Opinion Magazine
Number of visits: 9449075
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—270

દીપક મહેતા|Opinion - Opinion|26 October 2024

સર જમશેદજી નસરવાનજી તાતા : રાત-દિવસ સપનાં જોનારા એક ઉમદા આદમી     

આય આપરા જમશેદજી સેઠ બી સપનાના સોદાગર હુતા! એવને એક નહિ પણ બબ્બે સપનાંની વાત સ્વામી વિવેકાનંદને કરી હુતી. વાત જાને એમ છે કે સ્વામીજી અને સર જમશેદજી, બંને ‘એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા’ નામની સ્ટીમરમાં સાથે ટ્રાવેલ કરી રહ્યા હુતા. ૧૮૯૩ના મે મહિનાની ૩૧ તારીખે સ્વામીજી પેનેનસુલા નામની આગબોટમાં મુંબઈથી નીકલિયા. સીધો રસ્તો લેવાને બદલે લાંબો રસ્તો લીધો. મુંબઈથી ગિયા ચીન, અને ત્યાંથી ગિયા જાપાન. તાંના યોકોહામા બંદરેથી એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા નામની સ્તિમરમાં વાનકુવર જવા નીકલિયા. એ જમાનામાં એરોપ્લેન તો હુતાં નહિ. એટલે એક દેસથી બીજે દેસ જવા માટે આગબોટ એક જ સાધન હુતું. આય એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા કેનેડિયન પેસિફિક સ્ટીમશિપ્સ નામની કંપનીને વાસ્તે ગ્રેટ બ્રિટનમાં ૧૮૯૦-૧૮૯૧માં બંધાઈ હુતી. કલાકના ૧૬ દરિયાઈ માઈલની ઝડપે ચાલતી આય ટ્વીન પ્રોપેલર બોટ એ વખતે સૌથી ફાસ્ટ ચાલતી સ્ટીમર હુતી. તેમાં એકુ વખતે ૭૭૦ મુસાફરો બેસી સકતા હુતા. 

એસ.એસ. એમ્પ્રેસ ઓફ ઇન્ડિયા

પન પછી ૧૯૧૪માં કેનેડિયન કંપનીએ આય બોટ આપના દેસના ગ્વાલિયરના મહારાજાને વેચી દીધી. એવને બોટનું નવું નામ રાખ્યું ‘લોયલ્ટી.’ પણ તે વારે જ પહેલી વર્લ્ડ વોર સુરુ થઈ. સરકારે આ બોટમાં ફેરફાર કરી તેને સૈનિકો માટેની ઓસ્પિટલ બનાવી નાખી. વોર પૂરી થયા પછીથી ૧૯૧૯ના માર્ચમાં આપના દેસની પહેલવહેલી ‘દેશી’ શિપિંગ કંપની સિંધિયા સ્ટીમ નેવિગેશને આય શીપ ખરીદી લીધું. અને એ જ વરસના એપ્રિલ મહિનાની પાંચમી તારીખે આપના દેસના વહાનવટાના હિસ્ટરીમાં એક નવું સોનેરી ચેપ્ટર લખાયું. તે દહારે આય દેશી કંપનીની ‘લોયલ્ટી’ સ્ટીમર મુંબઈથી ગ્રેટ બ્રિટન જવા નીકલી. તે દહારા સુધી હિન્દુસ્તાન-બ્રિટન વચ્ચેની મુસાફરી પર અંગ્રેજ કંપનીઓની મોનોપોલી હુતી. 

જો કે એક વાત બહુ કમ લોકોને માલમ છે. સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની કરતાં બી પહેલાં ‘દેશી’ કંપની સુરુ કરવાનો અખતરો જમશેદજીએ કીધો હૂતો. ૧૮૯૩માં જમશેદજી જાપાન કાંઈ સહેલગાહ કરવા ગયેલા નહિ. હિન્દુસ્તાન અને ગ્રેટ બ્રિટન વચ્ચે એ વખતે કપાસ અને કાપડનો ધીખતો ધંધો. પણ માલની બધી જ આવનજાવન અંગ્રેજ શિપિંગ કંપનીઓના જ હાથમાં. એટલે નૂરના ભાવ મન ફાવે તેમ લે. વલી આય કંપનીઓ ‘સર્કલ’ બનાવીને કામ કરે. એટલે સર્કલની એક કંપનીનો ઘરાક એ કંપની છોરીને બીજે જવા ચાહે તો કોઈ એનો માલ લાવવા લઈ જવા તૈયાર થાય નહિ. જાપાનની NYK નામની એક મોટ્ટી શિપિંગ કંપની સાથે જમશેદજીએ કોલ કરાર કીધા. જમશેદજીએ બે બારકસ ભાડે લીધાં અને NYK કંપનીએ પોતાનાં બે વહાણ જમશેદજીને ફાળવ્યાં. કોટન અને કાપડની લાવ-લઈ જા સુરુ કીધી. બ્રિટીશ કંપનીઓ એક ટન માલ લાવવા લઇ જવાના ૧૮ રૂપિયા લેતી હુતી. જમશેદજીએ ૧૨ રૂપિયા ભાવ રાખ્યો. વેપારીઓ તેમની કંપની તરફ દોડ્યા. પણ અંગ્રેજ કંપનીઓ કાંઈ ગાંજી જાય એવી હુતી નહિ. તેમને પોતાનો ભાવ ઘટાડીને એક ટનનો દોઢ રૂપિયો કરી નાખ્યો! પન આ ભાવ તો કોઈને બી પોસાય નહિ. એટલે કંપનીઓએ બ્રિટિશ સરકાર પાસે ધા નાખી. સરકારે કહ્યું કે ચિંતા કરુ નકો. તમુને જે ખોટ જસે તે સરકાર ભરપાઈ કરશે! (આજની સરકારો છુટ્ટે હાથે ‘પોતાના’ વેપારીઓને લહાણી કરતાં અંગ્રેજ સરકાર પાસેથી જ શીખી હશે ને!) 

જમશેદજીએ સેક્રેટરી ઓફ સ્ટેટને રાવફરિયાદ કીધી. પણ કોઈ કારી ફાવી નહિ. બીજી બાજુ અંગ્રેજ કંપનીઓએ વેપારીઓને ધમકી આપી : જો એક વાર બી તાતાની કંપનીને માલ આપીયો, તો પછી કોઈ બી બ્રિટિશ કંપની તમારા માલને ચીપિયા વરે હાથ બી નહિ લગારે. એટલે મતલબી વેપારીઓએ તાતાની કંપનીને મૂકી પડતી. છેવટે હારી-થાકીને જમશેદજીએ પોતાની કંપનીનો વીંટો વાલી દીધો. અને બીજા જ દિવસથી બ્રિટિશ કંપનીઓએ એક ટનનો ભાવ ફરીથી સોળ રૂપિયા કરી નાખ્યો! 

જમશેદજી તાતાએ સ્વામી વિવેકાનંદને લખેલો પત્ર 

સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદની વાત કરતાં આપરે જરા જુદી દિશામાં નીકલી ગિયા. હવે અસલ વાત આગળ ચલાવીએ! એસ.એસ. એમ્પ્રેસમાં બેસીને જાપાનથી કેનેડાની મુસાફરી સુરુ કીધી ત્યારે સર જમશેદજી અને સ્વામી વિવેકાનંદ એકુમેકુને ઓલખતા હુતા નહિ. પન શીપની લાંબી મુસાફરીમાં એકુમેકુને મલિયા, વાતો કીધી. તે વારે સર જમશેદજીએ સ્વામીજીને કીધું કે આપ તો આપરા દેસનું નામ રોશન કરવા જાવ છો. પન મારાં બી બે નાલ્લાં સપનાં છે આપરા દેસ માટે. એક તો સાયન્સના ટીચિંગ અને રીસર્ચ માટે એક મોટ્ટી ઇન્સ્ટિટ્યૂટ શુરુ કરવી ચ આપરા દેસમાં. અને બીજું સપનું તે પાણીની મદદથી પાવર પેદા કરવા એકુ હાઈડ્રોલિક પાવર પ્લાન્ટ નાખવો ચ, મુંબઈની પાસે. સ્વામીજીએ એવનની વાત સાંભલીને કીધું કે બહુ ઉમદા વિચાર છે આપના. આવું કોઈ કામ કરો અને મદદની જરૂર પડે ત્યારે મને યાદ કરજો. 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું પહેલું મકાન

સ્વામી વિવેકાનંદ સાથેની સફર પછી પાંચ વરસે જમશેદજી શેઠે કાગજ લખિયો : ‘આજથી પાંચ વરસ પર જાપાનથી વાનકુવર જતી શીપ પર આપરે મલિયા હુતા તે આપને કદાચ યાદ હોસે. એ વખતે મેં મારાં બે સપનાં બાબત વાત કરી હુતી. મને કહેતાં ખુસી ઉપજે છ કે તેમાંથી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટનું કામ હવે સુરુ થૈ ગિયું છે. બેંગલોરમાં આય માટે મૈસૂરના મહારાજાએ ૩૭૧ એકર જમીન અને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. મેં બી મારી થોરી જમીન અને મકાનો આપ્યાં છે.’ નવાં મકાનો બંધાવા લાગિયાં, બીજી બધી સગવરો ઊભી થવા લાગી. આય બધી તૈયારી જોઈને જમશેદજી જરૂર હરખાયા હોસે. પન એવન પરદેશની મુસાફરી પર ગિયા હુતા ત્યારે જર્મનીમાં ૧૯૦૪ના મે મહિનાની ૧૯મી તારીખે એવન આ ફાની દુનિયા છોરીને ચાલી ગિયા. 

જમશેદજી નસરવાનજી તાતાના બીજા સપનાની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 26 ઓક્ટોબર 2024

Loading

26 October 2024 Vipool Kalyani
← Restating the Agenda of Hindu Rashtra: RSS Chief sets the tone for BJP politics
ભેંસના શિંગડાનો ન્યાય એક દિવસ ભા.જ.પ.ને પણ લાગુ પડવાનો છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved