Opinion Magazine
Number of visits: 9957406
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રની આવક વધે તો લોકોનું સુખ વધે એ જરૂરી નથી

રોબર્ટ સ્કિદેલસ્કી [ભાવાનુવાદ : હેમંતકુમાર શાહ]|Opinion - Opinion|1 February 2024

નીતિ અને અર્થશાસ્ત્ર: ભાગ-7 

કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે કોઈ પણ નીતિ(policy)નું ધ્યેય રાષ્ટ્રીય આવકને બદલે ‘સુખ’ (happiness) હોવું જોઈએ. આ બાબતે દરેક વ્યક્તિ સંમત થાય જ કે લોકોને તેમની માનસિક સુખાકારી(well-being)માં સુધારો કરવાના અર્થમાં વધુ સુખી કરવા એ પ્રશંસનીય લક્ષ્ય છે. આ અભિગમ એવા સર્વે તરફ લઈ જાય છે કે જે એમ બતાવે છે કે સુખ એ આવકનું પ્રમાણ નથી. આ ઘટનાને ‘ઇસ્ટરલિનના કોયડા’ તરીકે ઓળખવામાં આવે છે. અર્થશાસ્ત્રી રિચર્ડ ઇસ્ટરલિન (1926-) દ્વારા એમ જણાવવામાં આવ્યું કે અમુક હદ પછી રાષ્ટ્રીય આવક વધે તેની સાથે સાથે સુખ વધે એવું હોતું નથી. અમુક હદ સુધી જ બંને સાથે વધે છે અને પછી સુખ સ્થિર થઈ જાય છે અને આવક વધવાનું ચાલુ રહે છે.

આ એમ બતાવે છે કે કોઈ પણ નીતિમાં આવકના વધારાને બદલે સુખમાં વધારો થાય તેવું ધ્યેય હોવું જોઈએ. એનો અર્થ એ છે કે લોકો સુખી કે અસુખી થાય તે માટેનું કારણ માત્ર પૈસા નથી હોતા. સુખ અને અસુખનાં વ્યક્તિલક્ષી પગલાંને વસ્તુલક્ષી પરિસ્થિતિ સાથે જોડવાં પડે. અનેક સર્વે એમ બતાવે છે કે લોકો આવી બાબતોથી વધુ સુખી થાય છે : પરિવાર અને મિત્રો સાથે વધુ સમય વિતાવવો, આવક ઊભી કરતા કામમાં સંતોષ મળવો, આવકની સલામતી હોવી વગેરે. કોઈ પણ નીતિમાં આ ધ્યેયોને સુખ સાથે જોડવાં જોઈએ.

સુખનો ખ્યાલ પોતે જ બહુ નબળો છે. મોટા ભાગના સંશોધકો એમ કહે છે કે તેનો અર્થ એ છે કે તે માનસિક સુખાકારી અથવા મનના આનંદ સિવાય બીજું કશું નથી. ધર્મગુરુઓ સુખ વિષે ઉપદેશો આપે છે, શાળાઓમાં સુખ વિષેના અભ્યાસક્રમો ચાલે છે; વગેરે બધું વધતું ચાલ્યું છે. 2008ની મંદી પછી સત્તા પર આવેલા બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે તેઓ દર ત્રણ મહિને દેશના નાગરિકોની સુખાકારી માપશે અને સુખાકારીમાં જે ફેરફાર થયો હશે તેને આધારે તેમની નીતિઓ સફળ થઈ કે નહિ તે જોશે અને એને માટે તેઓ પોતાની જાતને જવાબદાર ગણશે. પછી આ પ્રયાસ વિષે કશું સાંભળવા મળ્યું નહોતું. જ્યારે અર્થતંત્ર ખાડામાં પડી રહ્યું હોય ત્યારે સુખાકારી માપવાનું તદ્દન વિચિત્ર લાગે છે.

પહેલી વાર જોતાં જ એમ લાગે છે કે કોઈ પણ નીતિનું ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું હોય તો એ કાચી રાષ્ટ્રીય આવકમાં સુધારો છે. તે આવકની વૃદ્ધિના ચક્રમાંથી બહાર નીકળવામાં અથવા તેને ધીમી કરવામાં સહાય કરે છે અને જે સારું (good) છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે.

પરંતુ સુખને મજબૂતપણે કેવી રીતે માપવું એ મુદાને બાજુ પર મૂકીએ તો પણ આમાં એક ખતરનાક ફસામણી છે. જો સુખને કાયમી રીતે સંમત થઈ શકાય તેવી મનની બાબત ગણીએ તો તે આનંદ વધારતી દવાઓ મફત વહેંચવાથી, અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી વસ્તુઓનું ઉત્પાદન રોબોટ ઉપર છોડી દેવાથી, મોજશોખની જિંદગી જીવવાથી કે પછી નશામાં રહેવાથી સુખ મહત્તમ થઈ શકે છે. આ તો અક્ષરશ: લોકો  માટે અફીણ કહેવાય.

અલબત્ત, સુખની ચિંતા કરનારા અર્થશાસ્ત્રીઓ પણ આની હિમાયત કરતા નથી. જો કે, રિચર્ડ લેયાર્ડ (1934-) તેમના સુખ પેદા કરવાના એજન્ડામાં ઔષધીય અને મનોરંજક દવાઓનો સમાવેશ કરે છે ખરા. તેઓ એમ ઈચ્છે છે કે નીતિ એવી હોવી જોઈએ કે જે એવી સ્થિતિનું નિર્માણ કરે કે જે સ્થિતિ લોકો માટે ઓછી દુઃખદાયી હોય. તેઓ એમ પણ માને છે કે આવી સ્થિતિની શોધ થઈ શકે છે.

ઓછા દુઃખની બાબતને વચગાળાના નૈતિક ધ્યેય તરીકે ખરેખર ગંભીરતાથી લેવી જોઈએ, એટલે કે લોકો વધુ સારી જિંદગી જીવી શકે તે શક્ય બનાવવું જોઈએ. પરંતુ સુખને જ અંતિમ ધ્યેય ગણીને તે સિદ્ધ કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. સુખ તો સારી જિંદગી જીવવાનું પરિણામ છે. પ્રાચીન ગ્રીક દર્શનમાં એમ જ જણાવવામાં આવ્યું છે. સુખ એ કોઈ અલગ ધ્યેય નથી અને તે ઘણી વાર આપોઆપ બની જતી ઘટના છે.

અમર્ત્ય સેન સુખ માટે બીજાં કેટલાંક માપ બતાવે છે. આલ્ફ્રેડ માર્શલની જેમ અમર્ત્ય સેન એમ વિચારે છે કે નીતિનું ધ્યેય સુખાકારીમાં વધારો હોવું જોઈએ. પરંતુ સુખાકારીને માત્ર ભૌતિક વપરાશ જ ન સમજવી જોઈએ. તેને બદલે તે અનેક અને એકબીજાને વળગતી ક્ષમતાઓ કે સમર્થતાઓ(capabilities)થી થાય છે. તે ક્ષમતાઓ એકબીજાથી અલગ ન પણ થઈ શકે. તે ભૌતિક  કલ્યાણ તો છે જ, પણ તેમાં બિન-આર્થિક પાસાં પણ છે, જેમ કે, વ્યક્તિની પોતાને માટે પોતાની યોજના બનાવવાની સ્વતંત્રતા. પરિણામે, આર્થિક વિકાસને વિસ્તરતી ક્ષમતાઓ કે સમર્થતાઓ તરીકે સમજવો જોઈએ, અને ગરીબીને એ સમર્થતાઓના અભાવ તરીકે સમજવી જોઈએ.

સમર્થતાને નીતિનું ધ્યેય બનાવવામાં આવે તો અંતિમ ધ્યેયની વ્યાખ્યા કરવાની ફસામણીમાંથી બચી શકાય છે. પરંતુ ‘શાની સમર્થતા?’ એવા પ્રશ્નનો ઉત્તર આપવામાં તે નિષ્ફળ જાય છે. વ્યક્તિઓ તંદુરસ્ત કે શિક્ષિત થવા માટે સમર્થ બને તેની કે તેના જેવી બીજી ચિંતા આપણે શા માટે કરવી જોઈએ? હકીકતમાં જે બાબત મહત્ત્વની છે તે તો એ છે કે તેઓ ખરેખર તંદુરસ્ત અને શિક્ષિત હોય. તંદુરસ્ત અને શિક્ષિત હોવું એટલે શું તે અંગે સરકાર વલણ નક્કી કરે તો તેને તાનાશાહી કહેવાય. એટલે કે સમર્થતા વ્યક્તિગત પસંદગીનું જતન કરે છે.

(ક્રમશ:)  
સ્રોત: 
લેખનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Ethics and Economics
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

સુભાષબાબુના જીવનની પહેલી પચીસી કેવી હતી ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|1 February 2024

ચંદુ મહેરિયા

એક ઓર સુભાષ જયંતી(૨૩મી જાન્યુઆરી)એ દેશભરની સુભાષ પ્રતિમાઓ ફૂલોથી લદાઈ ગઈ હતી. માંડ ૪૮ વરસની આવરદા અને ૧૯૨૧થી ૧૯૪૧માં અગિયાર જેલવાસ ભોગવનાર અજોડ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ(૧૮૯૭-૧૯૪૫)ના ચાહકો જરા ય ઘટ્યા નથી. બલકે જમણેરી બળોના ઉભાર પછી તો પ્રતિદિન વધતા રહ્યા છે. વર્તમાન રાજકારણીઓના કારણે ‘નેતાજી’ શબ્દ ઠીક ઠીક બદનામ થયેલો છે, પરંતુ સુભાષબાબુને તે બરાબર જચે છે. દેશવાસીઓનું આ પ્રેમાદરભર્યું સંબોધન તેમના સાથે જોડાઈને સાર્થક થયું લાગે છે.

રાજકારણીઓને લોકો જુઠ્ઠા માને છે અને તેમના શબ્દોની કોઈ કિંમત હોતી નથી. એ સંજોગોમાં પણ આજના ભારતના રીઢા રાજકારણીઓ શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવે આત્મકથા લખી છે. તો આઝાદી આંદોલનના તેજસ્વી અને વીરલા રાજનીતિજ્ઞોની આત્મકથાઓ અમૂલ્ય દસ્તાવેજ છે. એ કાળના ગાંધી, નહેરુ સહિતના ઘણા નેતાઓએ આત્મકથાઓ કે સ્મરણો લખ્યાં છે. કેટલાકની જેલડાયરી અને પત્રો પ્રગટ થયાં છે. પરંતુ સુભાષચંદ્ર બોઝની અધૂરી આત્મકથાની જાણ બહુ ઓછા લોકોને છે. નેતાજીના જીવનકાર્ય અને વિચારોએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અમીટ છાપ પાડી છે, ત્યારે તેમની આત્મકથા તે સમયને જાણવા, સમજવા, મૂલવવા ખૂબ અગત્યનો દસ્તાવેજ  છે.

બાંગ્લા, હિંદી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં કુલે બારખંડોમાં પ્રગટ થયેલાં સુભાષચંદ્ર બોઝના સમગ્ર સાહિત્યના પ્રથમ જ  ખંડમાં તેમની અપૂર્ણ આત્મકથા ‘એન ઇન્ડિયન પિલગ્રિમ’ (એક ભારતીય યાત્રી) છે. જન્મથી આઈ.સી.એસ.ની પરીક્ષા પાસ કર્યા પછી રાજીનામુ આપ્યું ત્યાં સુધીના એટલે કે ૧૮૯૭થી ૧૯૨૧ના સમયનું તેમાં આલેખન છે. નેતાજી ૧૯૩૮માં ભારતીય રાષ્ટ્રીય કાઁગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. તે પૂર્વે  એટલે  કે ૧૯૩૭ના અંતિમ મહિનામાં અને બેસતા ૧૯૩૮ના વરસમાં, ચાળીસ વરસની ઉંમરે,  તેમણે આત્મકથાના દસ પ્રકરણો લખ્યા હતા. યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્ટ્રિયાના એક હેલ્થ રિસોર્ટમાં આત્મકથા તેમણે લખી હતી. આત્મકથા લેખનમાં જે એમીલિ શેંક્લ તેમનાં  સહાયક હતાં, તે પછી તેમનાં જીવનસંગિની બન્યાં હતાં.

આઝાદ હિંદ ફોજના સ્થાપક તરીકે ફૌજી ગણવેશ પરિધાન કરેલા નેતાજીની છબી આપણા મનમસ્તિક પર અંકાયેલી છે, પરંતુ સુભાષબાબુ જીવનની પહેલી પચીસીમાં કંઈ જૂદા જ હતા, તે આ આત્મકથા દર્શાવે છે. ઉચ્ચ મધ્યમવર્ગીય કાયસ્થ પરિવારમાં જન્મેલા સુભાષ, કુટુંબનું નવમું સંતાન હતા અને તેમનાં માતાપિતાને કુલ ચૌદ બાળકો હતાં. જન્મભૂમિ કટક્માં આરંભિક અને કોલકાત્તામાં કોલેજ શિક્ષણ મેળવ્યું હતું. બાળપણ અને કિશોરાવસ્થામાં તેઓ ભાવનાશાળી, અતિસંવેદનશીલ, પરિશ્રમી, અંતર્મુખી અને અભ્યાસમાં તેજસ્વી હતા. અંગ્રેજી માધ્યમની મિશનરી શાળામાં અભ્યાસને કારણે અને તેમાં કોઈ પણ ભારતીય ભાષા શિખવવામાં આવતી ન હોવાથી તેઓ લાંબો સમય માતૃભાષા બંગાળીના શિક્ષણથી વંચિત રહ્યા હતા. સાહસી તરીકે નામના પામેલા સુભાષબાબુ શાળા શિક્ષણ દરમિયાન કાયમ  રમતગમતથી દૂર રહ્યા હતા. રમત પ્રત્યે ઓછા લગાવને કારણે તેઓ વયમાં નાના છતાં મોટા લાગતા હોવાનું તેમણે નોંધ્યું છે.

કિશોરાવસ્થાથી તેમણે અનુભવેલું મનોમંથન આત્મકથામાં સરસ રીતે આલેખાયું છે. પંદર વરસની વયે કિશોર સુભાષને વિવેકાનંદનો સાક્ષાત્કાર સાવ અનાયાસે તેમનાં પુસ્તકો થકી થયો અને જીવનની નવી દિશા ઉઘડી હતી. આત્માની મુક્તિ અને પીડિત માનવની સેવાનો મનુષ્ય જીવનનો હેતુ તેમને વિવેકાનંદનાં પુસ્તકોના વાચનથી મળ્યો હતો. વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના સાહિત્યના પરિચયે તેઓ કામવાસના અને સાંસારિક સુખના ત્યાગના માર્ગે વિચારવા લાગ્યા હતા. આ પ્રકારના વિચારો ધરાવતા મિત્રો સાથે મળીને સમાજસેવા પણ આરંભી હતી. ગામડાંની શાળાના બાળકોને ભણાવવા અને મહામારીગ્રસ્ત લોકોની સેવાનું કામ કર્યું હતું. મેટ્રિક સુધીની પોતાની શિક્ષણ સફરનું મૂલ્યાંકન કરતાં આત્મકથામાં તેમણે લખ્યું છે કે હું મેટ્રિકની પરીક્ષામાં સારા માર્કસ મેળવી શાળાનું નામ રોશન કરીશ તેમ માનતા લોકો મને ભભૂત ચોળીને સાધુસંતોની પાછળ ભાગતો જોઈને નિરાશ થયા હશે.

ઈ.સ. ૧૯૧૧ સુધી નેતાજીમાં કોઈ રાજકીય ચેતના નહોતી તેનું ઉદાહરણ તેમને સમ્રાટ જોર્જ પંચમના રાજ્યાભિષેક જેવા વિષય પરની નિબંધ સ્પર્ધામાં લીધેલ ભાગ લાગે છે. જો કે કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજના વરસોમાં તેમનામાં રાજકીય ચેતના પણ જાગી હતી અને તેને પાંખો પણ મળી હતી. મારું જીવન આધ્યાત્મિક ઉન્નતિ અને માનવતાની સેવામાં લગાવીશ અને ચીલાચાલુ જીવનમાં ખર્ચીશ નહીં તેવી ધૂન પણ ત્યાં જ તેમને લાગી હતી. આ ગાળામાં એક તરફ તેઓ શક્ય એટલા વધુ ધાર્મિક ગુરુઓને મળતા હતા તો શ્રી અરવિંદનું પણ ખેંચાણ થયું હતું. અંગ્રેજોની ગુલામી, નિર્દયતા અને અસમાન વ્યવહાર તેમને ખૂંચતો હતો. કોલેજમાં એક ભારતીય વિધ્યાર્થીને અંગ્રેજ અધ્યાપકે માર્યો ત્યારે વિદ્યાર્થી પ્રતિનિધિ સુભાષે તેના વિરોધમાં હડતાળ પાડી, કોલેજમાંથી બરતરફી વહોરી હતી. તેમનામાં રહેલા નેતૃત્વના ગુણો અને વિદ્રોહ માટે બલિદાનની તૈયારી અહીં જોવા મળી હતી.

૧૯૧૯માં તેઓ ઇન્ડિયન સિવિલ સર્વિસની પરીક્ષા માટે કેમ્બ્રિજ ગયા તે જીવનમાં આવેલો એક મોટો બદલાવ હતો. આઈ.સી.એસ.ની પરીક્ષા માટેની વય મર્યાદા વટાવી જવાની તૈયારીમાં હતા ત્યારે તેમણે પરીક્ષા આપી અને મેરિટમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. પરંતુ તેઓ અંગ્રેજોની ગુલામી કરતી આ નોકરી કરવા માંગતા નહોતા. એ દિવસોનો તેમનો પત્રવ્યવહાર તેઓ કેવા માનસિક ઝંઝાવાતોમાંથી પસાર થતા હતા તેની ગવાહીરૂપ છે. “મારા સિદ્ધાંતો મને જેની ઉપયોગિતા ખતમ થઈ ગઈ છે તેવી વ્યવસ્થાનો ભાગ બનવાની અનુમતિ આપતા નથી”, તેમ મોટાભાઈ જોગ પત્રમાં તેમણે લખ્યું હતું. આ જ પત્રમાં તેમણે સિવિલ સર્વિસ માટે વાપરેલા શબ્દો કુંઠિત વિચાર, નિર્લજ્જ અને સ્વાર્થી શાસન, હ્ર્દયહીનતા તેમ જ લાલિયાવાડીનું પ્રતીક પણ આજે ખરા લાગે છે.

ધર્મનિરપેક્ષતા અને દીનદુખિયા પ્રત્યે સહાનુભૂતિના જે ગુણો સુભાષબાબુમાં હતા તેનાં મૂળિયાં તેમની આ પહેલી પચીસીમાં રહેલાં છે. હિંદુઓ પ્રાર્થના કરવા મંદિરે જાય છે અને મુસ્લિમો મસ્જિદમાં જાય છે, તે સિવાય મેં તેમને ક્યારેય મારાથી તે જુદા છે તેવું મહેસૂસ કર્યું નથી તેમ તેમણે લખ્યું છે. કોઢની જેમ વિસ્તરતી અસ્પૃશ્યતાને પણ તેમણે નિકટથી જોઈ હતી અને તેનો મુકાબલો પણ કર્યો હતો. ઘર નજીક બેસતી ભિખારણને જોઈને પોતાના ઘરની સમૃદ્ધિ એમને અકળાવે છે તો કથિત નિમ્ન વર્ણના વિદ્યાર્થી સાથીની માંદગીમાં સેવા પણ કરે છે.

સુભાષચંદ્ર બોઝની આત્મકથા વાચકને તેમના માનસિક વિકાસ, ઘડતર, જીવન લક્ષ્ય, રાજનીતિક સમજ અને કિશોરાવસ્થાના મનોશારીરિક તણાવની રૂબરૂ કરાવે છે.

e.mail: maheriyachandu@gmail.com

Loading

ગઝલ લખ

અનિલ દવે ("અનુ")|Opinion - Opinion|1 February 2024

તું કાફિયા બરાબર મેળવ પછી ગઝલ લખ,

બે-ચાર શબ્દને તું ફેરવ પછી ગઝલ લખ.

કેવળ કલમ ચલાવી ગઝલો નથી લખાતી,

ચિંતન કરી અગનને જેગવ પછી ગઝલ લખ.

મન રાગ-દ્વેષથી પર કર ફળ જરૂર મળશે, 

સંગીતની તરજને ભેળવ પછી ગઝલ લખ.

કવિતા લખી હરખમાં તું મૂર્ખમાં ખપ્યો છું,

કવિ શબ્દને બરોબર ઠેરવ પછી ગઝલ લખ.

કવિરાજ સાંભળીને ગૌરવ અનુભવે છે,

આનંદની ઘડીને ચેતવ પછી ગઝલ લખ.

e.mail : addave68@gmail.com

Loading

...102030...890891892893...900910920...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved