આશરે અઢી વર્ષ પછી, સને ૧૯૪૫ના ઓગસ્ટ માસના અંત ભાગમાં, સુભાષચંદ્ર બોઝની પત્ની એમિલીએ એક રાત્રે વિયેના શહેરના પોતાના ઘરમાં રેડિયો પર સાંભળ્યું કે ‘બોઝ વિમાની અકસ્માતમાં તૈપેઇ (તાઇવાન દેશનું એક શહેર) મુકામે મૃત્યુ પામ્યા છે.’ તેણે સખત આઘાત અનુભવ્યો અને પછી બેડરૂમમા જ્યાં પોતાની દીકરી અનીતા ગાઢ નિંદ્રામાં સૂતી હતી, ત્યાં જઇને ધ્રૂસકે ને ધ્રૂસકે ખૂબ જ રડી.
જિંદગી તો જીવવાની જ હતી. જે પોસ્ટઓફિસમાં તે કામ કરતી હતી, ત્યાં એમિલીએ નોકરી કરવાનું શરૂ કર્યું. બીજા વિશ્વયુદ્ધે પેદા કરેલી જબ્બરજસ્ત પાયમલી ને કારણે યુદ્ધ પછીના વિયેનામાં સામાન્ય નાગરિકો માટે આર્થિક નિર્વાહ કરવો ખૂબ જ કપરું કામ હતું. (She later remembered that there was “no milk for the baby for weeks” and the family had been effectively starving.) નાની બેબી અનીતાને કેટલા ય અઠવાડિયા સુધી દૂધ જ પીવાનું મળતું નહીં. ખરેખર તે કુટુંબ હકીકતમાં ભૂખે મરતું હતું. આવા સંજોગોમાં એમિલીએ સુભાષચંદ્ર બોઝના ભાઇ શરતચંદ્રને પોતાની ઓળખ બતાવતો પત્ર મોકલ્યો. સને ૧૯૪૮માં શરતચંદ્ર પોતાના કટુંબ સાથે વિયેના ગયા અને પોતાના જ કુટુંબનાં નવાં સભ્યોને ખૂબ જ હેતસભર મળ્યા અને પ્રેમથી સ્વીકાર્યા.
સુભાષચંદ્ર બોઝના ભત્રીજા અમૈયાનાથ બોઝે નહેરુને વડાપ્રધાન તરીકે એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે નહેરુજીને નીચે મુજબની વિનંતી કરી હતી. “મારી કાકીને મારે નાણાંકીય મદદ કરવી છે. તે ઓસ્ટ્રીયા દેશના પાટનગર વિયેનામાં પોતાની દીકરી સાથે રહે છે. જો હું રિઝર્વ બેંક ઓફ ઇંડિયા અને મારી કાકી જે દેશમાં રહે છે તે ઓસ્ટ્રીયન નેશનલ બેંક દ્રારા આ નાણાંકીય ટ્રાન્સફર કરું, કરાવું તે કામ સરળતાથી અને ઝડપથી થશે નહીં. માટે મારી વિનંતી છે કે દિલ્હીમાં આવેલ ઓસ્ટ્રીયન વાઇસ કાઉન્સેલરની કચેરી દ્રારા આ કામ થાય તેવી સગવડ કરી આપોને? આપણે તેમની ફોરેન બેંકમાં નાણાં જમા કરાવી દઇએ જે બ્રિટિશ પાઉંડમા રૂપાંતર કરીને મારી કાકીને મળે. મારે નિયમિત રીતે મારી કાકીને આ પ્રમાણે નાણાંકીય મદદ કરવી છે.”
પત્ર મળ્યા પછી બે જ દિવસમાં નહેરુજીએ નાણાં મંત્રાલય અને પરદેશ મંત્રાલયને અમૈયાનાથ બોઝના પત્ર અંગે યોગ્ય માર્ગ શોધવા પત્ર લખ્યો. બંને વિભાગોએ તે કામ થઇ શકશે તેવું લેખિત વડા પ્રધાનને જણાવ્યું. નહેરુજીએ અસફઅલી જે વિયેના જતા હતા, તેમને પોતાના ગુમાવેલા સહૃદયી બિરાદર, સાથી બોઝના કુટુંબની મુલાકત લેવા જણાવ્યું. (To meet the widow and child of his long-lost comrade or ‘opponent’ as many would believe.) અસફઅલીએ એમિલીને મળીને એવો જવાબ નહેરુજીને આપ્યો કે ‘તે કોઇ સરકારી મદદ લેવા તૈયાર નથી.’ પરંતુ અસફઅલી નહેરુજીને લખે છે કે મેં તેને સરકારી નહીં તો કોઇ અન્ય સ્વરૂપની મદદ તેના માટે નહીં પણ બેબી માટે લેવાનું સ્વીકારે.’
ઘણા બધાએ સુભાષચંદ્રના બોઝના આ લગ્ન અંગે શંકાઓ ઊભી કરી હતી. પણ નહેરુજીનું સ્પષ્ટ મંતવ્ય હતું કે ‘આપણને નિસબત છે ત્યાંસુધી, અમે એમિલીને બોઝની પત્ની તરીકે સ્વીકારી છે. માટે તે અંગેની વાત ત્યાં પૂરી થઇ જાય છે. (“So far as we are concerned we have acknowledged her to be Subhas’s wife and there the matter ends.”) તેમણે અલીને કહ્યું હતું કે તેઓ અનીતાનાં ભવિષ્ય માટે કંઇક નાણાંકીય જોગવાઇ કરે! નહેરુજીનું સ્પષ્ટ વલણ હતું કે આપણે બોઝની દીકરી અનીતા માટે તેના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યારે નાણાંકીય સગવડ કરી આપીએ અને તે નાણાં ભવિષ્યમાં અનીતાની જરૂરિયાત માટે વપરાય. જો આ રીતે એમિલી તૈયાર હોય તો હું (નહેરુજી) આગળ વધવા તૈયાર છું. જો તે સંમત ન હોય, તો પછી તેપર બધું છોડી દો! વારંવાર ૧૦૦ બ્રિિટશ પાઉન્ડ હું તે બાળકી માટે મોકલવા તૈયાર છું. પણ તે નાણાં સરકારની તીજોરીમાંથી નહીં મોકલાય, પણ અમારી પાર્ટી કોગ્રેંસના ફંડમાંથી મોકલવામાં આવશે. (“This money will not be from official sources. It will be from the Congress.”) આ બધી હકીકતો પેલી અધિકૃત રીતે ફાઇલોમાં છે.
જે તે સમયે નહેરુ અખીલ ભારતીય કોંગ્રેસના પણ પ્રમુખ હતા. તેઓએ નકકી કર્યું કે કોંગ્રેસ પાસે જે ‘આઝાદ હીદ ફોજ’ના નાણાં હતાં, તેમાંથી બોઝની દીકરીને નિયમિત નાણાં મળે તેવી સગવડ કરવી. સને ૧૯૫૨થી તેઓએ ઉપર મુજબની વ્યવસ્થા કરી હતી. સને ૧૯૫૩થી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોય નહેરુજીનાં આ કાર્યમાં મદદરૂપ થયા. તેઓએ એક કાયદેસરનું ટ્રસ્ટ બનાવીને બોઝની દીકરીને નિયમિત નાણાંકીય મદદ મળે તેવી વ્યવસ્થા કરી. તે ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટી નહેરુજી અને બિધાન રોય બન્યા. આ ટ્રસ્ટમાં સાક્ષી તરીકે સહીઓ વિવાદાસ્પદ વર્તમાન રિટાયર્ડ જસ્ટીસ માર્કંડ કાત્જુના દાદા કૈલાસનાથ કાત્જુ અને રફી અહેમદ કિડવાઇની હતી.
આ ટ્રસ્ટના સમાચાર એક લાંબા સમયથી સુભાષચંદ્ર બોઝના પંજાબના ટેકેદાર સરદાર શાર્દુલસિંહને મળતા તેઓનો પ્રતિભાવ હતો કે ‘આવા સજ્જન કાર્ય માટે ભગવાન તમને આશીર્વાદ આપે‘ બોઝની પત્ની એમિલીએ પણ નહેરુ અને અન્ય મિત્રોના આવાં સદ્ભાવભર્યા કાર્ય માટે આભાર માન્યો, કે જેનાથી હવે મારી દીકરીના આર્થિક નિભાવની ચિંતામાંથી હુ મુક્ત થઇ. તે અંગે એમિલી ભારત આવીને નહેરુજી અને અન્યનો રૂબરૂમાં આભાર વ્યક્ત કરવા માંગતી હતી. એમિલીનાં માતાની ઝડપથી તબિયત બગડતી હતી, તેથી તે નહેરુજીના ભારતમાં રજાઓ ગાળવાનું આમંત્રણ સ્વીકારી શકી નહીં. સને ૧૯૫૫ના ૧લી ફેબ્રુઆરીના પત્રમાં જણાવ્યુ કે દીકરી અનીતાએ ભારતના પ્રશ્નોમાં ખૂબ જ માહિતી ભેગી કરવા માંડી છે અને સ્કૂલના શિક્ષકો તેને ભારત અંગે વિષય–નિષ્ણાત માનવા માંડયાં છે. બિધાન રોય (૧૯૬૨– જુલાઇ) અને નહેરુજીના (૧૯૬૪–મે)ના અવાસાન બાદ, લાલબહાદુર શાસ્ત્રી અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન પ્રફુલચંદ્ર સેને પણ આ જવાબદારી નિભાવવાનું ચાલુ રાખ્યું હતું.
સને ૧૯૬૦ના ડિસેમ્બરમાં અનીતા ભારત આવી. નહેરુજીની ભત્રીજી નયનતારા સહેગલ તેને દિલ્હીના એરોડૃમ પર લેવા ગયાં હતાં. અનીતાની નહેરુજીએ પોતાના મહેમાન તરીકે વડાપ્રધાન નિવાસમાં સરભરા કરી હતી.
લંડનના એક પેપર ‘ડેઇલી એકસપ્રેસે‘ નહેરુજી અનીતાને એક વડા પ્રધાન તરીકે આવકારે છે તેવા ફોટા નીચે લખ્યું હતું કે ‘ભારત દેશ પર લશ્કર લઇને હુમલો કરનારની પુત્રીને નહેરુ મળે છે.’ (‘Quisling’s daughter meets Nehru’.) જ્યારે નહેરુજીને કોઇએ પૂછયું કે આ ટીકા સામે તમારો જવાબ શું છે? દેશની પ્રજા (સુભાષચંદ્ર બોઝ) જે વ્યક્તિને આટલા બધા ઉચ્ચ અને પૂજનીય ભાવથી સન્માનથી હોય, તેને આવી રીતે ઓળખાવો તે બિલકુલ અયોગ્ય છે.
જ્યારે સરદાર પટેલ – રાજેન્દ્રપ્રસાદ અને પંતની પાંખ બોઝને અખીલ ભારતીય કોંગ્રેસ સમિતિમાંથી બહાર કાઢવા મેદાને પડી હતી, ત્યારે નહેરુને તે બનાવો અંગે કોઇ પશ્ચાતાપ કે સંતાપ થયો હતો ખરો ? તે જમાનામાં આઝાદીની ચળવળના રાષ્ટ્રીય ફલક પર નહેરુજી અને બોઝનો વૈચારિક ઝુકાવ ‘ડાબેરી વિચારસરણી’ તરફ હતો. તે બંને પ્રખર અને અસમાધાનકારી ધર્મનિરપેક્ષ (Staunchly secular leaders) નેતા હતા. પોતાના વિચારોને કારણે તેઓ બંનેને એકબીજાનો સહકાર અપેક્ષિત હતો.
સને ૧૯૩૦થી નહેરુજી અને બોઝના પત્ર વ્યવહારોથી એવુ ફલીત થાય છે કે તેઓની મિત્રતા ખૂબ જ વૈચારિક અને બૌદ્ધિક હતી. બોઝ નહેરુજી પુસ્તકો માંગતા હતા, જ્યારે નહેરુજી બોઝે લખેલા પુસ્તક ‘ધી ઇંડિયા સ્ટ્રગલ‘ માં કેટલાક જરૂરી સુધારા સૂચવતા હતા. સને ૧૯૩૭–૩૮ની સાલથી બંને એ ભારતમાં રાષ્ટ્રીય આયોજન કેવી રીતે કરવું તે અંગેના ચિંતન કરવામાં અગ્રેસર હતા. તેને આધારે સ્વતંત્રતા પછી ભારતનું આયોજન થયું. કદાચ નહેરુને તે નિમિત્તે આઝાદી પછી બોઝની ગેરહાજરી ઘણી અનુભવાતી હશે.
બોઝ અને નહેરુજીના કૌટુબિક સંબંધો પણ ઘણા લાગણીસભર અને ઘનિષ્ટ હતા. જ્યારે નહેરુજી દેશની જેલમાં હતા, ત્યારે બોઝે કમલા નહેરુની સ્વીઝરલેંડમાં ટીબી સેનિટોરિયમમાં સૌજન્યભરી મુલાકતો કરી હતી. જ્યારે કમલા નહેરુ સને ૧૯૩૬માં ગૂજરી ગયાં, ત્યારે તે સમયે નહેરુજી સાથે બોઝ હતા. નહેરુજીનો સુભાષબાબુના કુટુંબ પ્રત્યેનો આટલો બધો પ્રેમાળ ઝુકાવ શું સૂચવે છે? શું તે એક ભાંગી પડેલા બિરાદર(કોમરેડ)ના કુટુંબ પ્રત્યેનો કુદરતી સહજ નિસબત છે કે પછી બાળકો સાથેનો નહેરુચાચાના પ્રેમની અભિવ્યક્તિ છે. તે આપણે ક્યારે ય જાણી શકીશું નહીં.
(અંગ્રેજી લેખક અનીરબન મિત્રા, મોલેક્યુલર બાયોલોજીસ્ટ, કોલકત્તાના એકને આધારે)
https://thewire.in/137206/netaji-files-family-nehru/