અંધકારની કોખમાંથી એક તારો લપસીને
વાદળનાં રેખાંકનની ચમત્કૃત વિદ્યુતમાં પરોવાઇ ગયો છે.
મોતિયાની ઝાંખપમાંથી હું જોઉં છું:
ઝાંખી એક આશા, હલેસા મારી એને
પર્વતની ટોચ પર રઝડતો છોડી દે છે.
ધ્યાનથી જુઓ તો
શહેરનાં દરમાં લપકતાં ઉંદરો
એની તરફ બંદૂક તાણીને
ગોઠવાઈ ગયા છે.
રખેને એ તારો કદાચ
પાછો લપસી પડે!
વળી એને હું મારી
ખુંટી પર ટીંગાળી ના દવ!
e.mail : skylarkpublications@gmail.com
![]()



એમને ફોટોગ્રાફીનો બહુ શોખ. એ જમાનાનો સૌથી મોંઘો કેમેરો મામિયા (Mamiya) એમને ભેટમાં મળ્યો …. પછી તો દૂર-સુદૂર પોંડિચેરીનાં ભૂભાગો, જંગલો, સમુદ્ર કિનારા, ઝરણાં, ઉદ્યાનો, સાયકલ અને કેમેરાની સંગાથે ખૂંદવા માંડ્યાં. પ્રકૃતિ અને માનવજીવનના વિવિધ ભાવોને કેમેરામાં કંડારવા માંડ્યાં. એમની પાસે સૌંદર્યની સૂક્ષ્મ દૃષ્ટિ હતી. દરેક સામાન્ય ફોટો તેના ભાવજગતના સંદર્ભમાં એક વિશિષ્ટ ફોટો બની રહેતો. ફોટોગ્રાફર તરીકે આશ્રમના વિવિધ કાર્યક્રમોના ફોટા પાડવાની ફરજ પણ તેમણે બજાવી. શ્રી માતાજીના ‘બાલ્કની દર્શન’ના ફોટાઓ તેઓ પાડતાં અને તેમણે બનાવેલા ડાર્ક રૂમમાં રાત્રે જ નેગેટીવ ડેવલપ કરી, ફોટા યોગ્ય સાઈઝમાં પ્રિન્ટ કરી, બીજે દિવસે સવારે તો શ્રી માતાજી પાસે પહોંચાડી દેતાં.
‘સુન્દરમ્’જીની વિદાય પછી તેમની સામે જે મહાભગીરથ કાર્ય હતું તે, ‘સુન્દરમ્’જીના અપ્રકાશિત સાહિત્યને પ્રગટ કરવાનું. સૌ પ્રથમ તેમણે ‘સુન્દરમ્’ દ્વારા અનુવાદિત ‘સાવિત્રી’ મહાકાવ્યના ખંડોને બે ભાષામાં, મૂળ અંગ્રેજી કાવ્ય અને સામે ગુજરાતી અનુવાદ એ રીતે, પ્રગટ કરવાનું સાહસ કર્યું. તે ‘સાવિત્રીના કાવ્યખંડો’ પછી ‘સુન્દરમ્’ની કાવ્યગંગા એ શ્રેણીમાં એકવીશ દળદાર કાવ્ય સંગ્રહો પ્રગટ કર્યાં. આ કામ માટે તેમને અવારનવાર અમદાવાદ આવવાનું બનતું. આ માટેનું તેમનું કાર્યાલય રહેતું ‘માતૃભવન’, ૮૭, સ્વસ્તિક સોસાયટી નવરંગપુરા, અમદાવાદ-380 009. આ સ્થળ અત્યારે શ્રીઅરવિન્દ કેન્દ્ર તરીકે વિકસિત થઈ ચૂક્યું છે, તેમાં પણ સુધાબહેનની દૃષ્ટિ અને માર્ગદર્શન કારણભૂત છે. સુધાબહેન અમદાવાદ આવતાં ત્યારે અનેક ભાવિકો, શ્રીઅરવિન્દના ભક્તો/અનુયાયીઓ, ‘સુન્દરમ્’જીના સહકાર્યકર્તાઓ, સાહિત્યકારો, વિવેચકો, પ્રકાશકો બધાંને મળવાનું થતું. તેમના સ્નેહાળ સ્વભાવને કારણે સુધાબહેન દરેકને આત્મીય લાગતાં, સૌ કોઈ તેમની સાથે હંમેશ માટે જોડાઈ જતા.