સોનેટ
(વસંતતિલકા છંદ)
ઉત્કટ અતીવ મનમાં કંઈ ભાવ જાગે,
જોઉં સમીપ પ્રિયને જ્યહીં મારી પાસે.
દિવસો વીત્યા છ કંઈ કેટલા શૂન્યતામાં,
વેરાન ભૂમિ મનની ય પડી’તી સૂની.
બાળે બપોર રણના પટ શુષ્ક જેમ,
ઘીખી રહ્યું’તું મન એમ જ હાય મારું.
એમાં થઈ વીરડી એ મમ ઈષ્ટ આવ્યા,
છાઈ બધે શીતળતા પટ શુષ્કમાં એ.
હાયે, પરંતુ સખ્ય સધાય ના કંઈ,
સામીપ્ય એ થઈ રહ્યું મન બાળનારું.
છે આટલા નજીક, અંતર તો ય કેવું!
સંતાપ તેથી ઉરમાંહી થઈ રહ્યો છે.
ના દૈશ રે કદી ય અંતર દુઃખ, દાતા,
સામીપ્ય હોય, પરંતુ ન સખ્ય સાથે.
e.mail : surendrabhimani@gmail.com
![]()


જો કે એટલા મેસેજિસ ને વીડિયો ફરે છે કે એમાં શુભેચ્છાઓ પહોંચવાની શક્યતાઓ ઓછી જ છે, છતાં સૌને અઢળક અભિનંદનો. દિવાળીનો તહેવાર રાષ્ટ્ર તો ઊજવે જ છે, પણ અમેરિકા જેવા દેશે પણ હવે દિવાળીની રજા જાહેર કરી છે. એ ઉપરાંત ઈંગ્લેંડ ને અન્ય દેશોમાં પણ દિવાળીનો કોઈકને કોઈક રીતે મહિમા છે, એ પરથી પણ દિવાળીનું વૈશ્વિક મહત્ત્વ સમજાય એવું છે. એમ તો ક્રિસમસ પણ ભારત ઊજવે જ છે ને એમાં પણ વર્ષને વિદાય આપવાની અને નવાં વર્ષને આવકારવાની જ વાત છે. બંનેમાં મહિમા તો અજવાળાંનો જ છે. એકમાં દીવો છે, તો એકમાં મીણબત્તી છે. આપે તો બંને પ્રકાશ જ છે. બંને તહેવારોમાં ફટકડાઓ ફૂટે છે, આતશબાજીઓ થાય છે. આ એવો પ્રકાશ છે, જે સૂર્યને વિકલ્પે છે. કરોડો દીવા એક સૂર્યની સામે નિસ્તેજ છે, પણ એ દીવાના આપણે સૌ ઋણી છીએ, કારણ સૂર્ય નથી હોતો, ત્યારે એ ઝગમગે છે. એમ તો લાખો દીવા અયોધ્યામાં પ્રગટ્યા છે, પણ એ આખી આયોધ્યાને અજવાળી નહીં શકે એમ બને, તેથી એવું નથી કે દીવો ન પ્રગટાવવો. ભગવાન રામ લંકાવિજય કરી અયોધ્યા પધાર્યા તેનો મહોત્સવ પ્રજાએ દીવડાં પ્રગટાવીને કર્યો ને જે એ ન પ્રગટાવી શક્યાં એમણે હૈયાનો હરખ પ્રગટાવ્યો. એ અજવાસ હજી ઓછો નથી થયો. એ એટલે પણ મહત્ત્વનો છે, કારણ, ઊર્મિલાનો વિરહવાસ પણ એ નિમિત્તે પૂરો થાય છે. એણે તો લક્ષ્મણ વગર મહેલમાં પણ વનવાસ જ ભોગવ્યો છે.