અમેરિકાના ગાંધી તરીકે પંકાયેલ માર્ટિન લ્યુથર કિંગ જુનિયરની પચાસમી પુણ્યતિથિએ તેમની બે ઉક્તિઓ સંભારીએ:
“શિક્ષણનું મહત્ત્વ માત્ર બુદ્ધિશાળી બનવામાં સીમિત નથી રહેતું, પરંતુ સામાજિક જીવન જીવવા માટે સક્ષમ બનવાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું પણ છે.” તેમણે દરેક વ્યક્તિ સઘન અને વિવેચનાત્મક દ્રષ્ટિકોણની રીતે વિચારતી થાય તેવું ઘડતર કરવામાં શિક્ષણ પ્રથા શું ભાગ ભજવી શકે તેના પર ભાર મુકેલો. પોતાના એક નિબંધમાં માર્ટિન લ્યુથર કિંગ કહે છે, “બુદ્ધિ ક્ષમતાનો વિકાસ વત્તા ચારિત્ર્ય ઘડતર એ જ શિક્ષણનું સાચું લક્ષ્ય છે.” તેઓએ શિક્ષકો અને કોલેજના અધ્યાપકોને ચેતવણી આપેલી કે જો ખ્યાલ નહીં રાખવામાં આવે તો તેઓ ‘સંકુચિત માનસવાળા, અવૈજ્ઞાનિક વલણ ધરાવનારા, તર્ક વિનાના પ્રચારકોનો સમૂહ પેદા કરશે, જે અનૈતિક કાર્યોમાં પ્રવૃત્ત થઇ જશે.”
MLKનું આ વિધાન આજે અર્ધી સદી કરતાં ય વધુ વર્ષો પછી સાચું પડતું જણાય છે. સારાયે વિશ્વમાં જાણે ‘ભણતર’નો વ્યાપ વધ્યો છે, પણ સુસંસ્કૃત, મજબૂત બાંધાનાં ચારિત્ર્યવાન સ્ત્રી-પુરુષોનું ઘડતર નથી થતું.
આજે જ્યારે દુનિયાના લગભગ બધા દેશોમાં સત્તાની સાઠમારી અને તે ટકાવી રાખવાના મરણિયા પ્રયાસોનું વરવું પ્રદર્શન જ માત્ર નહીં, તેની હરીફાઈ પણ યોજાઈ રહી છે, ત્યારે MLKનું આ વિધાન વિચાર કરતા કરી મૂકે છે. તેમણે કહેલું, “અમેરિકાના ભગ્ન સમાજને જોડવા આપણને સત્તા પ્રત્યેના પ્રેમને બદલે પ્રેમની સત્તાની જરૂર છે.”
આ વિધાન કયા દેશના રાજકારણીઓ, સત્તાધીશો કે વહીવટદારો માટે સાચું નથી? પ્રેમ અને સત્તા શબ્દોની અદલાબદલીને પરિણામે સ્વર્ગ જેવી ધરતી પર નર્ક સર્જાઈ જશે તેનું એ આર્ષદ્રષ્ટાને પૂરેપૂરું ભાન હતું, માત્ર આપણે તેમને અનુસર્યા નહીં.
આજે માર્ટિન લ્યુથર કિંગના જીવન-કાર્યને સ્મરીને તેમના કંડારેલા પંથે ચાલવાની પ્રતિજ્ઞા લઈએ. તો જ માનવ અધિકારોની રક્ષા કરવા માટેના પ્રયાસો માટે આપણે ગાઇ શકીશું :
‘હમ હોંગે કામયાબ એક દિન’
https://www.youtube.com/watch?v=obYDlF8KmEA
e.mail : 71abuch@gmail.com
![]()





વડનાં પાંદડાના ઉલ્લેખવાળો આ શ્લોક કૃષ્ણ ભગવાન પરનાં સ્તોત્રોમાં જાણીતો છે (અને એટલો જ જાણીતો છે ઘણા લોકોનો વટવૃક્ષ માટેનો અભાવ પણ). તેમાં વડનાં પાન પર સૂતા હોય તેવા બાળકૃષ્ણની કલ્પના છે. વડની સાથે માર્કણ્ડેય પુરાણની પ્રલયકથા જોડાયેલી છે. તેમાં ખુદ ઇશ્વર પાંદડા પર બાળકૃષ્ણનું રૂપ લઈને પ્રલયમાંથી સકલસૃષ્ટિને તારવા આવ્યા છે. પ્રલયમાં ય વટવૃક્ષ અડીખમ છે. ક્લાઇમેટ ચેઇન્જને કારણે ધીમે ધીમે આવી શકનારા પ્રલયમાં ય વૃક્ષો જ વિશ્વને વિનાશમાંથી બચાવી શકવાનાં છે. સંસ્કૃિતએ સંખ્યાબંધ વનસ્પતિને ધર્મ સાથે જોડી છે. ‘ગીતા’ના દસમા અધ્યાયના વિભૂતિયોગમાં ભગવાન કહે છે ‘અશ્વત્થ સર્વ વૃક્ષાણામ્’. પંદરમા અધ્યાયના ‘પુરુષોત્તમયોગ’માં અશ્વત્થ એટલે કે પીપળાને સંસારનું પ્રતીક ગણીને ‘ઉર્ધ્વ મૂલ: અધ: શાખા’ એવી કલ્પના છે.