Opinion Magazine
Number of visits: 9448847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

“યે હો ક્યા રહા હૈ?”

રમેશ ઓઝા|Opinion - Opinion|21 May 2024

રમેશ ઓઝા

“યે હો ક્યા રહા હૈ?” મને ખાતરી છે કે ૧૪મી અને ૧૫મી તારીખે એક ભક્તે બીજા ભક્તને આવો સવાલ કર્યો હશે અને બીજા ભક્તે જવાબમાં કહ્યું હશે કે “મુઝે ભી કુછ સમઝમેં નહીં આ રહા હૈ.” ૧૪મી તારીખે વડા પ્રધાને તેમની પાળીતી ચેનલોનાં પત્રકારોને મુલાકાત આપતા કહ્યું હતું કે હિંદુ મુસલમાનનું કોમવાદી રાજકારણ? છી! છી! છી! આવું ગંદુ રાજકારણ મેં જિંદગીમાં ક્યારે ય કર્યું જ નથી અને જો હું કરું તો જાહેરજીવનમાં રહેવાની કોઈ લાયકાત હું ધરાવતો નથી. એ પછી એમનું હંમેશનું કથન. મુસલમાનો સાથે તો બાળપણનો સંબંધ છે. ઇદના દિવસે મુસલમાનના ઘરે ભોજન કરતો હતો, સેવૈયા ખાતો હતો, તાજીયાના જુલુસમાં ભાગ લેતો હતો વગેરે વગેરે. અને છેલ્લે રાહુલ ગાંધીએ હજુ અઠવાડિયા પહેલાં ભવિષ્ય ભાખ્યું હતું એમ થોડું રુદન. રાહુલે કહ્યું હતું કે ચૂંટણીનાં ભા.જ.પ. માટે અઘરા રાઉન્ડ શરૂ થશે એ પહેલાં રુદન પણ જોવા મળશે અને મળ્યું. અનપ્રેડીક્ટેબલ વડા પ્રધાન પ્રેડીક્ટેબલ બની ગયા છે.

૧૫મી તારીખના ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પહેલાં પાને વડા પ્રધાનની આ હેડલાઈન હતી અને એ જ અખબારનાં એ જ દિવસનાં અંદરનાં પાને અન્યત્ર જગ્યાએ કરેલી મુસલમાનોની નિંદા હતી. જો મુક્ત પત્રકારત્વનો જમાનો હોત તો આ બન્ને સમાચાર એક જ સ્થળે બાજુબાજુમાં છપાયા હોત.

પણ આ કથન આશ્ચર્યજનક છે. ૨૩ વરસથી તેઓ સતત હિંદુ-મુસ્લિમ કરે છે અને એ આ જગતમાં કોણ નથી જાણતું? હકીકતમાં તેમની ઓળખ જ એ છે અને તેને કારણે તો તેમને ભક્ત મળ્યા છે. ભક્તને એ જ ભગવાન ભાવે જે એના મનોરથ પૂરા કરતો હોય. માત્ર ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે હિંદુ-મુસ્લિમ નહોતું કર્યું, કારણ કે ત્યારે તેમને દિલ્હી પહોંચવું હતું. બાકી યુ ટ્યુબ પર સર્ચ કરશો તો મુસલમાનોને ગાળો દેનારી સો ક્લિપ્સ તો સહેજે મળશે. પંદર-વીસ ક્લિપ્સ તો આ વરસની જ મળી રહેશે. દસેક ક્લિપ્સ ચૂંટણીપ્રચાર શરૂ થયો એ પછીની મળી રહેશે. રાજસ્થાનમાં બાંસવાડાનું તેમનું ભાષણ સાંભળી લો. આવું જ ભક્તોને ભ્રમિત કરી દે એવું ચોંકાવનારું કથન ૮મી મેના રોજ તેમણે તેમના મિત્ર અદાણી અને અંબાણી વિષે કર્યું હતું. એ બન્નેએ ટેમ્પો ભરીને પૈસા કાઁગ્રેસને આપ્યા છે. પોતાના ભાઈબંધની વફાદારી વિષે આમ કહ્યું હતું. ભક્તોને હજુ તો એની કળ વળી નહોતી ત્યાં આ બીજું નિવેદન. માટે ભક્તોએ એકબીજાને ફોન કરીને પૂછ્યું હશે કે યે હો ક્યા રહા હૈ?

આવી રીતે સૂર બદલવાનું કારણ શું? જો કે વિરોધાભાસની તેમણે ક્યારે ય ચિંતા કરી નથી; પછી એ મનરેગા હોય, જી.એસ.ટી. હોય, આધાર કાર્ડ હોય, ખેડૂતોને ટેકાના ભાવ હોય, પેન્શન હોય, ભષ્ટાચાર હોય, ચીન હોય કે બીજું કાંઈ પણ હોય. નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડા પ્રધાન છે જેમનાં પોતાનાં જ પરસ્પર વિરોધી નિવેદનોનો એક કોશ બને. આજ કુછ, કલ કુછ. જરૂરિયાત બદલાઈ કે ભાષા બદલાઈ. એક જ અભિપ્રાયને વળગી રહેવું કે ટેકીલા રહેવું એ નમાલાઓનો ગુણ છે, ભડવીર તો સભાએ સભાએ જુદું બોલે. તેમના આ ખાસ ગુણના કારણે મોદી કી ગારંટીની મતદાતાઓ ઉપર કોઈ અસર થતી નથી. પણ આ વખતે અદાણી – અંબાણીનાં નામ પોતાનાં મુખેથી લીધાં અને મુસલમાનો સાથે મોહબ્બત કરવાની જે વાત કરી એ રાબેતાનાં પરસ્પર વિરોધી નિવેદનો કરતાં ઘણું વધુ છે.

શા માટે?

એક કારણ એવું દેખાય છે કે વિશ્વદેશો ભારતની ચૂંટણી પર નજર રાખી રહ્યા છે અને નરેન્દ્ર મોદી ૨૦૦૨ની કોમવાદી અને તિરસ્કૃત ભાષા પર ઉતરી આવ્યા છે એવું જગતનાં અખબારો લખવા માંડ્યા છે. સરકારો કહેવા લાગી છે કે ભારતમાં લોકતંત્ર જળવાઈ રહેશે અને ચૂંટણી મુક્ત અને ન્યાયી હશે એવો અમને વિશ્વાસ છે. આવું કેમ કહ્યું? આ પહેલાં તો ક્યારે ય આવું કોઈ દેશે ભારતનાં લોકતંત્ર અને ચૂંટણી વિષે કહ્યું નહોતું? વગોવણી એટલી હદે થઈ રહી છે કે ભારતના વિદેશ પ્રધાને કહેવું પડ્યું કે ભારતનાં લોકતંત્રની બીજા દેશોએ ચિંતા કરવાની જરૂર નથી, એ આમરી અંગત બાબત છે. હજુ થોભો, રશિયા પાસે કહેવડાવવામાં આવ્યું કે અમેરિકા ભારતની ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

હવે સમસ્યા એ છે કે નરેન્દ્ર મોદીને સત્તા પણ જોઈએ છે અને જગતને ચોરે પાંચમાં પૂછાવું પણ છે. જવાહરલાલ નેહરુને અહીં આંબી જવા છે અને આગળ નીકળી જવું છે. હવે ઓર્દેગોન(તુર્કીના વડા)ને તો આદર મળે નહીં, આદર તો સભ્ય માણસને જ મળે! એટલે હવે જ્યારે ૫૪૪ બઠકોમાંથી ૩૭૮ બેઠકો પર મતદાન થઈ ચુક્યું છે ત્યારે પ્રમાણમાં અજાણ્યો રાગ માણસાઈ આલાપવામાં જોખમ નથી. અને વળી પક્ષના કાર્યકર્તાઓ, સાયબર સેલ અને ભક્તો તો છે જે ઝેર ફેલાવવા માટે. તો બદલાયેલા સૂર પાછળનું પહેલું કારણ જગતમાં ભૂંડા લાગવાથી બચવાનું હોઈ શકે છે.

બીજું કારણ એ છે કે ન કરે નારાયણ અને જો બહુમતી ન મળે અને બીજાના સથવારે સરકાર ચલાવવી પડે તો ઘમંડ, મનમાની, દાદાગીરી અને ઉન્માદ છોડીને વચ્ચે આવવું પડે અને ત્યારે એ બહુ વસમું લાગે. એનાં કરતાં અત્યારથી જ વચ્ચે શા માટે ન આવવું? તમે જોયું હશે કે ગોદી ચેનલો વચ્ચે આવવા માંડી છે અને રાહુલ ગાંધી તેમ જ વિરોધ પક્ષોના નેતાઓને તેમ જ તેમના ચૂંટણી પ્રચારને બતાવવા લાગી છે. દેશમાં ઉન્માદ પેદા કરવાના ગુનેગાર તેઓ બનવા માગતા નથી. આમ પણ આગળ કહ્યું એમ બે તૃતીયાંશ બેઠકોની ચૂંટણી તો થઈ ગઈ છે. તો આ બીજું એટલું જ પ્રબળ કારણ છે.

અને જો જનતાજનાર્દન રૂઠે અને પરાજય થયો તો? તો તો ડહાપણ અને માણસાઈ જ તારી શકે. કઢીચટ્ટાઓ એક એક કરીને ભાગી જાય. અત્યારે જ મૂકેશ અંબાણીની ચેનલો અને ગૌતમ અદાણીની ચેનલો અપમાન સહન કરીને પણ નરેન્દ્ર મોદીને સાથ આપે છે અને બીજી બાજુ પવન જોઇને બીજાને સાથ આપવા માંડ્યા છે. કઢીચટ્ટાઓનો સ્વભાવ છે કઢી ચાટવાનો, એ કોની છે એનાથી તેમને કોઈ ફરક પડતો નથી.

Loading

21 May 2024 Vipool Kalyani
← બંધ કરો આ રમત
સ્વરાજ સૈનિકોએ આ રાની પરજમાં ભળી જઈ જાગૃતિ અને નવસંસ્કારનું કામ કીધું →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved