જીવે છે સૌ લોહીમાં પોત પોતાનું મહાભારત !
શ્વાસો શ્વાસ પર વ્યાસની સહી કયાં છે ?
સમુદ્રોની છાતી ઉપર તરનાર કાળિયો નાગ !
ગોમતી નદીના તટ પર દ્વારકાધીશ કયાં છે !
ખૂપી ગયો રથ કર્ણ તણો જો હું જ લાગુ,
તિક્ષ્ણ તીરે વીંધી નાખે એ અર્જુન ક્યાં છે!
ઝીલિયા પોતીકાના બાણો ખુલ્લી છાતીએ,
દિર્ગાહ આયુષી ગંગા પુત્ર ભીષ્મ ક્યાં છે ?
કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ,
હરણ કરે સીતાનું એ કંસ – મારીચ કયાં છે?
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
જીવન સંજીવની લઈ દેવકી નંદન કયાં છે ?
દુષ્કર્મની પાદુકા હાથમાં લઈ, મંદિરે ઊભો છું,
સત્કર્મોનો હિસાબ જાણતા શ્રીરામ કયાં છે !
જીવન રૂપી ભવસાગર જે તરે તે જ જાણે,
પાણિયારી સ્થિર દીવો શ્વાસો શ્વાસ કયાં છે!
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com