કાયા કંતાન થઈ ગઈ
એની ય
એમને ખબર પડવા ના દીધી.
એવા એ લોકો
જબરા જાદુગર !
એમના કિલ્લાની બહાર
એ લોકો જઈ શક્યા હોત
પણ
એમની જાદુગરીએ જ
એમને જકડી રાખ્યા !
અંતે
કડડભૂસ કિલ્લો થયો
ને એ જાદુગરો ય
અદૃશ્ય થઈ ગયા –
ને એ લોકે
માથે આકાશ જોયું
ને સૂરજ ઝળહળતો જોયો,
ત્યારે જ એમને થયું
કે લ્યા ! આટલું આયખું
આમ જ કાઢ્યું ?
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 11