Opinion Magazine
Number of visits: 9457761
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

क्या हिन्दू महिलाओं पर पाबंदियों के लिए मुस्लिम हमलावर ज़िम्मेदार हैं?

राम पुनियानी|Opinion - Opinion|16 September 2023

राम पुनियानी

आरएसएस का जन्म स्वाधीनता आन्दोलन से उपजे जातिगत और लैंगिक समानता की स्थापना के अभियान की खिलाफत में हुआ था. उस समय भारत एक राष्ट्र के रूप में उभर रहा था और इस प्रक्रिया से सामंती पदक्रम कमज़ोर हो रहा था और जाति, वर्ग और लिंग से ऊपर उठ कर सभी को समान अधिकार देने की बात हो रही थी. इसी की प्रतिक्रिया में मुस्लिम और हिन्दू राष्ट्रवादी उभरे, जो धर्म के नाम पर सामाजिक ऊंचनीच को बचाए रखना चाहते थे.

हिन्दू राष्ट्रवादी आरएसएस ने भारत के स्वर्णिम अतीत की काल्पनिक कथा गढ़ी. वह उस काल को गौरवशाली बताता है जब सामाजिक व्यवस्था मनुस्मृति के कानूनों से संचालित थी. उसका दावा है कि हिन्दू मूल्य महान हैं. वे सभी जातियों को बराबरी का दर्जा देते हैं और महिलाओं को सम्मान की दृष्टि से देखते हैं. मुस्लिम आक्रान्ताओं और लुटेरों के देश पर हमलों से उन गौरवशाली मूल्यों का पतन हुआ. हिन्दू समुदाय में महिलाओं को उच्च दर्जा हासिल था परन्तु मुस्लिम हमलावरों की हरकतों के चलते, महिलाओं पर कई तरह के प्रतिबन्ध लगाना हिन्दुओं की मजबूरी बन गई और इसी कारण सती प्रथा का जन्म हुआ. हिन्दू महिलाओं पर बंदिशों के पीछे के कारण को समझाने के लिए हिन्दू राष्ट्रवादियों ने यह मिथक गढ़ा.

यही दावा हाल में आरएसएस सह कार्यवाह (महासचिव) कृष्ण गोपाल ने नारी शक्ति संगम के तत्वाधान में महिला सशक्तिकरण विषय पर आयोजित एक कार्यक्रम को संबोधित करते हुए कही. भारत में महिलाएं कैसे सशक्त से निशक्त हुईं, इसे समझाते हुए उन्होंने कहा, “12वीं सदी के पहले तक महिलाएं काफी हद तक आजाद थीं परन्तु मध्यकाल (मध्यकालीन भारत) में हालात बदल गए. वह बहुत कठिन समय था…पूरा देश गुलामी से जूझ रहा था…महिलाएं खतरे में थीं. लाखों महिलाओं को अगवा कर दूसरे देशों में बेच दिया गया. (अहमद शाह) अब्दाली, (मुहम्मद) गौरी और (महमूद) गजनी यहाँ से महिलाओं को ले गए और उन्हें बेच दिया…वह हमारे देश के अपमान का दौर था. तो हमारी महिलाओं की रक्षा के लिए हमारे समाज ने उन पर कई तरह की रोकें लगा दीं.”

शत्रु राजा के राज्य में लूटपाट करना और पराजितों को गुलाम बनाना केवल मुस्लिम आक्रान्ताओं तक सीमित नहीं था. हिन्दू और अन्य राजाओं ने भी विजित इलाकों को लूटा, महिलाओं को अगवा किया और पुरुषों को गुलाम बनाया. चोल राजा, श्रीलंका से बड़ी संख्या में लोगों को गुलाम बनाकर लाये थे. छत्रपति शिवाजी महाराज की सेना, कल्याण राज्य को जीतने के बाद वहां से धन-दौलत के अलावा, वहां के मुस्लिम शासक की बहू को भी अपने साथ ले गयी थी. जिन पाबंदियों की बात कृष्ण गोपाल कर रहे हैं, वे दक्षिण एशिया में मुस्लिम राजाओं के कदम रखने के पहले से हिन्दू महिलाओं पर लागू थीं. सती प्रथा, जिसके अंतर्गत हिन्दू विधवाओं को उनके पति की चिता पर जिंदा जला दिया जाता था, भी पहले से भारत में विद्यमान थी.

प्राचीन भारत में भी महिलाएं संपत्ति और शिक्षा के अधिकारों से वंचित थीं. प्राचीन ग्रंथों में सती प्रथा का वर्णन है. महाभारत के अनुसार, पाण्डु की पत्नी माद्री सती हुईं थीं. इसी तरह, भगवान कृष्ण के पिता वासुदेव की चारों पत्नियाँ भी अपने पति की चिता पर सती हो गईं थीं. सच तो यह है कि पितृसत्तामकता और अपने वंश की श्रेष्ठता का अभिमान, महिलाओं के दमन और सती प्रथा की जड़ में थे. रोमिला थापर के अनुसार, “पितृसत्तामक समाज में महिलाओं की पराधीनता”, “कुल के सम्मान की रक्षा” और “महिलाओं की यौनिकता पर नियंत्रण” सती प्रथा के उदय के पीछे के प्रमुख कारक थे, विद्या देहेजिया के अनुसार, सती प्रथा क्षत्रिय कुलीन वर्ग में जन्मीं और अधिकांश मामलों में हिन्दुओं के योद्धा वर्ग तक सीमित रही.

उत्तर-गुप्त काल में, व्यापार-व्यवसाय में गिरावट, महिलाओं के स्थिति  में गिरावट का कारण बनी. उनके शिक्षा प्राप्त करने पर रोक लगा दी गयी, बाल विवाह होने लगे और विधवा पुनर्विवाह पर प्रतिबन्ध लगा दिया गया. इसी के कारण सती जैसी भयावह प्रथा को बढ़ावा मिला. अपनी पुस्तक “वीमेन: हर हिस्ट्री” में चंद्रबाबू और थिल्गावती ने इस स्थिति का सारगर्भित वर्णन किया है: “लड़कियों को बहुत कम या न के बराबर स्वतंत्रता हासिल थी. लड़कियों की शादी बहुत छोटी आयु में कर दी जाती थी….उन्हें शिक्षा तक पहुँच नहीं थी…और सती प्रथा के पालन को श्रद्धास्पद माना जाता था.”

अब आरएसएस इस स्थिति से कैसे निपटे? आरएसएस केवल पुरुषों का संगठन है. इसने राष्ट्र सेविका समिति नामक एक संगठन बनाया ज़रूर है परन्तु वह आरएसएस के अधीन है. इस संगठन के नाम से यह जाहिर है कि वह इस मुद्दे पर हिन्दू राष्ट्रवादी सोच को प्रतिबिंबित करता है. इस संगठन के नाम से ‘स्वयं’ शब्द गायब है.

राष्ट्र सेविका समिति अपनी महिला अनुयायियों को क्या सिखा रही है यह संघ परिवार की कई महिला नेत्रियों के कथनों से जाहिर है. समिति का नेतृत्व, महिलाओं को पराधीन रखने के पक्ष में है. भाजपा की राष्ट्रीय उपाध्यक्ष विजयाराजे सिंधिया ने रूपकुंवर सती काण्ड के बाद, सती प्रथा के समर्थन में संसद के समक्ष प्रदर्शन का नेतृत्व किया था. उस समय संसद, सती प्रथा पर रोक लगाने के लिए नया कानून बनाने पर विचार कर रही थी. विजयाराजे के अनुसार, सती एक गौरवशाली परंपरा है और हिन्दू महिलाओं को सती होने का अधिकार है. समिति की एक अन्य शीर्ष नेता, मृदुला सिन्हा जो बाद में गोवा की राज्यपाल बनीं ने सेवी पत्रिका को अप्रैल 1994 में दिए गए एक साक्षात्कार में हिन्दू महिलाओं को यह सलाह दी थी कि वे पति के हाथों पिटाई को स्वीकार करें. उन्होंने दहेज़ प्रथा का बचाव किया और महिलाओं का आव्हान किया कि जब तक बहुत ज़रूरी न हो, वे घर से बाहर जाकर काम न करें.

आरएसएस के पूर्व प्रचारक प्रमोद मुत्तालिक की राम सेने ने मंगलौर में पब से लौट रही लड़कियों की पिटाई लगाई थी. वैलेंटाइन्स डे पर युवा युगलों पर हमले, संघ परिवार के सदस्य बजरंग दल की गतिविधियों का हिस्सा रहा है. सन 2020 में 10 नवम्बर को, गोवा पुलिस ने एक विधि महाविद्यालय में सहायक प्राध्यापक शिल्पा सिंह के खिलाफ इसलिए एफआईआर दर्ज की थी क्योंकि उन्होंने विवाहित हिन्दू स्त्रियों द्वारा पहने जाने वाले मंगलसूत्र की तुलना, पालतू कुत्ते के पट्टे से की थी. संघ की विद्यार्थी शाखा एबीवीपी ने महाविद्यालय प्रशासन से शिल्पा सिंह की शिकायत भी की थी.

भाजपा सरकार ने गीता प्रेस, गोरखपुर को 2023 के गाँधी शांति पुरस्कार से नवाज़ा है. यह प्रकाशक उन्हीं मूल्यों का पैरोकार है जिन्हें संघ परिवार बढ़ावा देना चाहता है. अपनी पुस्तकों के ज़रिये यह संस्थान जाति और लैंगिक मसलों पर मनुमृति के मूल्यों को पुनर्स्थापित करना चाहता है. इस प्रकाशक की कई पुस्तकें, हिन्दू महिलाओं को पुरुषों के अधीन रहने की सलाह देती हैं. इनमें से कुछ हैं हनुमान प्रसाद पोद्दार की ‘नारी शिक्षा’, स्वामी रामसुखदास की ‘गृहस्थ में कैसे रहें?” और जय दयाल गोयनका की ‘स्त्रियों के लिए कर्त्तव्य शिक्षा’ और ‘नारी धर्म’.

इसके अलावा, संघ परिवार ने काल्पनिक ‘लव जिहाद’ के नाम पर हिन्दू महिलाओं को नियंत्रित करने और मुसलमानों को निशाना बनाने का अभियान चलाया हुआ है. इन संस्थाओं के प्रतिनिधि, घर-घर जाकर हिन्दू परिवारों के यह सन्देश दे रहे हैं कि वे अपनी लड़कियों और बहनों पर ‘नज़र रखें”. चाहे वह 1920 हो या 2009, हिन्दू दक्षिणपंथियों के अभियान का आधार पितृसत्तामक मूल्य होते हैं. इनमें भोली-भाली हिन्दू महिलाओं को मुस्लिम पुरुषों के हाथों शिकार होते दिखाया जाता है. इसमें इस बात को नज़रअंदाज़ किया जाता है कि हिन्दू महिलाओं को प्रेम करने और अपनी पसंद से विवाह करने का अधिकार है.”

आरएसएस का नेतृत्व, समाज के पितृसत्तामक मूल्यों को बढ़ावा देना चाहता है और भारत के हिन्दू समाज के बुराईयों का दोष बाहरी कारकों पर डालते हैं. वे भारत के सामाजिक ढांचे और हिन्दू धर्मग्रंथों के मूल्यों की कमियों को नज़रअंदाज़ कर रहे हैं.

13/09/2023
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)
https://www.navjivanindia.com/opinion/there-were-restrictions-on-hindu-women-since-ancient-times-muslim-attackers-are-not-responsible-article-by-ram-puniyani

Loading

ખુલાસો

પ્રીતમ લખલાણી|Opinion - Short Stories|16 September 2023

પ્રીતમ લખલાણી

સુજાતાએ પડખું ફેરવ્યું અને કોઈ દરવાજો ખખડાવી રહ્યું હોય એવું એને લાગ્યું.

“અરે! સંજય, ઊભો થઈને જરા જો તો કોણ બારણું ખખડાવી રહ્યું છે”. પલંગમાં અમસ્તા જ આંખો મીંચીને ભવિષ્યનાં સ્વપ્નો જોતાં સંજયે સુજાતાને આશ્લેષમાં લેતાં … ‘વહાલી, આટલી સવારે બીજું તો કોણ હોઈ શકે? કાં તો દૂઘવાળો હશે અથવા છાપાંવાળો! તું આવી ખોટી ચિંતા કર્યા વિના નિરાંતે સૂતી રહે … શનિવાર કંઈ રોજેરોજ નસીબમાં નથી આવતો … બરાબર સાત દિવસની તપસ્યા બાદ આવે છે, સમજી?”

સંજયનું આ વાકય પૂરું ન થયું ત્યાં તો ભીંતે ઝૂલતી ઘડિયાળમાં ટકોરા પડવા શરૂ થયા.

સંજયની બાહોમાં પડી પડી .. એક … બે … એમ દસના ટકોરાને ગણતી સુજાતાએ સંજયને પાછો હલબલાવ્યો.

“અરે! ઊઠ, આમ એદીની જેમ કયાં સુઘી પડયો રહીશ? ઊઠીએ છીએ … ઊઠીએ છીએ! એમ કરતાં દસ વગાડી દીઘા.” આમ વહાલથી સંજયને મનાવતી સુજાતાએ સંજયનો હાથ ઝાલીને પલંગમાંથી ઊભો કરી તેને દરવાજો ખોલવા મોકલ્યો.

દરવાજો ખોલતાં પહેલાં સંજયે એક વાર અરીસામાં જોયું. ખમીસનાં બેચાર ખુલ્લાં બટન બંઘ કર્યા. લુંગીને જરા ક્સકસાવીને બાંઘી અને પછી દરવાજો હળવેકથી ખોલ્યો. ઉંબરાની બહાર જઈને સંજયે જમણી તેમ જ ડાબી તરફ એક નજર ફેરવી જોઈ. પરસાળમાં કોઈને ન જોતાં તેણે વિચાર્યુ કે કાં તો સુજાતાને કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવો ભ્રમ થયો હશે અથવા કોઈ દરવાજો ખખડાવી રહ્યું છે એવું સ્વપ્ન આવ્યું હશે.

ઊંઘ બગાડવા બદલ સુજાતા ઉપર સહેજ અણગમો બતાવતાં એ પાછો બારણું બંઘ કરવા જતો હતો ત્યાં તેની નજર દરવાજાના આંકડામાં ભેરવેલા પરબીડિયા ઉપર પડી. પરબીડિયું જાણે સંજયની મજાક કરતું હોઠોમાં મલકી રહ્યું હતું.

પરબીડિયાને હાથમાં લઈને આમતેમ ફેરવીને જોતાં સંજયને માન્યામાં નહોતું આવતું. એણે પોતાની આંખો ચોળીને ખાતરી કરી લીઘી કે પોતે હજુ ઊંઘમાં તો નથી ને!

હજી ગઈ કાલે જ સવારે અમે શતાબ્દી એક્સપ્રેસમાં મુંબઈથી અમદાવાદ પાછા ફર્યાં. બા આ વખત દર વખત કરતાં વઘારે ખુશખુશાલ હતાં. એમની ઘણાં વર્ષોની તમન્ના ગયા અઠવાડિયે પૂર્ણ થઈ હતી. પોતાના એકના એક સાત ખોટના દીકરાનાં લગ્ન થયાં હતાં. દીકરાની વહુ લગ્ન પછી પહેલી વાર દીકરા સાથે મુંબઈથી અમદાવાદ જતી હોવાથી બા છેક મુંબઈ સેન્ટ્રલ સુઘી વળાવવા આવ્યાં હતાં.

સંજયે અનુમાન  કર્યું કે … અમને વળાવી ઘરે પાછાં ફરતાં ઘરને સાવ અડવું જોઈને બાનો જીવ કદાચ મૂંઝાતો હશે .. મૂંઝવણમાં ને મૂંઝવણમાં બાએ અમને આ પત્ર લખી નાખ્યો હશે, પણ પત્ર  અમદાવાદમાં ફકત બાર કલાક જેવા ટૂંકા ગાળામાં મને મળી જાય એટલું ભારતનું ટપાલખાતું પ્રગતિશીલ નથી થયું. હા બનવાજોગ છે કે આ પત્ર જૂનો હોઈ શકે. આપણા ટપાલખાતાની ગેરવ્યવસ્થાને લીઘે પત્ર સમયસર નહીં મળી શક્યો હોય, ખેર! ટપાલી પત્ર નાખી જ ગયો છે તો પછી ખોલીને વાંચવામાં મારું શું જાય છે? કયાં બીજા કોઈનો પત્ર છે. આખરે છે તો મારી માનો જ ને! આમ ખોટાસાચા તુક્કા કરતાં સંજયે પરબીડિયું ખોલ્યુંઃ

ચિ. સંજય,

તેમ જ મારી દીકરીતુલ્ય સુજાતા,

દીકરા સંજય, અમદાવાદ પહોંચી તું દરવાજો ઉઘાડીશ ત્યાં ઉંબરામાં આળોટતો મારો પત્ર જોઈને તને અચૂક નવાઈ લાગશે. અરે! શું હું આ સ્વપ્ન તો નથી જોતોને એમ વિચારીશ. ખેર! સંજય, આ પત્ર વાંચીને કદાચ તું ખોટાસાચા વિચારોના ભ્રમરમાં તણાઈ જાય. બનવાજોગ છે કે તું સત્યને સમજવામાં નિષ્ફળ જઈશ અને તને માથે આભ તૂટ્યા જેટલું દુઃખ પણ થશે. જે વાત હું તને આજે આ પત્રમાં લખી રહી છું તે વાતને મારે તને અને સુજાતાને તમે મુંબઈમાં આપણાં ઘેર હતાં ત્યારે જ કરી દેવાની ઈચ્છા હતી, પણ કદાચ તું મને ના સમજી શકે તો?

તારા લગ્ન જીવનના પ્રથમ અઠવાડિયે તારે માથે પહાડ તૂટ્યા જેટલું પારાવાર દુઃખ તને લાગત એ બીકે તને રૂબરૂમાં કહેતાં મારી જીભ ન ઊપડી. તમે બંને જણાં જ્યારે હનીમૂન માટે માથેરાન ગયાં હતાં તે દરમ્યાન એક સાંજે મારા મનના ખુલાસાને મેં પત્રમાં લખી નાખ્યો. તમે જ્યારે મુંબઈથી અમદાવાદ પાછા ફરવાનાં હતાં તેના બેત્રણ દિવસ પહેલાં મેં આ પત્રને ટપાલમાં નાખી દીઘો કે જે તને અમદાવાદ પહોંચતા મળી જાય. ખેર! દીકરા, આમ ફકત શબ્દોથી પાનાં ચીતરવાને બદલે હું મૂળ વાત ઉપર આવું છું. આશા છે કે તું તારી માને યોગ્ય રીતે સમજી શકીશ ….

સંજય, તું જાણે જ છે કે તું ફકત પાંચ વર્ષનો હતો ત્યારે જ તારા પિતાનું બે રાતની સામાન્ય તાવ જેવી બીમારીમાં અવસાન થઈ ગયું. તે દિવસથી તને માતા અને પિતાનો પ્રેમ આપવાની બેવડી જવાબદારી મારા માથે આવી પડી.

દીકરા, તારા ખાતર પહાડ જેવાં દુ:ખો મેં હસતાં હસતાં સહન કરી તને પાળીપોષીને મોટો કર્યોં.

ભૂખતરસ વેઠી, પેટે પાટા બાંઘીને રાત દિવસ કાળી મજૂરી કરીને તને મેં કેમિકલ એન્જિનિયર બનાવ્યો. તારી મહેનત, લગન અને ઈશ્વરની કૃપાથી તને અમદાવાદ જેવા શહેરની નામી કંપનીમાં મૅનેજરના હોદ્દાની નોકરી પણ મળી ગઈ. જેમ હરેક માના જીવનની એક ઈચ્છા હોય છે કે પોતાના દીકરાને ભણાવી-ગણાવીને કામઘંઘે વળગાડી કોઈ સારા ઘરની સુશીલ છોકરી સાથે પરણાવી, પૌત્ર-પૌત્રીને રમાડવાં … તેવી જ મારી ઈચ્છા. ઈશ્વરે મારી બઘી ઈચ્છાઓ પૂરી કરી તે બદલ હું તેનો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. સંજય, તને સુજાતા જેવી સુશીલ, સુંદર, ભણેલ-ગણેલ છોકરી મળી, તમારી બંનેની જોડી જોઈને મારી આંખો ઠરી. સંજય, જે વાત હું તને મોઢે ન કહી શકી તે વાત આજ છાતી ઉપર પથ્થર મૂકીને લખી રહી છું.

ચારેક મહિના પહેલાં તારી સગાઈ થઈ તે પછીના અઠવાડિયે હું નિરાંતે બેઠી બેઠી એક બપોરે ‘જન્મભૂમિ પ્રવાસી’નાં પાનાં ફેરવતી હતી. અચાનક મારી નજર એક પાના પર પ્રગટ થયેલ જીવનસાથીની કૉલમ ઉપર પડી એક વિદ્વાન, વિઘુર અને ખાનદાન ગૃહસ્થને એક યોગ્ય જીવન સાથીની જરૂર છે. મેં તે જાહેરાતને લગભગ છથી સાત વખત વાંચી. એકાદ બે અઠવાડિયાં તે બાબત પર વિચારતી રહી. ભવિષ્યમાં હું આવું કંઈક પગલું ભરુ તો! સમાજ અને ખાસ કરીને મારા કુટુંબ પર તેની શી અસર પડશે? મારો સંજય શું ધારશે!

આખરે મેં મારા ભવિષ્યનો પૂરેપૂરો વિચાર કરીને મને જે યોગ્ય જણાયું તે મુજબ મેં જાહેરાતમાં દર્શાવેલા સરનામે પત્રવ્યવહાર કર્યો. મને મારા પત્રનો જવાબ તે મહાશય દ્વારા બીજે જ અઠવાડિયે મળ્યો. તેમના પત્રથી હું બહુ જ પ્રભાવિત થઈ. મેં તેમના પત્રનો જવાબ તાબડતોબ આપ્યો. આમ અમે એકબીજાને બેચાર પત્રો લખ્યા અને ત્યાર બાદ એક સાંજે ઘાટકોપરની પૂજા હોટેલમાં મળ્યાં

અમારી આ મુલાકાત બાદ અમને જણાયું કે અમારા વિચારો, સ્વભાવ એકબીજાને સંપૂર્ણપણે અનુકૂળ છે. બસ ત્યારબાદ અમે એકબીજાને સમય સમયે મળતાં રહ્યાં. આખરે એક સાંજે ઘૂઘવતા દરિયા કિનારે એક અટલ વિચાર પર મક્કમ થઈને નક્કી કર્યું કે સંજય તારા લગ્ન બાદ અમારે કોર્ટથી લગ્ન કરી લેવાં.

સંજય, મેં તે મહાશયને ગયા સોમવારે મારા ભાવિ જીવન સાથી તરીકે સ્વીકારી લીઘા. દીકરા, હવે મારું નામ શ્રીમતી આશાદેવી સુશીલકુમાર મહેતા થયું છે. મારા આ પગલાથી તું ખોટી ભ્રમણામાં ના રહીશ કે મેં આ લગ્ન ઘન દોલત ખાતર કર્યાં છે.

મારી સાચી ઘન દોલત … જે કાંઈ સમજે … તે દીકરા તું જ છે. જયાં સુઘી આંગળી પકડીને ચાલતો સંજય હતો ત્યાં સુઘી પ્રત્યેક ક્ષણે મારી આંગળી તને આપી હતી, પણ હવે તો તારા લગ્ન થયાં. તને ડગલે ને પગલે જીવનસંગ્રામમાં સાથસહકાર આપી શકે તેવી સુશીલ પત્ની જોઈને મને ખૂબ જ આંનદ થયો.

તું મુંબઈમાં જયાં સુઘી મારી પાસે હતો, ત્યાં સુઘી મને કયારે ય એકલતાનો અહેસાસ થયો ન હતો, પરંતુ જ્યારે તને અમદાવાદમાં નોકરી મળી ગઈ અને તું સદા માટે ત્યાં સ્થાયી થઈ ગયો ત્યારથી મને પ્રત્યેક ક્ષણે આ ઘર ખાવા દોડતું હતું.

જીવનમાં હું એકલતા અનુભવતી હતી. આ ખાલીપણાને ભરવા મને કોઈકની જરૂરિયાત જણાતી હતી કે જેના ખંભે હું માથું મૂકીને સુખદુઃખમાં મારું મન હળવું કરી શકું.

આખરે જીવનમાં માર્ગે સાથ આપી શકે એવો એક પ્રેમાળ હાથ મને મળી ગયો. હવે કોઈ પણ સંજોગોમાં હું આ હાથને તરછોડવા માગતી નથી.

સંજય, તું અને સુજાતા કયારેક મુંબઈ આવશો ત્યારે મકાનમાં, શેરીમાં તેમ જ આપણાં સંગાસંબઘીઓ મારા વિશે તને કંઈક જુદી જ વાતો કરશે. કોઈ નવરું પંચાતિયું મહેણાંટોણાં મારશે. આશા છે તમે તેઓની વાતોને ભીતરમાં ન લેશો. બને તો આંખ આડા કાન કરશો. દીકરા, આપણે ગમે તેવા પ્રમાણિક કે સાચા હોઈએ, પણ દુનિયાને મોઢે કોઈ ગળણું બાંઘી ન શકીએ. તો ફાવે તેવું પોતપોતાના વિચારો પ્રમાણે બોલશે. દીકરા, આપણા સમાજમાં એક વિઘવા તરીકે જીવવું કેટલું કપરું છે એ તો મારું મન જાણે છે. હું તો જગતનાં મહેણાંટોણાંથી ટેવાઈ ગઈ હતી એટલે મને તેની કોઈ ચિંતા નથી.

સુજાતા આપણા સમાજથી સાવ અપરિચિત છે. લોકો તેને કહેશે કે તારી સાસુની તો શી વાત કરીએ? તેના આ લફરાને તો અમે વર્ષોથી જાણતાં હતાં. વળી કોઈક એમ પણ કહેશે કે મૂઈ આશા, આવું છિનાળું કરવું હતું તો જ્યારે ઉંમર હતી ત્યારે ન કર્યું અને જ્યારે દીકરાની વહુ આવી ત્યારે પોતે કોકના ઘેર જઈને બેઠી.

દીકરા, આ તો દુનિયા છે. આવું તમને કંઈક બનાવીને કહેશે. સંજય, મેં મારી બઘી જ જવાબદારી હસતાં હસતાં નિભાવી છે એમ હું માનું છું. જો તને કયાંક જીવનમાં મારા તરફથી ઊણપ જણાઈ હોય તો તું તારી માને માફ કરી દેજે.

દીકરા, તું એવો અર્થ ના કરીશ કે  આ લગ્ન કરી હું તારાથી દૂર જઈ રહી છું. માદીકરાના સંબંઘને મૃત્યુ પણ જુદા કરી શકતું નથી. જગતની કોઈ મા કયારે ય પોતાના દીકરાની જવાબદારીમાંથી મુકત થઈ શકી છે? તો હું તારાથી કેવી રીતે મુકત થઈ શકું?

હવે મને નથી લાગતું કે મારે આથી વિશેષ કંઈ ખુલાસો તારી પાસે કરવો જોઈએ. સંજય મને વિશ્વાસ છે કે તું મને બરાબર સમજી શકીશ, કારણ કે તારી રગમાં મારું જ લોહી છે. મને વિશ્વાસ છે કે તું તારા ઘરના દરવાજા મારા માટે બંઘ નહીં કરી દે.

બસ એ જ,

લિ. તારાથી કયારે ય દૂર ન જઈ શકેલ તારી મા આશાદેવીની આશિષ.

પત્ર વાંચતા આંખમાં આવેલ આંસુને લુછતા સંજયને પલંગમાં પડખાં ફેરવતી સુજાતાએ તેને પૂછ્યું.

“સંજય, કોનો પત્ર છે? આટલા રસથી કયારનો  વાંચી રહ્યો છે!”

“મુંબઈથી બાનો પત્ર છે.”

“બાનો! આટલી વારમાં! હજી ગઈ કાલે તો આપણે મુંબઈથી આવ્યાં અને બાએ આપણને પત્ર પણ લખી નાખ્યો? બા પણ ખરેખર કમાલ છે. શું લખ્યું છે બાએ?”

“લે … વાંચ … ” સંજયે સુજાતાના હાથમાં પત્ર મૂકી દીઘો.

E.mail : preetam.lakhlani@gmail.com

Loading

ચાલો, હરારી પાસે – 21 : માંધાતાઓની મીટિન્ગ  

સુમન શાહ|Opinion - Opinion|15 September 2023

સુમન શાહ

બે દિવસ પર ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩-ના રોજ વૉશિન્ગ્ટન ડી.સી.માં ‘એ.આઈ.’ સાથે કોઈ ને કોઈ ભૂમિકાએ જોડાયેલા સુન્દર પિચાઇ, ઍલન મસ્ક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ અને અન્ય ટૅક-સી.ઇ.ઓ. તેમ જ કાયદાના કેટલાક ઘડવૈયાઓની એક મીટિન્ગ થઈ.

સુન્દર પિચાઇ “અલ્ફાબેટ અને ગૂગલ”-ના, ઍલન મસ્ક “ટૅસ્લા” “સ્પેસઍક્સ” અને “ટ્વિટર”-ના, માર્ક ઝુકરબર્ગ “ફેસબુક” તથા બિલ ગેટ્સ “માઇક્રોસૉફ્ટ”-ના કો-ફાઉન્ડર છે તેમ જ “બિલ ઍન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન”-ના ફાઉન્ડર છે. સાઠ સૅનેટર હાજર હતા, સૅનેટ મૅજોરિટી લીડર ચક શુમર આ મીટિન્ગના હોસ્ટ અને કન્વીનર હતા.

photo courtesy : CNN

‘એ.આઈ.’ પર નિયમન – રૅગ્યુલેશન – હોવું જોઈએ એનો વિમર્શપરામર્શ આ મીટિન્ગનો આશય હતો.

બધા એ વાતે સમ્મત થયા કે ‘એ.આઈ.’ એક સામર્થ્યવાન ટૅક્નોલૉજિ છે, એથી સારું પણ થઈ શકે અને ખરાબ પણ. અને તેથી બહુ જરૂરી છે કે એને માટેનાં નિયમનો વિકસાવાય, જેથી ‘એ.આઈ.’-નો સલામતીભર્યો વિકાસ થાય, ઉપયોગ થાય.

જો કે, ચૉક્કસ કયાં નિયમનો મૂકવાં જોઈએ એ વિશે બહુસમ્મતિ સાધી શકાઈ ન્હૉતી.

ઍલન મસ્ક નિયમનના જોરદાર સમર્થક હતા. એમણે કહ્યું, ‘એ.આઈ ’ બે-ધારી તલવાર છે, અને તેથી અતિ કાળજી રાખવી પડશે કે એને આપણે કઈ રીતે વિકસાવીએ છીએ. એમણે ‘એ.આઈ.’ માટે ‘રૅફરી’-ની રચનાનો, એવી સમિતિનો, આગ્રહ આગળ કર્યો. રૅફરી સ્વતન્ત્ર એકમ તરીકે ‘એ.આઈ.’-ના વિકાસ તેમ જ ઉપયોગ પર નજર રાખે.

માર્ક ઝુકરબર્ગે નિયમન બાબતે ઘણી સાવધતાભરી વાત કરી. એમણે કહ્યું કે ઇન્નોવેશન – નવ્ય શોધો – અને સલામતી વચ્ચેની સમતુલા બરાબ્બર સચવાવી જોઈશે. સરકારે ‘એ.આઈ.’ અંગે ઉચ્ચ ધૉરણોના મુદ્દાને લક્ષમાં લેવો જોઈશે, પણ સાથોસાથ એણે ટૅક્નોલૉજિના વિકાસને માઇક્રોમૅનેજ નથી કરવાનો, એટલે કે, એટલા બધા ઊંડે નથી  ઊતરવાનું.

સુન્દર પિચાઇએ કહ્યું કે ‘એ.આઈ.’ એક એવી સમર્થ ટૅક્નોલૉજિ છે કે વિશ્વમાં એ વડે ઘણું બધું સારું થઈ શકે એમ છે, પણ સમજી લેવું પડશે કે તેનાં જોખમો શું છે. એમણે કહ્યું કે ‘એ.આઈ.’-ને જવાબદારીપૂર્વક વિકસાવવાને ગૂગલ પ્રતિબદ્ધ છે; ‘એ.આઈ.’-ના ઉચિત ઉપયોગ માટે કમ્પની વિશ્વ આખામાં નિયમનો અનુસાર કામ કરી રહી છે.

શું પ્રયોજવાથી પૂર્વગ્રહો અને ભેદભાવોથી બચી શકાય; ઉપયોગ સ્વાસ્થ્યસેવાઓ, કેળવણી તેમ જ પર્યાવરણના સંરક્ષણ માટે જ થાય, સમાજના હિતમાં જ થાય; ‘એ.આઈ.’-થી બેકારી વધે કે દુરાશયોથી એનો દુરુપયોગ થવા માંડે, તો શું પગલાં લેવાં વગરે મુદ્દા પણ હાથ ધરાયેલા.

+++

આમે ય ‘એ.આઈ.’ પર નિયમનો અને ઍથિક્સ કહેતાં નીતિમત્તા અને તદનુસારી આચારસંહિતાની રચના અનિવાર્ય છે. હું નૉંધી ચૂક્યો છું કે હરારીએ વારંવાર આ અનિવાર્યતાને જુદા જુદા શબ્દોમાં વાચા આપી છે.

નીતિમત્તા એમ કહે છે કે ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પ્રજાજનો માટે ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ – પારદર્શક. લોકોને ખબર પડવી જોઈએ કે એ કેવા પ્રકારે નિર્ણયો લે છે અને એના કેવા કેવા ઉપયોગો છે. ’એ.આઈ.’ સિસ્ટમ્સ એકાઉન્ટેબલ હોવી જોઈએ. એ જે નિર્ણયો લે એ માટે કોઇક જવાબદાર હોવું જોઇએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સ પાસે ફૅઅરનેસની અપેક્ષા રહે છે. એ જે નિર્ણયો લે તે રૂડા અને પક્ષપાતરહિત હોવા જોઈએ. ‘એ.આઈ.’ સિસ્ટમ્સે વપરાશકારોની અંગતતાની રક્ષા કરવી જોઈએ.

આ બધી નીતિનું એ પાલન કરે જ છે પણ જેમ જેમ એનો વિકાસ થશે તેમતેમ એની આચારસંહિતાનો પણ વિકાસ થશે.

છેવટે તો ‘એ.આઈ.’-ને અંકુશમાં રાખે એવા કાયદાકાનૂનનો હજી વધુ વિકાસ થવો જોઈશે.

બાકી, ‘એ.આઈ.’-ની મદદથી સ્વયંસંચાલિત શસ્ત્રો બની શકે છે, સ્વયંસંચાલિત એવાં કે સામાને હણી નાખવા માટે માણસોની જરૂર ન પડે.

“એ.આઈ.’-ની મદદથી સર્વેઇલન્સ સિસ્ટમ વિકસાવી શકાય છે, જે મનુષ્યજીવોની બધી જ બાતમી આપે, દરેક હિલચાલ દર્શાવે.

‘એ.આઇ.’-ની મદદથી ખોટી માહિતી સાથે મતલબી પ્રચારઝૂંબેશો ચલાવી શકાય છે.

‘એ.આઇ.’-ની મદદથી ‘ડીપફેક્સ’ સરજી શકાય છે. એ ટૅક્નિક વડે ડીપ જનરેટિવ મૅથડથી ચહેરાઓનું સાદૃશ્ય સરજી શકાય છે, અને લોકોને છેતરી શકાય છે.

ભેદભાવ, પક્ષપાત કે વ્હૅરોઆંતરો કરવા માટે ‘એ.આઈ.’ સિસ્ટમ્સનો દુરુપયોગ થઈ શકે છે. એને એવા ડેટાથી તાલીમ અપાઇ હોય કે અમુક કામની જગ્યાએ પુરુષો સફળ થાય છે, સ્ત્રીઓ નહીં, તો એ સેવાઓ માટે પુરુષોને આરામથી પ્રાધાન્ય આપી શકાય. વગેરે વગેરે.

+++

‘એ.આઈ.’ પર નિયમનો માટેની પહેલી મીટિન્ગ આમ અમેરિકામાં થઈ. આવનારા સમયમાં સંભવ છે કે વિમર્શપરામર્શ માટેની વધુ મીટિન્ગો યોજાય. મીટિન્ગમાં માંધાતાઓ, ખરેખર તો ‘એ.આઈ.’-ના પ્રત્યક્ષ-પરોક્ષ જન્મદાતાઓ, મળ્યા કહેવાય, અને સૌએ આશાસ્પદ વિચારો કર્યા, તે શુભ ચિહ્ન છે.

= = =

(09/15/23 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

...102030...857858859860...870880890...

Search by

Opinion

  • કાનાની બાંસુરી
  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved