કોવિડ-૧૯ની મહામારી ફેલાઈ ત્યારથી ફક્ત ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ‘યુદ્ધ’, ‘મોરચો’, ‘લડાઈ’, ‘જંગ’, (ડૉક્ટર-નર્સ માટે) ‘મોખરે રહીને લડનારા’ જેવા શબ્દપ્રયોગ છૂટથી વપરાતા રહ્યા છે. તે વપરાય છે પરિસ્થિતિની ગંભીરતા — કંઈક અંશે, નાટ્યાત્મક ગંભીરતા — દર્શાવવા માટે. પરંતુ કેટલાક અભ્યાસીઓએ આ પ્રકારના શબ્દપ્રયોગો કેમ અસ્થાને અને નુકસાનકારક છે, તે તરફ ધ્યાન દોર્યું છે.
‘સાયન્ટિફિક અમેરિકન’ના બ્લૉગમાં એક ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે તેમ, યુદ્ધસમયની માનસિકતાનો મતલબ છે, કુછ ભી ચલતા હૈ. દુશ્મનને પરાસ્ત કરવા માટે જે કરવું પડે તે કરવું, જેનો પણ ભોગ આપવો પડે તેનો આપવો. (દા.,ત. ‘ડૉક્ટરોએ પણ શહીદ થવાની તૈયારી રાખવી અને જે એવી તૈયારી ન રાખે તે કાયર’) પરંતુ કોરોના સામેનો મુકાબલો મૅડિકલ સાયન્સનો મામલો છે. તેમાં યુદ્ધની માફક દે ધનાધન ન કરાય. તેમણે લખ્યું છે કે વાઇરસને હરાવવાની ઉતાવળ છે એ ખરું, પણ તેમાં યુદ્ધની માનસિકતા કામે લગાડીએ તો ડૉક્ટરો અને દરદીઓ બંનેના માથે મોટાં જોખમ આવી પડે. આડેધડ અને આયોજન વગરનાં લૉક ડાઉનથી માંડીને પૂરતી ચકાસણી કર્યા વગરની ટેસ્ટ કિટ જેવાં ઊડઝૂડ પગલાં ઘણે અંશે કથિત યુદ્ધની માનસિકતાને જ આભારી છે. કેમ કે, એવી મનોસ્થિતિમાં એક વાર જે સૂઝે તે કરી નાખવાનું હોય છે. પછી, દેખા જાયેગા.
મૅડિકલ સાયન્સમાં એવી ઉતાવળ ને ટૂંકા ગાળાના નિર્ણયો ભારે પડી શકે છે. તે ક્ષેત્રની મૂળ તાલીમ જ શાંતિથી, તબક્કાવાર, પૂરતી ચકાસણી અને ફેરચકાસણી કરીને, ક્ષેત્રનિષ્ણાતોની કડક નજર હેઠળથી સંશોધન પસાર કરાવીને આગળ વધવાની હોય છે. તેમાં શૉર્ટ કટ અપનાવવાનો અર્થ છે ભવિષ્ય માટે નવી આફતને તેડું આપવું. કોરોના જેવી આપત્તિના સમયમાં મૅડિકલ સાયન્સે વધુ ઉતાવળિયા નહીં, વધુ ઠરેલ થઈને વિચારવું પડે છે. કેમ કે, અમસ્તાં લોકોનાં મગજ તનાવથી તંગ હોય છે. રહી વાત ડૉક્ટર-નર્સ-સફાઈ કર્મચારી અને આગળ પડીને કામ કરતાં બીજાં લોકોની. તેમાંના ઘણાખરા વ્યક્તિગત ધોરણે ઉત્તમ કામગીરી કરી જ રહ્યા છે, પરંતુ તેમને યુદ્ધ પરિભાષાથી દૂર રાખીને બિરદાવીએ. તેમાં એમનું પણ ભલું છે ને આપણું પણ.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020
![]()


WHOની ગાઇડલાઇન પ્રમાણે, આરોગ્ય મંત્રાલયે કોઈ પણ વિસ્તાર કે સમુદાયને વાઇરસ ફેલાવાના કારણસર કલંકિત નહીં ગણાવવાનો આદેશ આપેલો છે. ગુજરાત સરકારે દરદીઓનાં નામ જાહેર કરવાનું બંધ કર્યું છે ને દિલ્હી સરકાર સામે તો એ મુદ્દે હાઇકોર્ટમાં ફરિયાદ પણ થઈ છે. જેમ તબલિઘી જમાતની ગુનાઈત બેદરકારીના બચાવનો કોઈ સવાલ જ ઊભો થતો નથી, તેમ આરોગ્યખાતું પોતે વૈશ્વિક મહામારીના સમયમાં પણ કોમવાદનો વાઇરસ ફેલાવવાનું ચાલુ રાખે, તેને શું કહીશું?
તેમને કેમ કહેવું કે દેશહિતના નામે ધરાર કોમવાદ અને જૂઠાણાં ફેલાવવાનો તમારો ધંધો બેરોકટોક જ નહીં, શીળી છાયામાં ચાલે છે, એ જ મોટું કાવતરું નથી? મુખ્ય મંત્રીના મંત્રીપુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજકીય દંગલમાં ઝંપલાવીને, કેન્દ્ર સરકારના પ્રચારકોને વધારે ઝેરી બનાવ્યા. સાયબર સેલના આસુરી સૈન્યની મદદથી સરકારી નિર્ણયોને લોકમતની વૈતરણી પાર કરાવવાનું સામાન્ય હોય, ત્યાં ‘ફિલ્મી પી.આર. એજન્સીના પ્રતાપે ઉદ્ધવ ઠાકરેનાં વખાણ થાય છે’—એવો આરોપ બેશરમીનો વધુ એક નમૂનો હતો.