Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9292917
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મંગલ પાંડેની શહીદી Vs ટેલિગ્રાફની શક્તિ

દિવ્યેશ વ્યાસ|Opinion - Opinion|19 July 2015

ડિજિટલ ઇન્ડિયાની વાતો આજકાલ બહુ સાંભળવા મળી રહી છે. આપણે હવે એવા સમયમાં પ્રવેશી ચૂક્યા છીએ, જેમાં કોઈ પણ દેશ માટે ડિજિટલના રંગે રંગાયા વિના છૂટકો જ નથી. ઇન્ફર્મેશન ટેક્નોલોજીના યુગમાં માહિતી અને માધ્યમ જ સાચી મૂડી અને તાકાત પુરવાર થઈ રહ્યાં છે. જો કે, માધ્યમોનો પ્રભાવ એ કંઈ આજકાલની વાત નથી, પણ જૂના જમાનામાં ટેક્નોલોજી આટલી વિકસી ન હોવાથી તેનો પ્રભાવ અન્ય પરિબળોમાં ઢંકાઈ જતો હતો. આજે ઇતિહાસ તરફ નજર કરવામાં આવે છે ત્યારે એવા કેટલાક પુરાવા સાંપડે છે, જેના આધારે માધ્યમોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પુરવાર થાય છે.

ભારતનો જ દાખલો લઈએ. શું કોઈ માની શકે કે બ્રિટિશરો સામેનો પ્રથમ સશસ્ત્ર સ્વાતંત્ર્યસંગ્રામ સફળ રહ્યો નહોતો, કારણ કે બ્રિટિશર્સ પાસે ટેલિગ્રાફની સેવા હતી?! હા, આ હકીકત છે. ટેલિગ્રાફનાં દોરડાંઓએ જ દેશના પહેલા આઝાદી આંદોલનને ગૂંગળાવી નાખ્યું હતું. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી બ્રિટિશ ઇન્ડિયાના એડમિનિસ્ટ્રેટર સર રોબર્ટ મોન્ટગોમેરીએ નોંધેલું, 'ધ ઇલેક્ટ્રિક ટેલિગ્રાફ હેઝ સેવ્ડ ઇન્ડિયા' મતલબ કે ટેલિગ્રાફને કારણે જ બ્રિટિશરો ભારત પરનો કબજો જાળવી શક્યા હતા. કદાચ ટેલિગ્રાફ ન હોત તો ૧૮૫૭ની સશસ્ત્ર લડતને કારણે અંગ્રેજોએ મુઠ્ઠીઓ વાળીને ભાગી જવું પડયું હોત. આ વાત માન્યામાં ન આવતી હોય તો જૂની દિલ્હીમાં આવેલા કાશ્મીરી ગેટની ટેલિગ્રાફ ઓફિસમાં લાગેલા ૨૦ ફૂટ ઊંચા ચોરસ સ્તંભ પરનું લખાણ વાંચી લેવું. આ લખાણમાં લશ્કરી બળવાને ડામવામાં ટેલિગ્રાફ ઓફિસના બ્રિટિશ કાર્યકરોની ભૂમિકાની વિસ્તૃત વાત રજૂ કરવામાં આવી છે. દિલ્હી એ સમયે મોગલ સામ્રાજ્યની રાજધાની હતી અને છેલ્લા મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફરના શાસનનો અસ્ત થવામાં હતો, કારણ કે દિલ્હીમાં પણ અંગ્રેજોનો પ્રભાવ વધતો જતો હતો. એ વખતે ૧૮૫૭માં અંગ્રેજોના લશ્કરમાં જોડાયેલા ભારતીય સૈનિકો અને નાનાં-મોટાં રજવાડાંઓ રાજવીઓએ અંગ્રેજો સામે લડતનું બ્યુગલ વગાડયું હતું. મેરઠ અને દિલ્હીના સૈનિકોએ અંગ્રેજો સામે બળવો કરીને દિલ્હી પર કબજો જમાવી દીધો હતો. એ વખતે દિલ્હીમાં બાવન બ્રિટિશરોની હત્યા થયેલી. એ વખતે સમગ્ર દેશમાં ફેલાયેલાં બ્રિટિશ થાણાંઓ અને કચેરીઓને તાત્કાલિક જાણ કરીને સાવધ કરવામાં ટેલિગ્રાફે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. લશ્કરી તાકાત કરતાં પણ સંદેશાવ્યવહારની આ તાકાતે બ્રિટિશરોને સ્થિતિ પર કાબૂ મેળવવામાં બહુ મદદ કરી હતી.

આજે ૧૮૫૭ના દેશના સૌપ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મદિવસ છે. મંગલ પાંડેની શહીદીએ જ અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ છેડવાનો જુસ્સો પૂરો પાડયો હતો. આઝાદી આંદોલનના પહેલા શહીદ મંગલ પાંડેનો જન્મ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાના નાગવા ગામે ૧૯ જુલાઈ, ૧૮૨૭ના રોજ થયો હતો. મંગલ પાંડે માત્ર ૨૨ વર્ષની વયે ૧૮૪૯માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરમાં જોડાયો હતો અને બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રીનો સૈનિક બન્યો હતો. ગાય અને સૂવરની ચરબીવાળી રાઇફલનો ઉપયોગ કરવાની ના પાડીને તેણે અંગ્રેજ અફસરનો સામી છાતીએ વિરોધ કર્યો હતો અને તેના પર હુમલો પણ કર્યો હતો. આ માટે મંગલ પાંડેને ફાંસીની સજા કરવામાં આવી અને ૮ એપ્રિલ, ૧૮૫૭ના રોજ તેને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો હતો. ૨૯ વર્ષના યુવાન મંગલ પાંડેની શહીદી એળે નહોતી ગઈ, તેણે દેશવાસીઓને અંગ્રેજોનો બહાદુરીપૂર્વક વિરોધ-સામનો કરવા માટે પ્રેર્યા હતા.

જો કે, ૧૮૫૭માં ટેલિગ્રાફની ભૂમિકાએ માધ્યમની તાકાતનો પરચો આપ્યો હતો. આજનો યુગ જ જ્યારે માહિતી યુગ ગણાય છે ત્યારે માધ્યમો અને માહિતીની બોલબાલા છે. દેશના પ્રથમ વડાપ્રધાન અને વિઝનરી નેતા જવાહરલાલે સાચું જ કહ્યું હતું, "કોઈ પણ રાજ્ય કે લોકશાહી દેશમાં જો આ (પ્રસાર માધ્યમો) વિકસિત હોય કે જનકલ્યાણકારી વિકાસકાર્યો તરફ અગ્રેસર હોય તો લોકો વચ્ચે તમામ અવરોધ સમાપ્ત થઈ જવા જોઈએ અને આ કાર્ય માત્ર જનસંપર્ક-પ્રચારપ્રસાર દ્વારા જ શક્ય છે." આશા રાખીએ ડિજિટલ ઇન્ડિયામાં સામાન્ય નાગરિકો સુધી વધારે સુવિધાઓ પહોંચશે.

e.mail : divyeshvyas.amd@gmail.com

સૌજન્ય : સમય સંકેત’ નામે લેખકની કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 19 જુલાઈ 2015

Loading

19 July 2015 દિવ્યેશ વ્યાસ
← યશવંતભાઈ ત્રિવેદીને સ્મરણાંજલિ
કટોકટીની ચાલીસી નિમિત્તે →

Search by

Opinion

  • ‘ગુજરાત સમાચાર’ : હે નાગરિકો, ધર્મોક્રસીમાં વિશ્વગુરુ બનવા તમે ગુલામ બનો!
  • મંત્રી વિજય શાહ ઉપર એફ.આઈ.આર. : રાષ્ટ્રીય સુરક્ષાનો ન્યાયિક- નાગરિક વ્યૂહ 
  • ગુજરાતમાં ગુજરાતીની ઉપેક્ષા દંડનીય અપરાધ ગણાવો જોઈએ …
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૩  
  • વિસ્તારવાદને પડતો મૂકો : નકશા કરતાં વધારે પ્રેમ માણસને કરો

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો
  • પાયમાલ થઇ ગઇ… 

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved