એક ખોપરીએ
છૂટાછેડા થયા તેનો સમારંભ કર્યો
પતિપત્નીએ ફરી
બેચલર થવાનો આનંદ લેવા
મિત્રોને આમંત્રણ આપ્યું
ને રિસેપ્શનને 'ડિસેપ્શન' નામ આપ્યું
સ્ટેજ પર પતિપત્ની
બંને છેડે અલગ અલગ બેઠાં
એટલે જે ગયાં તેમણે
બંનેને જુદાં જુદાં કવર કરવાં પડ્યાં
બમણું ખાવાનું હશે
એ ગણતરીએ સૌએ બમણો ચાંદલો કર્યો
કવર આપતી વખતે
સૌએ શુભેચ્છાઓ આપી
બીજે પરણવાનું કહ્યું તો બંનેએ કહ્યું :
એટલે જ તો છૂટાં થયાં
હવે ફરી રિસેપ્શન ગોઠવીશું
અત્યારે તો છૂટાં થયાં તેનું જમીને જાવ !
હું જમવા ગયો તો વ્યવસ્થા પણ જુદી હતી
પાર્ટીપ્લોટના બેઉ છેડે
આઈટમ્સનાં ટેબલ લાગેલાં હતાં
પ્લેટ આ છેડે તો બાઉલ્સ બીજે છેડે !
એટલી બધી આઇટમ્સ હતી કે
બધે પહોંચાય જ નહીં
ગાંઠિયાં દૂર હતાં
ને ટાંટિયાં પાસે રહેવા માંગતા હતાં
સબ્જીમાં ગાજર પનીર, ચીઝ ઊંધિયું,
મન્ચુરિયન ગટ્ટા, ચોકલેટ ચિલ્લી
પરોઠા, રોટલી, ભટુરા, પૂરી વગેરે હતું
પણ પનીર ગાજર અહીં હતું તો
પૂરી, પરોઠા પેલે છેડે હતાં
રાઈસ અહીં તો દાલ ત્યાં,
પુલાવ અહીં તો કરી ત્યાં
અડધાએ તો એકલું શાક જ ખાધું
કારણ રોટલી
ચોટલી ઊભી કરી દે એટલે દૂર હતી !
રબડીજલેબી હતી
પણ રબડી અહીં ને જલેબી ત્યાં –
ઉપરથી બંને કહેતાં હતાં : જમજો હં !
પણ જમવા કરતાં
ભૂખ્યા રહેવાનું સહેલું હતું ..
મેં પૂછ્યું તો ખરું :
આ બધું છૂટું છૂટું કેમ રાખ્યું?
તો સંયુક્ત જવાબ આવ્યો :
છૂટાછેડાનું જમણ તો છૂટું જ હોયને !
હું ઘરે આવીને જમવા ગયો
તો પત્ની વાસણો ધોઈને સૂઈ ગઈ હતી …
000
e.mail : ravindra21111946@gmail.com
'સંદેશ'ની અર્ધ સપ્તાહિક પૂર્તિમાં મારી કોલમ – ‘કાવ્યકૂકીઝ’ 16/02/2022
![]()


ગાંધીજી શું હતા, આપણને ખબર છે? દક્ષિણ આફ્રિકામાં જ્યાં માત્ર અંગ્રેજો પ્રેકટિસ કરી શકતા ત્યાં બેરિસ્ટર ગાંધીએ ધીકતી કમાણી કરી. એવા મુત્સદી રાજનીતિજ્ઞ કે બ્રિટિશ શાસકોને હંફાવ્યા. એવા આધ્યાત્મિક સાધક કે દરિદ્રમાં નારાયણને જોયો. એવા માનવતાવાદી કે અહિંસક સમાજની કલ્પના આપી ને છેક છેવાડાના માણસનો ઉત્કર્ષ સાધવા ઈચ્છ્યું. સત્યના એવા કઠોર ઉપાસક કે સિદ્ધાંત માટે કદી બાંધછોડ ન કરી. અહિંસાના એવા પૂજારી કે દુશ્મનમાં રહેલા ઈશતત્ત્વને કદી ન વિસાર્યું. એવા પત્રકાર હતા જેનું ધ્યેય ઉત્તમ પત્રકાર બનવાનું ન હતું, પણ લોકો સુધી પહોંચવા એમણે પોતાનાં છાપાં કાઢ્યાં, દેશના ખૂણે ખૂણે પહોંચ્યા ને લોકમતને એવો આબાદ કેળવ્યો કે આજે પણ પત્રકારત્વ શીખવા માગનારે ગાંધીજીના પત્રકારત્વ વિશે ભણવું પડે છે. મેનેજમેન્ટ અને કૉમ્યુનિકેશન શીખવનારા ગાંધીજીને ટાંકે છે. કેળવણીકાર એવા કે વિદ્યાર્થી ભણવા સાથે હુન્નર શીખી સ્વાવલંબી થાય તેવી નઈ તાલીમ શોધી. સ્ત્રીઓના એવા હમદર્દ કે ઉદ્ધારક બનવાને બદલે એમનામાં સૂતેલી શક્તિને જગાડી અને દેશના કામમાં પ્રયોજી. એમનું ધ્યેય સાહિત્યકાર બનવાનું પણ ન હતું છતાં સાહિત્યના ઇતિહાસમાં એમના નામે એક યુગ બોલે છે. એવા અપરિગ્રહી કે એમની પાસે પોતાનું મકાન, વાહન, નાણું કે બૅન્કમાં ખાતું સુદ્ધાં નહીં. મૃત્યુ પછી એમની કહેવાય એવી ચશ્માં, ચાખડી, લાકડી, ગીતા, લાકડાનો વાટકો જેવી માત્ર આઠદસ ચીજો હતી.
કરવા આવ્યા હતા. ગાંધીજી મીઠાનો સત્યાગ્રહ કરવાના હતા. શિરર ગાંધીજી સાથે થોડું રહ્યા હતા અને ગાંધીજીના મિત્ર થઈ ગયા હતા. એમણે ગાંધીજીની અહિંસા, મુત્સદ્દીપણું, રાજનીતિ, રમૂજ, હાજરજવાબી, અને પ્રખર આત્મબળને ઉજાગર કરતી અનેક વાતો લખી છે.