નથી કબૂલ મને આ વૈભવી વસંતનાં સ્વપ્નાંઓ,
પવનનું વસ્ત્ર ભીનું આભથી પાંદડી ખરતી રહી.
ભલે પાનખર આવે નઝર હું ગુલઝાર રાખું છું,
ઘાસ જેવી સુક્કીભટ ઘટના બાગને ખણતી રહી.
સૂકી જુદાઈની ડાળી તણાં ફૂલ ઊગે ને ખરે,
ગુલમહોરની યાદમાં ઝાકળની તૃષા તરતી રહી.
મૃગજળને ખોબામાં ભરી લેવા હું કરું કોશિશ,
રણ સમી જિંદગી પાણી પાણી તરસતી રહી.
માંડ રણ પૂરું કર્યું ને સામે દરિયો નીકળે જો,
માટીમાં મળે મુક્તિ ને હવા સોડમ ભરતી રહી.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()



કુટુંબમાં અને સમાજમાં જેમનું વર્ચસ હતું એ લોકો સમાનતા અને માનવતાના નામે પોતાનું વર્ચસ છોડવા માગતા નહોતા, પણ છેલ્લી બે-ત્રણ સદીમાં તેમને તે છોડવું પડ્યું છે તેની પીડા તેમને કવરાવે છે. તેઓ ગુમાવેલું વર્ચસ પાછું મેળવવા માગે છે અને જે કાંઈ હજુ હાથમાં છે એ તેઓ ગુમાવવા માગતા નથી. પણ કરવું શું? હવે તેમને માર્ગ જડી ગયો છે. આ જો કે થવાનું જ હતું કારણ ક્રિયા-પ્રતિક્રિયા કુદરતનો ક્રમ છે. સુધારાવાદીઓની અથવા તો પરિવર્તનવાદીઓની ક્રિયા સામે પોતાનો ફાયદો જળવાઈ રહે એવી સમાજવ્યવસ્થાને ટકાવી રાખવા માગનારાઓની પ્રતિક્રિયા પેદા થવાની જ હતી. ભદ્રંભદ્રો હવે રમણભાઈ નીલકંઠનાં પાનાંઓમાંથી બહાર આવવા લાગ્યા છે.