સાદાં કપડાં પે’રવાનાં છે
પગે લાગવાનું છે
પલાંઠી વાળી ચોરે બેસવાનું છે
કો’કની એઠી બીડી પીવાની છે.
મંદિરે શ્રીફળ વધેરવાનું છે
ઇતરડી વીણવાની છે
ભેંસ નવડાવવાની છે.
ગળફાવાળાં
માખી-મચ્છરવાળાં
વાસ મારતાં ચંપાડોશીના છાપરે જવાનું છે
ખાટલે બેસવાનું છે
ગૂમડાં જોવાનાં છે
ખબર પૂછવાના છે
હસતું મોઢું રાખવાનું છે.
નાથાભાને ત્યાં બત્રીસ ભેંસો છે
કરશનભઇને ઘેર એક બકરી છે
બકરીનાં દૂધની ચા પીવાની છે
સ્ટીલની રકાબીમાં પીવાની છે.
પૂંજીડોશીનાં માટલાનું પાણી પાવાનું છે.
ગટર સાફ કરતા મનિયાને ભેટવાનું છે
મનિયાને ઘેર જમવાનું છે.
આ બધું ય પેલ્લીવાર
ન ચાહવા છતાં ય કરવાનું છે.
કેમ કે, આ વખત જીતવાનું છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 મે 2019; પૃ. 20
![]()



ઉપર મેં મહદ્ અંશે એમ કહ્યું છે એ એટલા માટે કે કેટલાક લોકોને અપનાવવા-છોડવા સામે વાંધો હતો. તેઓ સમાજ માટે શરમજનક અને અન્યાયકર્તા તત્ત્વોને પણ ધરાર જાળવી રાખવાનો આગ્રહ રાખતા હતા. આપણામાં કશું નથી એવી જે લઘુતાગ્રંથિની ભાવના હતી તે આઝાદીના અંદોલન દરમ્યાન પેદા થયેલી રાષ્ટ્રીય ચેતનામાં ઓગળી ગઈ હતી, પરંતુ આપણે શ્રેષ્ઠ છીએ એવી ગુરુતાગ્રંથિ કેટલાક લોકોએ જાળવી રાખી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આવા અભિગમનું નેતૃત્વ કરતો હતો અને આજે પણ કરે છે.
આ ગીત સંદર્ભે એક કિસ્સો યાદ આવે છે. આ ગીતના કવિ હરીન્દ્ર દવે ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણતા હતા. પછીથી ૧૯૫૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવીઓ મેળવી હતી. એમને ઉચ્ચ અભ્યાસ કરીને શૈક્ષણિક યોગ્યતા મેળવવાની તીવ્ર ઝંખના હતી. પરંતુ ઉચ્ચ અભ્યાસ માટે પસંદગી પામવામાં થોડાક માર્કસ ઓછા પડ્યા. પરિણામ જાણીને એમના હૃદયને ઊંડી ચોટ પહોંચી. પોતાની કિંમત ધૂળ બરાબર લાગી. એમની ક્ષમતા ઝીણામાં ઝીણી – જેનુ કશું ય મૂલ્ય નથી – એવી પામર, તુચ્છ રજકણ જેટલી જ હોવાનું કવિએ અનુભવ્યું અને એ અનુભૂતિનું પ્રાગટ્ય એટલે એક રજકણ સૂરજ થવાને શમણે.
‘રજકણ’ એ હરીન્દ્ર દવેએ ઈ.સ. ૧૯૬૧માં લખેલી સર્વકાલીન કૃતિ છે. આવી કોઈ મહાન કૃતિનું અર્થઘટન આપણે શું કરીએ? એ ગીતના ભાવજગતને અનુભવવાનું છે. એના સંગીતને માણવાનું છે અને લતાજીના કંઠની મધ જેવી મીઠાશ મનમાં ઉતારવાની છે. દિલીપકાકાનું રાગ પરમેશ્વરી (સિતારવાદક પંડિત રવિશંકરજી એ સર્જેલો રાગ) પર આધારિત સુમધુર સ્વરાંકન અને લતાજીના કંઠેથી અવતરતા પાવન સ્વરો હરીન્દ્ર દવેની કૃતિને યથોચિત ઊંચાઈ આપે છે.
આ સ્વરાંકન કેવી રીતે તૈયાર થયું એની દિલીપકાકાએ રસપ્રદ વાત કરી હતી. "એ એક નવીન અનુભવ હતો. મંગેશકર કુટુંબ સાથે મારે ખૂબ સારા સંબંધો હતા. હું, લતા મંગેશકર અને બાળ એટલે કે હૃદયનાથ મંગેશકર સાથે બેસીએ, વાતો કરીએ અને સાથે જમીએ પણ ખરા. હૃદયનાથ બહુ મોટા ગજાના સંગીતકાર. સ્વરાંકનની એમની પોતાની એક સ્ટાઈલ. અમુક હદથી એ નીચે ન જાય. એ વખતે હૃદયનાથજી મીરાંના ભજનની કેસેટ ‘ચલા વાહી દેસ’, ગાલિબની ગઝલો, ‘ગીતા અને જ્ઞાનેશ્વરી’ પર લતાજી સાથે કામ કરતા હતા. એનું રેકોર્ડિંગ ચાલી રહ્યું હતું. એ વખતે એચ.એમ.વિ.ના ઇન્ચાર્જ વિજય કિશોર દુબે હતા. તેમણે કહ્યું કે આપણે લતાજી પાસે ગુજરાતી ગીત ગવડાવીએ. લતાજીએ રેડિયો પર મેં ગાયેલું એક રજકણ ગીત સાંભળ્યું હતું અને તેમને બહુ ગમ્યું હતું એટલે લતાજીએ કહ્યું કે આ ગીતનું સામાન્ય રીતે જે પ્રમાણે રિહર્સલ થાય છે એ રીતે નહીં કરીએ. હું પાંચ-છ વખત ગીત સાંભળીશ, આત્મસાત્ કરીશ, પછી જ ગાઈશ. લતાજીએ ખરેખર આત્મસાત્ કરીને ભાવપૂર્વક આખું ગીત ગાયું. ગીત સ્વરબદ્ધ કર્યું ત્યારે ખબર નહોતી કે એ રાગ પરમેશ્વરીમાં બન્યું છે. કડીઓ મળતી ગઈ અને ગીત રચાતું ગયું. રાગ પરમેશ્વરીને તમે શુદ્ધ ધૈવતની ભૈરવી અથવા કોમળ રિષભનો બાગેશ્રી પણ કહી શકો. મધ્યમ શુદ્ધ કરો તો રાગ કિરવાની બને. અસલમાં નોટ્સ સરખી લાગે પણ સ્વરૂપ જુદું હોય. દિલીપ ધોળકિયાએ પંદરેક વર્ષ પહેલાં આ કિસ્સો મારી સાથે શેર કર્યો હતો.