Opinion Magazine
Number of visits: 9457535
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્કલની શ્રેષ્ઠ વાર્તાઓ, ઉત્તમ ગુજરાતીમાં

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|17 December 2023

પુસ્તક પરિચય

‘શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ’ સંગ્રહમાં રેણુકા શ્રીરામ સોનીએ મૂળ ભાષામાંથી કરેલાં 49 વાર્તાઓના અનુવાદમાં વાચક કલિંગની કંગાલિયતની ઝાળ, ઉત્કલના પરિવેશની છાલક અને ગુજરાતી ભાષાની ભાવવાહિતા ત્રણેય અનુભવે છે.

સાહિત્યનાં અઢાર પુસ્તકોમાં જુદાં સ્વરૂપોની ઉડીઆ કૃતિઓ ગુજરાતીમાં લાવનાર રેણુકાબહેને પ્રસ્તુત સંગ્રહમાં ગયા દોઢસો વર્ષના ઉત્કલ-સાહિત્યના દરેક તબક્કામાંથી વાર્તાઓ પસંદ કરી છે.

એટલે અહીં ઓગણીસમી સદીના પાછલાં વર્ષોમાં લખનારા ફકીર મોહન સેનાપતિથી લઈને કોવિડકાળમાં આદિવાસીઓની દુર્દશા  પર ‘ઘરાક’ વાર્તા લખનાર સમકાલીન લેખક અનિલકુમાર પાઢી સુધીના સમયગાળાના સર્જકોની કૃતિઓ મળે છે.

‘આજની તારીખની વાર્તા’માં મ્યુનિસિપાલિટીના રોકડ ભથ્થાં વિતરણ કેન્દ્રની હરોળમાં ઊભેલો એક નેત્રહીન ભિખારી હાથ વગરની તેની સાથીની રાહ જોઈ રહેલા બાઘા નામના વિકલાંગ ભાઈબંધને પૂછે છે : ‘દરિદ્રતાની સીમારેખા શી છે, તને ખબર છે?’

થોડાંક જ કલાકના સમયગાળામાં સંપન્ન થતાં વસ્તુવાળી આ વેધક સમકાલીન કથાની જેમ આ સંગ્રહની મોટા ભાગની વાર્તાઓ દરિદ્રતાની સીમારેખાની ઉપર, નીચે અને આસપાસ રહેતા લોકોના વીતકોનું બયાન છે.

અનુવાદક પ્રસ્તાવનામાં લખે છે :‘ઓડિશા ગરીબ પ્રદેશ છે. ત્યાંની આદિવાસી જનતાની હાલત વિશેષ કરીને દયાજનક છે. સાહિત્યકાર એક સંવેદનશીલ જીવ છે. એની કલમમાંથી શોષિત, નિરાધાર જનતાનાં દુ:ખદર્દની ચીસ સંભળાય એ સ્વાભાવિક છે. એ ચીસ કેવી હૃદયદ્રાવક છે તે આ સંગ્રહની કેટલીક વાર્તાઓમાં દેખાશે.’

અનુવાદકના વિધાનની પ્રતીતિ સંગ્રહની પહેલી વાર્તા ‘રેવતી’થી થવા લાગે છે. ‘ઉત્કલના વેદવ્યાસ’ ગણાતા ફકીરમોહનની આ વાર્તા ‘ઉડીઆ ભાષામાં પહેલી ટૂંકી વાર્તા’ છે. કટક જિલ્લાના પાટપુર ગામમાં ગરીબી અને કૉલેરાને કારણે કરુણ રીતે નાશ પામતા પરિવારની આ કથામાં નાયિકાનો શિક્ષણ માટેનો તલસાટ પણ જોવા મળે છે.

આ જ નામની બીજી વાર્તા દાયકા પહેલાં નિવૃત્ત થયેલાં સનદી અધિકારી તરુણકાન્તિ મિશ્રાએ લખેલી છે. તેમાં કલાહાન્ડી જિલ્લાના સુરુગિવદર ગામનો ઘાતકી પિતા કુંટુંબની કંગાલિયતમાંથી બચવા સોળ વર્ષની દીકરીને કોલકાતામાં જઈને દેહવ્યવસાયમાં ધકેલી આવે છે.

શાંતિલતા મહાપાત્રની વાર્તામાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ભાડુઆતની કુમળી વયની શાળામાં ઇનામો મેળવનાર દીકરી સુશ્રી મકાનમાલિકને ત્યાં આવેલાં કૃષ્ણ તરીકે પૂજાતા ‘મહારાજ’ની વાસનાનો ભોગ બનતા માંડ બચે છે.

રેણુકાબહેને જેમની વાર્તાઓનો આખો સંચય આપ્યો છે તે લેખક મનોજ દાસની ‘લક્ષ્મી’વાર્તા અહીં છે. તેમાં નિશાળમાં ભણતી લક્ષ્મીના પિતા એને નવું ફ્રૉક ન લાવી આપી શકે તેટલા ગરીબ છે.

એક દિવસ ભૂખી લક્ષ્મી, ગામના મંદિરમાં પૂજારી ઘોરતો હોય છે તેવા સમયે ભગવાનની સાથે મીઠા એકોક્તિની ઢબે વાત કરે છે. પછી પ્રસાદ તરીકેનાં કેળાંમાંથી બે લઈ લે છે, પૂજારી તેને પકડે છે, ગામલોક અપમાનિત કરે છે, આઘાતથી આવેલાં તાવમાં છોકરી મૃત્યુ પામે છે.

સમકાલીન લેખક, વિજ્ઞાની અને લોકવિદ્યાના જાણકાર કૈલાસ પટ્ટનાયકની વાર્તામાં ચાના ગલ્લાવાળો ખૂબ કંગાળ ગૌર મા વિનાની તેની એકની એક દીકરી હેમને મેળામાં ગુમાવી બેસે છે. તેને પાછી મેળવવા માટે ભૂવાએ આપેલો નુસખો અજમાવતાં માંદો પડે છે અને દીકરીની રાહમાં ‘કુદરતી દૃશ્ય’ જોવાની ભ્રમણામાં અસ્પતાલની પથારી પર સબડે છે. ‘યાજ્ઞસેની’ નવલકથા માટે જાણીતા પ્રતિભા રાયની ‘સજ્જન’ વાર્તામાં એક આદર્શ પણ ગરીબ શિક્ષકનું દેવાના બોજા તળે મોત થાય છે.

મહિલા લેખકોની નારીપ્રધાન વાર્તાઓમાં બીણાપાણિ મહાન્તિની ‘પાટદેઈ’ વાર્તામાં એ જ નામની નાયિકાની અત્યંત વ્યથિત જિંદગી છે. આ વાર્તાની ત્રણ સિદ્ધિઓ છે – તેના નામ સાથેના સંગ્રહને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, વાર્તાનો ‘ફેમિના’ માસિકમાં અંગ્રેજી અનુવાદ અને તેની દૂરદર્શન પર તેની નાટ્યપ્રસ્તુતિ.

પુષ્પાંજલિ નાયકની ‘પુપૂન પાછો આવ્યો નથી’માં નીચલા મધ્યમવર્ગની ખંડ સમયની અધ્યાપક માધુરીના પોતાના કુટુંબને અને પાણીદાર છતાં બેરોજગાર ભાઈ પુપૂનને સાચવવા માટેના સંઘર્ષની વાત છે.

‘કુરેઈફૂલ’માં પારમિતા શતપથી આંગણવાડી સંભાળતી આદિવાસી કન્યાની શહેરી યુવક દ્વારા પ્રેમના નાટક દ્વારા કરેલી છેતરપિંડીની વાત છે. સાથે વિકાસ ખાતર ગરીબોને આપવા પડતા ભોગનો સંદર્ભ પણ તેમાં છે.

‘સાસરીનું ગામ’માં અત્યારના ચિરશ્રી સિંહા એક સમાજસેવિકાની કથા મુખરતા વિના માંડે છે. બાળવિધવા બન્યા બાદ દક્ષિણ ઓડિશાના ગંજમ જિલ્લાના ડુંગરાળ હલદીપદર પંથકમાં ગાંધી-વિનોબાનું તેમણે આદિવાસીઓ માટે અનેક પડકારોની વચ્ચે કામ કર્યું હતું.

આદિવાસીઓની તાકાત, તેમના ભોળપણ અને તેમના શોષણની વાત સ્વાતંત્ર્યપૂર્વ કાળના વાર્તા કાર ભગવતીચરણ પાણિગ્રાહીએ ‘ઇનામ’ વાર્તામાં કરી છે. આ વાર્તા ગુજરાતી માસિક ‘ઉદ્દેશ’માં  2002માં પ્રસિદ્ધ થયા બાદ ઘણી વખણાઈ હતી. 1973માં જ્ઞાનપીઠ મેળવનાર પહેલા ઉડીઆ લેખક ગોપીનાથ મહાન્તિની ‘કીડીઓ’ વાર્તામાં, ‘ખાલી હાડકાં, ચામડાં, આંખોની બખોલ’ દેખાતાં હોય તેવા કંધ જાતિના આદિવાસીઓની દુર્દશા જોઈને મહાત્ત્વાકાંક્ષી અધિકારી રમેશનું દિલ પીગળી જાય છે.

મહાન્તિ બાદ 1986માં ઉડીઆમાં જ્ઞાનપીઠ સન્માનિત સચ્ચિદાનંદ રાઉતરાય ‘સ્મશાનનું ફૂલ’ નામની વાર્તામાં ગામડામાં મડદા બાળવાવાળા જગુતિઆડીનું અજુગતું પાત્ર હચમચાવી દે તેવી વિગતો સાથે સર્જ્યું છે.

બીજું એક વિશિષ્ટ અને મનોહર પાત્ર અત્યારના લેખક વિષ્ણુ સાહુએ નારિયેળીનાં વૃક્ષોના જાણતલ શ્રમિક ચિન્તો રૂપે પ્રથમ વ્યક્તિ એકવચનની કથનરીતથી આલેખ્યું છે. ‘માની વાડી’ વાર્તામાં વાડી માટેના પ્રેમની ઉત્કટતા જેટલું જ અસકારક સંયુક્ત કુટુંબનું, અને ખાસ તો વાડીનું વર્ણન છે.

પાત્રના ચેતનાપ્રવાહનું નિરુપણ કરતી કે જુદી કથનરીતિ અપનાવવા ધારતી વાર્તાઓ પણ છે. પણ અનુવાદકે એકંદરે પ્રયોગશીલ વાર્તાઓને બદલે સમાજવાસ્તવનું આલેખન કરતી વાર્તાઓને પ્રધાન્ય આપેલું જણાય છે. વળી, ગુજરાતી ટૂંકી વાર્તાઓ કરતાં ઉડીઆ ટૂંકી વાર્તાઓ લાંબી હોવાની છાપ પણ 360 પાનાંના સંગ્રહમાંથી ઉપજે છે.

સમાજના અભાવોના ચિત્રણ જેટલું જ ઉત્કલના જાનપદનું આ વાર્તાઓમાં થયેલું ચિત્રણ રસપ્રદ છે. રેણુકાબહેને પસંદ કરેલી વાર્તાઓમાં મેળા, બજાર, ગામ, વેશ, વાનગીઓના ઉલ્લેખો / વર્ણનો તેમ જ વૃક્ષ, વનસ્પતિ, ફળ, ફૂલ જેવાં ઉલ્લેખોને કારણે ગુજરાતી વાચકને ઉત્કલના તળપદની ઝલક મળે છે.

અનુવાદક લખે છે : ‘પ્રસ્તુત ગ્રંથમાં લીધેલી વાર્તાઓમાં ઓડિશાના ધબકતા જીવનની છબી છે. તે ઓડિશાનું ગ્રામજીવન, નગરજીવન, ઓડિશાની સંસ્કૃતિ, ત્યાંની સામાજિક સમસ્યાઓ અને લોકોનાં નૈતિક મૂલ્યોનું ચિત્ર રજૂ કરે છે.’

વ્યવસાયે એનેસ્થેટીસ્ટ ડૉક્ટર રેણુકાબહેને સંચયની પ્રસ્તાવનામાં લખ્યું છે : ‘મૂળે હું ગુજરાતી છું, પણ ઓડિશામાં જન્મ, ઉછેર અને શિક્ષણ મેળવ્યાં છે. સને 1980માં લગ્ન પછી રવીન્દ્રતત્વાચાર્ય મુ. નગીનદાસ પારેખ, મારા શ્વશુર બાળસાહિત્યકાર-અનુવાદક રમણલાલ સોની અને ભોળાભાઈ પટેલની પ્રેરણાથી ગુજરાતીમાંથી ઉડીઆમાં અનુવાદકાર્ય શરૂ કર્યું તે આજ  સુધી ચાલુ છે.’

પ્રસ્તુત પુસ્તક રેણુકાબહેને ‘મને અનુવાદની દીક્ષા આપનાર … વાત્સલ્યમૂર્તિ નગીનદાસ પારેખને’ અર્પણ કર્યું છે. ભોળાભાઈ પટેલે એક જગ્યાએ લખ્યું છે કે ‘માતૃભાષા ગુજરાતી કરતાં લગારેક વધારે અધિકાર તેમનો  ઓડિયા  ભાષા પર હશે.’

કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું સન્માન પામેલાં રેણુકાબહેને કેટલાંક ગુજરાતી પુસ્તકોનો પણ ઉડીઆમાં અનુવાદ કર્યો છે. તેઓ માત્ર અનુવાદક જ નહીં, ઉડીઆ ભાષા-સાહિત્યના ઊંડા અભ્યાસી પણ છે. આ હકીકત ‘ગુજરાતી વિશ્વકોશ’માં તેમણે ‘ઉડિયા ભાષા અને સાહિત્ય’ પર લખેલા વિસ્તૃત અધિકરણ પરથી સમજાય છે.

પ્રસ્તુત સંગ્રહનો વિશેષ એ વિકાસના અણસાર કે અંચળા વિનાના અભાવગ્રસ્ત સમાજનું સાહિત્યકારોએ કરેલું પ્રામાણિક ચિત્રણ  છે.

17 ડિસેમ્બર 2023

‌‌‌‌—————

શ્રેષ્ઠ ઉડીઆ વાર્તાઓ, પ્રકાશક : ગૂર્જર (2023), પાનાં10+368, રૂ.480/- 

પ્રાપ્તિસ્થાન : ગુર્જર સાહિત્ય ભવન, સંપર્ક : 079-22144663 – મો. 9825268759

ગ્રંથવિહાર પુસ્તક ભંડાર, સંપર્ક : 079 -26582949, – મો. 9898762263

[960 શબ્દો] 
પ્રગટ : ‘પુસ્તક સાથે મૈત્રી’ નામક લેખકની સાપ્તાહિક કોલમની સંવર્ધિત અને વિસ્તૃત આવૃત્તિ, ‘રસરંગ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર 2023
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

Kashmir: Article 370 Abrogation and Vilifying Nehru

Ram Puniyani|English Bazaar Patrika - OPED|17 December 2023

Ram Puniyani

As the Supreme Court has upheld the abrogation of Article 370, the RSS ideologues are celebrating it as a SC ratifying the decision of the Government, while leaders of Parties based in Kashmir are aghast with the decision. The same occasion was used by Amit Shah and company to vilify Nehru yet again. Using selective and distorted history their ideology has been propagating that had Sarder Patel handled the Kashmir issue, the problem would have been solved then and there only. Adding on to that Amit Shah stated that Nehru’s decision to declare ceasefire was a Himalayan blunder and that his granting the special status to Kashmir has been the mistake which led to a series of problems.

Surely the accusation made by Mr. Shah has nothing to do with the reality of the events as they unfolded. The attempt to show that Nehru and Patel had differing opinions on Kashmir is a figment of imagination which abuses the facts of the history to its extreme. As such it was Nehru (and Sheikh Abdullah) due to whom Kashmir acceded to India. Maharaja Harisingh had refused to merge with India and was supported in this decision by Praja Parishad. Sardar Patel who was doing the integration of Princely states had enough on his plate. Rajmohan Gandhi in his book, ‘Patel a Life’ points out that what Patel had in mind about Kashmir was to strike a bargain, to have Hyderabad for India and to let Pakistan have Kashmir, Rajmohan Gandhi cites a speech Patel delivered at the Bahauddin College in Junagadh following the latter’s merger with India. In it, he said, “We would agree to Kashmir if they agreed to Hyderabad.”

The treaty of accession with India, was signed by Maharaja Harising after the marauding Pakistan army posing as Tribal (Kabayali) were close to Srinagar border. He approached India and India on the condition that Kashmir accedes to India, and sent the army. Harisingh was dreaming of Independent Kashmir as he was refusing to merge with India. Patel was content with Hyderabad merging with India. It was Sheikh Abdullah, who chose to come on the side of India. Here again his consideration was not religion but secularism and socialism. He was keen for land reforms which he saw as impossibility in Pakistan, with predominant leadership with feudal mindset. With many leaders of Indian talking socialism he felt it was possible in India. He also saw in India the hope for secularism as Gandhi and Nehru gave the message of secularism without any ifs and buts.

Mr. Shah and other RSS ideologues say that Nehru’s decision of cease fire was faulty and was under the pressure of British commanders to whose opinion Nehru succumbed. This again is disproved by the facts of history. That time Lord Mountbatten was the Governor General of India. He first advised for a cease fire and took the matters to the United Nations. He was not alone. Indian leadership saw the consequences of extending the war, the casualties to the civilians and the lack of resources with the Indian army. As per ‘Sardar Patel’s Correspondence, 1945-50, published in 1974 by the Navjivan Publishing House, Ahmadabad’, he expressed… on 4 June 1948, in a letter to Gopalswamy Ayyangar, that the ‘military position is not too good, and I am afraid that our military resources are strained to the utmost’.” So much for the false bravado being spoken by Amit Shah that had the ceasefire not been declared whole Kashmir would have been part of India! This is a totally concocted view which is not backed by historical facts.

As far as stating that taking the matters to the UN was a historical blunder, lets again listen to Sardar Patel, “As regards specific issues raised by Pakistan, as you have pointed out, the question of Kashmir is before the Security Council,” (letter to Nehru dated 23 February 1950). And that, “Having invoked a forum to the settlement of disputes open to both India and Pakistan, as members of the United Nations Organization, nothing further need be done in the way of settlement of disputes than to leave matters to be adjusted through that forum.” The letter is available in the tenth volume of Sardar Patel Correspondence. Surely it was UN which called Pakistan army invading Kashmir as an invasion and in its resolution asked Pakistan to vacate the aggression, while telling India to reduce the army to minimum as a condition for referendum. Pakistan backed by American support refused to withdraw its armies leading to stalemate as referendum, assessing the opinion of Kashmiri people, could not take place.

As far as blaming Nehru for Article 370, RSS combine deliberately forgets that Article 370 giving total autonomy to Kashmir Assembly except in the matters of External Affairs, Defense and Communication was finalized in the Constituent Assembly. This assembly also had representation of Sheikh Abdullah among others. Sardar Patel as Home minister was overseeing the drafting. “At the end of five months of negotiations, when the outline of what would come out to be Article 370 had been decided, NG Iyengar wrote a letter to Sardar Patel, which is again in the public domain for people to verify. “Will you please let Jawaharlal Ji know directly that all these provisions are agreeable to you… only after you agree will Nehru issue a letter to Sheikh Abdullah that you (he) can go ahead.” This shows Patel’s centrality to the provisions of Article 370.

The distortions in history are a major tool in the hands of communal forces. While they have been distorting medieval history in particular, lately they have intensified distorting the history of the freedom movement and the events related to Kashmir. In all these Nehru is criticized to the hilt, the attempt to create a binary between Patel and Nehru is undertaken through their vast propaganda machine. The aim in criticising Nehru is clear as Nehru stood rock solid against the communalism practiced by Hindu nationalists. What is needed most is the promotion of democratic norms in Kashmir and respecting the commitments which were given to them. Hiding behind vilifying Nehru is no solution to the vexed issue of our country.

https://thewire.in/politics/nehru-kashmir-article-370-rss-bjp-distort-history

Loading

COP28: પુનઃપ્રાપ્ય ઊર્જાથી ચાલતી દુનિયાનો દાવો સહેલો, અમલીકરણ અઘરું

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|17 December 2023

ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી

ચિરંતના ભટ્ટ

બુધવારે COP28 સમિટની પૂર્ણાહુતિ થઇ અને ત્યારથી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃપ્રાપ્ય ઊર્જાનો મુદ્દો ચર્ચાઇ રહ્યો છે. વૈશ્વિક સ્તરે ઊર્જાની બચતની દિશામાં સહિયારા પ્રયાસો અંગેની કટિબદ્ધતા આ સમિટનું તારણ છે એમ કહી શકાય. સૌથી પહેલા તો ટૂંકમાં એ સમજીએ કે COP28 છે શું? યુનાઇટેડ નેશન્સની ક્લાઇમેટ ચેન્જ પરિષદ જે નવેમ્બરથી ડિસેમ્બર દરમિયાન આ વર્ષે દુબઇમાં યોજાઇ તેને માટે COP28 – કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ શબ્દ વપરાય છે. યુનાઇટેડ નેશન્સની આ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ દર વર્ષે યોજાય છે જેમાં અલગ અલગ દેશો પર્યાવરણને બહેતર બનાવવાની દિશામાં થતા અને ભવિષ્યમાં થઇ શકે તેવા પ્રયત્નો, પર્યાવરણની કટોકટી સામે લડવા કે ટકી રહેવા શું કરવું તેની ચર્ચા અને 2050 સુધીમાં ઝીરો-એમિશન – પ્રદૂષકોનું ઉત્સર્જન સદંતર અટકે તે માટે કોણે શું બદલવું અને કેવી રીતે આ નિર્ણયો અમલમાં મુકવા તેની વાત થાય છે. 70 હજારથી વધુ પ્રતિનિધિઓએ આ વર્ષે COP28માં ભાગ લીધો જેમાં બિઝનેસ વિશ્વના અગ્રણીઓ, આવનારી કાર્યરત પેઢી, આબોહવાના નિષ્ણાતો, વૈજ્ઞાનિકો, સ્થાનિકો, પત્રકારો અને અન્ય ભાગીદારો જોડાયા.

આ વર્ષના COP28માં 200 જેટલા દેશોએ અશ્મિગત ઇંધણનો ઉપયોગ ઘટાડવાની નિર્ણયને સંમતિ આપી છે જેથી ભવિષ્યમાં ખડી થનારી ક્લાઇમેટ ચેન્જની મહા-આફતને ટાળી શકાય. ભલેને આ આ સંમતિ વિસ્તાર પૂર્વક એવી કોઇ ખાતરી નથી આપતી કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ધીમે ધીમે સાવ બંધ કરી દેવો. પણ આ સમજૂતી કરાર એવો સંકેત ચોક્કસ આપે છે કે અશ્મિગત ઇંધણથી દૂર જવાની બાબતે આખી દુનિયા એકમત છે. તેનો અર્થ એમ કે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગમાં વધારા અને ઉત્સર્જનમાં કાપ મૂકતી તમામ પહેલને પ્રોત્સાહન પૂરું પાડવું અને એ માટેના સંસાધનો રચવાં, ભેગાં કરવાં વગેરે.

આ બધી જ સાંભળવામાં સારી લાગે, ભવિષ્ય બહેતર લાગે એવી બાબતો છે એ ચોક્કસ પણ શું COP28 અંતે જે ધારણાઓ સાથે થઇ હતી તે સિદ્ધ કરી શકે એ રીતે થઇ ખરી? કદાચ ના, પણ એક ભારતીય તરીકે આપણે એ બાબતે ખુશ થવું જોઇએ કે આપણે એક દેશ તરીકે વિકાસલક્ષી જરૂરિયાતોને પૂરી પાડવાનું લક્ષ્ય પણ પૂરું કરી શકીશું અને સાથે વૈશ્વિક સ્તરે ક્લાઇમેટ-પર્યાવરણને લગતા જે પણ ધ્યેય છે તેને અનુસરવામાં પણ કાચા નહીં પડીએ.

ભારત અને આખા વિશ્વ માટે COP28ની અસરોની ચર્ચા કરવી જરૂરી છે. આપણે અશ્મિગત ઇંધણ, ખૂટતા કુદરતી સ્રોતો વગેરે વિશે વર્ષોથી સાંભળીએ છીએ. અશ્મિગત ઇંધણનો ઉપયોગ ટાળવાનાં કારણો અંગે આપણે સ્કૂલની સ્વાધ્યાપોથીઓનાં પાનાં ભર્યા છે. પણ આજે 2023માં પણ આપણે અશ્મિગત ઇંધણના ઉપયોગ ટાળવાની ચર્ચાઓ પર જ અટકેલા છીએ. સદ્દભાગ્યે એમ છે કે હવે વૈજ્ઞાનિક સ્તરે આગળ વધી ગયેલી દુનિયા પાસે નક્કર વિકલ્પો છે, ટૅક્નોલૉજી છે, પરિણામ આપે એવા સંશોધનો પણ કરાયા છે. છતાં પણ COP28માં થયેલી વાતો બધી જ નક્કર વાસ્તવિકતામાં ફેરવાઇ જશે એવું માની લેવાની ભૂલ ન કરી શકાય. 200 જેટલા દેશ ભેગા થયા હોય એટલે વાસણ તો ખખડવાનાં જ. અમુક દેશોને એનો વાંધો હતો કે ફોસિલ ફ્યુઅલ ફેઝ -આઉટ – એટલે કે અશ્મિગત ઇંધણને તબક્કાવાર બંધ કરવાની વાત રજૂ કરતા શબ્દપ્રયોગનો ઉપયોગ ન થયો. જો એ શબ્દ વપરાયો હોત તો એ ફેઝ-આઉટ – ધીમે ધીમે તેનો ઉપયોગ બંધ કરવાની સમય મર્યાદા બાંધી શકાઇ હોત જો કે એમ માનવું ચોક્કસ ભૂલ ભરેલું છે કારણ કે દરેક રાષ્ટ્ર માટે એ સમય મર્યાદા એક સરખી ન હોઇ શકે. વળી અત્યારે જે સ્થિતિ છે તે જોતાં નજીકના ભવિષ્યમાં અશ્મિગત ઇંધણનું ઉત્પાદન અને ઉપયોગ બન્ને અચાનકથી અટકાવી શકાય કે ઓછાં કરી શકાય એવું લાગતું નથી પણ 2050ની જે સમય મર્યાદા COP28માં બાંધવામાં આવી છે તેને માટે આ અનિવાર્ય માપદંડ છે.

હવે કોલસાની વાત આવી ત્યારે સ્ટોરેજની સગવડ અને કાર્બન કેપ્ચર ન હોય તો કોલસાથી ચાલતા નવા પાવર પ્લાન્ટ ન ખોલવાની બાબતનો ભારત સહિતના કેટલાક દેશોએ એ વાતનો વિરોધ કર્યો. હવે આ પ્રકારના વાંધા તો ઓઇલનું ઉત્પાદન કરતા દેશો પણ લેશે કારણ કે તેમનું તો આખું અર્થતંત્ર તેના ઇંધણ પર ટકેલું છે. ફેઝ-ડાઉનની વાત તો કરી પણ એ થાય છે કે કેમ, બરાબર થાય છે કે નહીં એ કેવી રીતે માપવામાં આવશે એની કોઇ ચોખવટ નથી. હવે મિથેનના ઉત્સર્જ પર કાપ મૂકવાની વાતમાં પણ ભારત સહિતના ઘણા દેશોએ વિરોધ દર્શાવ્યો કારણ કે ખેતી પ્રધાન દેશને મિથેનનું ઉત્સર્જન ઘટાડવું હોય તો ખેતી કરવાની પદ્ધતિઓ ધરમૂળથી બદલવી પડે. ભારત માટે આ સહેલું નથી કારણ કે આપણા અર્થતંત્રનો મોટો હિસ્સો ખેતી પર આધાર રાખે છે. મિથેન ઉત્સર્જન ઘટાડવાની વાત થઇ પણ તેના કોઇ માપદંડ, પ્રમાણ, કે લક્ષ્ય નક્કી નથી કરાયા.

એ ખાસ નોંધવાનું કે ચીન અને ભારત – બે દેશ જે વિશ્વના સૌથી મોટા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જક છે તેમણે COP28ના કરારો પર સહી નથી કરી, એમાં બીજા 130 દેશોનો સમાવેશ થાય છે. G20માં લીડર્સ ડેક્લેરેશનમાં આ બન્ને દેશોના હસ્તાક્ષર છે અને તે પણ પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા વધારવાનો કરાર છે. ભારત અને ચીન પાસે આ દિશામાં કામ કરવાની યોજનાઓ પણ છે. ભારત તો પુનઃપ્રાપ્ય ઊર્જાનું વિશાળ માર્કેટ ધરાવનારા દેશોમાં ત્રીજા ક્રમાંકે છે. પવન અને સૂર્ય ઊર્જાની માંગ વધી છે, તેના ઉત્પાદન માટે વધુને વધુ કામ પણ થઇ રહ્યું છે અને કઇ રીતે આ ઊર્જાઓ પેદા કરવી, સંઘરવી અને તેની વહેંચણી કરવાની કામગીરી વાજબી કિંમતે થાય તે માટે પણ વધુને વધુ પહેલ લેવાઇ રહી છે. પરંતુ આ તમામ પર જે-તે દેશના નિયમો, આર્થિક સધ્ધરતા અને માળખાંકીય સુવિધાઓથી માંડીને દરેક બાબતનો પ્રભાવ રહે છે.

ભંડોળ સૌથી મોટી સમસ્યા છે. વિકાસશીલ દેશોને વાજબી ઊર્જા મેળવવા માટેના સ્રોત ખડા કરવા ભંડોળની જરૂર હોય તે સ્વભાવિક છે. આ ચિંતા યુનાઇટે અરબ અમિરાત્સ કે યુ.એસ.એ. જેવા દેશોને ન હોય. ભારતની વાત કરીએ તો આપણને જ અંદાજે 293 બિલિયન ડૉલર્સની જરૂર છે. એટલું ભંડોળ હશે તો 2030 સુધીમા આપણે પુનઃપ્રાપ્ય ઊર્જાની ક્ષમતા ત્રણ ગણી કરી શકીશું. વળી જો નેટ ઝીરો એમિસનના ધ્યેયને સિદ્ધ કરવો હશે તો આપણને 101 બિલિયન ડૉલર્સ બીજા જોઇશે. આ એક સમસ્યા થઇ, આ ઉપરાંત વૈશ્વિક સ્તરે દરેક રાષ્ટ્ર જે અશ્મિગત ઇંધણનો ઉપયોગ બંધ કે ઓછો કરવાની દિશામાં વિચારે છે તે તમામ માટે ઊર્જાનું વહન – ટ્રાન્સપોર્ટેશન – કિંમતોને લગતી અચોક્કસતા, માપદંડ નિયત કરતી નીતિઓ, લેબરની અછત જેવી ઘણી બધી બાબતો આ તબક્કાવાર પરિવર્તનમાં તોતિંગ અવરોધ બની શકે છે.

આપણી પાસે એક રાષ્ટ્ર તરીકે પ્લાન ચોક્કસ છે, વળી તેને લાગુ કરવાની ક્ષમતા પણ. પરંતુ નીતિ વિષયક પરિવર્તનો, પર્યાવરણ – જે છે તેને જાળવવાની કામગીરી, પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્રોતો ખડા કરવા માટે જે વ્યવસ્થા જોઇએ તેની કિંમતોમાં સ્થિરતા જેવી ઘણી બાબતો પણ આપણે કામ કરવાની જરૂર છે. ધનિક દેશો સૌથી વધારે પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે અને એક મક્કમ અભિગમ એમ પણ છે કે ધનિક દેશો માટે COP28ની હા-એ-હા એક દંભથી વધારે કંઇ જ નથી.

બાય ધી વેઃ 

સાંભળવામાં સારું લાગે એ અમલ કરવામાં એટલું જ કપરું હોય છે. વૈશ્વિક સ્તરે જે સ્પર્ધા ચાલે છે, જીઓ-પૉલિટિકલ તણાવ ચાલે છે તે જોતાં પોતાના વ્યાપાર-વાણિજ્યની રક્ષા કરવી દરે રાષ્ટ્ર માટે અગ્રિમતા બની જશે. ધનિક રાષ્ટ્રો સપ્લાય ચેન પર કાબૂ ધરાવે છે અને તેઓ ધારે તો આખું તંત્ર ખોરવાઇ જાય એ રીતે પગલાં લઇ જ શકે છે. જો આ દેશો આડા ફાટે તો વિકાસશીલ દેશો પર તેની ડોમિનો ઇફેક્ટ થાય અને તેઓ પોતાના ધ્યેય સિદ્ધ કરવામાં ઊણા ઉતરે. જો વૈશ્વિક સ્તરના રાજકીય નેતાઓ આ પર્યાવરણીય પરિવર્તનને લગતી પ્રતિજ્ઞાઓ વિશે ગંભીર હોય તે તેમણે યોગ્ય સ્થળે રોકાણ કરવાં પડશે, ખાનગી રોકાણકારોનો ઉપયોગ સાચી દિશામાં કરવો પડશે જેથી 2030 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર્સનું ગ્રીન ઇન્વેસ્ટમેન્ટ થઇ શકે. આ પરિવર્તન સસ્તું નથી પણ આપણ કુદરતી આફતોની જે કિંમત ચૂકવવી પડે છે તેન કરતાં તો આ ઓછી જ કિંમત છે એ ચોક્કસ.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2023

Loading

...102030...726727728729...740750760...

Search by

Opinion

  • નબુમા, ગરબો સ્થાપવા આવોને !
  • ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’ પણ હવે લાખોની થઈ ગઈ છે…..
  • લશ્કર એ કોઈ પવિત્ર ગાય નથી
  • ગરબા-રાસનો સૌથી મોટો સંગ્રહ
  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved