Opinion Magazine
Number of visits: 9458041
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય સમાજમાં પરિવારનું બદલાતું સ્વરૂપ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|21 July 2023

ચંદુ મહેરિયા

કેટલીક વખત અખબારોમાં ત્રણ ચાર પેઢી સાથે રહેતી હોય તેવા કુટુંબની ફોટોસ્ટોરી જોવા મળે છે. આવા બહોળા પરિવારો સમાચાર બને તેનો અર્થ એ કે વસુધૈવ કુટુંબકમ્‌ની ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણાયેલા સંયુક્ત કુટુંબો હવે અપવાદરૂપ બની ગયા છે. ભારતીય સમાજની સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું છે. વિભક્ત કે એકલ કુટુંબોનું પ્રમાણ વધી રહ્યું છે.

લેટિન શબ્દ ફૈમુલસનું આંગ્લ ભાષાના ફેમિલીમાં રૂપાંતર થયું છે. ગુજરાતીમાં તેના માટે કુટુંબ કે પરિવાર શબ્દ છે. લેટિન ફૈમુલસ શબ્દનો અર્થ એક એવો સમૂહ જેમાં માતા-પિતા, સંતાનો, નોકર અને દાસનો સમાવેશ થાય છે. ગુજરાતીમાં પણ આ શબ્દનો અર્થ એક બાપનો પરિવાર કે કુટુંબકબીલો થાય છે. એટલે પરિવાર મતલબ મોટું, બહોળું કે સંયુક્ત કુટુંબ. તે માનવ સમાજનું પૂર્ણત: મૌલિક, સાર્વભૌમિક અને સૌથી પાયાનું એકમ છે. પરિવાર વ્યક્તિના સમાજજીવનની પહેલી પાઠશાળા પણ છે.

વિસ્તૃત, સંયુક્ત, વિભક્ત કે એકલ કુટુંબવ્યવસ્થાનું સ્વરૂપ દુનિયાભરમાં તેજ ગતિએ બદલાઈ રહ્યું છે. પહેલા પશ્ચિમના અમીર દેશોમાં તેમાં મોટા ફેરફારો આવ્યા અને પછી વિકાસશીલ દેશોમાં પણ પરિવર્તન થયું છે. લગ્ન સંબંધો કુટુંબનો પાયો છે અને તે ઝડપથી બદલાઈ રહ્યા છે કે તૂટી રહ્યા છે તેની મોટી અસર કુટુંબ પર પડવી સહજ છે. ભારતમાં છૂટાછેડાનું પ્રમાણ ઓછું છે એટલે માત્ર તે જ કારણે સંયુક્ત કુટુંબોમાં બદલાવ આવ્યો નથી. પરંતુ વિશ્વમાં છેલ્લા છ દાયકામાં છૂટાછેડામાં જે અતિશય વધારો થયો છે તેણે કુટુંબ વ્યવસ્થાને છિન્નભિન્ન કરી નાંખી છે.

આપણે ત્યાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, આધુનિકીકરણ અને ઉદારીકરણે કુટુંબ વ્યવસ્થામાં ફેરફાર આણ્યા છે. ગામડાઓમાં રોજગારીના અભાવને લીધે લોકોનું શહેરોમાં સ્થળાંતર પણ કુટુંબોમાં વિઘટનનું કારણ છે. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા અને સ્વાર્થ, સ્ત્રીની સ્વતંત્રતા અને આર્થિક પગભરતા, એકાકી જીવનની ખુશી, વિસ્થાપન, બદલાતી જીવનશૈલી, બેરોજગારી, મોંઘવારી, કુટુંબના સભ્યોની અસમાન આવક, બે પેઢીઓ વચ્ચેનું અંતર જેવાં કારણોથી સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબનું ચલણ વધ્યું છે.

વૃદ્ધો અને મહિલાઓની સામાજિક સુરક્ષા યોજનાઓનો અભાવ, કુટુંબમાં એકાદ ભાઈની નબળી આર્થિક સ્થિતિ, પુત્રોની માતૃ-પિતૃ ભક્તિ હજુ સંયુક્ત કુટુંબોને ટકાવી રાખે છે. ઘરની એકાદ નબળી વ્યક્તિ કે ઘરડા માબાપની સારસંભાળ સંયુક્ત કુટુંબમાં લઈ શકાય છે. બાળકોનો ઉછેર બધાની સંયુક્ત જવાબદારી હોઈ પતિ-પત્ની બંને નોકરી કરી શકે છે.

સંયુક્ત કુટુંબ સામંતી સમાજની દેન મનાય છે તો એકલ કુટુંબ આધુનિકતાની. સંયુક્ત કુટુંબનું તૂટવું આધુનિકતાની દૃષ્ટિએ પ્રગતિ છે. આધુનિકતા વ્યક્તિને અધિકારસંપન્ન કરે છે, પારિવારીકતા અધિકારોને સીમિત કરે છે. એટલે ઘણા લોકો સંયુક્ત કુટુંબને વ્યક્તિની પ્રગતિમાં કે સ્વતંત્ર વ્યક્તિ વિકાસમાં બાધક માને છે. સંયુક્ત પરિવારમાં સ્વતંત્રતા અને સમાનતા, ખાસ તો મહિલાઓની, અશક્ય છે. જ્યારે વિભક્ત કુટુંબમાં તે ભારોભાર જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં ઘરના વડીલનું નિયંત્રણ હુકમ, જોહુકમી, વડીલશાહી કે તાનાશાહીની કક્ષાનું હોય છે. જ્યાં મોટી ઉમ્મરના પુત્રનો જ અવાજ વડીલો ના સાંભળતા હોય ત્યાં ઘરની મહિલાઓ અને બાળકોના અભિપ્રાયનો તો સવાલ જ ના રહે એવી સ્થિતિ પણ જોવા મળી છે. સંયુક્ત કુટુંબમાં વ્યક્તિની આવક આખા કુટુંબની આવક ગણાય છે. એટલે સહિયારી આવક અને ખર્ચમાં વધુ કમાતી વ્યક્તિનું શોષણ થાય છે. માબાપ પોતાના બાળકોનું તેમની ઈચ્છાનુસાર લાલન-પાલન કે શિક્ષણ કરી શકતાં નથી. કુટુંબના અન્ય બાળકોની સમકક્ષ તેમને પણ ગણવામાં આવે છે. એટલે બાળકોના વિકાસમાં માબાપનો અવાજ હોતો નથી. ગતિશીલતાનો પણ સંયુક્ત કુટુંબમાં અભાવ જોવા મળે છે. શિક્ષણ અને રોજગાર માટે બહાર જવું શક્ય ના હોય તો પ્રવાસ-પર્યટનનો તો પ્રશ્ન જ ઉઠતો નથી. આ બધાં કારણોથી પણ ભારતમાં પરિવારનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે.

જેટલી સંયુક્ત કુટુંબની વાહવાહી ભારતીય સમાજમાં જોવા મળે છે તેના કરતાં વાસ્તવિકતા જુદી છે તેવું ૨૦૧૧ના વસ્તીગણતરીના આંકડા દર્શાવે છે. ત્રણ પેઢી (દાદા-દાદી, માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેમના સંતાનો) સાથે રહેતી હોય તેવાં ઘર શહેરી ભારતમાં ૨થી ૪ ટકા જ છે. માતા-પિતા અને દીકરા-વહુનું કુંટુબ સાથે રહેતું હોય તેવાં ઘર ૮થી ૧૨ ટકા છે. જ્યારે જેને ન્યૂક્લિયર કે એકલ કુટુંબ કહેવાય તેવાં પતિ-પત્ની અને તેમનાં બાળકો(અમે બે અને અમારા બે કે હવે તો એક)વાળાં ઘર સૌથી વધુ ૭૦થી ૭૫ ટકા છે. આ હકીકત દર્શાવે છે કે ભારતમાં હવે સંયુક્ત કુટુંબોનું પ્રમાણ અતિ અલ્પ છે અને દેશના પોણા ભાગનાં ઘર વિભક્ત કુટુંબનાં છે.

એક તરફ સંયુકતને બદલે વિભક્ત કુટુંબો વધ્યા છે, તો બીજી તરફ તાજેતરના અદાલતી ચુકાદા  પરિવારના  દાયરાને વિસ્તૃત કરે છે. કુટુંબ કોઈ સ્થિર કે અપરિવર્તનીય સંરચના નથી કે બધી જ કુટુંબ વ્યવસ્થા સમાન હોતી નથી. તેમાં ફેરફારો થાય છે તે સર્વોચ્ચ અદાલતના ૨૦૨૨ના ચુકાદામાં જણાવવામાં આવ્યું હતું. નોકરી કરતાં એક મહિલાએ પતિના પ્રથમ લગ્નના બાળકોની સંભાળ માટે રજાઓ લીધી હોઈ, તેમની પ્રેગન્સી વખતે માતૃત્વની રજાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમના મેટરનિટી લીવના અધિકારને માન્ય રાખ્યો હતો. આ ચુકાદાથી અદાલતે  અસામાન્ય પારિવારિક એકમોની વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો હતો અને તેને વૈધાનિક સુરક્ષાને પાત્ર માન્યા હતા.

પરિવારનાં પરિવર્તનીય સ્વરૂપને બહાલ રાખતા સુપ્રીમના માનવીય અને પ્રગતિશીલ ચુકાદા જેવો બીજો ચુકાદા આ વરસે મુંબઈ હાઈકોર્ટે આપ્યો છે. જિલ્લા અદાલતે નોકરી કરતી એકલ સ્ત્રી દત્તક બાળકની યોગ્ય સારસંભાળ લઈ શકે નહીં તેમ કહીને દત્તક લેવાના તેના અધિકારનો ઈન્કાર કર્યો હતો. પરંતુ વડી અદાલતે પતિ-પત્ની અને બાળકોનું બનેલું કુટુંબ એવી પરિવારની વ્યાખ્યાને પૂર્વગ્રહયુક્ત ગણાવી હતી. તે પરિવારનું માન્ય અને લોકપ્રિય સ્વરૂપ હોઈ શકે છે પરંતુ એકમાત્ર નથી. સભ્યોની સંખ્યા એ કુટુંબ નથી પણ પરસ્પરની ચિંતા, સહયોગ કુટુંબ છે તેમ પણ અદાલતે કહ્યું હતું. આ અદાલતી ચુકાદા પરિવાર એટલે કાં સંયુક્ત, કાં વિભક્ત એથી આગળની દિશાના છે.

એકલ પરિવારને જીવનનો હિસ્સો બનાવવા માંગતા અને તે પ્રમાણે જીવતા લોકોની સંખ્યા ઘણી મોટી છે. તો તેઓ ગામ-ઘર-માબાપ સાથે જોડાયેલા રહે છે અને વાર-તહેવાર, સાજે-માંદે કે લગ્ન-મરણ જેવા સામાજિક પ્રસંગોએ પરિવાર સાથે હોય છે. તેના પરથી ભારતમાં ફેરફારો છતાં કુટુંબવ્યવસ્થા સાવ પડી ભાંગી નથી, તેમ કહી શકાય.

e.mail : maheriyachandu@gmail.com

Loading

भारत में प्रजातंत्र और राष्ट्रवाद: क्या सोचती है दुनिया

राम पुनियानी|Opinion - Opinion|21 July 2023

राम पुनियानी

मणिपुर में जारी हिंसा के शिकार मुख्यतः निर्दोष लोग हो रहे हैं. वे शरणार्थी शिविरों में रहने को मजबूर हैं. इस बीच प्रधामनंत्री नरेन्द्र मोदी की विदेश यात्राएं जारी हैं. अपने पूर्व कार्यकाल (2014-19) में उन्होंने विदेश यात्राओं का रिकॉर्ड बनाया था. अपने दूसरे कार्यकाल में कोविड-19 महामारी के कारण उनकी विदेश यात्राओं पर कुछ रोक लगी थी परन्तु महामारी समाप्त होते ही वे एक बार फिर दुनिया भर में घूम रहे हैं. प्रधानमंत्री की यात्राओं के बारे में यह प्रचार किया जाता है कि उनसे दुनिया में भारत की छवि बेहतर हो रही है और मोदी पूरी दुनिया के महान नेता के रूप में उभर रहे हैं. यह भी कहा जा रहा है कि दुनिया यह मान गयी है कि भारत न केवल प्रजातंत्र का जनक है वरन एक सफल और जीवंत प्रजातंत्र भी है.

दुनिया में कई ऐसी स्वतंत्र संस्थाएं हैं जो विभिन्न देशों में प्रजातान्त्रिक आजादियों की स्थिति पर नज़र रखती हैं. इन सूचकांकों में भारत का स्थान गिरता ही जा रहा है और अधिकांश में वह सबसे निचले पायदान के करीब है. कई मुस्लिम-बहुल देश नरेन्द्र मोदी को सम्मानित कर रहे हैं परन्तु इन सभी के शासक तानाशाह हैं और केवल व्यापारिक और रणनीतिक कारणों से भारत से जुड़ रहे हैं. उनकी तुलना अमरीका और फ्रांस जैसे पश्चिमी प्रजातंत्रों से नहीं की जा सकती.

पश्चिमी प्रजातंत्रों की दुविधा सबके सामने है. उन्हें आर्थिक, राजनैतिक और सामरिक कारणों से भारत से रिश्ते बनाने पड़ रहे हैं और वे भारत में मानवाधिकारों के उल्लंघन और विशेषकर अल्पसंख्यकों की स्थिति पर खुलकर नहीं बोल पा रहे हैं.

मोदी से पहले के दौर में भारत के पश्चिम से रिश्ते अलग किस्म के थे. भारत गुटनिरपेक्षता की नीति का पालन करता था, देश में प्रजातंत्र जडें पकड़ रहा था और अल्पसंख्यकों की स्थिति उतनी ख़राब नहीं थी जितनी कि आज है. नेहरु वैश्विक मंचों पर अपनी बात प्रभावी ढंग से रखते थे और वे ईमानदारी से देश में प्रजातंत्र को मज़बूत बनाना चाहते थे. उनकी मेधा और प्रतिबद्धता की दुनिया कायल थी. तब से लेकर मनमोहन सिंह के कार्यकाल तक पश्चिमी मीडिया और संस्थान भारत की आतंरिक स्थिति के कभी इतने कड़े आलोचक नहीं रहे जितने की अब हैं.

वर्तमान में अमरीका और फ्रांस के सरकारें भले की हमारे प्रधानमंत्री के लिए लाल कालीन बिछा रही हों परन्तु उनके ही देशों में भारत के शासक दल की नीतियों के विरोध में प्रदर्शन हो रहे हैं क्योंकि ये नीतियां अल्पसंख्यकों को आतंकित करने वालीं हैं.

प्रधानमंत्री की हालिया अमरीका और फ्रांस यात्रा में उच्च पदासीन लोगों ने भले ही उनकी जय-जयकार की हो परन्तु मोदी के खिलाफ विदेशों में आमजनों ने प्रदर्शन किये, कई प्रतिष्टित समाचारपत्रों ने उनकी आलोचना करते हुए  सम्पादकीय लिखे और यूरोपीय संसद सहित कई प्रमुख संस्थाओं ने उनके खिलाफ प्रस्ताव पारित किये. विरोध प्रदर्शनकारियों और प्रधानमंत्री से असहज करने वाले प्रश्न पूछने वालों को ट्रोल किया गया और भारत के अंदरूनी मामलों में दखलंदाजी करने के लिए उनकी आलोचना की गयी. परन्तु यह साफ़ है कि इन्टरनेट के युग में समाज के कमज़ोर वर्गों के साथ दुर्व्यवहार और भेदभाव या उनके खिलाफ अत्याचार को छुपाना मुश्किल है. दुनिया सिकुड़ रही है और निडर पत्रकारों और कार्यकर्ताओं की टोली ज़मीनी स्तर पर समाज के एक बड़े तबके के मानवाधिकारों के उल्लंघन का पर्दाफाश कर रही है. ऐसे मामलों को सरकार या तो नज़रअंदाज़ कर रही है या इस तरह के अन्याय को प्रोत्साहन दे रही है और दोषियों के खिलाफ कोई कार्यवाही नहीं कर रही है.

अमरीका में राष्ट्रपति जो बाइडन मोदी ने गले लगाया तो उन्होंने मोदी को व्हाइट हाउस में पत्रकार वार्ता संबोधित करने के लिए राजी कर लिया. बड़ी मुश्किल से मोदी दो प्रश्नों का जवाब देने के लिए राजी हुए. और इतने ही में उनकी कलई खुल गई. ‘वालस्ट्रीट जर्नल’ की सबरीना सिद्दीकी के उनसे पूछा कि उनके देश में मुसलमानों और ईसाईयों के खिलाफ बढ़ते अत्याचारों के मद्देनज़र उनकी सरकार अल्पसंख्यकों, विशेषकर मुसलमानों, के साथ भेदभाव रोकने के लिए क्या कर रही है. बाइडन यह प्रश्न मोदी ने नहीं पूछ सकते थे क्योंकि वे भारत को दक्षिण एशिया में अमरीका का मित्र राष्ट्र बनाना चाहते हैं. भारत, पाकिस्तान का स्थान लेगा. पाकिस्तान ने कच्चे तेल के भंडारों पर नियंत्रण स्थापित करने सहित अमरीका के सभी उद्देश्यों और लक्ष्यों की पूर्ती में अपनी भूमिका का निर्वहन कर दिया है और अमरीका के लिए अब उसकी कोई उपयोगिता नहीं बची है. अब चीन की बढ़ती ताकत से मुकाबला करने के लिए अंकल सैम को भारत की दरकार है.

सिद्दीकी के प्रश्न के उत्तर में मोदी ने कुछ सामान्य सी बातें कहीं – हम प्रजातंत्र हैं और भेदभाव नहीं करते आदि. इसके बाद भारत की सुप्रशिक्षित ट्रोल आर्मी को सिद्दीकी के पीछे छोड़ दिया गया. ट्रोलिंग इतनी भयावह थी कि व्हाइट हाउस के प्रवक्ता को उनके बचाव में आगे आना पड़ा. व्हाइट हाउस ने कहा कि वह पत्रकारों को इस तरह परेशान किये जाने को उचित नहीं मानता.

बाइडन जो नहीं कह सके उसे उनके पूर्ववर्ती बराक ओबामा ने कहा. सीएनएन के साथ एक साक्षात्कार में ओबामा ने कहा कि अगर भारत में अल्पसंख्यकों को संरक्षण नहीं दिया गया तो देश टूट जायेगा. ओबामा को ट्रोल करने की ज़िम्मेदारी दलबदल कर भाजपा में शामिल हुए हेमंत बिस्वा सरमा ने निभायी. उन्होंने ओबामा के नाम में हुसैन शब्द जोड़ कर कहा कि भारत में बहुत से हुसैन ओबामा हैं जिनसे निपटा जाना है. मोदी के खिलाफ अनेक प्रदर्शन तो हुए ही, भारत में मुसलमानों, ईसाईयों, दलितों और आदिवासियों पर अत्याचारों का विस्तृत विवरण देते हुए अरुंधती राय का लेख ‘न्यूयॉर्क टाइम्स’ ने प्रमुखता से प्रकाशित किया.

अरुंधती ने इस लेख में अमरीका के पुराने दोस्तों की चर्चा की है. “अमरीका ने अपने साथी के रूप में जिन बेहतरीन महानुभावों को चुना है उनमें शामिल हैं ईरान के शाह, पाकिस्तान के जनरल मुहम्मद ज़िया-उल-हक, अफ़ग़ानिस्तान के मुजाहिदीन, ईराक के सद्दाम हुसैन, दक्षिण वियतनाम के कई छुटभैय्ये तानाशाह और चिली के जनरल ऑगुस्तो पिनोचे. अमरीका के विदेश नीति का आधार है: अमरीका के लिए प्रजातंत्र और उसके अश्वेत दोस्तों के लिए तानाशाही”.

फ्रांस का मामला भी ऐसा ही है. राष्ट्रपति मैक्रॉन ने मोदी का गर्मजोशी से स्वागत किया और दोनों समृद्ध प्रजातंत्रों की दोस्ती की सराहना की. स्ट्रासबर्ग में लगभग उसी समय यूरोपीय पार्लियामेंट ने भारत में अल्पसंख्यकों की स्थिति, और विशेषकर मणिपुर में हिंसा, पर दुःख और चिंता व्यक्त करते हुए इस उत्तरपूर्वी राज्य में खूनखराबे पर छह प्रस्तावों पर चर्चा की और संकल्प पारित किया. इस संकल्प में ईसाई और अन्य अल्पसंख्यकों की ‘प्रताड़ना’ और हिन्दू बहुसंख्यकवाद पर चर्चा की गयी है.

फ्रांस इस अग्रणी समाचारपत्र ‘ले मोंडे’ ने भारत में अल्पसंख्यकों की स्थिति और प्रजातान्त्रिक आज़ादियों में गिरावट की खुल कर निंदा की. अख़बार ने लिखा, “परन्तु क्या हम इस तथ्य को भुला सकते हैं कि मोदी ने नेतृत्व में भारत एक गंभीर संकट से गुज़र रहा है और मानवाधिकार कार्यकर्ताओं, एनजीओ और पत्रकारों पर हमलों में बढोत्तरी हो रही है?”

इन अग्रणी और जानेमाने समाचारपत्रों की टिप्पणियों, आम लोगों के प्रदर्शन और बराक ओबामा जैसे लोगों की राय को हमें ‘हमारे आतंरिक मामलों में दखलंदाजी’ के रूप में लेना है या हमें आत्मचिंतन कर हमारे देश की प्रजातान्त्रिक संस्कृति और मूल्यों में क्षरण को थामने के प्रयास करने हैं? यह वह प्रश्न है जिसका हम सबको आने वाले समय में सामना करना है.

(अंग्रेजी सेरूपांतरण अमरीश हरदेनिया)
19/07/2023
https://www.navjivanindia.com/opinion/democracy-and-nationalism-in-india-what-does-the-world-think-about-claims-of-modi-article-by-ram-puniyani

Loading

ખમૈયા કરને

'દીપક', ચૈતન્ય જોષી|Opinion - Opinion|21 July 2023

મેઘ તું તો ખૂબ ખૂબ વરસ્યો, હવે તો ખમૈયા કરને.
તું તો ગરજ્યોને વળી ચમક્યો, હવે તો ખમૈયા કરને.

રીમઝીમ વરસવાનું ભૂલી અનરાધારે થયું આગમન,
જાણે આભ ફાડીને તું આવ્યો, હવે તો ખમૈયા કરને.

ચારેકોર ‘પાણીપાણી’ કરી દીધાં જળતૃષા છીપી,
તું છલકાયોને વળી ઊભરાયો, હવે તો ખમૈયા કરને.

ખોરવાયું છે જનજીવન આજે; વિરામ તારે લેવો ઘટે,
જળબંબાકારથી માનવ મૂંઝાયો, હવે તો ખમૈયા કરને.

રસ્તા શેરીથી ના અટક્યો તું; ઘરમાં ય તેં પ્રવેશ કીધો,
બિચારો રંકજન બહુ અકળાયો, હવે તો ખમૈયા કરને.

ઘરને ઘરવખરી તણાયાં તારી પૂર નામની એ સુતા થકી,
સમુંનમું કરવામાં માનવ અટવાયો, હવે તો ખમૈયા કરને.

જરૂરતથી વધારે કોઈ પણ ઝેર બની જઈ મારણ કરતું,
પ્રમાણ જાળવવામાં હશે ગૂંચવાયો, હવે તો ખમૈયા કરને.

પોરબંદર.
e.mail : chaitanyajc555@gmail.com

Loading

...102030...926927928929...940950960...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved