Opinion Magazine
Number of visits: 9666142
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—223

દીપક મહેતા|Opinion - Opinion|18 November 2023

૨૦૦ વરસ જૂના હોર્નબી રોડની ગઈ કાલ અને આજ       

પાત્રો : ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના ફિલાડેલ્ફિયાવાસી લેખક નટવર ગાંધી, કવયિત્રી પન્ના નાયક, અને આપનો નાચીઝ દી.મ.

સ્થળ : ફ્લોરા ફાઉન્ટનના ફુવારા પાસે  

દી.મ. : આવો, આવો, પન્નાબહેન, નટવરભાઈ! કેવી રહી તમારી દિવાળીની ઉજવણી?

નટવરભાઈ : ઠીક મારા ભઈ! નવરાત્રી હોય કે દિવાળી. બધા ભેગા થાય, ખાય ‘પીએ’, વાતો કરીએ. બીજું ગમે તે ખાવાનું હોય, મને તો ગરમાગરમ ફાફડા ગાંઠિયા મળે તો બીજું કાંઈ ન જોઈએ.

દી.મ. : એ શોખ વળી ક્યાંથી લાગ્યો, તમને?

નટવરભાઈ : છેક સાવર કુંડલાથી. ત્યાં ફરસાણ અને મીઠાઈની દુકાનો તો હતી. પણ ત્યાંથી પેંડા કે બીજી કોઈ મીઠાઈ ઘરે લઈ આવે. પણ એ ખાવાની તો ઘરે જ. પણ મારા બાપાને ગરમ ગરમ ફાફડા ગાંઠિયા અને મરચાં બહુ ભાવે. ઘણી વાર સવારે દુકાન પહોંચતાં વેંત મને કહે કે જા, ગાંઠિયા લઈ આવ! પછી દુકાનનો દરવાજો આડો કરીને અમે ગાંઠિયા ઝાપટીએ. 

પન્નાબહેન : ત્યારથી એમને ગાંઠિયાનો જબ્બર શોખ લાગી ગયો તે ઠેઠ આજ સુધી છે. અમેરિકામાં પણ દર વિકેન્ડમાં સવારે ગરમ ગરમ ગાંઠિયા ન મળે તો તેમની સવાર ન પડે! અરે, ગાંધી અને ગાંઠિયા પર તો એક આખું સોનેટ લખી શકાય! ખરું ને ગાંધી?

દી.મ. : નટવરભાઈ! આજે રવિવાર નહિ, શનિવાર છે, એટલે ગાંઠિયાની વાત જવા દઈએ. અને આપણે તમારી નજરે તમારા જમાનાનું મુંબઈ જોતાં હતાં તેની વાત આગળ વધારીએ? અગાઉ આપણે ચાલતાં ચાલતાં ફ્લોરા ફાઉન્ટન સુધી પહોંચ્યા હતા. 

હોર્નબી રોડ અને ફ્લોરા ફાઉન્ટન 

નટવરભાઈ : હા, ફ્લોરા ફાઉન્ટનથી થોડા આગળ જઈ હોર્નબી રોડ પર આગળ જઈએ તો …

દી.મ. : હોર્નબી રોડ એટલે આજનો દાદાભાઈ નવરોજી રોડ. એનો ઇતિહાસ નહિ નહિ તો ય ૨૦૦ વરસ જૂનો. કંપની સરકારે કોટ કહેતાં ફોર્ટ બાંધ્યો. તે પછી બે સાવ નાના રસ્તા કિલ્લાની બહાર બાંધ્યા, કિલ્લાના ચર્ચ ગેટ પાસેથી શરૂ થતા. આ રસ્તા એટલે મૂળ તો મોટી કેડી જેવા. તેમાં જે રસ્તો ઉત્તર-દક્ષિણ જતો બાંધ્યો તે હોર્નબી રોડ. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી વિલિયમ હોર્નબી મુંબઈના ગવર્નર હતા. એમની જન્મ તારીખ તો જાણવા મળતી નથી, પણ ૧૭૨૩ના માર્ચની ૧૧મી તારીખે તેમને બાપ્તિસ્મા આપવામાં આવેલું એમ જાણવા મળે છે. ૧૮૦૩ના નવેમ્બરની ૧૮મી તારીખે અવસાન. એટલે કે આજે તેમના અવસાનને બરાબર ૨૨૦ વરસ થયાં. ૧૭૪૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક મામૂલી ક્લાર્ક—રાઈટર તરીકે જોડાયા. ધીમે ધીમે આગળ વધતાં ૧૭૭૧માં મુંબઈના ગવર્નર બન્યા. તે પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મરજીથી વિરુદ્ધ જઈને તેમણે હોર્નબી વેલાર્ડ બંધાવ્યો. તે બંધાવાથી મુંબઈની ભૂગોળ ઘણે અંશે બદલાઈ ગઈ. તે વખતના ક્લાર્ક રોડ અને લવ ગ્રોવ રોડને આ વેલાર્ડ જોડતો હતો. ૧૮૬૦માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ કિલ્લો તોડી નખાવ્યા પછી કોટ વિસ્તારનો ઝડપી વિકાસ થયો. નાનકડી ગલ્લી જેવા હોર્નબી રોડને ખાસ્સો પહોળો કરવામાં આવ્યો. તેની બંને બાજુ બંધાનારાં મકાનો કેવાં હોવાં જોઈએ તે અંગે સરકારે ૧૮૯૬માં નિયમો બનાવ્યા. તેમાંનો એક નિયમ એ કે દરેક મકાનના આગલા ભાગમાં રાહદારીઓ માટે ‘આર્કેડ’ બાંધવાનું ફરજિયાત હતું. પરિણામે આ રોડની બંને બાજુનાં મકાનો આજે પણ એકબીજાં સાથે જાણે જોડાયાં હોય એવું લાગે છે. 

નટવરભાઈ : તમે તો ખરો ઇતિહાસ ઉખેળ્યો, દીપકભાઈ. તો એ હોર્નબી રોડ પર ફ્લોરા ફાઉન્ટનથી આગળ જઈએ તો આવે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નું બિલ્ડિંગ. આ બિલ્ડિંગમાં મારે લગભગ રોજ જવાનું થતું.

દી.મ. : કેમ? તમે ત્યાં પણ કામ કરેલું?

નટવરભાઈ : ના રે ના. રોજ છાપું વાંચું. નોકરી માટેની જે જાહેર ખબરો આવી હોય તેમાં અરજી કરું. અને પછી ‘ટાઈમ્સ’ના મકાનમાં જઈને ભોંયતળિયે રાખેલા ચમકતા પીળા મોટા બોકસમાં મારી અરજી જાતે નાખી આવું. દર વખતે મનોમન ભગવાનને કહેતો કે બાપા, હવે ખમૈયા કરો. જેવી તેવી પણ કોઈક નોકરી અપાવો.

દી.મ. : નટવરભાઈ, નોકરીની વાત છોડો. આપણે હોર્નબી રોડ પરની લટાર ચાલુ રાખીએ.

નટવરભાઈ : હા. ત્યાં હતી અંગ્રેજી ચોપડીઓની બે મોટી દુકાનો, ન્યૂ બુક કંપની અને તારાપોરવાલા. ફ્લોરા ફાઉન્ટન પાસે હતો વેસ્ટ એન્ડ વોચનો મોટો શો રૂમ. એ વખતે આપણા દેશમાં રિસ્ટ વોચ પણ બનતી નહિ. બધી ‘ઈમ્પોર્ટેડ.’

દી.મ : નટવરભાઈ, મરાઠી ભાષીઓનો માનીતો શબ્દ વાપરીને કહું તો તમને એક ગમ્મત કહું. દેશમાં HMT કંપનીએ પહેલી વાર રિસ્ટ વોચનું ઉત્પાદન શરૂ કર્યું. તે વેચવા માટે પેડર રોડ પર મોટો શો રૂમ ઊભો કર્યો. કાચના બંધ શો કેસમાં ઘડિયાળો ગોઠવેલાં. પણ તમારે માત્ર જોવાનાં, હાથમાં આપે નહિ! ફક્ત ચાર મોડેલ, બે પુરુષો માટેનાં, બે સ્ત્રીઓ માટેનાં. પણ હકીકતમાં તો બે જ મોડેલ હતાં. સ્ત્રીઓ માટેનું મોડેલ બે જાતનું : એક  સ્ટેનલેસ સ્ટીલનું, બીજું ગોલ્ડ પ્લેટેડ. પુરુષો માટેનાં મોડેલમાં પણ એમ જ. તમારે પૂરેપૂરી કિંમત ચૂકવી દેવાની. પછી તમને એક કોરું પોસ્ટ કાર્ડ આપે. તેના પર તમારું નામ-સરનામું લખીને આપવાનું. તમારો વારો આવે ત્યારે ઘરે પોસ્ટ કાર્ડ આવે કે બિલ તથા આ પોસ્ટ કાર્ડ બતાવીને સાત દિવસની અંદર ઘડિયાળ લઈ જજો!

નટવરભાઈ : હોર્નબી રોડ પરના બે મોટા સ્ટોર્સ બહુ જાણીતા હતા. એક ખાદી ગ્રામોદ્યોગ અને બીજો હેન્ડલૂમ હાઉસ. 

દી.મ. : પહેલાં એ બન્ને જગ્યાએ બ્રિટિશ સ્ટોર્સ હતા, વ્હાઈટ વે અને ઇવાન્સ ફ્રેઝર. આપણા ‘દેશી’ઓ તો ફૂટ પાથ પર ઊભા રહી બીતાં બીતાં અંદર એકાદ નજર નાખી લે!

નટવરભાઈ : હું પણ તમને એક મજેદાર વાત કહું. ખાદી ગ્રામોદ્યોગ શરૂ થયા પછી ઘણો વખત લંચ ટાઈમે સ્ટોર એક કલાક બંધ રહેતો! કારણ તેના નોકરિયાતોનો લંચ ટાઈમ તો સાચવવો જ પડે ને! જ્યારે આજુબાજુની ઓફિસોમાં કામ કરતા લોકોને લંચ ટાઈમમાં શોપિંગ કરવું હોય ત્યારે આ સ્ટોર તો હોય બંધ! 

દી.મ. : અને ફ્લોરા ફાઉન્ટનની આસપાસના વિસ્તારમાં ફરતાં ફરતાં તમે કોઈક કવિતા ગણગણ્યા કરતા એમ પન્નાબહેન કહેતાં હતાં. એ કયું પ્રેમ કાવ્ય હતું?

પન્નાબહેન : અરે દીપકભાઈ! એ વખતે તો અમે એક બીજાંને જોયાં ય નહોતાં. એટલે એ પ્રેમ કાવ્ય …

નટવરભાઈ : એ કાવ્યો હતાં મુંબઈ પ્રેમનાં, નિરંજન ભગતનાં પ્રવાલદ્વીપ કાવ્યો. ત્યાં ફુવારા પર આરૂઢ ગ્રીક ગોડેસ ફ્લોરા માટે કવિએ ‘વિશ્વ માલણી’ જેવો સુંદર શબ્દ વાપર્યો છે, તો એના હાથમાં રહેલાં ફૂલોને ‘શલ્ય ફૂલ’ કહ્યાં છે. ‘હોર્નબી રોડ’ કાવ્યના પ્રવાહી લય અને એના કાવ્ય વસ્તુનું મને હંમેશ આકર્ષણ રહ્યું છે. 

દી.મ. : નિરંજન ભગતના એ કાવ્યની થોડી પંક્તિઓ સંભળાવોને, નટવરભાઈ!

નટવરભાઈ : 

અનેક ફાંકડા 

બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા,

છતાંય વ્હાઈટ વેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભારણ,

તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ;

અનેક રાંકડા

કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા,

સદાય વેસ્ટ એન્ડ વોચ પાસ આવતા જતા 

સમય મિલાવતા, 

રખે જ કાળ થાય બેપતા;

અનેક ટાઈપિસ્ટ ગર્લ્સ, કારકૂન, 

એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન,

લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર,

જોઈ લે નવીન સ્લેકસ, ટાઈઝ, 

બે ઘડી ઊભાં રહી ટટાર. 

આસ્ફાલ્ટ રોડ, 

સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.

દી.મ. : આ કાવ્ય લખાયું તેને દાયકાઓ વીતી ગયા, ઘણું બદલાયું છે, પણ આ કાવ્યમાં મુંબઈ શહેરનો અને તેમાં વસનારાનો જે સ્પિરિટ પ્રગટ થયો છે તે તો તેવો ને તેવો જ આજે પણ રહ્યો છે. 

નટવરભાઈ : હોર્નબી રોડ પર બોરી બંદરની સામે ડાબી બાજુએ જરાક અંદર એક્સેલસિયર થિયેટર હતું. ઓપેરા થિયેટરની જેમ બેસવા માટે અનેક લેયર. ત્યાં સૌથી ઉપરના માળે બેસીને માથું એકદમ નીચું કરીને Bridge on River Kwai નામની હોલીવૂડની ફિલ્મ જોઈ હતી તે હજી યાદ છે.

દી.મ. : આ થિયેટરનો ઇતિહાસ પણ મજેદાર છે હોં.

પન્નાબહેન : થોડી વાત કરો ને એ વિષે.

સર ફ્રેંક સાઉટર

દી.મ. : મુંબઈનાં ઘણાં જૂનાં થિયેટરોમાંનું આ એક. શરૂ થયું ત્યારે એનું નામ હતું ‘નોવેલ્ટી.’ અને એ બંધાયેલું નાટકો ભજવવા માટે. વિક્ટોરિયા નાટક મંડળીના માલિકો ખરશેદજી બાલીવાલા અને ડોસાભાઈ મગોલે એ બંધાવ્યું. તેનું સ્ટેજ ૯૦X૬૫ ફૂટનું હતું. અને તેમાં ૧,૪૦૦ બેઠકો હતી. ૧૮૮૭ના મે મહિનાની ૨૧મી તારીખે તે વખતના પોલીસ કમિશનર સર ફ્રેંક સાઉટરે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈ શહેરના તેઓ પહેલ વહેલા પોલીસ કમિશનર. જન્મ ૧૮૩૧ના જૂનની ૩૦મી તારીખે, અવસાન ૧૮૮૮ના જૂનની પાંચમી તારીખે. ૧૮૬૪માં તેમની નિમણૂંક મુંબઈના પોલીસ કમિશનર તરીકે થઇ હતી. એ વખતની મુંબઈની વસતીના પ્રમાણમાં પણ પોલીસોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેમના પગાર પણ બહુ ટૂંકા હતા. એ વખતે દર ૫૦૬ નાગરિકે એક પોલીસ હતો. અને સૌથી નીચી પાયરીના પોલીસનો પગાર હતો મહિને દસ રૂપિયા! અને મોટા ભાગના પોલીસ વાંચી-લખી શકતા નહોતા! ૧૮૮૪માં એક સાથે દસ હજાર લોકો હજ કરવા માટે મુંબઈથી રવાના થવાના હતા. ત્યારે સાઉટરે પહેલી વાર પાસપોર્ટની પદ્ધતિ દાખલ કરી હતી. ૧૮૮૮ના એપ્રિલની ૩૦મી તારીખે તેઓ નિવૃત્ત થઈને નીલગિરી રહેવા ગયા હતા. એ જ વરસના જૂનની પાંચમી તારીખે તેમનું ત્યાં જ અવસાન થયું. 

એક્સેલસિયર થિયેટર 

નટવરભાઈ : એ નોવેલ્ટીના માલિક બદલાયા. તેમણે એ તોડી ત્યાં નવું થિયેટર બાંધ્યું, એક્સેલસિયર. વખત જતાં એ પણ તૂટ્યું, એની જગાએ ઊભું થયું ન્યૂ એક્સલસિયર. અને ધોબી તળાવ પરનું મેટ્રો સિનેમા. ત્યાં અનેક મેટીની શો જોયેલા. દર રવિવારે લાઇનમાં ઊભા રહી જવાનું. એ હોલીવૂડની મૂવીઓ બે કલાક માટે મને અમેરિકા પહોંચાડી દેતી. આજ એમ થાય છે કે મૂવીઓના બે કલાકના એ અંધારામાં હું મારી જાતને પામતો!

મને થતું કે મારે ખરેખર ન્યૂ યૉર્ક સાન ફ્રાનસિસ્કો, બર્લિન જેવાં શહેરોમાં રહેવું જોઈએ. પણ બે કલાક પછી જેવા બહાર નીકળો તો મુંબઈ દેખાય! ઘણી વાર તો ત્યાંથી ભાગી જવાનું મન થાય. પણ જવું ક્યાં?

પન્નાબહેન : પણ પછી ગાંધીના જીવનમાં ‘ખુલ જા સીમ સીમ’ જેવું થયું. મુંબઈમાં સાથે ભણતા મિત્ર જારેચાએ અમેરિકામાં ભણવા માટે તેમને બોલાવી લીધા. 

નટવરભાઈ : મુશ્કેલીઓ તો ઘણી આવી, ડગલે ને પગલે. પણ છેવટે ૧૯૬૫ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મોડી રાતે હું એર ઇન્ડિયાના પ્લેનમાં અમેરિકા જવા બેઠો! પ્લેનમાં જવાની સીડીનાં પગથિયાં ચડતાં હું ખલીલ જીબ્રાનની પંક્તિઓ ગણગણતો હતો :

Then we left that sea to seek the Greater Sea. 

દી.મ. : પન્નાબહેન, નટવરભાઈ. તમારી આંખે મુંબઈને જાણવા અને માણવાની મજા આવી. હવે  મુંબઈ આવો ત્યારે જરૂર મળશું. આવજો. 

e.mail deepakbmeha@gmail.com

XXX XXX XXX

 (પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 નવેમ્બર 2023)

Loading

नीतीश कुमार का अपराध : नीतीश कुमार की माफी 

कुमार प्रशांत|Opinion - Opinion|17 November 2023

कुमार प्रशांत

यह अपने–आप में अनोखा था. कभी देखा नहीं था कि कोई मुख्यमंत्री सदन में और सदन के बाहर भी अपनी कही किसी बात के लिए बार–बार इस तरह माफी मांग रहा होकि उसे अपनी कही बात की सच में ग्लानि हो. जुमलेबाजी पर टिकी आज की राजनीतिक संस्कृति में, जुमलेवाली माफी और सच्ची माफी में जो फर्क होता है, वह पहचानने काविवेक अभी जिंदा है. इसलिए कह सकता हूं कि नीतीश कुमार को माफी मिल ही जानी चाहिए. जुमले उछालना, झूठ बोलना, गलत बोलना और अनगढ़ ढंग से बोलना, दोसर्वथा भिन्न बातें हैं. 

बोलने का सच यह है कि जब कभी हम बोलते हैं तो अपनी तरह से ही बोलते हैं लेकिन बोलते हमेशा दूसरे के लिए हैं. यदि सुनने के लिए प्रत्यक्ष या अप्रत्यक्ष दूसरा कोई नहो, तो हम बोलें ही नहीं. बोलना बड़ी जिम्मेवारी है. बार–बार दोहराई लेकिन फिर भी ताजा–के–ताजा वह बात सौ टंच खरी है कि वाण से छूटा तीर व जुबान से निकली बातवापस नहीं आती है. इसलिए तो वाक्–संयम को गीता ने स्थितप्रज्ञ्य के लक्षणों में एक माना है.  राजनीति में स्थितप्रज्ञ्यता की न जगह मानी जाती है, न गुंजाइश !

नीतीश कुमार को उस रोज अपनी तरह से वह बात कहनी थी जो उन्होंने पहले कभी कही ही नहीं थी; उन्हें अपनी सरकार की सफलता के झंडे भी लहराने थे जैसे हरराजनीतिज्ञ लहराता है; उन्हें विपक्ष पर गहरा कटाक्ष कर उसे व्यर्थ के बकवासी भी साबित करना था. इस नट–लीला में वे फंस गए. तनी हुई रस्सी पर संतुलन साधता नट संतुलनखो कर गिरता भी तो है न ! गिरना खेल के गलत होने का प्रमाण नहीं है; खिलाड़ी के चूकने का प्रमाण है.

बोलना तीन तरह का होता है : गलत बोलना,  असभ्यता से बोलना तथा सर्वथा झूठ बोलना ! लोकतंत्र के संदर्भ में एक तीसरा प्रकार भी है : असंवैधानिक बोलना ! नीतीशकुमार ने उस रोज जो कहा व जिस तरह कहा वह दूसरी श्रेणी में रखा जा सकता है. भाषा की यह दिक्कत जगजाहिर है. वह यदि लोक–व्यवहार से गढ़ते–गढ़ते तराश न दी गई होतो भोंढी लगती है और अपना अर्थ संप्रेषित करने में विफल होती है. कितनी तो आलोचना गांधीजी की हुई, होती रहती है कि उन्होंने संसदीय लोकतंत्र को ‘बांझ व वेश्या’ कहकर स्त्री–जाति को हीन बताया. गांधीजी की तरफ से ऐसे ‘अभद्र’ शब्द आएं, कई लोगों को तो यही नहीं पचा. किसी को इसमें गांधीजी की पुरुष मानसिकता के दर्शन हुए. गांधीजी ने कहा : मैं जो कहना चाहता हूं उसके लिए इससे अधिक मौजूं शब्द मिला नहीं मुझे ! मिल जाएगा तो बदल दूंगा ! यहां मेरी तरफ से नीतीश कुमार व गांधीजी कीतुलना या साम्यता का मतलब न निकालें पाठक बल्कि भाषा की मर्यादा का एक उदाहरण मात्र समझें. 

नीतीश कुमार को साबित यह करना था कि उनकी सरकार के प्रयासों से जनसंख्या नियंत्रण का प्रयास सफल हुआ है. वे आंकड़ों से उसका प्रमाण भी देते रहे. विपक्ष उनकादावा मानने को तैयार नहीं था. इसलिए उन्हें विपक्ष को धूल–धूल कर देना था, उसे उसकी सही जगह दिखला देनी थी तो उनकी आक्रामकता बढ़ने लगी. वे बताने लगे किजनसंख्या नियंत्रण में दिक्कत क्या–क्या आती है. पति या पुरुष कामुक हुआ जाता है और स्त्री उसके सामने बेबस हो जाती है. यह सब बताने में समर्थ भाषा हमने विकसित हीनहीं की है, क्योंकि यह सब ‘गुप्त ज्ञान’ के भीतर आता है. हमारे समाज में यौन–शिक्षा का जैसा हाल है वह नीतीश कुमार की देन नहीं है बल्कि हम सबकी तरह नीतीश कुमार भीउसके शिकार हैं. हमारे यहां यौनिक संदर्भ की भाषा विकसित ही नहीं हुई है क्योंकि उसे हमने हमेशा अत्यंत निजी, किसी हद तक गुप्त विषय ( गुप्त रोग ! ) माना है. इसमें अंग्रेजीका हमारा अत्यंत सीमित  (व विकृत !) ज्ञान हमारा सहारा बनता है. अंग्रेजी का हमारा अज्ञान हमें वैसा कुछ कह कर निकल जाने की सुविधा देता है जिसे हम ठीक से समझते भीनहीं है. ‘चुम्मा’ कहो तो अशिष्ट लगता है, ‘चुंबन’ कहो तो कालिदासीय क्लिष्टता लगती है, तो हम ‘किस’ कहकर निकल जाते हैं जिसमें न मिठास मिलती है, न अपना कोईसंदर्भ मिलता है लेकिन अंग्रेजी में है तो भद्र ही होगा, ऐसा जमाना मानता है, तो हम भी मानते हैं.  

नीतीश कुमार को कहना यह था कि लड़की पढ़ी–लिखी, जानकार होगी, जैसाकि हमारी सरकार उसे बनाने में लगी है, तो वह अपने पति की कामुकता को नियंत्रित करसकेगी, उसे गर्भ न रहने के प्रति सचेत कर सकेगी. इसे आप भदेशपन से कहेंगे तो नीतीश कुमार का हाल होगा आपका, अंग्रेजी में ‘विद्ड्रॉल’ कहेंगे तो भद्रता मान कर आपकोबरी कर दिया जाएगा. जब नीतीश कुमार आक्रामक हास्य की मुद्रा में यह सब कह रहे थे तो वे समझ रहे थे कि वे कुछ अटपटा कह रहे हैं लेकिन यही तो राजनीति है; औरराजनीति ऐसी सावधानी कब रखती है ! वह तो हमेशा कह देने की बाद की प्रतिक्रिया से, अपने कहे की सार्थकता या निरर्थकता आंकती है और अपना अगला कदम चुनती है.  यही नीतीश कुमार ने भी किया. 

उनकी खुली सार्वजनिक माफी ही यह बताती है कि जो कुछ कहा उन्होंने वह इरादतन महिलाओं का अपमान करने, यौनिकता को राजनीतिक हथियार बनाने या अपनी यौनकुंठा को तुष्ट करने का जायका लेने जैसा नहीं था. वे इस नाहक के विवाद और अपनी रौ में बह जाने के परिणाम से त्रस्त व्यक्ति की ईमानदार माफी थी. स्त्री–वर्ग के रूप में बिहारकी महिलाओं को नीतीश कुमार ने सशक्त ही किया है, उनमें उत्साह भरा है, उनकी उमंगों को अपनी व्यवस्था का आधार भी दिया है. मुझे अंदाजा नहीं है कि उनके मंत्रिपरिषद मेंयौन अपराधियों को कितनी जगह मिली हुई है याकि ऐसे अपराधियों के प्रति उनका रवैया कैसा है.  यदि यह आंकना हो तो प्रधानमंत्री समेत केंद्रीय मंत्रिमंडल का चेहरा अच्छानजर नहीं आएगा. लेकिन इस आधार पर नीतीश कुमार से इस्तीफे की मांग याकि दूसरे किसी को सरकार की बागडोर सौंप देने की मांग अतिवादी मांग है. मांगने करने वालों कोयह समझना चाहिए कि  यह अपराध से कहीं बड़ी सजा देने की अविवेकी भूल होगी. व्यापक सार्वजनिक भर्त्सना के रूप में उन्हें अनगढ़ अभिव्यक्ति की वह सजा मिल चुकी है जोकिसी राजनेता के लिए सबसे बड़ी सजा होती है. अब आगे की नितीश कुमार जानें. लेकिन कुछ तो हम भी जानें. हम सब बड़ी सावधान सावधानी बरतें कि किसी भी हाल में, कैसी भी परिस्थिति में हमारी सार्वजनिक अभिव्यक्ति यौनिक गालियों या प्रतीकों का सहारा न ले. ऐसी हर अभिव्यक्ति औरत का अपमान करती है; ऐसी हर अभिव्यक्ति यह भूलजाती है कि यौनिकता स्त्री–पुरुष दोनों की साझा विरासत है. हम जब ऐसे अपशब्दों में बात करते हैं तो खुद को भी, अपनी महिला को भी और सारी महिला साथियों को भीक्षुद्रतर साबित करते हैं. नीतीश–प्रसंग यदि हमें इतना सचेत कर दे तो हमें उन्हें माफ तो कर ही देना चाहिए. 

(17.11.2023)  
मेरे ताजा लेखों के लिए मेरा ब्लॉग पढ़ें
https://kumarprashantg.blogspot.com

Loading

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૧૬ -૨) : ભરત મુનિ

Opinion - Opinion|17 November 2023

સુમન શાહ

મેં કહ્યું કે ભરત મુનિના “નાટ્યશાસ્ત્ર”-માં જીવવિજ્ઞાનીની શાસ્ત્રીયતા છે, એમાં ઉમેરું કે સંસ્કૃત કાવ્યશાસ્ત્ર સમગ્રમાં એ છે.

જેમ જીવવિજ્ઞાનમાં કે વિજ્ઞાન માત્રમાં પરિભાષા હોય એમ કોઈપણ શાસ્ત્રમાં પણ હોય, તેમ કાવ્યશાસ્ત્રમાં પણ હોય જ ! ઇતિ અલમ્. આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઘૂંટીએ તો પુનરાવર્તન દોષ થાય.

ભરત મુનિએ આપેલું રસસૂત્ર : વિભાવાનુભાવ વ્યભિચારિ સંયોગાત્ રસનિષ્પત્તિ: – વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવના સંયોગથી રસ નિષ્પન્ન થાય છે.

આમાં, ‘વિભાવાદિ’ પારિભાષિક સંજ્ઞાઓ છે. એને આત્મસા્ત કરવી એ પાયાની જરૂરિયાત છે. હું એટલે સુધી કહીશ કે એ પરિભાષાની ઉપેક્ષા કરનારને કશું હાથ આવશે નહીં, એ માત્ર ફાંફાં મારી શકશે.

હવે, કાવ્યના પ્રાગટ્યમાં જવાબદાર ૮ સ્થાયી ભાવ, ૩૩ વ્યભિચારી ભાવ, ૮ સાત્ત્વિક ભાવ, બધું મળીને ૪૯ ભાવોના સંયોગથી જ રસની નિષ્પત્તિ થાય છે; તો એ ભાવોને જાણવા જ જોઈએ. એથી કંટાળીને વિદ્યાર્થી ભાગી જાય તે સ્વાભાવિક છે, પણ, ‘આની કંઈ જરૂર નથી, વધારે પડતું છે’, એમ બકવાસ કરીને અધ્યાપક ચાતરી કે કાતરી જાય એ મૂષકવૃત્તિ છે, એ પ્રજ્ઞાપરાધ પણ છે.

રસસૂત્રમાં વધારે નૉંધપાત્ર શબ્દ બે છે, ’ભાવ’ અને ‘રસનિષ્પત્તિ’. પ્રત્યેક મનુષ્ય ભાવ કે ભાવોનો સમૂહ ધરાવે છે. પણ યાદ રહે કે રસ કે રસસમૂહ તો કાવ્ય કહેતાં, સાહિત્યમાં અને કલાઓમાં જ સંભવે છે.

ભરત સરસ કહે છે : જે અર્થ હૃદયસંવાદી હોય, હૃદયને સ્પર્શે, એનો ભાવ સૂકા લાકડામાં જેમ અગ્નિ વ્યાપી વળે છે, એમ શરીરમાં વ્યાપી વળે છે, એ ભાવ રસનો ઉદ્ગમ છે. શ્લોક છે : 

યોડર્થો હૃદયસંવાદી તસ્ય ભાવો રસોદ્ભવ: I

શરીરમ્ વ્યાપ્યતે તેન શુષ્કમ્ કાષ્ઠમિવાગ્નિનામ્ II

રસસૂત્રનો સાર એ છે કે વિભાવાદિ ભાવોનો સંયોગ થવાથી રસ નિષ્પન્ન થતો હોય છે. પણ અહીં અનેક પ્રશ્નો છે, અથવા અધ્યેતાને થવા જોઈએ : 

ભાવ એટલે શું? વિભાવ અનુભાવ કે વ્યભિચારી ભાવ એટલે શું? સંયોગાત્ એટલે શું? રસનિષ્પત્તિ એટલે શું? અથવા એમ પ્રશ્ન થવો જોઈએ કે આ બધી સંજ્ઞાઓને શાસ્ત્રકારે કેવાક સંકેતાર્થો માટે પ્રયોજી છે. પ્રશ્ન થાય તો ઉત્તરની અપેક્ષા જાગે.

A colorful person with a creative mind, exploding inner world, emotions, imagination and creative concept.

AI generated By Blackdorian

ભરતે પ્રત્યેક સંજ્ઞાની વિશદ વ્યાખ્યા કરી છે :

ભાવ : 

એ સ્મરણમાં રાખવું જરૂરી છે કે “નાટ્યશાસ્ત્ર” મુખ્યત્વે નાટ્યકલાનું શાસ્ત્ર છે તેથી ભરત લગભગ બધી ચર્ચા અભિનય વગેરે નાટક સાથે જોડાયેલી બાબતોના સંદર્ભે કરતા હોય છે.

ભાવ વિશે પહેલાં તો એમણે પોતે જ પ્રશ્નો મૂક્યા – ભાવા ઇતિ કસ્માત્? – ભાવ શાથી કહેવાય છે? કિમ્ ભાવયન્તીતિ ભાવા:? ભાવ કોને ભાવિત કરે છે? ઉત્તરમાં કહ્યું કે વાણી, અંગ અને સત્ત્વને ભાવિત કરે છે, તેથી એ ભાવ છે. અહીં, અભિનયના પ્રકાર, વાચિક આંગિક અને સાત્ત્વિકનો નિર્દેશ છે. પણ કાવ્ય અથવા સાહિત્યકૃતિમાં પણ વાણી વગેરેનો વિનિયોગ તો હોય જ છે, અને તે પણ ભાવિત તો થાય જ છે.  

વિભાવ :

વિભાવ એટલે કોઈ કાર્યનું કારણ, હેતુ, કે નિમિત્ત. વાણી, અંગ અને સત્ત્વનો આશ્રય કરનારા અનેક અર્થો વિશેષત: ભાવિત થાય છે, વિભાવિત થાય છે, તેથી એ વિભાવ કહેવાય છે.

અનુભાવ :

વાણી, અંગ તથા સત્ત્વથી અનેક પ્રકારના અર્થસંકેતો ઊભા થતા હોય છે. એનો અભિનેતાએ કરેલો અભિનય અનુભાવિત થાય છે, તેથી એ અનુભાવ કહેવાય છે. બીજી રીતે કહીએ તો, અનુભાવ એટલે અભિનય.

વ્યભિચારી ભાવ :

ગત્યર્થવાચક ‘ચર્’ ધાતુ, ‘વિ’ અને ‘અભિ’ ઉપસર્ગ – એને કારણે ‘વ્યભિચારી’. આ એવા ભાવ છે જે આવે ખરા પણ ટકે નહીં, ચાલ્યા જાય; એટલે, એને ‘સંચારી ભાવ’ પણ કહે છે.

‘ચરન્તી’-નો એક અર્થ છે, લઈ આવવું. વ્યભિચારી ભાવો સંભાવ્ય રસને અભિમુખ થઈને વાણી, અંગ તથા સત્ત્વના મેળને તે રસ પ્રતિ લઈ જાય છે. કેવી રીતે લઈ જાય છે? કહ્યું કે, નક્ષત્રને કે દિવસને સૂર્ય બાહુ પકડીને કે ખભે બેસાડીને નહીં પણ સહજપણે લાવે છે, વ્યભિચારી ભાવોનું સંચરણ પણ એવું સહજ હોય છે.

મારું નમ્ર મન્તવ્ય છે કે આપણા સાહિત્યવિચારમાં વ્યભિચારી ભાવની વિશિષ્ટ પર્યેષણા નથી થઈ.

ગ્રન્થમાં, એ ૩૩ વ્યભિચારી ભાવોનો નામો સહિતનો ઉલ્લેખ છે : નિર્વેદ, ગ્લાનિ, શંકા, અસૂયા, મદ, શ્રમ, આલસ્ય, દૈન્ય, ચિન્તા, મોહ, સ્મૃતિ, ધૃતિ, વ્રીડા, ચપલતા, હર્ષ, આવેગ, જડતા, ગર્વ, વિષાદ, ઔત્સુક્ય, નિદ્રા, અપસ્માર, સુપ્ત, પ્રબોધ, અમર્ષ, અવહિત્થ, ઉગ્રતા, મતિ, વ્યાધિ, ઉન્માદ, મરણ, ત્રાસ, વિ તર્ક.

દરેક ભાવ માટેનો અંગ્રેજી શબ્દ જાણવાથી એનો અર્થ વધારે સ્પષ્ટ થશે, અને દરેક ભાવની સૂક્ષ્મતાનો પણ પરિચય થશે. જોઈ શકાશે કે એ સૂક્ષ્મતા ખાતર અંગ્રેજીના અર્થચ્છાયાસૂચક બે બે શબ્દ પ્રયોજવા પડ્યા છે :

નિર્વેદ – indifference, apathy. ગ્લાનિ – fatigue, exhaustion. શંકા – doubt, suspicion. અસૂયા – jealousy, envy. મદ – pride, arrogance. શ્રમ – toil, labor.  આલસ્ય – laziness, sloth. દૈન્ય – humility, meekness. ચિન્તા – worry, anxiety. મોહ – attachment, infatuation. સ્મૃતિ – memory, recollection. ધૃતિ – courage, perseverance. વ્રીડા – anger, wrath. ચપલતા – fickleness, inconstancy. હર્ષ – joy, delight. આવેગ – excitement, agitation. જડતા – inertia, sluggishness. ગર્વ – pride, arrogance. વિષાદ – sorrow, sadness. ઔત્સુક્ય – eagerness, enthusiasm. નિદ્રા – sleep. અપસ્માર – fainting, swoon. સુપ્ત – asleep. પ્રબોધ – awakening, waking up. અમર્ષ – resentment, ill will. અવહિત્થ – distraction, agitation. ઉગ્રતા – intensity, severity. મતિ – intelligence, intellect. વ્યાધિ – illness, disease. ઉન્માદ – madness, insanity. મરણ – death. ત્રાસ – distress, anguish. વિ તર્ક – argument, debate.

મનુષ્યમાત્રને આ ૩૩ વ્યભિચારી ભાવોનો અવારનવાર અનુભવ થતો હોય છે. દિવસ દરમ્યાન એમાંનો કયો ભાવ ક્યારે પ્રગટ્યો અને ક્યારે ચાલી ગયો, એની ખબર નથી પડતી. પણ આ દરેક ભાવ વિશે ધીરજથી વિચારતાં સમજાશે કે એમાં કેટલી તો સચ્ચાઇ છે.

મનોવિજ્ઞાન અનેક મનોભાવોનો નિર્દેશ જરૂર કરે છે, પણ એમાં આટલી સૂક્ષ્મતા નથી.

વિશ્વના અપ્રતિમ અભિનેતાઓના અભિનયમાં વ્યભિચારી ભાવોની અવરજવર હમેશાં જોવા મળે છે. સામાન્યો તો સાદાંસીધાં લટકાંમટકાં કરતા હોય છે.

એક સર્જક તરીકે મારે મન આ વ્યભિચારી ભાવોનું ખૂબ મહત્ત્વ છે. સર્જકે પોતાના સર્જનમાં કરેલા સૂક્ષ્મ કામનો એથી પરચો મળે છે. સિદ્ધ-પ્રસિદ્ધ સાહિત્યકારોની સૃષ્ટિમાં એનાં નિરૂપણો અવશ્ય જોવા મળે છે. સુજ્ઞ કથાસ્વામીઓનાં પાત્રો પણ એ સૂક્ષ્મતા દાખવતાં હોય છે પણ સામાન્ય લેખકોનાં પાત્રો એટલું બધું ઝીણું નથી જીવતાં હોતાં, કેમ કે એ લેખકોએ એમને એવું જી-વ-ન નથી બક્ષ્યું હોતું; એવા લેખકોનું બધું ‘જાડું’ માત્રલેખન જ હોય છે.

એ પણ નૉંધો કે વિભાવ અને અનુભાવની તુલનામાં વ્યભિચારી ભાવો જીવનની વધારે નજીક છે. વિભાવ અનુભાવ પરત્વે કલાપરક આયોજનો કરી શકાય છે, પણ વ્યભિચારી ભાવોનાં નિરૂપણો માટે આયોજકો પાસે જીવનનું ગભીર અને ગમ્ભીર અનુભવજ્ઞાન હોવું અનિવાર્ય છે.  

(ક્રમશ:)
(11/16/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...898899900901...910920930...

Search by

Opinion

  • સત્ય, તથ્ય અને નિસબતનો દસ્તાવેજ એટલે ડાર્વિનની આત્મકથા
  • રાજનીતિમાં વૈચારિક સફાઈના આગ્રહી: પંડિત દીનદયાલ
  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved