યુનાઈટેડ સ્ટેટ્સનાં ભૂતપૂર્વ રાજ્યકવિ અને સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા લૂઈસ ગ્લુકનું નિધન થયું. એમને અંજલિરૂપે એમના કાવ્ય ‘The Night Migrations’નો મારો અનુવાદ. કવિની ખાસિયત સમાન અતિ સાદગીપૂર્ણ શૈલીમાં સમાયેલી ગહનતાને માણો :
રાત્રિનાં સ્થળાંતરો.
આ એ ક્ષણ છે, જ્યારે ફરીથી તમે દેખો છો
પહાડી વૃક્ષનાં નાનાં રાતાં ફળ
અને અંધારભર્યા આભમાં
યાયાવર પક્ષીઓની સ્થળાંતરયાત્રા.
મૃતકો આ નહીં જોઇ શકે
એ વિચારીને હું શોકાતુર છું –
આધારસમી આ સૌ ચીજો
લુપ્ત થાય છે.
અને ત્યારે આત્મા કઈ રીતે આશ્વાસન મેળવશે?
હું પોતાને કહું છું કે કદાચ
એને આવા આનંદની જરૂર નહીં પડે.
કલ્પવું તો અઘરું છે,
પણ કદાચ, ન હોવું, એ જ પૂરતું હશે.
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



જો કોઈ અધ્યેતાને સુરેશ જોષીની મુશ્કેલ અને સંકુલ મનાતી કૃતિ “છિન્નપત્ર”-ને એના ખરા રૂપમાં પામવી હશે તો સૌ પહેલાં એણે એનું વિશ્લેષણ કરવું જોઈશે. એણે કે અન્ય અધ્યેતાએ એક કે વધુ કૃતિઓનાં વિશ્લેષણ મેળવવાં હોય, તો વિશ્લેષણ કરી આપે એવાં ઑજારોનો – Text analysis toolsનો – વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Voyant Tools, AntConc, કે Leximancer એવાં ઑજાર છે.

વિશ્લેષણ નહીં પણ સંશ્લેષણ, વિવેચન કે સંશોધન નહીં પણ સર્જન, એમ સામા છેડાની સાહિત્યપ્રવૃત્તિ માટે Creative writing tools -નો વિનિયોગ કરવો જોઈશે. મેં માહિતી મેળવી કે Bard, GPT-3, કે QuillBot એવાં ઑજારો છે. આ ઑજારો અવનવાં વિષયવસ્તુઓ અને વિચારો પ્રેરે છે, જેનાં સંશ્લેષણથી કાવ્ય ટૂંકીવાર્તા લલિતનિબન્ધ વગેરે સર્જનો કરી શકાય એવી સહાય મળે છે.