૧૮ સપ્ટેમ્બરે અમદાવાદના દીનદયાળ હૉલમાં મેં નાટક નિહાળ્યું. – ‘યુગપુરુષ – મહાત્માના મહાત્મા’. તેમાં એક દૃશ્ય જોઈને હું ખળભળી ઊઠ્યો. આઝાદીદિને ૧૯૪૭માં ભારતના રાષ્ટ્રધ્વજને મોં પર સવા મણના સ્મિત સાથે જમણા હાથે સલામી આપતા મહાત્મા ગાંધી દર્શાવ્યા છે.
ગાંધીજીની એ સમયની મનોસ્થિતિ અને ભૂમિકાનો શ્રદ્ધેય દસ્તાવેજ પ્યારેલાલ કૃત ‘પૂર્ણાહુતિ’(‘લાસ્ટ ફેઇઝ’)માં મળે છે. એમાં ક્યાં ય આ વાતનું હકીકતી સમર્થન મળતું નથી.
ગાંધીજીને આપણે એમના અંતિમ પર્વમાં જોયા, એમાં કવિ રાયચંદભાઈ(ભક્તોના શ્રીમદ્ રાજચંદ્ર)નો કોઈ નિર્ણાયક ઇલમ કામ કરતો હોય, એવી નાટ્યકારની ચેષ્ટાને કાં તો બાળચેષ્ટા તરીકે જોઈ શકાય કે પછી વૈશ્યસંસ્કૃિતને ધોરણે શ્રીમદ્ રાજચંદ્રને સેલ કરવાની એક પ્રયુક્તિ તરીકે જોઈ શકાય. રાજચંદ્ર પોતાને સ્થળે, પોતાની રીતે પ્રતિભાસંપન્ન હતા જ; પણ તે દર્શાવવા માટે ગાંધીના ગાંધીપણાનો યશ એમને આપવાની જરૂર નથી.
ગાંધીજીએ રાજચંદ્રને ગુરુ કે સંપૂર્ણ મુક્તાત્મા તરીકે સ્વીકાર્યા નહોતા એ ઇતિહાસવસ્તુ છે, જેમ, એમણે પોતાની કોઈ નાજુક, નિર્ણાયક પળોમાં રાયચંદ્રભાઈનો વિધાયક ફાળો નોંધ્યો છે, તેમ આ પણ સત્ય છે.
કામેશ્વર ટિ્વન્સ, અમદાવાદ-૩૮૦ ૦૧૫
સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2017; પૃ. 15