફિન ! એ સાથે જ રણકતી રહે છે સિતારની શાસ્ત્રીય ધૂન ! સંગીત અને પાર્શ્વસંગીત મેહુલ સૂરતીનું છે. પાર્થ તારપરાનું એક જ ગીત ફિલ્મમાં છે, ‘રાહ જુએ શણગાર અધૂરો ..’ તેને ગાયું છે, મહાલક્ષ્મી ઐયરે. હૃદયસ્પર્શી રીતે તે ગવાયું છે ને મેહુલે જે તે શબ્દો પર સ્ટ્રેસ મુકાવીને, સ્ટુડિયોમાં, બહુ સમજ સાથે સિતાર અને વાંસળીના સૂરો વચ્ચે ગવડાવ્યું પણ છે. ગીતમાં એક પંક્તિ છે, ’કાન ઉપર નથ, નાકમાં બાલી …’ ગાયિકા ગુજરાતી ભાષી નહીં, એટલે ‘કાન ઉપર નથના … કમાં …’ ગાતી હતી. મેહુલે એને સમજાવ્યું કે ‘નથના’ નહીં, ‘નથ, નાકમાં …’ એમ ગાવાનું છે, ‘નથ’ સાથે ‘ના’ જોડવાનું નથી. ગાયિકાને એ સમજાયું ને પછી તો પૂરા ભાવથી અભિસારિકાના અધૂરા શણગારને પૂરો કર્યો.

આ ફિલ્મમાં મારધાડ ને બંદૂકબાજી નથી. બહારથી નંખાયેલાં સસ્તાં ગીતો નથી. વિદેશી દૃશ્યો નથી. પણ, ધરતીમાંથી બહાર આવતી લીલાશનો ભીનો રવ છે. ન પ્રગટ થઈ શકતા ભાવોનું દૃશ્યરૂપ છે. આંખેથી નહીં, પણ હૈયેથી વહેતાં આંસુની ભીનાશ છે. જેમને કશુંક સંવેદનાને સ્તરે અનુભવાય છે, પણ શબ્દો નથી બનતા એવા પ્રેક્ષકોને આ ફિલ્મ ગમશે. એ જરૂર ‘21મું ટિફિન’ ખોલશે ને એના સ્વાદને જરૂર માણશે. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 ડિસેમ્બર 2021

Loading

...102030...1,6621,6631,6641,665...1,6701,6801,690...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved