આકાશી વાદળીનાં મંદીલ પહેર્યાં ને ડુંગરના સાદ મને આવે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ક્ષણિત નદીઓ જ્યાં જ્યાં વહી રહી, વાળે જૂની પ્યાસ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
આંખોમાં આહ પ્યાસી નિગાહ ચમકતાં નથી અશ્રુઓ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કસુંબલ આંખની છાયા પ્યાલામાં ને અસલ મસ્તી મદિરામાં આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
નજરની મોર દોડે આંધી જેવું કંઈ આંખમાં ઊઠી શમી ગયું આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
કિરણની આંચથી ફૂલોનાં મનમાં વજ્જરનાં ઘાવ વધાવ્યા આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
પાંગરે છે પુષ્પ પેઠે પથ્થરો ને બગીચામાં પમરતો પ્રાણ આજે,
નજરથી સૂર્ય કિરણોને હું વણું છું ને ડુંગરના સાદ મને આવે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


પામુલાપતિ વેંકટ નરસિંહ રાવ, ભારતના 9મા પ્રધાન મંત્રી, 17 ભાષાઓ બોલતા હતા; 10 ભારતીય ભાષાઓ – (માતૃભાષા) તેલુગુ, હિન્દી, સંસ્કૃત, મરાઠી, ગુજરાતી, ઉડિયા, બંગાળી, કન્નડ, તમિલ, ઉર્દૂ અને 7 વિદેશી ભાષાઓ – ઇંગ્લિશ, ફ્રેંચ, અરેબિક, સ્પેનિશ, જર્મન, પર્સિયન, અને લેટિન.
નર્મદની માફી સાથે કહેવું પડે છે કે એની ‘જય જય ગરવી ગુજરાત’ આજે ઘણી બધી રીતે ‘વરવી’ ગુજરાત થઈ ગઈ છે. એનો સો ટકા આનંદ છે કે ગુજરાતમાં પ્રચંડ બહુમતી સાથે ભા.જ.પ.નું શાસન ફરી એક વાર સ્થપાયું છે ને ફરી એક વખત ભૂપેન્દ્ર પટેલ ‘ગુજરાતના નાથ’ બન્યા છે. એમને અને એમનાં મંત્રીમંડળને, વચ્ચે કોઈ બદલાવ વગર, પૂરો કાર્યકાળ ગુજરાતની સેવા કરવાનો મળે એવી શુભેચ્છાઓ પાઠવીએ. ગુજરાતી પ્રજા જે રાજકીય પરિણામો આપે છે તે આખા દેશની દિશા નક્કી કરવામાં માર્ગદર્શક બની રહે છે. દેશના વડા પ્રધાન ગુજરાતના છે ને તેમણે ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઝળહળતું કર્યું છે તે હવે કોઇથી અજાણ્યું નથી. ગુજરાતી ફિલ્મો રાષ્ટ્રીય સ્તરે તો ચમકી જ, પણ તેણે વૈશ્વિક સ્તરે ઑસ્કારનું બારણું ય ખખડાવ્યું છે તેની નોંધ લેવી પડે. એ કેમ ભુલાય કે દેશનો રાષ્ટ્રપિતા એક ગુજરાતી છે ને એ એક જ છે. એનો આનંદ છે કે એ રાષ્ટ્રપિતા તો વૈશ્વિક પિતાની ગરજ પણ સારે છે. ભારતનો લોખંડી પુરુષ પણ એક જ છે ને તે પણ ગુજરાતી છે. આ બંને ગુજરાતીઓએ આમ તો વકીલાત દેશ-વિદેશમાં કરી, પણ ભણ્યા ગુજરાતમાં ને ગુજરાતીમાં. ગાંધીજીએ આત્મકથા ‘સત્યના પ્રયોગો’ ગુજરાતીમાં લખી, પછી તેનાં અનેક ભાષાઓમાં અનુવાદ થયા. વધારામાં, નવસારીના દાદાભાઈ નવરોજીએ માર્ચ, 1856થી 1865-‘66 દરમિયાન લંડનની યુનિવર્સિટી કોલેજમાં ગુજરાતીના, હા, ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. એક સમયે લંડનમાં ગુજરાતી ચાલ્યું, પણ ગુજરાતમાં હવે ગુજરાતી શીખવામાં ગુજરાતીઓને નાનમ લાગે છે. ભારત ગુલામ હતું ત્યારે અંગ્રેજોએ ગુજરાતી સ્કૂલો શરૂ કરાવી અને ભારત આઝાદ થયું, ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ને કરુણતા એ છે કે ગુજરાતમાં ગુજરાતી માધ્યમની સ્કૂલો સરકાર જ બંધ કરી રહી છે. ગુજરાતમાં માતૃભાષા તરીકે ગુજરાતી નહીં ભણાવાય તો શું બંગાળ, મહારાષ્ટ્રમાં ભણાવાશે? બીજી તરફ આપણે લવારા કરતા રહીએ છીએ કે ‘જય જય ગરવી ગુજરાત’, તો સીધું પૂછવાનું થાય કે ગુજરાતને આપણે ગરવી રહેવા દીધી છે ખરી? જો ગરવી હોય જ તો ગુજરાતમાં ગુજરાતીનો આટલો અનાદર કેમ?