Opinion Magazine
Number of visits: 10118141
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૧) 

સુમન શાહ|Opinion - Literature, Opinion - Opinion|19 June 2023

સુમન શાહ

કુન્તકના અધ્યયન દરમ્યાન મને ગમી ગયેલી એમણે પ્રયોજેલી વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ સંજ્ઞાઓ વિશે આ અગાઉના લેખોમાં ચર્ચા કરી છે. 

આજે, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓ સમજીએ.

વક્રકવિવ્યાપારથી કવિતાનું સ્વરૂપ – નેચર – સૂચવાય છે અને વૈદગ્ધભંગીભણિતિથી કવિતાની રૂપરચના – ફૉર્મ – સૂચવાય છે તેમ શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમ જ તદ્વિદાહ્લાદકારી સંજ્ઞાઓથી કવિતાનું કાર્ય -ફન્કશન- સૂચવાય છે.

શોભાતિશય એટલે ઉક્તિની વક્રતાથી જનમેલું વાણીનું સૌન્દર્ય, એટલે કે, ભાષિક સાહિત્યિકતા, લિટરરીનેસ, વર્ડ-બ્યુટિ. અતિશય કેમ? સામાન્ય ભાષાની સાદીસીધી ઉક્તિશોભામાં વધારો થઈ ગયો હોય છે તેથી શોભાતિશય. ‘તમે ક્યાંના રાજા છો?’ એ પ્રશ્નોક્તિને સ્થાને ‘આપના આગમનથી આપ કયા નગરની પ્રજાને વિરહિત કરી રહ્યા છો?’ એમ પુછાય એટલે શોભાતિશયનો અનુભવ થાય.

વક્રોક્તિનું એક કાર્ય શોભાતિશય. શોભાતિશયનું કાર્ય સહૃદયાહ્લાદકારીત્વ; એટલે કે, એથી સહૃદયો આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. ઉત્તમ કૃતિઓના પરિશીલનથી જેનું ચિત્ત મુકુરીભૂત થયેલું છે તેને સહૃદય કહેવાય છે. સાર એ કે સાહિત્યકલાના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં ભાવનની ગુંજાઇશ હોવી જોઇશે.

શોભાતિશયનું બીજું કાર્ય તદ્વિદાહ્લાદકારીત્વ; એટલે કે, એથી એનો જાણકાર, તદ્વિદ, અધિકારી, આહ્લાદ અનુભવે છે; તાત્પર્ય, સામાન્ય શ્રોતા કે ભાવક કે વાચકને આહ્લાદનો અનુભવ નહીં થાય. તદ્વિદ એટલે જેને કૃતિના સ્વરૂપની, રીતિની, અને સઘળા વ્યાપારની તથા સાહિત્ય સમગ્રની જાણકારી છે, એવો જેનો અધિકાર છે તેવી વ્યક્તિ. સાર એ કે કૃતિના સૌન્દર્યાનુભવ માટે વ્યક્તિમાં સાહિત્યજ્ઞાનની ગુંજાઇશ હોવી જોઇશે.

આમ, કવિતાનું કાર્ય શોભાતિશય છે એ ખરું, પણ એનો આનન્દ તો અધિકારીને જ થશે. આ અધિકારીતા કલાનુભવની શરત બને છે અને તેથી વ્યાપક પ્રજાસમૂહોની બાદબાકી થઈ જાય છે, જો કે એ જુદી વાત છે.

સહૃદય અને તદ્વિદને ‘આઇડીયલ રીડર’ કે ‘ટારગેટ રીડર’ કહી શકીએ કે કેમ? લૂઇસ રોસેનબ્લાટ આદિ સમીક્ષકોએ શરૂ કરેલા ‘રીડર રીસ્પૉન્સ ક્રિટિસિઝમ’-ને કુન્તકના આ વક્રકવિવ્યાપાર, વૈદગ્ધભંગીભણિતિ, શોભાતિશય, સહૃદયાહ્લાદકારી તેમજ તદ્વિદાહ્લાદકારી વિભાવો સાથે સરખાવીને તુલનાવાચી અધ્યયન કરી શકાય, જો કે એ પણ જુદી વાત છે.

= = =

(06/18/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 June 2023 Vipool Kalyani
← ‘આદિપુરુષ’ આદિ નહીં, આધુનિક પણ છે…
કરોડપતિ ભારતીયો પગ વડે મત આપે છે →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—354
  • મોંઘવારીને મામલે સામાન્ય માણસ અસામાન્ય રીતે ચૂપ છે …
  • કૃત્રિમ બુદ્ધિમતાથી સર્જાઈ શકે છે અસલી જળસંકટ
  • જંતરમંતર અને ઝારખંડથી હઠીને બે શબ્દ રચનાત્મક કૉંગ્રેસને મિષે    
  • ભેરવાયા

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved