Opinion Magazine
Number of visits: 9741859
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પર્યાવરણમિત્ર વિકાસ માટે લદ્દાખ બંધારણના છઠ્ઠા શિડ્યુલનો લાભ માગે છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 March 2024

સોનમ વાંગચુકનાં અનશન

વાંગચુકને પગલે અનશન શૃંખલા અવિરત જારી છેઃ સરેરાશ લદ્દાખી વિમાસે છે, દિલ્હી લગણ ક્યારે પુગશે ‘મન કી બાત…’ને ચેનલ ચોવીસા ચૂપ કેમ? 

પ્રકાશ ન. શાહ

સુદૂર લદ્દાખમાં સોનમ વાંગચુકે એકવીસ દિવસના ઉપવાસ છોડ્યા છે, પણ હવે દસ દિવસના ઉપવાસનો દોર મહિલાઓએ સંભાર્યો છે અને તે પછી યુવજનો તો ખરા જ, પણ બૌદ્ધ ભિખ્ખુઓ સુધ્ધાં તે દોર જારી રાખશે. કોણ છે આ સોનમ વાંગચુક મહાશય, તમે પૂછશો. ભાઈ, આપણે એને ”થ્રી ઇડિયટ્સ”માં આમીરખાન વાટે તો મળ્યા જ હતા. આયુષ્યના અડસઠમે લદ્દાખના જનજીવનમાં લગારે ગાજોવાજો નહીં એવું નરવુંનક્કર પ્રદાન એમનું છે. કામમાં ગંભીર હશે, પણ કશાયે બોજ વગરની હસ્તી છે, આ અસલી ‘રેન્ચો”.

એમણે શેને સારુ આકરી લાંઘણ ખેંચવાનો દોર શરૂ કર્યો છે એની વાત લગીર રહીને કરું. આરંભે મારે, આ મિકેનિકલ એન્જિનિયરના એ જીવનકાર્યનો ખયાલ આપવો જોઈએ જે ચીલેચાલુ ઇજનેરી માળખાની સાહેબશાહી રીતરસમથી ઉફરાટે સામાન્ય સમજ સાથે વૈજ્ઞાનિક અભિગમથી જીવનને કંઈક સુખકર બનાવવા પ્રયોગો કરે છે. એમનું લોકવિજ્ઞાન મજેનું છે. એમણે કથિત નબળા વિદ્યાર્થીઓ માટે જે કેમ્પસ ઊભું કર્યું છે, એ ગારમાટીનાં ઘરનું ને સૌર શક્તિ સંચાલિત છે. બાકી લદ્દાખ જ્યારે -15 સેન્ટીગ્રેડ અનુભવતું હોય ત્યારે એમનાં આ ગાર – માટીનાં ઘરનું તાપમાન +15 સેન્ટિગ્રેડ હોય છે અને ઠુંઠવાતા મલક વચ્ચે ફૂંફાતાં બાળ રમેભણે ઉછરે છે. વસ્તુતઃ 1988થી એમણે છાત્રો વચ્ચે શૈક્ષણિક ને સાંસ્કૃતિક એવી જે બિનરાજકીય ચળવળ શરૂ કરી, ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ – એ હવે ખાસી આગળ વધી ગઈ છે. સરકારી શાળાઓમાં સુધારણા કરી પરિણામો સુધાર્યાં પછી પણ જે છોકરાં પાછળ છૂટી જાય છે, દસમું વટાવી શકતાં નથી એમને ભણાવવા એમણે નવ્ય આશા અભિયાન (ઓપરેશન ન્યૂ હોપ) શરૂ કર્યું – સરકાર, સ્થાનિક સમુદાયો અને નાગરિક સમાજ ત્રણેને સાંકળીને. આજે દસમું માંડ પાસ કરતો પાંચ ટકાનો આંકડો પૂરા પંચોતેર ટકે પહોંચી ગયો છે.

જેમ એમના ગારમાટીનાં ઘરની હમણાં જિકર કરી તેમ બીજો યે એક લોકોપયોગી પ્રયોગ અહીં સંભારી લઈએ. આ પ્રયોગ આઈસ સ્તૂપ(હિમસ્તૂપ)નો છે. શિયાળામાં એવા આર્ટિફિશિયલ ગ્લેશિયર સરજવાનાં જે ઉનાળામાં પાણીખેંચ વખતે વૈકલ્પિક જળસ્રોતની ગરજ સારી શકે.

હવે એમણે શરૂ કરેલી ઉપવાસ શૃંખલા વિશે. 370મી નાબૂદ થઈ અને લદ્દાખને યુનિયન ટેરિટરીનો દરજ્જો તો મળ્યો. પણ પ્રજાકીય હિસ્સેદારી વગરના શાસનનો શો મતલબ ? એ કહે છે, અમને બંધારણના છઠ્ઠા શિડ્યુલમાં મૂકો. એને અન્વયે અમે ઓટોનોમસ કાઉન્સિલ મેળવી શકીએ – અને એક સ્વાયત્ત માહોલમાં પ્રજાકીય પહેલ અને ભાગીદારી સાથે વિકાસનાં કામો હાથ ધરી શકીએ. હા, વાંગચુક કહે છે, વિકાસની વ્યાખ્યા અમારી હશે. હાલ જે રીતે કોર્પોરેટ રાહે હિમાલયી શોષણ ને દોહન શક્ય છે તે નહીં ચાલે. પ્રજાની હિસ્સેદારી સાથે પર્યાવરણમિત્ર વિકાસનો એ રાહ હશે. અમે જેટલે લાંબે ઢોરાં ચારવા જતા હતા એટલે લાંબે હવે જઇ શકતા નથી, કેમ કે ચીનની હરકત ઇંચ-બઇંચ આગળ વધતી રહી છે. ચીન-પાકિસ્તાન સાથેના સીમામુલક તરીકે અહીં લોકભાગીદારી સાથેનો પર્યાવરણમિત્ર વિકાસ એક સંરક્ષણ હરોળ નીચે ગરજ સારી શકે. અહીં આપણા દેશના જવાનો તૈનાત હોય ત્યારે સ્થાનિક લોકો એમનાં સુખદુઃખની જે સંભાળ લે છે એ તો જુઓ! આ સરેરાશ લદ્દાખી જ્યારે પર્યાવરણમિત્ર વિકાસે સહભાગી, સજ્જ ને સમૃદ્ધ હશે ત્યારે પેલી સંરક્ષણ હરોળ કેટલી દૃઢ થઈ હશે એ તો વિચારો જરી!

તમે આ દિવસોમાં સોનમ વાંગચુકને સાંભળ્યા છે ? સહજ સરળ સ્વસ્થ સ્વચ્છ અંગ્રેજી /હિંદીમાં લગારે આક્રોશ વિના એ પોતાની વાત મૂકે છે. એકવીસ ઉપવાસ કેમ, તો કહે છે ગાંધીજીએ બાંધેલી મર્યાદામાં ચાલુ અનશન અભિયાને પહેલો પડાવ પત્યો ને એમણે લોકજોગ જે સંબોધન કર્યું એને અંતે ‘જયહિંદ” પણ સહજ ક્રમે દડી આવ્યું હતું. ન દિલ્હીના દેવતાઓને, ન તો મેઇન સ્ટ્રીમ મીડિયાને આ અવાજ પહોંચે છે. આપણે કારુણિકા, બીજું શું.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 28 માર્ચ 2024

Loading

ટિકિટ કપાય તો ય દુ:ખ ને અપાય તો ય દુ:ખ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 March 2024

રવીન્દ્ર પારેખ

લોકસભાની ચૂંટણી લોક’ખભા’ની ચૂંટણી બની રહી હોય એવું લાગે છે. કોઈ ખભો આપીને તો કોઈ ખભે ચડીને ચૂંટણી જીતવા જીવ પર આવી ગયા હોય તેવું વાતાવરણ છે. હાઇકમાંડ, કમાન છટકાવીને ટિકિટો આપી રહ્યા છે, તો જૂના જોગીઓની ટિકિટો કાપી પણ રહ્યા છે. જે વિપક્ષ તરીકે ગાળ દેતાં થાકતા ન હતા તે હવે પક્ષ બદલીને, ટિકિટ મેળવી લઈ મલકાઈ રહ્યા છે, તો ટિકિટ ન મળતાં કેટલાંક છણકાઈ પણ રહ્યા છે. જે પોતાના પક્ષને વફાદાર ન રહ્યા તે હવે નવા પક્ષમાં નફાદાર થવા દાખલ પડી ગયા છે ને પ્રજા બધું ભૂલીને તેમને મત આપે એવી ભોળી છે કે કેમ તે તો ચૂંટણીનાં પરિણામો જ કહેશે. જો કે, આ વખતે એક કૌતુક એવું પણ થયું છે કે ટિકિટ મળી હોય છતાં ઉમેદવારો મત મેળવવાના મતના નથી. ગુજરાતમાં જ સાબરકાંઠાના અને વડોદરાના ભા.જ.પ.ના બે ઉમેદવારોએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. રાજસ્થાનમાં પણ એક કાઁગ્રેસી ઉમેદવારે ટિકિટ પરત કરી છે. આ ચૂંટણી વૈરાગ્ય કેમનોક આવ્યો તે તો ખબર નથી, પણ કેટલાક આક્ષેપો જીરવવાનું અઘરું થયું હોય એમ બને. એ તો ઠીક, પણ, ચૂંટણી લડવાના પૈસા ન હોય ને કોઈ ચૂંટણી લડવાનું નકારે ને એમ નકારનાર બીજું કોઈ નહીં ને કેન્દ્રીય નાણાં મંત્રી પોતે હોય ત્યારે એક સાથે હજારો વૉલ્ટનો ઝાટકો ઘણાંને લાગે ને તેઓ આઘાતથી બેવડ વળી જાય એમ બને.

બન્યું એવું કે ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ નાણાં મંત્રી નિર્મલા સીતારામન્‌ને આંધ્ર પ્રદેશ કે તામિલનાડુથી લોકસભાની ચૂંટણી લડવાનો વિકલ્પ આપ્યો, તો નાણાં મંત્રીએ એમ કહીને ના પાડી કે તેમની પાસે ચૂંટણી લડવા જેટલા પૈસા નથી. હવે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય તો લોકો તો ગરીબ જ  હોયને ! એવું તો કેવી રીતે હોય કે રાજા ભિખારી હોય ને રાજ્ય એશ કરતું હોય? સીતારામન્‌ને પૂછવામાં આવ્યું કે નાણાં મંત્રી પાસે પૈસા ન હોય એ કેવું? તો, એમનો જવાબ હતો – મારો પગાર, મારી કમાણી, મારી બચત મારી છે, પરંતુ ભારતનું કોન્સોલિડેટેડ ફંડ મારું નથી. નાણાં મંત્રી ખોટું તો ન બોલે. જો કે, ખોટું તો હવે કોઈ બોલતું જ નથી. એ જે હોય તે, પણ સીતારામન્‌ના જવાબ પરથી એટલું તો ફલિત થાય છે કે ભારતના નાણાં મંત્રીનું પોતાનું ફંડ એટલું નથી કે તે લોકસભાની ચૂંટણી લડી શકે. કમાલ છે ને કે જીતનારા 543 સાંસદો ને સેંકડો બીજા વિધાનસભ્યો ને હજારો કોર્પોરેટરો ચૂંટણીઓ લડી શકે છે. એનો અર્થ એ થયો કે એ બધા નાણાં મંત્રી કરતાં વધુ સમૃદ્ધ છે. સાચું તો એ છે કે ભારતની ચૂંટણીઓ અત્યંત મોંઘી થઈ છે. સીતારામને એમ પણ ઉમેર્યું કે ચૂંટણીમાં સમુદાય ને ધર્મ પણ ભાગ ભજવે છે. જાતિ-જ્ઞાતિ વગેરે બાબતો વિજયી બનાવનારાં પરિબળો છે એય ખરું. આ બધું જ જો સક્રિય હોય તો નિષ્પક્ષ ચૂંટણી ક્યાં લડાય છે તે પ્રશ્ન જ છે.

સવાલ તો એ પણ છે કે ચૂંટણી બોન્ડમાંથી ભા.જ.પે. 6,986.5 કરોડ સમેટ્યા હોય તો એ ચૂંટણી માટે નહીં ને ચટણી માટે છે, એવું? આમ તો બધા જ પક્ષોએ ચૂંટણી ભંડોળ ભેગું કર્યું છે, તે એ કૈં પત્તાં ટીચવાં તો નહીં જ હોય ! એ જુદી વાત છે કે નાણાં મંત્રીના અર્થશાસ્ત્રી પતિ પરાકલા પ્રભાકરને રોકડું કર્યું છે કે ચૂંટણી બોન્ડ ભારતનું જ નહીં, પણ વિશ્વનું સૌથી મોટું કૌભાંડ છે અને તેને લીધે ભા.જ.પ.ને મોટું નુકસાન થશે. આ વિધાન કોઈ વિપક્ષી નેતાનું નથી, પણ અર્થશાસ્ત્રીનું છે. તેમનું માનવું છે કે આ મુદ્દો હજી વધારે ચગશે અને મતદારો સરકારને મત દ્વારા તેનો જવાબ પણ આપશે. સીતારામન્‌નું કહેવું છે કે બધા જ સંડોવાયેલા છે એટલે કોઈને કોઇની વિરુદ્ધ બોલવાનો નૈતિક અધિકાર જ નથી. મતલબ કે કૈંક તો એવું છે જે નૈતિક નથી. વારુ, ખોટું કોઈ એક કરે તો જ ખોટું, એવું નથી, ઘણાં કરે તો પણ ખોટું તો ખોટું જ રહે છે.

એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે ચૂંટણી 75,000 કરોડથી વધુ કિંમતની પડે છે. એમાં ઇલેકટોરલ બોન્ડથી છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ વીસેક હજાર કરોડ આવ્યા. મતલબ કે વર્ષના 4,000 કરોડ. તો, બાકીના પૈસા ક્યાંથી આવે છે? એ રોકડથી આવે છે. બીજા અર્થમાં ચૂંટણી પણ એક કારણ છે જે કાળું નાણું ઘટવા ન દે. ઘટે તો ય નાબૂદ થવા દે એ શક્ય નથી, કારણ રાજકીય પક્ષોને ચૂંટણી ઉપરાંત પણ અનેક કામો માટે ફંડની જરૂર પડે જ છે ને તે ખાઈ ઘણુંખરું કાળાં નાણાંથી જ પુરાતી હોય છે. વર્ષમાં અંદાજે 37 જેટલી ચૂંટણીઓ થતી હોય છે. એ પરથી પણ ખ્યાલ આવે એમ છે કે ચૂંટણી પાછળ થતો ખર્ચ અતિશય છે. એ સંદર્ભે નાણાં મંત્રી ચૂંટણી લડવાનું પડતું મૂકે તે સમજાય એવું છે. આવનાર સમયમાં ઘણાં એ રીતે ચૂંટણી લડવાનું જતું કરે એમ બને. આમાં સાધારણ માણસ માટે તો કોઈ અવકાશ જ નથી. બીજા શબ્દમાં ચૂંટણીનો ખેલ અમીરોનો જ ખેલ છે. એ જ ચૂંટાય, એ જ રાજ કરે ને એ જ નીતિઓ ઘડે. એ નીતિઓ ગરીબો માટે કેટલીક હોય તે સમજી શકાય એમ છે.

એમ લાગે છે કે ચૂંટણી ન લડી શકે એવા ગરીબોનો નવો વર્ગ ભવિષ્યમાં ઊભો થશે. એક વર્ગ એવો જેને સરકાર વર્ષોથી મફત અનાજ આપે છે. એવા પશ્ચિમ બંગાળના ગરીબો માટે વડા પ્રધાનને એવો અભૂતપૂર્વ વિચાર આવ્યો કે ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ભ્રષ્ટાચારીઓને ત્યાં દરોડા પાડીને 3.000 કરોડ જેટલી રકમ જપ્ત કરી છે, તો તે ત્યાંનાં ગરીબોને આપવી. આવું ચૂંટણી પ્રચાર અંગેની ટેલિફોનિક ચર્ચામાં ભા.જ.પ.ના કૃષ્ણાનગરના ઉમેદવાર અમૃતા રૉયને વડા પ્રધાને કહ્યું ને ભારપૂર્વક ઉમેર્યું પણ કે આ વાત તેઓ બધાંને જણાવે. પશ્ચિમ બંગાળમાં પ્રચાર માટે આનાથી વધુ રૂડું બીજું શું હોય? એ તો જે કરવું હોય તે વડા પ્રધાન ભલે કરે, પણ ચૂંટણી લડવા ઇચ્છુક આર્થિક ગરીબો માટે એવી યોજના પણ વિચારાવી જોઈએ, જેમાંથી ચૂંટણી લડવા જોઈતું ફંડ મળી રહે. ઇલેકટોરલ બોન્ડ તો દરિયામાં ખસખસ ગણાય. ઇ.ડી. દરોડા દ્વારા જપ્ત થતી રકમનો જેમ ગરીબો માટે ઉપયોગ થઈ શકે એમ જ ચૂંટણી લડવા ઇચ્છનાર ઉમેદવાર માટે પણ થઈ શકે. એને માટે વિપક્ષો ભલે ટાર્ગેટ થાય, શાસક પક્ષને ય ન મૂકવા. એમાં કેટલાક ખરેખર સન્માનનીય છે જ, પણ બધા જ દૂધે ધોયેલાં નથી.

દૂર ક્યાં જવું? આસામની શાસક ભા.જ.પ. સરકારની સહયોગી પાર્ટી બોડોલેન્ડ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ(યુ.પી.પી.એલ.)ના નેતા બેંજામિન બાસુમતારીની એક છબી ચર્ચામાં છે. એ છબીમાં બાસુમતારી 500ની ચલણી નોટોના પથારા નીચે ફેલાઈને પડેલા દેખાય છે. બાસુમતારી પર પી.એમ. આવાસ યોજનામાં ગરીબો પાસેથી પૈસા પડાવવાનો આરોપ છે. જો કે, પાર્ટીએ તો તેમને 10 ફેબ્રુઆરીથી બરતરફ કરી દીધા છે. એક તરફ પૈસાને વાંકે ચૂંટણી ન લડવાનો નિર્ણય લેતા ભા.જ.પ. સરકારનાં નાણાં.મંત્રી નિર્મલા સીતારામન્‌ છે ને બીજી તરફ બાસુમતારી જેવા ભા.જ.પ. સરકારના સહયોગી પાર્ટીના સભ્ય છે જે ચલણી નોટોનો બીભત્સ દેખાડો કરી છીછરી માનસિકતા પ્રગટ કરે છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે ચૂંટણી તો મોંઘી છે જ, પણ તે ઘણી મોંઘવારીનું કારણ પણ છે, એટલું જ નહીં, ચૂંટણી જીતનારા અનેક રીતે પૈસા ઊભા કરીને તેનો દેખાડો પણ કરતા રહે છે. અપવાદ રૂપે કેટલાક સ્વચ્છ રાજકારણીઓ હશે જ, પણ તે અપવાદોમાં જ હશે એ ભૂલવા જેવું નથી. લોકશાહીમાં ચૂંટણી અનિવાર્ય છે, પણ તે એટલી મોંઘી હોય કે લડવાનું જ મન ન થાય તો એ આખું પ્રકરણ પુનર્વિચારણાને પાત્ર છે. અહીં વાત ચૂંટણી નકારવાની નથી જ નથી, પણ તે સાધારણ માણસનો જ જો બધી રીતે છેદ ઉડાડતી હોય તો એ સ્થિતિ બદલી શકાય કે કેમ તે અંગે વિચારવાનું રહે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 29 માર્ચ 2024

Loading

बहुसंख्यकवादी नैरेटिव को टेका लगाती फिल्में: स्वातंत्र्यवीर सावरकर

राम पुनियानी|Opinion - Opinion|29 March 2024

राम पुनियानी

फिल्म जनसंचार का एक शक्तिशाली माध्यम है जो सामाजिक समझ को कई तरह से प्रभावित करता है. कई दशकों पहले भारत में ऐसी फिल्में बनी जो सामाजिक यथार्थ को प्रतिबिंबित करती थीं और प्रगतिशील मूल्यों  को बढ़ावा देती थीं. ‘मदर इंडिया’, ‘दो बीघा ज़मीन’ और ‘नया दौर’ ऐसी ही कुछ फिल्में थीं. कुछ बायोपिक फिल्मों ने भी यथार्थपरक आम समझ को विस्तार और समावेशी मूल्यों को प्रोत्साहन दिया. रिचर्ड एटनबरो की ‘गाँधी’ और भगत सिंह के जीवन पर बनी कुछ फिल्में अत्यंत प्रेरणास्पद थीं. ये बायोपिक मेहनत और सावधानी से किए गए शोध पर आधारित थीं और अपने-अपने नायकों के वास्तविक चरित्र को परदे पर उकेरती थीं.

बहुसंख्यकवादी और विघटनकारी मुद्दों पर आधारित राजनीति और हिन्दू राष्ट्रवादी विचारधारा का बोलबाला बढ़ने के साथ ही भारत की फ़िल्मी दुनिया के कई लोग ऐसी फिल्में बनाने लगे हैं जो एक विशिष्ट विघटनकारी नैरेटिव को प्रोत्साहित करती हैं और राजनीति और इतिहास को देखने के सांप्रदायिक नज़रिए पर आधारित हैं. ऐसी सभी फिल्मों में सच को तोड़ा-मरोड़ा जाता है और ज्यादातर मामलों में हिन्दू राष्ट्रवादी नायकों का महिमामंडन किया जाता है. इनमें से अधिकांश फिल्मों में सच के साथ समझौता किया जाता है और झूठ को सच के रूप में प्रस्तुत किया जाता है. ऐसी ही एक फिल्म ‘द कश्मीर फाईल्स’ का प्रधानमंत्री मोदी और संघ प्रमुख मोहन भागवत ने जमकर प्रचार किया था. भाजपा के कई नेताओं ने थोक में इस फिल्म के टिकट खरीदकर अपने इलाके के लोगों को बांटे थे ताकि वे फिल्म देख सकें. इस फिल्म का प्रचार करने वालों का दावा था कि यह फिल्म कश्मीर का असली सच लोगों के सामने लाई है.

इसी तरह की एक दूसरी फिल्म ‘द केरेला स्टोरी’ में इस्लाम में धर्मपरिवर्तन करने वालों और इस्लामिक स्टेट (आईएस) में शामिल होने वालों की संख्या को बहुत बढ़ा-चढ़ाकर बताया गया था. इस तरह की कई फिल्में बॉक्स आफिस पर बुरी तरह पिट गईं. इनमें शामिल थीं ’72 हूरें’ जिसमें आतंकवाद को राजनीति की बजाए धर्म  से जोड़ा गया था. इस फिल्म में इस तथ्य को भी दबाया गया था कि हिन्दू धर्म में भी स्वर्ग में अप्सराओं के साथ आनंद करने की बातें कही गईं हैं. इसी तरह अन्य धर्मों में भी स्वर्ग में परियों की चर्चा है.

‘द केरेला स्टोरी’, ‘द कश्मीर फाईल्स’, 72 हूरें इत्यादि का उद्धेश्य है इस्लामोफोबिया फैलाना. दूसरी ओर गोडसे पर 2022 में बनी फिल्म में महात्मा गांधी के हत्यारे का महिमागान किया गया था. इसमें संघ परिवार का  वह पुराना झूठ फिर एक बार दुहराया गया था कि गांधीजी ने भगतसिंह को फांसी से नहीं बचाया और उनकी शहादत पर शोक व्यक्त करने वाले कांग्रेस के एक प्रस्ताव का विरोध किया. और अब आई है रणदीप हूडा की ‘स्वातंत्र्यवीर सावरकर’. यह झूठ का प्रचार करने में नई ऊँचाईयां अर्जित करती है. फिल्म में दिखाया गया है कि भगतसिंह सावरकर से जा कर मिले और यह इच्छा व्यक्त की कि वे सावरकर की पुस्तक ‘फर्स्ट वॉर ऑफ़ इंडीपेंडेस’ का मराठी से अंग्रेजी में अनुवाद करना चाहते हैं!

सच क्या है? कई क्रांतिकारियों ने इस पुस्तक को पढ़ा है और उसे सराहा भी है. मगर समस्या यह है कि यह पुस्तक मराठी में 1908 के आसपास प्रकाशित हुई थी और इसके एक साल बाद उसका अंग्रेजी अनुवाद प्रकाशित हो गया था. भगतसिंह का जन्म 1907 में हुआ था और वे अपने जीवन में कभी सावरकर से नहीं मिले.

फिल्म में सावरकर को यह कहते हुए दिखाया गया है कि भारत 1912 तक स्वाधीनता हासिल कर लेगा  – अर्थात जब हमें स्वतंत्रता मिली उस से करीब 35 साल पहले. सच यह है कि 1910 से ही सावरकर अंडमान के सेल्लयुलर जेल में थे और वहां से अंग्रेज सरकार से माफी मांगते हुए याचिकाएं लिख रहे थे. सन् 1912 तक वे ऐसी तीन याचिकाएं लिख चुके थे. इन सभी याचिकाओं में सरकार से उसका विरोध करने के लिए क्षमायाचना की गई थी और यह भी कहा गया था कि अगर उन्हें जेल से रिहा कर दिया जाए तो वे निष्ठापूर्वक ब्रिटिश सरकार के प्रति वफादार रहेंगे. और जेल से रिहा होने के बाद सावरकर ब्रिटिश सरकार के प्रति वफादार बने रहे. हमारे स्वाधीनता संग्राम ने 1920 में जोर पकड़ा जब कांग्रेस द्वारा शुरू किए गए असहयोग आंदोलन में बड़ी संख्या में लोगों ने भागीदारी की.

फिल्म यह प्रश्न भी उठाती है कि किसी कांग्रेस के नेता को अंडमान जेल क्यों नहीं भेजा गया और क्यों उन्हें भारत में जेलों में रखा गया. पहली बात तो यह है कि इस तथ्य की सत्यता की पुष्टि की जानी होगी. दूसरी बात यह कि सन् 1920 के बाद से कांग्रेस और गांधीजी ने अहिंसा की राह अपना ली थी और इस कारण उनके अनुयायियों को अंडमान या फांसी की सजा नहीं दी गई और उन्हें भारतीय जेलों में ही रखा गया. भगतसिंह, राजगुरू और सुखदेव को हिंसा में शामिल होने के कारण फांसी की सजा दी गई थी. चूंकि गांधीजी के नेतृत्व में कांग्रेस ने अहिंसा के सिद्धांत का पालन किया इसलिए उसके सदस्यों को फांसी या अंडमान की सजा नहीं हुई.

यह फिल्म हमें बताती है कि भारत को अहिंसा के रास्ते नहीं वरन् हिंसा के रास्ते स्वतंत्रता मिली. भारत में जो क्रांतिकारी सक्रिय थे उनमें से अधिकांश हिंदुस्तान सोशलिस्ट रिपब्लिकन एसोसिएशन से थे. भगतसिंह और उनके साथियों की मृत्यु के बाद भारत में कोई बड़ा क्रांतिकारी आंदोलन नहीं हुआ. सावरकर के अभिनव भारत ने सावरकर द्वारा सरकार से क्षमायाचना करने के बाद ब्रिटिश सरकार का विरोध करना बंद कर दिया. सुभाष चन्द्र बोस, जिन्होंने आजाद हिंद फौज का गठन किया था, 1945 में मारे गए और आजाद हिंद फौज के अफसरों और सिपाहियों को लालकिले में बंदी बनाकर रखा गया. अदालतों में इन युद्धबंदियों का बचाव करने के लिए जवाहरलाल नेहरू की पहल पर कांग्रेस ने एक समिति का गठन किया था.

फिल्म यह भी बताती है कि आजाद हिंद फौज का गठन कर अंग्रेजों से लड़ने की सलाह सावरकर ने ही बोस को दी थी! यह तथ्यों के एकदम विपरीत है. कांग्रेस छोड़ने के बाद ही बोस ने यह तय कर लिया था कि वे जर्मनी और जापान की मदद से ब्रिटिश सरकार के विरूद्ध जंग छेड़ेंगे. जिस समय बोस ब्रिटिश सरकार के विरूद्ध युद्धरत थे उस समय सावरकर हिंदू महासभा से यह अनुरोध कर रहे थे कि वह अधिक से अधिक संख्या में हिंदुओं को ब्रिटिश सेना में भर्ती करवाए ताकि द्वितीय विश्वयुद्ध में ब्रिटेन की शक्ति बढ़े.

हिन्दू महासभा के कलकत्ता अधिवेशन को संबोधित करते हुए सावरकर ने सभी विश्वविद्यालयों, महाविद्यालयों और विद्यालयों से यह अपील की थी कि वे किसी भी तरह और हर तरह से यह प्रयास करें कि भारतीय युवा ब्रिटिश सेना में भर्ती हों. इसके अगले साल 1940 में गांधीजी ने व्यक्तिगत सत्याग्रह शुरू किया. उसी साल दिसंबर में हिंदू महासभा के सत्र को संबोधित करते हुए सावरकर ने हिंदू युवकों का आव्हान किया कि वे बड़े पैमाने पर ब्रिटिश सेना की विभिन्न शाखाओं में भर्ती हों.

सावरकर के बारे में लिखते हुए सुभाष चन्द्र बोस ने कहा था, ‘‘ऐसा प्रतीत होता है कि सावरकर अंतर्राष्ट्रीय स्थिति से नावाकिफ हैं और केवल यह सोच रहे हैं कि ब्रिटिश सेना में भर्ती होने से हिंदुओं को सैन्य प्रशिक्षण हासिल हो सकेगा.” बोस का निष्कर्ष था कि “मुस्लिम लीग और हिंदू महासभा से कोई अपेक्षा नहीं की जा सकती”.

आजाद हिंद रेडियो के जरिए भारतीयों को संबोधित करते हुए सुभाष चन्द्र बोस ने कहा था, “मैं मिस्टर जिन्ना, मिस्टर सावरकर और अन्य ऐसे सभी लोगों, जो अब भी ब्रिटिश सरकार के साथ समझौते की बात कर रहे हैं, से यह अनुरोध करना चाहता हूं कि वे यह समझ लें कि आने वाली दुनिया में ब्रिटिश साम्राज्य नहीं होगा”.

जहां तक फिल्म में सावरकर और सुभाष बोस को सहयोगियों की तरह प्रस्तुत करने का प्रश्न है, नेताजी के प्रपौत्र चन्द्रकुमार बोस ने फिल्म का ट्रेलर देखने के बाद हूडा से कहा था, “कृपया नेताजी को सावरकर से मत जोड़िए. नेताजी एक समावेशी और धर्मनिरपेक्ष नेता थे. वे देशभक्तों के देशभक्त थे”.

यह फिल्म आने वाले चुनावों के मद्देनजर हिंदू राष्ट्रवादी राजनीति को मजबूती देने के लिए सच को तोड़ने-मरोड़ने का एक और प्रयास है.

27/03/2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया; लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...777778779780...790800810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—334
  • મારે મોગલ ને ફુલાય પિંજારા 
  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved