Opinion Magazine
Number of visits: 9447416
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રશ્ન એનએચઆરસીની વિશ્વસનિયતાનો

ગૌતમ ઠાકર|Opinion - Opinion|15 December 2016

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચમાં ભા.જ.પ.ના નેતા અવિનાશરાય ખન્નાની સંભવિત નિમણૂક સામે દેશની મુખ્ય સ્વૈચ્છિક તથા માનવ અધિકાર સંસ્થાઓએ ભારે વિરોધ નોંધાવીને એકી અવાજે રાષ્ટ્રપતિ સમક્ષ ફરિયાદ કરી છે. તેઓએ ભારે વિરોધ કરીને કહ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ જે કોઈ રાજકીય પક્ષનો (તેમાં પણ સત્તાપક્ષનો) સભ્ય હોય તો તે એન.એચ.આર.સી.નો સભ્ય ન બનવો જોઈએ. કેમ કે, આ પંચનું કામ જ સરકારના તંત્ર દ્વારા અધિકારોના ભંગ બદલ કરાયેલી ફરિયાદોને તપાસવાનું હોય છે.

બી.જે.પી.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અવિનાશ ખન્નાને એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે નીમવાની દરખાસ્તથી માનવ અધિકાર સંગઠનો અને જાગૃત નાગરિકો ગંભીરપણે ચિંતિત બન્યા છે. તેમનો વાંધો તેમની સામે અંગત ધોરણે નહીં પરંતુ એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે એન.એચ.આર.સી. જેવી અતિ મહત્ત્વની અને ઉચ્ચસ્તરીય સંસ્થા કે જે ભારતના લોકોના માનવહકના રક્ષણ અને સંવર્ધન માટે રચાયેલ છે તે કામગીરી માત્ર એવા લોકો કે જેઓ બિનપક્ષપાતી અને ભાવિ વ્યક્તિગત પદોન્નતિ તથા આશા-અપેક્ષાની લાલસાથી વિમુખ છે તે જ બજાવી શકે. ત્યારે તેમને બદલે, તેવા સ્થાન ઉપર રાજકારણીની વરણી હરગીઝ ન થવી જોઈએ. આ ઉપરાંત રાજકીય પક્ષના સદસ્ય પાસે પોતના પક્ષના હિતના સંવર્ધન માટેની અપેક્ષા હોય છે અને તેથી તેઓ પંચના સદસ્ય તરીકે તટસ્થતા અને ન્યાયસંગતપણે વર્તી શકશે ખરાં? શું તે શક્ય બનવાનું છે કે પોતાની સરકાર દ્વારા માનવ હકોનું ઉલ્લંઘન થવાના કિસ્સામાં તેઓ પ્રજાની પડખે ઊભા રહે?

જે સંસ્થાઓની જવાબદારીઓમાં સરકારી કામગીરી સંબંધેની ફરિયાદોની આલોચના સમીક્ષા નિગરાની, દેખરેખ તથા જાંચ-પડતાલનો સમાવેશ થતો હોય અને જેઓ વ્યાવસાયિક પાત્રતા અને યોગ્યતાની દૃષ્ટિએ ગેરલાયક ઠરતા હોય અને હોદ્દા માટે અયોગ્ય હોય તેવાની વરણી એન.એચ.આર.સી.ના સભ્ય તરીકે થાય તે એક અનિષ્ટકારી પ્રયાસ છે. આને કારણે એન.એચ.આર.સી.ની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને અસરકારકતાને હાનિ પહોંચશે. માનવહક રક્ષણ અધિનિયમ ૧૯૯૩ની કલમ ૩(૨) કે જેના અંતર્ગત એન.એચ.આર.સી.ની રચના અથવા ગઠન થયું છે તેમાં જણાવ્યા મુજબ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધિશ ઉપરાંત અન્ય બે સદસ્યોને જેમને માનવ અધિકારને લગતી બાબતોનું જ્ઞાન તથા વ્યવહારુ અનુભવ હોય તે પૈકીનાને નીમવામાં આવશે. આ કેસમાં એ સ્પષ્ટ છે કે શ્રી ખન્ના પાસે માનવ અધિકાર ક્ષેત્ર સંબંધે કોઈ જ વ્યવહારુ અનુભવ નથી. તેઓ તેમના વિદ્યાર્થી કાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના સક્રિય સદસ્ય રહેલા. એટલે તેમની નિમણૂક પ્રથમ દૃષ્ટિએ જ યોગ્ય જણાતી નથી.

તમામ જાગૃત નાગરિકો અને માનવઅધિકાર માટે લડતાં સંગઠનોએ  સતતપણે સતર્ક રહી અને વર્તમાન સરકારના લોકશાહી વિરોધી તથા માનવ હકો વિરોધી નિર્ણયો અને કાર્યરીતિનો વિરોધ કરવો જોઈએ. જેથી કરીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ – એન.એચ.આર.સી. પોતાની સ્વતંત્રતા, વિશ્વસનિયતા અને અસરકારકતા જાળવી શકે. જેને કારણે સરકારને માનવહક ઉલ્લંઘન માટે જવાબદેહી બનાવી શકાય. રાજકારણીઓની નિમણૂક કરીને સ્વાભાવિકપણે તે વ્યક્તિ પોતાના પક્ષ પ્રત્યે વફાદાર રહે છે અને પક્ષનું હિત સાધવાને લીધે પ્રજાને સાચો ન્યાય આપવામાં અન્યાય કરી શકે છે. રાજકીય પક્ષનો વ્યક્તિ, ખરેખર પ્રજાના માનવ અધિકારનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ રહેશે ખરા? એન.એચ.આર.સી.ના સભ્યોની તો નાગરિકોના માનવઅધિકારોનું રક્ષણ કરવાની જવાબદારી છે. રાજકારણીની નિમણૂકથી પંચની વિશ્વસનીયતા, એકતા અને આધારભૂતતા સામે પ્રશ્નો ઊભા થશે તેવું લાગી રહ્યું છે. આ નિમણૂકથી ભારતની પ્રજામાં ખોટો સંદેશ જશે અને પંચની સ્વતંત્રતા સામે પડકારો ઊભા થશે.

E-mail : gthaker1946@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2016; પૃ. 08

Loading

15 December 2016 admin
← વ્હાઇટલૅશ (શ્વેત પ્રતિઘાત)?
રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રવાદ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved