
રવીન્દ્ર પારેખ
આજે ગાંધી નિર્વાણ દિન ! 30 જાન્યુઆરી, 1948 ને આજે 75 વર્ષ થયાં. મૃત્યુનું આ ‘અ-મૃતવર્ષ’ ! આમ તો કોઈ, કોઈના ટેકે લાંબું ટકતું નથી, એ જ રીતે કોઈ લીટી ભૂંસવા મથે તો તેથી એવું કરનારનો વ્યાયામ વધે, બાકી સૂર્ય ઢાંકો તો ય ફરી ઊગે તો છે જ ! ગાંધીનું એવું છે કે જેમ જેમ સમય જાય છે તેમ તેમ તે વધારે સજીવ થાય છે, કારણ હત્યા વ્યક્તિની થાય છે, વિચારોની નહીં ! જો કે, હવે તો વિચારોની હત્યાની ટેકનોલોજી પણ કામે લાગી છે એટલે ગાંધી કેટલું ટકશે તે નથી ખબર. ગાંધીએ ભક્ત મંડળી નથી બનાવી, કોઈ પક્ષ નથી સ્થાપ્યો, કોઈ મંત્રીપદ નથી સ્વીકાર્યું, બલકે, જે કાઁગ્રેસ સ્વાતંત્ર્ય મેળવવામાં અગ્રેસર રહી, એ જ કાઁગ્રેસને વિખેરી નાખવાની વાત કરી. પોતે કોઈ ચૂંટણી ન લડ્યા, રમતો ન કરી, રેલી-રેલા ન કાઢ્યાં, કોઈ ભ્રષ્ટાચાર ન કર્યો, તો એ ન ટકે એમ બને. જો કે, મર્યા પછી પણ 75 વર્ષ જીવવું સહેલું નથી.
અંગત રીતે કહું તો હું ગાંધીનો ભક્ત નથી. ગાંધીવાદી નથી. એટલું છે કે ગાંધી વિચારોને જાણવા-સમજવા મથું છું. ક્યારેક એ પહોંચની બહાર છે, પણ વિશ્વાસ કરવા જેવો એ એક જ જીવ બચ્યો છે, મારા જેવા માટે. ગાંધી સાથે મતભેદ પણ છે. એમના બ્રહ્મચર્યની ચકાસણીના પ્રયોગો ને ઉપદેશો મારે ગળે નથી ઊતર્યા, પોતાની વાત મનાવવા એમણે વાપરેલું ઉપવાસનું શસ્ત્ર પણ મને તો ‘વાણિયાગીરી’ જ લાગ્યું છે. એ શસ્ત્રનો હવે થતો ઉપયોગ સત્યથી વિપરીત હેતુઓ સિદ્ધ કરવા થાય છે તે પણ ખરું. અહિંસાનું વળગણ એમને બીજા એક મોહન(કૃષ્ણ)થી હોય એમ બને. મોહને (કૃષ્ણે) મહાભારતનાં યુદ્ધમાં શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા લીધી તેનો સીધો પડઘો આ મોહનદાસમાં પડે છે. શસ્ત્ર ધારણ ન કરવાની પ્રતિજ્ઞા છતાં, સારથિપણું છોડીને, કૃષ્ણ રથચક્ર લઈને ભીષ્મ સામે ધસી તો જાય જ છે. આવો અહિંસક, આટલો હિંસક તો બને જ છે. એ ઉપરાંત કુરુક્ષેત્રનાં મેદાનમાં જ અર્જુન યુદ્ધ ન લડવા શસ્ત્રો હેઠાં મૂકે છે તો આ જ કૃષ્ણ અર્જુનને શસ્ત્ર ઉપાડવા ગીતા પ્રબોધે છે, એ વાત પણ ગાંધીનાં ધ્યાન બહાર નહીં જ હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે જડતાની હદે અહિંસા ને બ્રહ્મચર્યનો ઉપદેશ જીરવવાનું અઘરું છે.
આજે ઘણી રીતે ગાંધી આઉટડેટેડ લાગે, પણ એનો જેટલો લાભ કાઁગ્રેસી નેતાઓએ લીધો છે તે ભૂલી શકાય એમ નથી. એમની ખાદીએ ગાદીની કેટલી તકો પૂરી પાડી એ કહેવાની જરૂર છે? જે ગાંધી માર્ગે હવે કોઈ ચાલતું નથી, એ ગાંધી માર્ગો તો વિશ્વ સુધી વિસ્તર્યા છે. અહીં ગાંધીની મૂર્તિનું ખંડન થાય છે, તો વિશ્વમાં તેની પ્રતિમાઓનો ને તેનાં સિદ્ધાંતોનો મહિમા થાય છે. ગાંધીને કોઈ ચંદ્રક, પુરસ્કાર કે એવોર્ડ નથી મળ્યા, પણ એને નામે વૈશ્વિક પુરસ્કારો અપાય છે. ભારત સરકાર દ્વારા 1995થી ગાંધી શાંતિ પુરસ્કાર શરૂ થયો ને તે મેળવનાર બાબા આમ્ટે પહેલાં ભારતીય વ્યક્તિ હતા, તો શેખ મુજીબુર રહેમાન સહિત ઘણા વિદેશી મહાનુભાવોને પણ ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત થયો છે. એ ખરું કે ગાંધીજીને શાંતિ નોબેલ પુરસ્કાર નથી મળ્યો, તેમને 1948માં તે મળે તેમ હતું, પણ તેમની હત્યા થઈ ને એ વર્ષે કોઈ જીવંત લાયક વ્યક્તિ ન જણાતાં પુરસ્કાર કોઈને જ ન અપાયો, પણ પછી 1964માં ગાંધીજીને પગલે અહિંસક ચળવળ ચલાવનાર અમેરિકાના માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત થયો. એ જ રીતે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા પણ ગાંધીજીના જીવનથી પ્રેરિત હતા ને એમને પણ 1993નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો. પોતાને ગાંધીની સાથે સરખાવનારને મંડેલાએ કહ્યું છે કે મને એટલા માટે ગાંધી સાથે ન સરખાવો કે ગાંધીજી જેટલો સમર્પણભાવ કે વિનમ્રતા આપણામાંના કોઈમાં નથી. જે અંગ્રેજોએ ગાંધીને જેલવાસ આપ્યો એ જ અંગ્રેજી પ્રજાના વડા પ્રધાન હેરલ્ડ વિલ્સન 1968માં મધ્ય લંડનના ટેવિસ્ટોક સ્ક્વેરમાં ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરે છે. પર્લ બક જેવી લેખિકા તો સ્પષ્ટ કહે છે કે મનુષ્ય જાતિના સર્વકાલીન મહાન મનુષ્યમાં ગાંધીજી સ્થાન પામે છે. ટાગોરે તો એમને ‘જીવંત સત્ય’ કહ્યા છે. આઈન્સ્ટાઈન જેવા તેથી જ તો કહે છે કે આવનારી પેઢીઓ માનશે નહીં કે ગાંધી જેવો કોઈ હાડચામનો માણસ આ પૃથ્વી પર અવતર્યો હતો. તો આ મહિમા છે, વિશ્વમાં, ગાંધીનો.
આમ છતાં અહિંસાનો એમનો મત ઘણાંને માન્ય ન હતો. એ જ કારણ હતું કે સુભાષચંદ્ર બોઝ એમનાથી અલગ પડીને ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’ સુધી પહોંચ્યા. સુભાષબાબુ જુદા પડ્યા, પણ ગાંધીજી માટે એમને કેટલો આદર હશે કે એમને પહેલી વખત રાષ્ટ્રપિતા તરીકે સંબોધ્યા ! ગાંધીજીએ કોઈના પણ હિંસક પ્રયત્નોને સ્વીકાર્યા નથી. ભગતસિંહની ફાંસી ન રોક્યાનો ગોડસેનો, ગાંધી પર આરોપ છે. ગોડસેની ફાંસી ન અટકે તો ઇરવિન કરાર કરવાની જરૂર ન હતી, એવું ભગતસિંહના સમર્થકોનું માનવું હતું, એ ખરું કે ભગતસિંહના હિંસક પ્રયત્નો ગાંધીજીની અહિંસાથી વિપરીત હતા ને ગોડસેના પ્રયત્નોને એથી જ એમણે વખોડ્યા પણ હતા, પણ ખુદ ગાંધીજીએ ભગતસિંહની ફાંસી રોકવા લોર્ડ ઇરવિનને સમજાવવામાં કોઈ કસર રાખી ન હતી એ વાત પણ નોંધી છે. એમણે ફાંસીના દિવસે છેલ્લો હૃદય સ્પર્શી પત્ર પણ લખ્યો, પણ ત્યારે મોડું થઈ ગયું હતું.
ગાંધીજીની સ્વદેશીની ચળવળ રવીન્દ્રનાથ ટાગોરને મંજૂર હતી, પણ એની રીત માન્ય ન હતી. વિદેશી કાપડની જાહેરમાં હોળી થતી જોઈને ટાગોર વ્યથિત હતા. કાપડ ભલે વિદેશી હોય, પણ એ બનાવનારની મહેનત ને કિંમત બંનેનો વ્યય થતો હતો તે ટાગોરને ગમતું ન હતું. એ જ મુદ્દે એમણે ‘ઘરેબાહિરે’ નામક નવલકથા પણ લખી. ગાંધીજીનો વિરોધ કરનારાઓ પણ એમનાથી પ્રભાવિત થયા વિના રહી શકતા ન હતા. એ જ કારણ છે કે ટાગોરે એમને ‘મહાત્મા’ની ઓળખ આપી, તો બાપુ પણ એમને ‘ગુરુદેવ’ કહેવામાં પાછળ ન રહ્યા. ગાંધીથી અંજાયો ન હોય તો ગોડસે વીંધતા પહેલાં વંદે ખરો? એને પણ પોતાનાં હિંસક કૃત્ય માટે, વીંધાનારના જ આશીર્વાદની જરૂર પડી એ પણ કેવી વક્રતા !
ગાંધીની હત્યા ગોડસેએ કરી એ સાથે હિંસાનો ખોટો દાખલો બેઠો ને એ પછી તો હિંસા ને હત્યાનો દોર ચાલ્યો. એ હત્યામાં તો પછી બીજા ગાંધીઓ પણ હોમાયાં. પાકિસ્તાન ગાંધીની સંમતિનું પરિણામ હતું – ગાંધીની હત્યાનું એક કારણ આ પણ છે, પણ ભાગલા પોતાની લાશ પર પડશે એવું કહેનાર ગાંધીને આપણે ભૂલી જઈએ છીએ. આઝાદી, ગાંધી માટે શોક લઈને આવી હતી. હિન્દુ-મુસ્લિમો બંને દેશોમાં બહુ મોટી સંખ્યામાં માર્યા ગયા. આઝાદી માટે જેટલાં મૃત્યુ ન થયાં એનાં કરતાં અનેકગણા મૃત્યુ આઝાદી મળતાં જ થયાં. એ ગાંધીની ઈચ્છા કેવી રીતે હોય? જો હિંસા જ માન્ય હોત, તો સુભાષ સાથે જ
હાથ મિલાવ્યા હોત ને ! પણ સારી કે ખરાબ, ગાંધીને તો અહિંસા જ ખપતી હતી. એ જુદી વાત છે કે સાથી નેતાઓ સાથેના મતભેદ, આઝાદી મેળવવાની ઉતાવળ અને અંગ્રેજોની ‘ડિવાઈડ એન્ડ રૂલ’ની નીતિએ સ્વતંત્રતાને સંહારક બનાવી ને બીજું કારણ કોઈ પણ હોય, પણ એને માટે ગાંધીને જવાબદાર ગણનારાઓ ગાંધીને ન્યાય નથી કરતા એટલું ચોક્કસ !
ગાંધીએ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ,’ ‘હિન્દ સ્વરાજ’, સત્યના પ્રયોગો’ જેવાં પુસ્તકો લખ્યાં, ‘ઇંડિયન ઓપિનિયન’, ‘નવજીવન’. ‘યંગ ઈન્ડિયા,’ ‘હરિજન’ જેવાં છાપાં ચલાવી ચાલીસેક વર્ષ પત્રકારત્વ ખેડ્યું, ખાદી દ્વારા ગ્રામોદ્યોગનો મહિમા કર્યો, બાળલગ્નો, હરિજનો, સ્ત્રી કેળવણી, લોકશિક્ષણ, વર્ણવ્યવસ્થા અંગે વ્યાખ્યાનો આપ્યાં, સત્યને જ ઈશ્વર તરીકે પ્રમાણ્યું, સર્વધર્મ સમભાવની દૃષ્ટિ કેળવી કોઈ પણ પ્રકારનાં ધર્મ પરિવર્તનનો વિરોધ કર્યો. તેમણે જ કહ્યું છે કે પરધર્મીને વટલાવીને પોતાનાં ધર્મમાં ખેંચવાનો વિધિ બીજા ધર્મોમાં હશે, હિન્દુ ધર્મમાં નથી જ ! હિન્દુ ધર્મ વિષે આવું માનનાર હિન્દુઓને અન્યાય કરે ને મુસ્લિમોની તરફેણ કરે એવું કેટલું શક્ય છે તે વિચારવાનું રહે. સંજોગો અનુસાર જે તે સમયે કોઈનો પક્ષ લેવાનું બને. તેવું સતત બને તો તેને પક્ષપાતી જરૂર ગણીએ, પણ આ જ ગાંધીએ નોઆખલીમાં મુસ્લિમોનાં હિન્દુઓ પરનાં આક્રમણ સામે હિન્દુઓને બચાવવા પદયાત્રા કરી અને એ પહેલાં કલકત્તામાં મુસ્લિમોની સુરક્ષા માટે સ્ફોટક વિસ્તારોમાં રહીને એવી સ્થિતિ ઊભી કરી કે મુસ્લિમ લીગના નેતાઓને નોઆખલીમાં હિન્દુઓની રક્ષા માટે પોતાનાં માણસો મોકલવાની ફરજ પડે. આ જાણ્યા પછી પણ ગાંધીએ મુસ્લિમોની તરફેણ કરી છે એવું કહીશું? એ દુ:ખદ છે કે ગાંધી મુસ્લિમોની જ નહીં, હિન્દુઓની નફરતનો પણ ભોગ બન્યા.
સાચું તો એ છે કે એમને બધા જ ધર્મો અપૂર્ણ લાગ્યા છે, કારણ, તે અપૂર્ણ મનુષ્યો દ્વારા આવ્યા છે. પ્રાર્થના એમને અન્ન જેટલી જ અનિવાર્ય લાગી છે. આવું સર્વગ્રાહી ને વ્યાપક વ્યક્તિત્વ ઓછામાં ઓછું ‘મહાત્મા’ તો હોય જ ને ! આ મહાત્મા માટે અનેક અંજલિઓ અપાયાં જ કરે છે, પણ એમની હત્યા વખતે આવેલી એક અંજલિ એક પોર્ચુગીઝ કવયિત્રીની એવી હતી કે એ દિવસે બુઢ્ઢા ઈશ્વરે ચશ્માં ઉતાર્યાં અને આંખમાંથી એક આંસુ ખરી પડ્યું ! તો, ગાંધીથી પ્રભાવિત નેલ્સન મંડેલાએ દક્ષિણ આફ્રિકા સંદર્ભે કહ્યું છે કે તમે અમને મોહનદાસ કરમચંદ ગાંધી મોકલ્યા ને અમે તમને મહાત્મા પરત કર્યા. આટલી ચાહના છતાં હકીકત તો એ છે કે તે ગોડસેને ખૂંચ્યા હતા. માત્ર ગોડસેને જ નહીં, બીજા કેટલાકને પણ ખૂંચ્યા હતા. ગાંધીની હત્યાના દસેક પ્રયત્નો થયા હતા એવી વાત ચુનીભાઈ વૈદ્યે ‘સૂરજ સામે ધૂળ’ પુસ્તિકામાં નોંધતાં ઉમેર્યું છે કે હત્યાના એ પ્રયત્નોમાંથી ત્રણમાં ગોડસે સંડોવાયો હતો. ગોડસેનો એક વાંધો પાકિસ્તાનને 55 કરોડ આપવાના ગાંધીના આગ્રહ સામે પણ હતો.
જુલાઇ, 1944માં એક માણસ પંચગીનીમાં હાથમાં છરા સાથે ગાંધીજી પર ધસી આવ્યો હતો, તે ગોડસે હતો એવી જુબાની પુનાની એક સુરતી લોજના માલિક મણિશંકર પુરોહિતે આપી હતી. ગાંધીજીએ આ ઘટના પછી ગોડસેને મળવા પણ બોલાવ્યો હતો, પણ તે ગયો ન હતો. ગયો હોત તો કદાચ ગાંધીને મારવાનો વિચાર બદલાયો હોત. એ પછી હત્યાનો બીજો પ્રયાસ સપ્ટેમ્બર, 1944માં, 1946માં પણ થયો, ત્યારે પણ ભાગલાની કે 55 કરોડની વાત ન હતી. 1946ના હત્યાના પ્રયાસ વખતે ગાંધીએ પોતાની 125 વર્ષ જીવવાની વાત કરી તો ગોડસેએ એનો ઉલ્લેખ કરતાં પોતાનાં સામયિક ‘અગ્રણી’માં નોંધ્યું કે તમને જીવવા કોણ દેશે? આ વાત હત્યા સંદર્ભે ઘણી સૂચક છે. ગોડસે પર મરાઠી નાટક ‘મી નથૂરામ ગોડસે બોલતોય’ પણ થયું છે. તેનાં પર પ્રતિબંધ મુકાયેલો. તેનાં વિરોધમાં એવું કહેવાયું કે પ્રતિબંધ મૂકીને તો એક વિચારને રૂંધવાનું થાય છે. વિચારનો જવાબ વિચારથી અપાય, તેને રૂંધાય નહીં. એ ખરું કે વિચારનો જવાબ વિચાર જ હોય. તો એ જ વાત ગોડસેને પણ લાગુ પડે ને ! તેણે કેમ વિચારનો જવાબ વિચારથી ન આપતાં, હત્યાથી આપ્યો? પણ, હવે ઘડિયાળ ઊંધી ચલાવી શકાય એમ નથી. હવે તો નથી ગોડસે કે નથી ગાંધી. એ પણ છે કે બંને જીવવાના છે. જોવાનું એ રહે કે કોણ કેટલું પ્રસ્તુત બની રહે છે?
ઔદ્યોગિક, ટેકનિકલ, ડિજિટલ પ્રગતિ દેશે જરૂર કરી છે, પણ એની સામે દેશ દેવાળિયો થઈ રહ્યો છે તે પણ નોંધવું ઘટે. મોંઘવારીએ આડો આંક વાળ્યો છે ને તેનો છેડો નથી દેખાતો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે, ન્યાયતંત્ર પર સરકારી પંજો વિક્સતો આવે છે, ન્યાયતંત્રની સત્તા સંકોચાઈ રહી છે, ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલીફાલી છે, એકાધિકારવાદ જ કેન્દ્રમાં છે, સત્ય, નિષ્ઠા, ચરિત્ર, દેશહિત જેવી વાતો આઉટડેટેડ થઈ રહી છે, ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર છે. ટૂંકમાં, આ બધું ગાંધી વિચારોની ઉપેક્ષાને પરિણામે છે એવું નથી લાગતું? પણ, ગાંધી આઉટડેટેડ નહીં થાય, કારણ એ વ્યક્તિ નથી, વૈશ્વિક વાતાવરણ છે. એમાં વધઘટ થશે, પણ એના વગર જીવાવાનું નથી તે નક્કી !
એ વિશ્વ વિભૂતિને વંદન !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 જાન્યુઆરી 2023
![]()


મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં મહાત્મા ગાંધી તરીકે જાણીતા થયા, જેમણે ભારતીય રાષ્ટ્રીય ચળવળની ગતિને આગળ ધપાવવા પ્રેરણા આપી હતી, ભારતીય સ્વતંત્રતા સંગ્રામના છેલ્લો તબક્કો, જેને લોકપ્રિય ચળવળમાં પરિવર્તિત કરવા માટે શરૂઆતનાં પગલાં લીધાં, કેટલાક મુસ્લિમ સ્વતંત્રતા લડવૈયાઓએ આ આહ્વાનને સમર્થન આપી તેમના વિચારો, શબ્દો અને પ્રવૃત્તિઓને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તેમના અનુયાયીઓ તરીકે નોંધપાત્ર સમર્થન આપ્યું અને તેમના જણાવ્યા મુજબના માર્ગને અનુસર્યા.
આફ્રિકા પહોંચ્યા, ત્યારે દાદા અબ્દુલ્લા જાતે ગાંધીને બંદર પર આવકારવા ગયા અને તેમને તેમની કંપનીના ક્વાર્ટરમાં લઈ ગયા હતા. ત્યારથી દાદા અબ્દુલ્લા દક્ષિણ આફ્રિકામાં ગાંધીના તમામ પ્રયાસોમાં માર્ગદર્શક રહ્યા. ગાંધી ત્યાંના ભારતીયોની લાચારી સમજી ગયા. તેમણે દાદા અબ્દુલ્લા અને તેમના સાથીઓ પાસેથી વધુ વિગતો એકઠી કરી. દાદા અબ્દુલ્લાએ ગાંધીને આ સંદર્ભમાં ઘણી પરિસ્થિતિઓ વિશે વાકેફ કર્યા અને માર્ગદર્શન પૂરું પાડ્યું. એવા ઘણા પ્રસંગો પણ બન્યા હતા જ્યારે દાદા અબ્દુલ્લાએ ગાંધીજીને અમુક સ્થાનિક રીતો અપનાવતા અટકાવ્યા હતા કે તે રીતો દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોના સ્વાભિમાન માટે હાનિકારક હશે. ગાંધીજીએ પોતાની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં આનો ઉલ્લેખ કર્યો છે.
દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહ ચળવળ દરમિયાન બેરિસ્ટર ગાંધી નેતામાં પરિવર્તિત થયા પછી અને ત્યાં ભારતીયોની તરફેણમાં ચોક્કસ મૂર્ત પરિણામ પ્રાપ્ત કરીને, ગાંધીજી 1915માં ફિનિક્સ આશ્રમ અને અન્ય પ્રવૃત્તિઓ છોડીને ભારત પરત ફર્યા. ગાંધીજી સાથે ઇમામ અબ્દુલ કાદીર બવાઝીર (-1931) પણ સાથે આવ્યા, જે ફિનિક્સ આશ્રમમાં સહયોગી હતા. ગાંધીજીએ ભારતમાં સાબરમતી આશ્રમ ખાતે શરૂ કરેલ પ્રિન્ટિંગ પ્રેસની જવાબદારી તેમણે સંભાળી. અબ્દુલ કાદીરના પત્ની ઇમામ સાહેબા, તેમની પુત્રીઓ ફાતિમા બેગમ અને આમના કુરેશી (1905,1967) પણ તેમની સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતાં. ઈમામ અબ્દુલ કાદીર, જેમને ગાંધીજી પ્રેમથી ‘ઈમામ સા’બ’ કહેતા. તેમનો પરિવાર ગાંધીજીના પરિવાર સાથે સાબરમતી આશ્રમમાં રહેતો હતો અને ગાંધીજી ભાઈની જેમ રાખતા હતા.
1917′ જાણીતું થયું હતું. ખેડૂત નેતા શેખ ગુલાબ (1857-1920), અને પત્રકાર પીર મુહમ્મદ અન્સારી મુનીસ(1882-1949)એ ‘ચંપારણ ખેડૂત સંઘર્ષ’નો મજબૂત પાયો નાખ્યો હતો, બિહાર રાજ્યના ચંપારણમાં ગાંધીજીના આગમન પહેલા તેમને ટેકો આપ્યો હતો, જેમાં ગળીનું વાવેતર, ફેક્ટરીઓના બ્રિટિશ માલિકો અને અંગ્રેજી અધિકારીઓ સામે દાયકાથી લાંબી ઝૂંબેશ ચાલી રહી હતી.
વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમના ભત્રીજા મગનલાલ ગાંધીને લખેલા પત્રમાં તેમણે ટિપ્પણી કરી, ‘તેઓએ અમારી સાથે ભિખારી જેવું વર્તન કર્યું’
ભેળવવાની સૂચના આપી હતી. તેમને આજ્ઞાપાલન માટે સુંદર પુરસ્કારની લાલચ આપી અને સાથે આજ્ઞાભંગ કરવાના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી. આ દુષ્ટ કૃત્યનો આશરો લેવાની અનિચ્છાએ અન્સારીએ અંગ્રેજી માણસના કાવતરાનો ખુલાસો ત્યારે કર્યો, જ્યારે ગાંધીજી અને બાબુ રાજેન્દ્ર પ્રસાદ ઇરવિનના ઘરે રાત્રિભોજન માટે આવ્યા હતા. પરિણામે 1917માં બતક મિયાંના આ પ્રયાસથી ગાંધીજીનો જીવ બચી ગયો હતો.
તેમણે જાહેર કર્યું કે તેઓ અલી ભાઈઓની માતા આબદી બાનો બેગમના ત્રીજા પુત્ર છે. ગાંધીજી તેમના પ્રત્યે ખૂબ આદરભાવ રાખતા હતા. ગાંધીજીએ તેમના સહયોગીઓ, અલી ભાઈઓ અને ખુદ આબદી બાનોને લખેલા પત્રો અને તેમના ‘યંગ ઈન્ડિયા’ જર્નલમાં પ્રકાશિત વિશેષ નિબંધો ગાંધીજીની આબદી બાનો બેગમ માટે સર્વોચ્ચ સન્માનની સાક્ષી આપે છે.
સપ્ટેમ્બર 1921માં જ્યારે અમજદી બાનો ગાંધીજી અને મૌલાના મુહમ્મદ અલી સાથે મદ્રાસ પ્રવાસ પર હતા. રસ્તામાં તેઓ બધા વોલ્ટેરમાં જાહેર સભા સંબોધવાના હતા. બંને નેતાઓ જેવા જ ટ્રેનમાંથી ઉતર્યા, તરત જ બ્રિટિશ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી. ગાંધીજીએ અલી અને અમજદી બેગમ દ્વારા દર્શાવેલ નિર્ભયતા રેલવેના ડબ્બામાંથી જ લખેલા નિબંધના રૂપમાં રેકોર્ડ કરી હતી. ગાંધીજીએ તે નિબંધમાં લખ્યું છે કે તેમને અલી સાથે કામ કરવામાં ગર્વ છે. ગાંધીજીએ તેમના પતિની ધરપકડ વખતે અમજદી બાનો બેગમ દ્વારા પ્રદર્શિત કરેલી હિંમતની પ્રશંસા કરી અને તે પછી તેણી દ્વારા સંબોધાયેલી જાહેર સભાઓ વિશે વાત કરી. (કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી, માહિતી મંત્રાલય, ભારત સરકાર, વોલ્યુમ XX1, પૃષ્ઠ 176)
ઉમર સોભાણી ભારતીય રાષ્ટ્રીય ચળવળના સંબંધમાં બોમ્બેમાં હાથ ધરવામાં આવતા કોઈ પણ કાર્યક્રમ પર થતા ખર્ચનો મોટો હિસ્સો પોતે ઉપાડતા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળને આર્થિક સહાય આપવા ઉપરાંત તેઓ તેમની આયોજન કુશળતા માટે પણ જાણીતા હતા. તેના કારણે ગાંધીજીએ ‘સ્ટેજ મેનેજર’ તરીકે તેમની પ્રશંસા કરી હતી. ઉમર સોભાણી એટલા ઉદાર હતા કે તેમણે ગાંધીજીને એક કોરો ચેક આપ્યો અને ચેક પર જરૂરી રકમ લખવાનું કહ્યું, જ્યારે ગાંધીજી 1921માં ‘તિલક સ્વરાજ્ય નિધિ’ માટે દાન એકત્ર કરી રહ્યા હતા. ભારતીય રાષ્ટ્રીય ચળવળ દરમિયાન ઉમર સોભાણીના અચાનક મૃત્યુ પર ગાંધીજી દ્વારા આપેલા શોક સંદેશમાં તેમની ઉદારતા શ્રેષ્ઠ રીતે પ્રગટ થઈ હતી જેમાં લખ્યું હતું કે ‘જો તેઓ ફંડફાળામાં આગળ આવ્યા ન હોત, તો તેમનું નિવૃત્ત જાહેર જીવન વધુ સારું હોત.’
હાજી ઉસ્માન શેઠ, જેઓ ‘ખિલાફતવાલે’ તરીકે જાણીતા છે, કર્ણાટક રાજ્યના બેંગ્લોરમાં વિદેશી માલસામાનનો વેપાર કરતા સમૃદ્ધ વેપારી હતા. તેઓ ગાંધીજી અને અલી ભાઈઓની વિનંતી પર ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. તેમણે સ્વદેશી ચળવળના ભાગરૂપે લાખો રૂપિયાનો વિદેશી માલ બાળી નાખ્યો. તેઓ ‘ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની રોકડ બેગ’ તરીકે ઓળખાતા હતા કારણ કે તેઓ સંગઠનને આર્થિક સહાય માટે ગાંધીજી અને અલી ભાઈઓની વિનંતીઓનો ઉદારતાથી જવાબ આપતા હતા. બ્રિટિશ સરકારના ગુસ્સાને કારણે તેમના વ્યવસાયને ભારે નુકસાન થયું. જ્યારે પણ ગાંધીજી, પંડિત નેહરુ અને અલી ભાઈઓએ તેમને સમર્થન માટે વિનંતી કરી, ત્યારે તેમણે તેમના ઘણા બંગલાઓ અને અન્ય મિલકતોનો વેચીને ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને આર્થિક સહાય ચાલુ રાખી હતી. જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમણે સોનું, કોરા ચેક અને રોકડ આપી હતી. આ પ્રવૃત્તિઓ માટે જ્યારે તેની તમામ સંપત્તિ પૂરી થઇ ગઈ, ત્યારે પણ તેણે તેમના પુત્રની હરાજી કરીને નાણાં મેળવ્યા હતા અને આ આવક ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસને દાનમાં આપી હતી. તેમનું નામ ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસની ‘કેશ બેગ’ તરીકે રખાયું હતું. તે દર્શાવે છે કે હાજી ઉસ્માન શેઠની બલિદાનની ભાવના કેટલી મહાન હતી.
કાર્યક્રમનું આયોજન કરવા અને સમગ્ર ભારતમાંથી કાર્યક્રમમાં ભાગ લેવા આવતા દરેક કાર્યકર્તા અને નેતા માટે રહેવાની વ્યવસ્થા અને જમવાની સુવિધાઓની જવાબદારી પોતાના ખભે લેતા હતા.
વિશાખાપટ્ટનમ્, આંધ્રપ્રદેશના ફરીદુલ જામા (1907-1973), જે ‘વિશાખા ગાંધી’ તરીકે પ્રખ્યાત થયા હતા. ખાન અબ્દુસ સમદ ખાન, જે 1920માં ગાંધીજીના અહિંસાના વિચારો તરફ આકર્ષાયા હતા, તેમણે ગાંધીજીની જેમ અંત સુધી તેમનું જીવન ગાંધીજીના અનુયાયી તરીકે જીવ્યા અને ગાંધીજીની જેમ જ તેમની હત્યા કરવામાં આવી. ફરિદુલ જામાએ અહિંસાનો તેમના હથિયાર તરીકે ઉપયોગ કરી ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લીધો હતો. તેમને તે જ જેલમાં રાખવામાં આવ્યા હતા જ્યાં મહાત્મા ગાંધી કેદ હતા. પાછળથી તેમણે ગાંધીવાદી રીતે પુસ્તકાલય ચળવળમાં કામ કર્યું. જેમ જેમ તેમણે પોતાની તમામ સંપત્તિ પુસ્તકાલયો બનાવવા માટે ખર્ચ્યા તેમ તેમ વિશાખાપટ્ટનમ્ના રહેવાસીઓ તેમને પ્રેમથી ‘વિશાખા ગાંધી’ કહેવા લાગ્યા. ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ‘સરહદના ગાંધી’ તરીકે જાણીતા ખાન અબ્દુલ ગફાર ખાને નાનપણથી જ
વસાહતી શાસકોના વર્ચસ્વ સામે રોષ ઠાલવ્યો હતો. તેમણે 1919માં ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પ્રવેશ કર્યો. તેમણે 1928માં પ્રથમ વખત મહાત્મા ગાંધીને જોયા. ખાન અબ્દુલ ગફાર ખાન, એક પઠાણ નેતા જેમના માટે હથિયાર એક અનિવાર્ય આભૂષણ જેવું હતું અને જે મિત્ર ખાતર અથવા દુશ્મનનો મારી નાંખવા પોતાનો જીવ આપવા માટે એક સેકંડ પણ અચકાતા નહીં, જેઓ ગાંધીજીના અહિંસાના વિચારો તરફ આકર્ષાયા. તેમણે ગાંધીજીની અહિંસાનો સંપૂર્ણ અભ્યાસ કર્યો અને તેમના સમુદાયના લોકોમાં તેમના કલ્યાણ અને વિકાસની દિશામાં જાગૃતિ લાવવા અને બ્રિટિશ વસાહતી શાસકો સામે અહિંસક સંઘર્ષનું નેતૃત્વ કરવા માટે ‘ખુદા-એ-ખિદમતગાર’ (ભગવાનના સેવકો) નામની સંસ્થાની સ્થાપના કરી. તેમના પ્રયત્નો દ્વારા ભગવાનના સેવકોએ અહિંસાની કલ્પનાને આંતરિક બનાવી. સવિનય કાનૂન ભંગ આંદોલન દરમિયાન 23 એપ્રિલ 1930ના રોજ પેશાવરના ખીસાખાની બજારમાં પ્રદર્શન કરી રહેલા લોકો અને ભગવાનના સેવકો પર બ્રિટિશ પોલીસ ગોળીબાર કરે છે, ત્યારે ભગવાનના સેવકો પથ્થરનો એક નાનો ટુકડો પણ ફેંક્યા વગર આગળ વધ્યા અને તેમના જીવનનું બલિદાન આપ્યું. જ્યારે ખીસાખાની બજાર લાશોના ઢગમાં ફેરવાઈ રહ્યું હતું, ત્યારે પણ તેઓ અહિંસાના માર્ગથી ભટક્યા ન હતા.
સૂચનો અનુસાર ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં સક્રિયપણે ભાગ લેવાનું નક્કી કર્યું. જસ્ટિસ અબ્બાસ તૈયબજીના નેતૃત્વમાં ‘ગુજરાત રાજકીય પરિષદે’ 1919માં કાઁગ્રેસ શરૂ કરે તે પહેલાં અસહકાર આંદોલન શરૂ કર્યું. તેમણે મહાત્મા ગાંધીની પ્રેરણાથી તમામ વૈભવી વસ્તુઓ છોડી દીધી અને સ્વદેશી ચળવળનો એક ભાગ બન્યા. તેમણે ખાદીને પ્રોત્સાહન આપવા માટે 80 વર્ષની ઉંમરે ‘સ્વદેશી કાપડ’ વેચીને ગુજરાતમાં ગામડે ગામડે બળદ ગાડીમાં મુસાફરી કરી. તેમણે 1928માં બારડોલી સત્યાગ્રહ દરમિયાન ઘણી જવાબદારીઓ ઉપાડી હતી. જ્યારે 12 માર્ચ, 1930થી 6 એપ્રિલ 1930 સુધી ચાલી રહેલી દાંડીયાત્રાની પૂર્વસંધ્યાએ ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે અબ્બાસે આગોતરા અપાયેલ ગાંધીજીની સૂચનાઓ મુજબ દાંડી સત્યાગ્રહની લગામ સંભાળી હતી. ત્યારબાદ બ્રિટિશ પોલીસે અબ્બાસની ધરપકડ કરી જેલમાં મોકલ્યા. પરિપક્વ વૃદ્ધાવસ્થામાં પણ તે નિર્ભય હિંમત અને સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે ગાંધી માર્ગ પર આગળ વધતા રહ્યા હતા. તેમના ખરાબ સ્વાસ્થ્યને લીધે તેમને છેલ્લા શ્વાસ સુધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખી. ગાંધીજીએ ‘ગુજરાતી ડાયમંડ’ તરીકે તેમની પ્રશંસા કરી હતી.
ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં તૈયબજી પરિવારની મહિલાઓની ભાગીદારી અમીના તૈયબજી (1866-1942)થી શરૂ થઈ. તેણીએ ગાંધીજીના આમંત્રણ પર ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ગાંધીજીએ અમીનામાં દ્રઢતા અને ગુજરાતી મહિલાઓ માટે તેમના માટે જે આદર હતો તે જોયો. અમીનાની પુત્રી રેહાના તૈયબજીને 11 એપ્રિલ 1930ના રોજ લખેલા પત્રમાં તેમણે લખ્યું હતું કે, ‘હું દારૂ પર પ્રતિબંધ અને વિદેશી માલનો બહિષ્કાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા ગુજરાતની મહિલાઓની બેઠક બોલાવી રહ્યો છું. તમે અને તમારી માતાએ સભામાં હાજર રહેવું જોઈએ. ગાંધીજીના વિશેષ આમંત્રણને માન આપતાં, અમીનાએ સભામાં હાજરી આપી. એ સભામાં ગાંધીજીની હાજરીમાં અમીના તૈયબજી ગુજરાત મહિલા કાઁગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.
તેના નેતૃત્વ, ખાસ કરીને મહાત્મા ગાંધી સાથે સીધો સંપર્ક હતો. ગાંધીજીને રેહાના પ્રત્યે પિતૃ સ્નેહ હતો અને વિવિધ પ્રસંગોમાં તેમણે તેમને લખેલા અનેક પત્રોમાં તેમણે તેમને ‘પ્રિય પુત્રી, ચિરંજીવી, રેહાના બેટી, બેટી રેહાના, ઉસ્તાદબી સાહેબા અને રેહાના અને ભોલી રેહાના’ તરીકે સંબોધ્યાં હતા.
પ્રતિબદ્ધ લોકોની લાગણીઓ આ પ્રકારની જ હોય છે. જે દિવસે આઝાદી માટે જેલ ભરવા માટે બધાં પુરુષો અને સ્ત્રીઓ સ્વેચ્છાએ આગળ આવશે તે દિવસે આપણને ચોક્કસપણે આઝાદી મળશે’. (મહાત્મા ગાંધીની સંકલિત કૃતિઓ, ભારત સરકાર, નવી દિલ્હી), તેણીના પતિ ખ્વાઝા અબ્દુલ મઝીદ(1896-1961)ના ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં મહાન બલિદાનને સમજાવતા, ગાંધીજીએ ‘મહાન સન્માનિત પત્ની’ નામનો લેખ લખ્યો હતો. તે લેખમાં ગાંધીજીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે કેવી રીતે તેમના પરિવારે વૈભવ છોડી અને એક સામાન્ય કામદારની જીવનશૈલી અપનાવી અને ભારતીય રાષ્ટ્રીય ચળવળના ઉદ્દેશો પ્રત્યે તેમનો નિશ્ચય અને પ્રતિબદ્ધતા કેટલી દૃઢ અને મજબૂત હતી. ગાંધીજીએ એક લેખમાં ખુશી વ્યક્ત કરી હતી જેમાં તેમણે બેગમ ખુર્શીદ દ્વારા લખેલા પત્રનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેણીએ લખ્યું હતું કે, ‘જ્યારે તમને ખબર પડે કે સરકારે મારા પતિની ધરપકડ કરી છે, ત્યારે તમારે આનંદિત થવું જોઈએ’.
આશ્રમમાં જોડાયાં અને આશ્રમના નિયત નીતિ અને નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું અને સમર્પણ સાથે પોતાની જવાબદારીઓ નિભાવી. ગાંધીજીનાં નજીકના મદદનીશ તરીકે, તેમણે તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયોગોમાં ભાગ લીધો હતો. તેણી ગાંધીજી સાથે તેમના દેશભરના પ્રવાસોમાં સાથે રહ્યાં અને તેમની સેવા કરી હતી.
બેગમ જોહરા અન્સારી (-1988) ડો. મુખ્તાર એહમદ અન્સારી અને બેગમ શમશુન્નિસા અન્સારીનાં પુત્રી હતાં, જેમને ગાંધીજીએ ‘The wealthy by sacrifice’ તરીકે વખાણ્યાં હતા. તેણીએ તેણીનાં માતાપિતા કરતાં પણ વધુ બલિદાન આપ્યું અને ગાંધીજી પાસેથી આશીર્વાદ મેળવ્યા. તેઓએ ગાંધીજી સાથે આશ્રમમાં લાંબો સમય વિતાવ્યો. તે સમયે તેણી ગાંધીજીના ઉર્દૂ શિક્ષિકા બને છે. તેણીએ ભારતીય રાષ્ટ્રીય ચળવળ માટે પોતાની તમામ વારસાગત મિલકતો ખર્ચ કરી અને જીવનના છેલ્લા પડાવમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં.
તેમના સમાચાર પત્ર ‘ઉર્દૂ-એ-મૌલ્લા’માં લાંબા સમયથી ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો પ્રસ્તાવ જાહેર ચર્ચામાં મૂકી રહ્યા હતાં. મોહાનીએ 1921માં અમદાવાદની કાઁગ્રેસ કોન્ફરન્સમાં ‘સંપૂર્ણ સ્વતંત્રતા’નો પ્રસ્તાવ મૂક્યો. સંપૂર્ણ સ્વતંત્રતાના પ્રસ્તાવની તરફેણમાં પરિષદમાં મોહાનીનું ભાષણ ગાંધીજીને પરેશાન કરે છે. ગાંધીજીએ પોતાની આત્મકથામાં આનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ‘હસરત મોહાનીના ભાષણના એટલા જોરદાર વખાણ થયા કે મને ડર હતો કે મારી વાત ઊજજ્ડ જગ્યાની જેમ કોઈ સાંભળશે નહીં’ (સત્યના પ્રયોગો, એમ.કે. ગાંધી, નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ, 2004).
સ્વાતંત્ર્ય સેનાની મૌલાના અબુલ કલામ આઝાદ(1888-1958)ને ગાંધીજીની ખૂબ નજીક આવનારાઓમાં પ્રથમ તરીકે ગણી શકાય. અબુલ કલામ આઝાદ, જે બ્રિટિશ વસાહતી શાસકો સામે બળવો કરનારા ક્રાંતિકારી ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી રહ્યા હતા, જાન્યુઆરી 1920માં પ્રથમ વખત ગાંધીજીને મળ્યા બાદ, તેમણે ક્રાંતિકારીઓનો માર્ગ છોડી દીધો અને ગાંધીવાદી અહિંસાના માર્ગને અનુસર્યો. ખિલાફત અને અસહકાર આંદોલનમાં સક્રિય ભાગ લીધો. તેઓ ભારતીય રાષ્ટ્રીય ચળવળના તમામ કાર્યક્રમોમાં ગાંધીજી સાથે ખભેથી ખભો મિલાવી ચાલતા હતા. તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. ભારતીય રાષ્ટ્રીય ચળવળના કાર્યકર્તા તરીકે એક દાયકાથી વધુ સમય જેલમાં વિતાવ્યો. તેમણે 1947ના જાન્યુઆરી 15ના રોજ ગાંધીજીના આગ્રહથી કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પ્રધાન તરીકે તેમણે વિશિષ્ટ શૈક્ષણિક યોજનાઓ બનાવી અને તેનો અમલ કરાવ્યો હતો.
ઉલ્લેખ કરતાં, જાણીતા સ્વાતંત્ર્ય સેનાની આયદેવરા કાલેશ્વરા રાવે લખ્યું, ‘મારા નજીકના મિત્ર મુહમ્મદ ગુલામ મોહિદ્દીન સાહેબ પ્રથમ વર્ગના માનદ્દ મેજિસ્ટ્રેટ પદ પર હતા. તેમણે જાહેર કર્યું કે તે મારી સાથે નોકરી છોડી દેશે. તે સમયે ચક્રવર્તુલા રાજગોપાલચારી પણ અમારી સાથે હતા. મોહનદાસ કરમચંદ ગાંધીના અહિંસક અસહકાર આંદોલનને પગલે અત્યાર સુધી અમે આંધ્રમાં માત્ર બે જ ધારાશાસ્ત્રીઓઓએ પ્રથમ વર્ગના માનદ્દ મેજિસ્ટ્રેટનું પદ છોડી દીધું હતુ. ત્યાં ભેગા થયેલા હજારો લોકોની તાળીઓ વચ્ચે ગાંધીજીએ આ જાહેરાત કરી હતી. તેમણે આ વિશે તેમના સામયિક ‘યંગ ઇન્ડિયા’માં પણ લખ્યું છે.
