Opinion Magazine
Number of visits: 9457765
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

किस दिशा में जा रही है भारतीय राजनीति

Opinion - Opinion|27 August 2023

राम पुनियानी

गत 15 अगस्त को भारत ने अपने 77वां स्वाधीनता दिवस मनाया. यह एक मौका है जब हमें इस मुद्दे पर आत्मचिंतन करना चाहिए कि हमारी राजनीति आखिर किस दिशा में जा रही है. आज से 76 साल पहले हमारे प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरु ने दिल्ली के लालकिले की प्राचीर से अपना ऐतिहासिक भाषण दिया था. उस समय देश बंटवारे से जनित भयावह हिंसा की गिरफ्त में था और ब्रिटिश शासकों की लूट के चलते आर्थिक दृष्टि से बदहाल था. हमारा स्वाधीनता संग्राम ने केवल ब्रिटिश औपनिवेशिक सत्ता की खिलाफत नहीं की वरन भारत के लोगों को एक भी किया. उन्हें भारतीय की एक साझा पहचान के धागे से एक सूत्र में बंधा.

संविधान सभा ने एक अभूतपूर्व ज़िम्मेदारी का निर्वहन किया. उसने भारत के लोगों की महत्वाकांक्षाओं और भावनाओं को समझा और उन्हें देश के संविधान का हिस्सा बनाया. हमारा संविधान एक शानदार दस्तावेज है. उसकी उद्देशिका न केवल स्वाधीनता आन्दोलन के मूल्यों का सार है वरन वह आधुनिक भारत के निर्माण की नींव भी है. नेहरु की नीतियों का लक्ष्य था आधुनिक उद्यमों और संस्थानों की स्थापना. भाखड़ा नंगल बाँध के निर्माण की शुरुआत करते हुए नेहरु ने स्वतंत्रता के बाद देश में स्थापित किए जा रहे वैज्ञानिक शोध संस्थानों, इस्पात और बिजली के कारखानों और बांधों को “आधुनिक भारत के मंदिर बताया” था. इनका लक्ष्य भारत को वैज्ञानिक और औद्योगिक प्रगति की राह पर अग्रसर करना था.

भारत आधुनिक देश बनने की राह पर चल पड़ा. औद्योगिकरण हुआ, आधुनिक शैक्षणिक संस्थाएं स्थापित की गईं, स्वास्थ्य के क्षेत्र में प्रगति हुई, दूध और कृषि उत्पादन बढ़ा और परमाणु व अंतरिक्ष सहित विज्ञान के लगभग सभी क्षेत्रों में शोध कार्य प्रारंभ हुआ. इसके साथ ही संवैधानिक प्रावधानों के चलते दलितों का उत्थान हुआ और शिक्षा व अन्य क्षेत्रों में महिलाओं की भागीदारी को प्रोत्साहित किया गया जिससे वे सामाजिक, राजनैतिक और आर्थिक क्षेत्र में अपनी उपस्थिति दर्ज करा सकीं. यह एक बेजोड़ और कठिन यात्रा थी जो 1980के दशक तक जारी रही.

सन् 1980 के दशक में देश को प्रतिगामी ताकतों ने अपनी गिरफ्त में ले लिया और साम्प्रदायिकता, राजनीति के केन्द्र में आ गई. शाहबानो के बहाने लोगों के दिमाग में यह बैठा दिया गया कि भारत की सरकारें अल्पसंख्यकों का तुष्टिकरण करती रही हैं. मंडल आयोग की रपट को लागू करने से भी साम्प्रदायिक राष्ट्रवाद को बढ़ावा मिला. ‘आधुनिक भारत के मंदिर’ निर्मित करने की बजाए हम मस्जिदों के नीचे मंदिर खोजने लगे. मस्जिदों को गिराना और उन्हें नुकसान पहुंचाना एक बड़ा मकसद बन गया. इससे सामाजिक विकास की प्रक्रिया बाधित हुई और आम लोगों को न्याय सुलभ करवाने और उनके जीवन को समृद्ध बनाने का सिलसिला रूक गया. महात्मा गांधी का ‘‘आखिरी पंक्ति का आखिरी आदमी‘‘ राजनैतिक सरोकारों से ओझल हो गया.

मंदिर की राजनीति के कारण जो हिंसा हुई उससे समाज ध्रुवीकृत हुआ और राजनीति में साम्प्रदायिक ताकतों का दबदबा बढ़ने लगा. मुसलमानों के अलावा ईसाईयों के खिलाफ भी हिंसा शुरू हो गई और जैसे-जैसे साम्प्रदायिक हिंसा बढ़ती गई वैसे-वैसे साम्प्रदायिक ताकतें भी ताकतवर होती गईं.

मंदिर के बाद गाय राजनैतिक परिदृश्य पर उभरी. मुसलमानों और दलितों की लिंचिंग होने लगी. घर वापसी का सिलसिला शुरू हुआ और लव जिहाद के मिथक का उपयोग मुस्लिम युवकों को निशाना बनाने के साथ-साथ लड़कियों और महिलाओं के अपने निर्णय स्वयं लेने के अधिकार को सीमित करने के लिए भी किया गया.

सामाजिक विकास की दिशा पलट गई. आर्थिक सूचकांकों में गिरावट आने लगी, भुखमरी का सूचकांक बढ़ने लगा और धर्म, अभिव्यक्ति और प्रेस की स्वतंत्रता को सीमित किया जाने लगा. सार्वजनिक क्षेत्र के बेशकीमती उद्यमों को सत्ताधारियों के चहेतों को मिट्टी के मोल बेचा जाने लगा. सत्ता के करीबी कई अरबपति जनता के पैसे चुराकर विदेश भाग गए. गरीबों और अमीरों के बीच की खाई और चौड़ी होने लगी. वैज्ञानिक सोच को बढ़ावा देने की बजाए प्रधानमंत्री हमें यह बताने लगे की प्राचीन भारत में प्लास्टिक सर्जरी इतनी उन्नत थी  कि हाथी का सिर मनुष्य के शरीर पर फिट किया जा सकता था. और यह तो केवल शुरूआत थी. सभी ज्ञानी हमें यह बताने लगे कि संपूर्ण आधुनिक विज्ञान हमारे प्राचीन ग्रंथों में मौजूद है.

इसके साथ ही भारतीय संविधान को बदलने की मांग, जो कुछ धीमी पड़ गई थी, फिर से जोर-शोर से उठाई जाने लगी. साम्प्रदायिक राष्ट्रवाद के चिंतक यह तर्क देने लगे कि भारत के सभ्यतागत मूल्यों (अर्थात ब्राम्हणवादी मूल्यों) को संवैधानिक मूल्यों से ऊंचे पायदान पर रखा जाना चाहिए. यह सामंती, पूर्व-औद्योगिक समाज की तरफ लौटने की यात्रा थी. न्याय के नाम पर बुलडोजरों का इस्तेमाल किया जाने लगा.

मणिपुर, नूह और मेवात में हिंसा की पृठभूमि में हम अपने गणतंत्र के भविष्य को किस तरह देखें? समस्या केवल राजनीति के क्षेत्र तक सीमित नहीं है. समाज में नफरत का बोलबाला है. बिलकिस बानो सहित हिंसा के अनेकानेक पीड़ितों को न्याय नहीं मिल पा रहा है. हिंसा करने वाले और नफरत फैलाने वाले बेखौफ हैं. ‘सभ्यतागत मूल्यों’ का हवाला देते हुए नए संविधान के निर्माण की वकालत की जा रही है. कुल मिलाकर हम पीछे जा रहे हैं.

ऐसे समय में आशा की एकमात्र किरण वे सामाजिक संगठन और समूह हैं जो हिंसा पीड़ितों के अधिकारों की रक्षा कर रहे हैं. इनमें शामिल हैं तीस्ता सीतलवाड़ के नेतृत्व वाला सिटिजन्स फॉर जस्टिस एंड पीस जैसे संगठन. कई जानेमाने वकील पूरी हिम्मत से सरकार की मनमानी की खिलाफत कर रहे हैं. हर्षमंदर के कारवां-ए-मोहब्बत जैसे संगठन भी आशा जगाते हैं. वे नफरत जनित हिंसा के पीड़ित परिवारों को सांत्वना और मदद उपलब्ध करवा रहे हैं. अनहद की शबनम हाशमी द्वारा शुरू किया गया ‘मेरे घर आकर तो देखो’ अभियान साम्प्रदायिकता के खिलाफ एक बुलंद आवाज है.

हम आज एक चौराहे पर खड़े हैं. राजनैतिक पार्टियों को भी यह एहसास हो गया है कि नफरत की नींव पर खड़ी साम्प्रदायिक विचारधारा कितनी खतरनाक है. वे संविधान और प्रजातांत्रिक मूल्यों की रक्षा के लिए साझा मंच बनाने को तैयार हो गए हैं. भारत जोड़ो अभियान की तरह की कई पहल हुई हैं जो शांति और सद्भाव का संदेश फैला रही हैं. कर्नाटक में जो हुआ उससे यह साबित होता है कि प्रजातंत्र को बचाया जा सकता है और जो लोग हमारे स्वाधीनता संग्राम सेनानियों के सपनों को जिंदा रखना चाहते हैं, उन्हें अवसाद में डूबने की जरूरत नहीं है. इस समय विभिन्न विघटनकारी ताकतें ‘आईडिया ऑफ इंडिया’ पर हमलावर हैं. वे भारत के संविधान को अपने रास्ते में बाधा मानते हैं. उनका एजेंडा एक ऐसे देश का निर्माण करना है जिसमें आम आदमी की आवाज अनसुनी ही रह जाएगी.

हम केवल उम्मीद कर सकते हैं कि आने वाले समय में मानवीय मूल्यों को बढ़ावा मिलेगा और हर व्यक्ति चाहे उसका धर्म, जाति या लिंग कुछ भी हो, सम्मान और गरिमा के साथ अपना जीवन जी सकेगा. और सभी की मूलभूत आवश्यकताएं पूरी होंगी.

23/08/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया)
https://www.navjivanindia.com/opinion/communalism-hate-speech-and-hatred-in-which-direction-is-indian-politics-going-article-by-ram-puniyani

Loading

ચંદ્રયાન 3: ભારતીય વૈજ્ઞાનિકોની અભૂતપૂર્વ સિદ્ધિ, જિઓપૉલિટિક્સમાં ભારતના લેન્ડિંગની મહત્તા વધી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|27 August 2023

ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું. આ છે ઇસરોના કરકસરિયા બજેટ પ્લાનિંગની કમાલ

ચિરંતના ભટ્ટ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન – ઇસરોની સિદ્ધિ ચંદ્રયાન 3ને ભારત જ નહીં, પણ દુનિયા ભરના લોકો ખોબલે ને ખોબલે વધાવી રહ્યાં છે. આ પહેલાં પણ ચંદ્ર સુધી પહોંચ્યા હોય તેવા અન્ય રાષ્ટ્રોનાં મિશન્સ પણ થયાં છે પણ ભારતનું ચંદ્રયાન 3 એવું પહેલું મિશન છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યું છે. 23મી ઑગસ્ટે સાંજે 6:04 વાગ્યે ભારત માટે ઐતિહાસિક ક્ષણ રચાઇ અને આખા વિશ્વમાં ભારતની વાહવાહી થઇ. ટ્વિટરના – જે હવે એક્સ તરીકે ઓળખાય છે તે – માલિક બન્યા પછી કંઇને કંઇ અજુગતું કરનારા એલન મસ્ક જે ટેસ્લાના સી.ઇ.ઓ. છે અને મંગળ પર માણસો મોકલવાના પોતાના મિશન અંગે પણ સમાચારોમાં રહ્યા છે, તેમણે પણ આ મિશનની સફળતાને વધાવી. મજાની વાત એ છે કે મસ્કે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આ મિશનના ખર્ચા અંગે જે વાત કરાઇ હતી તેને વખાણી. સોશ્યલ મીડિયા પોસ્ટ અનુસાર ભારતનું આપણું ચંદ્રયાન 3 મિશન 75 મિલિયન ડૉલર્સને ખર્ચે કરાયું છે, જ્યારે ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઇન્ટરસ્ટેલર, જે પણ અન્ય ગ્રહો અને પેરેલલ યુનિવર્સના વિષય અંગે હતી તેનું બજેટ 165 મિલિયન ડૉલર્સ હતું.

આપણે મૂળે તો કરકસરિયા માણસો છીએ અને એ વાત ઇસરોએ પણ યાદ રાખી એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. મર્યાદિત બજેટમાં ઇસરોએ જે રીતે આ કામગીરી પાર પાડી છે કાબિલ-એ-તારીફ છે. ભારતીય આંકડામાં રૂપિયા 614 કરોડમાં ચંદ્રયાન 3નું મિશન પૂરું કરાયું છે. વધુ ગૌરવ કરવા જેવી એ બાબત છે કે અત્યાર સુધી ચંદ્રની સપાટીએ પહોંચવાના જેટલાં પણ મિશન થયાં છે તેમાંથી 55 ટકાથી વધુ નિષ્ફળ ગયાં છે અને માત્ર 54 ટકા જેટલાં જ સફળ રહ્યાં છે. બજેટને મામલે ઇસરો હંમેશાં કરકસરિયું જ રહ્યું છે, જેમ કે મંગળયાન જે પહેલી વારમાં જ સફળ રહ્યું હતું, તે પણ અન્ય દેશોએ કરેલા આવા પ્રયાસો કે મિશનની સરખામણી બહુ ઓછા બજેટમાં પાર પાડવામાં આવ્યું હતું.

ઇસરોના આ મિશનની વૈશ્વિક સ્તરે શું મહત્તા છે તે સમજવું પણ રાજકીય-ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં અનિવાર્ય છે. આપણે ‘વિશ્વગુરુ’નું ટાઇટલ સાકાર કરવાની મહેચ્છા છે ત્યારે આ મિશન સફળ જવું બહુ મોટી બાબત ગણાય. ભારતના સ્પેસ પ્રોગ્રામની શરૂઆત 1960માં થઇ હતી અને અત્યાર સુધી આપણે ઘણાં ઉપગ્રહો છોડ્યા છે, વળી આ પહેલા ચંદ્રયાન 1 મિશનમાં આપણે ચંદ્ર પર પાણી વાળી શોધ કરી તો એ પછી જ્યારે 2019માં બીજી વાર મિશન લૉન્ચ કર્યું તો તે નિષ્ફળ ગયું. અત્યારે મળેલી સફળતા ભારત માટે ગૌરવની વાત છે જ, પણ સરકાર માટે એ બહુ બધા ઉદ્દશોને પાર પાડવા માટે અનિવાર્ય ઘટના છે. જેમ કે ભારત યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલનો કાયમી સભ્ય બનાવા માંગ છે અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં પણ જોડાવા માગે છે – હા એ સપનું કદાચ પૂરું નહીં થાય પણ ભારત હવે એ દેશોની યાદીમાં છે ચંદ્ર પર પહોંચ્યા છે. ચીન, રશિયા અને યુ.એસ.ની માફક ભારતે પોતાના વૈજ્ઞાનિક કૌશલ્યની સાબિતી આપી દીધી છે. આ ઉપરાંત આપણે ટેક્નિકલી સજ્જ છીએ તેને કારણે આપણે અન્ય દેશોને મદદ કરી શકીએ છીએ. જેમ કે ભારતના સ્પેસ રિસર્ચને કારણે ભૂગર્ભ જળનું સ્તર અને આબોહવામાં આવનારા ફેરફારો વિશે આગાહી થઇ શકી હતી અને આ બાબત એવા દેશોને મદદરૂપ થઇ શકે છે જે ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે સંવેદનશીલ હોય.

આ સફળતાને પગલે હવે ભારતમાં પ્રાઇવેટ સ્પેસ એક્સપ્લોરેશન પ્રોગ્રામ્સ પર કામ કરવાના નવા આયામો ખૂલી શકે છે અને ભારતનું સ્પેસ સેક્ટર જ ટ્રિલ્યન ડૉલરનું અર્થતંત્ર બની શકે છે. ક્લાઇમેટ ચેન્જ જેવા બદલાતા સમયના પ્રશ્નો મેનેજ કરવા હોય ત્યારે પણ આ ટેક્નોલોજી પર આધાર રાખી શકાય છે. ઇસરોના આ મિશનમાં ચંદ્ર પર મોટી માત્રામાં મળી આવતા હિલિયમ-3 એટલે કે હિલિયમ આઇસોટોપ પર ઊંડું સંશોધન થયું છે અને તે ભવિષ્યમાં પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્રોત તરીકે કામ લાગી શકે છે.

ચંદ્રયાન 3 એ સત્તાની સ્પર્ધામાં દોડતા દેશોમાં ભારતનું નામ વધારે ઘાટું કરનારું મિશન રહ્યું છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારત અને રશિયા વચ્ચે ચંદ્રની દક્ષિણે ‘લૅન્ડ’ થવાની સ્પર્ધા ચાલતી હતી, અને રશિયાનું મિશન રવિવારે જ નિષ્ફળ ગયું. રશિયા અને યુ.એસ.એ. વચ્ચેની દોરડાખેંચથી આપણે વાકેફ છીએ ત્યારે એક વાત ખાસ જાણવી જરૂરી છે કે યુ.એસ.એ. દ્વારા આર્ટેમિસ એકોર્ડ્ઝની સ્થાપના કરાઇ છે. આર્ટેમિસ એકોર્ડ્ઝનો હેતુ છે સ્પેસ કોર્પોરેશનને પ્રમોટ કરવું અને યુ.એસ.ના સાથી એવા ઘણા દેશો તેનો હિસ્સો છે. આપણે માટે મહત્ત્વનું એ છે કે વડા પ્રધાન મોદીએ જૂનમાં પોતાની વૉશિંગ્ટન ડી.સી.ની મુલાકાત દરમિયાન આર્ટેમિસ એકોર્ડ પર સહી કરી દીધી છે, રશિયા અને ચીન હજી તેનો હિસ્સો નથી. જીઓપૉલિટીકલ સ્પર્ધામાં જે પ્રકારના સંજોગો છે તે જોતાં કહી શકાય કે આપણી તાજી સફળતા પછી આપણે ભવિષ્યમાં પૃથ્વી પર જ નહીં પણ ચંદ્ર પર પણ ભલભલા બદલાવ કરવામાં યોગદાન આપીશું. અત્યારે બ્રિક્સ – BRICS સમિટ પણ ચાલે છે અને મોદી આ દરમિયાન કોને મળે છે અને કોને નહીં તે પણ જોવું રહ્યું. 

આંતરરાષ્ટ્રીય સ્તરે આપણી આ તાજી સફળતાને પગલે ભારત પ્રત્યે લોકોની દૃષ્ટિ વધારે આવકાર્ય થાય તેવી પૂરી શક્યતા છે. સાઇકલ પર જવાતા ઇસરોના રૉકેટના નોઝ કોનની તસવીરો એ તો માત્ર એ ભવ્ય ઇતિહાસની શરૂઆત હતી જ્યાંથી ભારતીય સ્પેસ વૈજ્ઞાનિકોએ ચંદ્ર તરફ પેડલ મારવાનું શરૂ કર્યું હતું, અને આજે આટલા દાયકાઓ પછી આપણે અવકાશમાં આપણું પ્રભુત્વ એકથી વધારે રીતે જમાવી શક્યા છીએ. આપણે રાજકીય ઉજવણી અને દેકારાઓથી આ સિદ્ધિનો શ્રેય જેને મળવો જોઇએ તેમને આપતાં ચૂકીએ નહીં તે જરૂરી છે. વળી આપણે એ પણ યાદ રાખવું કે નૂહ, મણિપુર, લિંન્ચિંગ, ઓનર કિલિંગ, સામાજિક ધ્રુવીકરણ, અસમાનતાઓ, સાંસદોની લે-વે પણ આપણા જ દેશની વાસ્તવિકતા છે અને તે આપણે અવકાશના ઉત્સાહમાં જમીન પરથી પગ ઊંચા ન લઇ લઇએ. આપણે ઇસરોમાં દિવસ-રાત એક કરતાં વૈજ્ઞાનિકોથી પ્રેરિત થઇએ, એમના ઉત્સાહને અને ખંતને સ્વભાવમાં ઉતારીએ. એક નાગરિક તરીકે યાદ રાખીએ કે આ કોઇ રાજકીય પક્ષની સિદ્ધિ નથી, બ્રહ્માંડની વિશાળતામાં રાજકારણની હાર-જીતની કિંમત ખરતા તારા જેટલી પણ નથી એ યાદ રાખીએ. આપણે કશું જીત્યા નથી, આપણે ક્યાંક પહોંચ્યા છે અને જેમ કહે છે ને કે, ‘સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ,’ એમ વધુ આગળ જવાનું પણ છે.

બાય ધી વેઃ

ઇસરોએ જે સિદ્ધિ મેળવી તે અભૂતપૂર્વ છે એને તેના બજેટ મેનેજમેન્ટની પ્રસંશા બાદ હવે આપણે એ પણ જોવું પડે કે માળું આપણો દેશ જબરો જટિલ છે અને વિરોધાભાસથી ભરપૂર છે. એક તરફ ચંદ્રયાન 3 વૈજ્ઞાનિક સિદ્ધિ છે તો બીજી તરફ એ સિદ્ધિ આપણે મેળવી શકીએ એ માટે દેશભરમાં જાતભાતના પૂજા-પાઠ અને હોમ-હવન કરાયા. આ આખી વાત પર હસવું કે રડવું એ સમજાય નહીં. આપણે બધાં જ મૂળે અત્યંત શ્રદ્ધાળુ પ્રકારના માણસો છીએ અને એમાં કશું જ ખોટું નથી. પરંતુ છતાં પણ વૈજ્ઞાનિકોની રાત દિવસની મહેનત લેખે લાગે એટલે આપણે જે રસ્તો અપનાવીએ છીએ તેને પડકારનારા અને સત્ય શોધક સમિતિ ચલાવતા હોય તેવા વૈજ્ઞાનિક પ્રકારના લોકો પણ ઘણાં છે પણ પેલું ગીત છે ને, ‘ઇટ હેપન્સ ઑન્લી ઇન ઇન્ડિયા.’

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑગસ્ટ 2023

Loading

લોકસાહિત્યના દાર્શનિકની કલમે વંદનીય ભ્રમણવૃત્તાંત

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|27 August 2023

પુસ્તક પરિચય 

‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમીની ‘સમગ્ર મેઘાણી સાહિત્ય’ પ્રકાશન શ્રેણીનો સોળમો ખંડ (2015, પુનર્મુદ્રણ 2022) છે. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ત્રણ પુસ્તકો એક સાથે મૂકવામાં આવ્યાં છે : ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ (1928), ‘સોરઠને તીરે તીરે’ (1933) અને ‘પરકમ્મા’ (1946).

મેઘાણી-ગ્રંથશ્રેણીના ખૂબ દૃષ્ટિસંપન્ન અને પરિશ્રમી સંપાદક – સંકલનકાર જયંત મેઘાણી પ્રસ્તુત ગ્રંથ વિશે નોંધે છે : ‘લોકસાહિત્યના-શોધનનાં ભ્રમણ એમને [મેઘાણીને] કાઠિયાવાડને ખૂણેખૂણે લઈ ગયા. અપરંપાર સામાન્ય અને અસામાન્ય માનવીઓનો સંપર્ક એમના જીવનમાં વણાયો. આ રઝળપાટની બહુરંગી વાતોના જેને લસરકા જ કહી શકાય એ એમનાં ત્રણ પુસ્તકોમાં આલેખાયા છે.’

પહેલાં પુસ્તક ‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ ગીરના પરિભ્રમણનાં વર્ણનો આપે છે, જે ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રી અમૃતલાલ શેઠના સૂચનથી લખાયાં છે. કાઠિયાવાડના પૂર્વ સાગરકાંઠે કરેલાં ભ્રમણનાં બયાન ‘સોરઠને તીરે તીરે’માં છે.

‘પરકમ્મા’ પુસ્તકમાં લોકસાહિત્યની પ્રિય કારકિર્દીના સીમાડે થોભીને ‘પોતાની સંશોધન-વાટનાં અને એ વાટે જતાં માનવીઓનાં સ્મરણો આલેખ્યાં છે.’ મેઘાણીભાઈએ પોતાનાં આ પુસ્તકને ‘લોકસાહિત્યના શોધનની આત્મકથા’ કહ્યું છે.

તેમાં તેમણે પોતે લોકસાહિત્યનું સંશોધન-સંપાદન કેવી રીતે કર્યું, એમને એની ભાળ ક્યાંથી અને કેવી રીતે મળી, પોતાની વાર્તાકળાનું ઘડતર કેવી રીતે થયું, બેખબરીમાં પોતે કેટલું ગુમાવ્યું – એ બધી વાતો માંડી છે.

બસો જેટલાં પાનાંમાં વિસ્તરેલી શોધનકથા ‘પરકમ્મા’ મેઘાણીએ તેમની ટાંચણપોથીઓના ‘બે-ત્રણ હજાર પાનાં’માંથી તારવેલી છે. તેઓ ‘સૌરાષ્ટ્ર’ના અંકનું કામ પૂરું કરીને ‘દર શુક્રવારે પરોઢની ટ્રેનમાં’ બેસીને સામગ્રી એકઠી કરવા દૂરસુદૂર નીકળી જતા.

ઝવેરચંદ મેઘાણી

સ્ટેશનનાં આછા અજવાળે, ટ્રેનના ડબ્બાની ભીડમાં, હોડકામાં અને ગાડામાં મુસાફરી કરતાં, નેસમાં તો ક્યારેક ડાયરામાં બેસીને મેઘાણી ‘પેન્સિલ અને શાહીની ગંગા-જમના’ ગૂંથતા. ‘ચારણોને, બારોટોને, વાતડાહ્યા માણસો, રાસડા ગાનારી ને કથાઓ કહેનારી માતા-બહેનો, તૂરીઓ, ભજનિકો, દરબારીઓ, મુત્સદ્દીઓ, પોલીસ-નોકરીઆતોને, ઘાંચી, મોચી, માળી, મીર, રહેખરને’ – આવા અનેકોને તેઓ મળ્યા.

લોકસાહિત્યની ભાળ આપનાર આ સહુનાં તેમણે વિગતે કે ટૂંકા શબ્દચિત્રો આપ્યા છે. દુહા, ગીતો, આખ્યાયિકાઓ, પ્રસંગો, હાલરડાં – આવું કેટલું ય વાચક સામે ક્યારેક સીધાં ટાંચણો રૂપે તો ઘણી વાર ધોરણસરના લખાણ રૂપે મળે છે.

કાઠિયાવાડના ઘોડા અને પાંચાળના ફોડા, ખાંભીઓ અને પશુધન-ઉર્મિધનનાં વર્ણનો છે. અંગ્રેજી કવિ વૉલ્ટર સ્કૉટ અને બંગાળના હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના સંદર્ભો, તેમ જ  સ્પૅનિશ લોકકવિતાનો અનુવાદ પણ છે.

‘ફીલ્ડવર્ક’ની સાથે ‘ટેબલવર્ક’ માટે મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીના ગ્રંથાલયમાં વીતાવેલા કલાકોની વાત કહેવાઈ છે. મુંબઈમાં જ્ઞાનપ્રસારક મંડળીના નિમંત્રણથી વક્તા તરીકે કોમી હુલ્લડગ્રસ્ત વિસ્તારમાં થઈને સભાગૃહ પર પહોંચવાનો સાહસપૂર્ણ અનુભવ પણ વાંચવા મળે છે.

‘સૌરાષ્ટ્રના ખંડેરોમાં’ પુસ્તકનાં પ્રવાસવર્ણનો ‘પ્રાચીન સૌરાષ્ટ્રનાં સાચાં ખંડેરો – કવિતા, સાહિત્ય, જનતા વગેરે તમામનાં ખંડેરો તપાસીએ’ એવા મનસૂબાથી લખાયાં છે. અહીં સંશોધક ચારણમંડળી જોડે કરેલાં ભ્રમણનું સ્થળકાળની ગૌરવગાથા સંભારતું નિરૂપણ કરે છે.

તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય, સમાજ એમ અનેક ક્ષેત્રો એકત્રિત થયાં છે. જોગી અને વાઘેર બહારવટિયા ઉપરાંત બહારવટિયાના જતિધર્મ વિશે પણ વાંચવા મળે છે. રાજુલા અને તુલસીશ્યામ જેવાં સ્થળો, સાણા ડુંગરનો હેડમ્બ મહેલ અને બૌદ્ધ ધર્માલય જેવા વાસ્તુ વિશેની નોંધો છે.

‘કાળમુખો કસુંબો’, ‘નેસડાનું જીવન’, ‘ચા-પ્રકોપ’, ‘ગીરની ભેંસો’ જેવાં ટૂંકા પ્રકરણોમાં સમાજનાં સારાં-નરસાંની ઝલક છે. દંતકથા, ઇતિહાસ અને લોકસાહિત્યના અનેક પાત્રો-પ્રસંગો વિશેની નોંધો પણ અહીં છે.

‘સોરઠને તીરે તીરે’ના આરંભે ‘પ્રવાસીઓને’ મથાળા હેઠળના લેખમાં મેઘાણી કહે છે : ‘અમુક પહાડ, ખડક, દરિયાની ગાળી, ટાપુ અથવા મેલોઘેલો ખલાસી : એને દિઠ્યે મારા જેવાનો પ્રાણ થનગની ઊઠે છે …’

પહેલું પ્રવાસ-વર્ણન ‘ચાંચની ખાડીમાં’ એક લાંબા કિનારપટ્ટાના અનેક પાસાં આવરી લે છે. કાઠિયાવાડના કિનારાના કેટલાક સ્થળોના આલેખનમાં મેઘાણી સંવાદ, ચિંતન, લોકકથા, લોકગીત ઇત્યાદિને વણી લે છે.

સાહસિક ખારવા જાતિના જીવનનું સૌહાર્દપૂર્ણ આલેખન છે. જેનું બાળક દરિયો ખેડવા ગયું છે તેવી માતાની લાગણીઓ વ્યક્ત કરતી, ઓગણીસમી સદીના અંગ્રેજી કવયિત્રી એલિઝા કૂકની, કવિતાનો ‘મા!’ નામના લેખમાં મેઘાણી આસ્વાદ કરાવે છે.

‘પરક્કમા’નું સહુથી હૃદયસ્પર્શી પ્રકરણ ‘નાવિકોના લોકગીતો’ છે. માં દરિયાની ખેપે ગયેલા ગરીબ ખારવાઓની મજૂરી કરતી સ્ત્રીઓની થતી દુર્દશા અને બદનામીનું ગીતોમાં કેવું નિરૂપણ થયું છે તે મેઘાણી ઉઘાડી આપે છે.

‘લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ’ ગ્રંથ, લોકસાહિત્ય ખાતર મેઘાણીએ બધાં જ પ્રકારના સંસાધનોની અછત વચ્ચે કરેલી અસાધારણ મહેનત અને ‘લોક’ની શ્રેષ્ઠતા માટેની તેમની પ્રેમાદરભરી આસ્થાની વંદનીય અભિવ્યક્તિ છે.

એટલે અહીં પ્રકટતા મેઘાણીનાં દર્શન,  તેમને માત્ર હાકેટા-પડકારા, દુહા-ડાયરામાં ખતવી દેનારા કેટલાકે આવતી કાલની મેઘાણી જયંતીએ તો ખસૂસ કરવા જેવાં  છે. 

[આભાર : પાર્થ ત્રિવેદી, હંસાબહેન પટેલ] 
[560 શબ્દો]
 -X-X-X-X-X-

પ્રાપ્તિસ્થાન – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ પાછળ, આશ્રમ રોડ, અમદવાદ. સંપર્ક : 079 -2657949, મો. 98987 62263. રૂ.260/-

[‘દિવ્ય ભાસ્કર’માં આજે આવેલો આજનો લેખ એક વાક્યના ઉમેરણ સાથે. પુસ્તકની મોટી મહત્તા તરફ ધ્યાન દોરવાની નાનકડી કોશિશ.]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...878879880881...890900910...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved