કહું, મને કટેવ
ગુજરાત યુનિવર્સિટીના ૬૬મા પદવી સમારંભમાં રાષ્ટ્રના સૌથી ઊંચા સ્થાને બિરાજેલા મહાનુભાવ વિદ્યાર્થીઓને સંબોધન કરવા માટેની પૂર્વ તૈયારી કદાચ કરવાની ભૂલી ગયા હશે! આ તબક્કે મને શેલીએ કરેલા વિધાનનું સ્મરણ થાય છે. ‘Power, like a desolating pestilence pollutes whatever it touches …’
મતલબ, સત્તા જેને સ્પર્શે એને દૂષિત કરી મેલે છે. હમણાં દુર્ભાગ્યે જુઠ્ઠાણાંનો રોગ તો દેશની નેતાગીરીના ઉપલા સ્તરેથી થયો છે, આ ભ્રષ્ટાચારનો એક પ્રકાર છે. ચોરે, ચૌટે અને અમીરવર્ગની ક્લબોમાં પણ છૂટથી ચર્ચા થાય છે. પણ મહાજનના આખલાનું શિંગડું પકડે કોણ? લોકો મન મનાવી લે છે … પરિણામે જે શ્રેષ્ઠજનો આચરે છે તે અન્ય જન પણ આચરે, બ્રિટિશરોને તો આપણે કહી શકતા હતા કે ‘હવે તમે પધારો …’ પણ આપણાને …? હવે એ પ્રજાના નથી? રાષ્ટ્રના શીલમાં પ્રવેશેલા આ ભયાનક જંતુ સામે લડવાનું દિવસે દિવસે કઠિન થાય એવો ભાસ ચોમેર વર્તાય છે. ભારતના આ માત્ર એક જ ખૂણામાં જંતુ છે એમ નથી. ખુશામત તો નાની કે મોટી ખુરશી મેળવનારને સાચવવાની, સતત ચિંતા હોય છે. કદાચ આ માટે ‘પ્રોમિસરી નોટ’ પાડી દેતા હોય તો નવાઈ નહીં, ખેર! આજકાલ તો આપણા રાષ્ટ્રપ્રેમમાં ઓટ આવી છે.
‘Indian intellectuals seem to have put on
the badge of sufferings.’
ઊંચા આસને બેસનારને આસનની ગરિમા જાળવવાની શીખ આપવી પડે? સારુ થયું કે આ મહાનુભાવે આપણા પી.એમ.ની આઈન્સ્ટાઈન સાથે સરખામણી ન કરી! પેલા ડૉ. આદરણીય કલામ સાહેબ અને ડૉ. વિક્રમભાઈને આ પ્રકારનો અન્યાય કરનારને ઈશ્વર માફ કરે ખરો?
એડોલ્ફ હિટલરે કહ્યું હતું : ‘If you wish the sympathy of broad masses then you must tell them the crudest and most stupid things.’
લોકને તમારે તમારા નચવ્યા નચાવવું હોય તો જોઈએ એટલું જાડું ને બેવકૂફીભર્યું નીરો, એમ જ ને?
અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2018; પૃ. 02