ચારે તરફ
સુસવાટાબંધ ફૂંકાતી
બાગી હવાએ
ફંગોળી દીધા છે બાપુને …
બચી ગયાં બાપડાં
લાકડી, ઘડિયાળ ને ચશ્માં !
હવે
એ ય તે જોખમી છે હોં !
સમજુઓ
સૂતક રાખીને
આઘે
ઠૂંઠું થઈને ઊભા છે
દૂર
ગોડસેના મંદિરમાં
અપૂર્વ ઘંટારવ થઈ રહ્યો છે
‘રઘુપતિ રાઘવ’ની ધૂને
રસ્તો બદલી નાખ્યો છે!
•
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 02
![]()


વડા પ્રધાન કાર્યાલયની સીધી નિગેહબાની નીચે ગુજરાત સરકારે ગાંધી આશ્રમના કથિત નવીકરણનો પ્રકલ્પ ઉપાડ્યો તે હવે એક નિર્ણાયક તબક્કા લગોલગ હોય એવી છાપ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ હેવાલ (૧૯-૧-૨૦૨૨) પરથી પડે છે. આ હેવાલ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ નામનું નવું ટ્રસ્ટ સરકારી રાહે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રીસિંક્ટ ડેવલપમેન્ટની ગવર્નિંગ કાઉન્સિલે એનું મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન બહાલ રાખ્યું તે પછી ગયા સપ્ટેમ્બરમાં તે ૫ડમાં પ્રવેશ્યું પણ વચલા મહિનાઓ તે આપણાથી ઓઝલ રહ્યું. આ હેવાલ સંદર્ભે ગાંધી આશ્રમ તરફથી કોઈ અધિકૃત પ્રતિભાવ અને સ્પષ્ટીકરણ આ લખાય છે ત્યાં સુધી આવ્યાં નથી. માત્ર, હેવાલ અંતર્ગત કાર્તિકેય સારાભાઈએ એક ટ્રસ્ટીને નાતે કહેલી વાત નોંધાઈ છે કે વડા પ્રધાને પોતે જ કહ્યું છે કે સરકારીકરણની કોઈ વાત નથી.
અત્યારે આ સમયે દિલ્હીમાં યમુના નદીને કિનારે એક મહાન પુરુષના દેહને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે જ્યારે તેઓ પ્રાર્થનામાં જવા નીકળ્યા ત્યાં જ કોઈક નવયુવાન દ્વારા તેમના પર ગોળી ચલાવવામાં આવી અને વીસ મિનિટમાં જ તેમના દેહનું જીવન સમાપ્ત થયું. સરદાર વલ્લભભાઈ તેમની સાથે લંબાણપૂર્વકની વાત કરીને પાછા જતા હતા ત્યાં રસ્તામાં જ એમને ખબર મળતાં તેઓ પાછા ફર્યા. બિરલા હાઉસ પહોંચીને એમણે જે દૃશ્ય જોયું તેનું વર્ણન તેમણે કર્યું, તેમાં એક વાત ખૂબ મહત્ત્વની હતી. તે એ કે ગાંધીજીના ચહેરા પર દયાભાવ તથા માફીનો ભાવ, એટલે કે અપરાધીને માટે ક્ષમાવૃત્તિ દેખાતી હતી. વલ્લભભાઈએ કહ્યું કે આપણને આ સમયે ગમે તેટલું દુ:ખ થયું હોય, ગુસ્સો નહીં આવવા દેવો જોઈએ. અને જો આવે તો પણ તેને રોકવો જોઈએ. ગાંધીજીએ જે વસ્તુ આપણને શીખવી તેનો અમલ એમના જીવતા તો આપણે ન કરી શક્યા, પરંતુ હવે એમના મૃત્યુ પછી તો તેનો અમલ કરીએ !
