Opinion Magazine
Number of visits: 9955802
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ

રમેશ ઓઝા|Opinion - Opinion|1 September 2024

રમેશ ઓઝા

બનારસમાં અત્યારે માલવિય બ્રીજ તરીકે ઓળખાતો પુલ અંગ્રેજોએ ગંગા નદી પર ૧૮૮૭માં બાંધ્યો હતો. એ પુલ ૧૩૭ વરસ જૂનો છે અને હજુ ઉપયોગમાં છે. ૨૦૦૭માં પુલ ૧૨૦ વરસ જૂનો થયો ત્યારે હેવી વેહિકલ માટે પુલ બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ હળવાં વાહનો હજુ પણ તેનો ઉપયોગ કરે છે. એ પુલ એક કિલોમીટર લાંબો છે. ૧૩ વરસ પછી ૧૯૦૦ની સાલમાં અંગ્રેજ સરકારે આવો બીજો એક અને તેનાથી લગભગ ત્રણ ગણો લાંબો પુલ આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદી પર રાજામુન્દ્રી નજીક બાંધ્યો હતો જે હેવલોક બ્રીજ તરીકે ઓળખાય છે. ૧૯૭૪માં ઇન્દિરા ગાંધીની સરકારે તેની બાજુમાં ચાર કિલોમીટર લાંબો નવો પુલ બાંધ્યો એ પછી હેવલોક બ્રીજને વાપરવાનું બંધ કરાયું હતું. આમ તો ૨૦૧૪ પહેલાં ભારતનો કોઈ વિકાસ થયો નહોતો, પરંતુ ઇન્દિરા ગાંધીએ ભૂલમાં ૧૯૭૪ની સાલમાં હેવલોક બ્રિજની બાજુમાં નવો પુલ બંધાવ્યો હતો જે હજુ પણ વપરાશમાં છે. ૧૮૮૭માં બાંધવામાં આવેલો બનારસનો પુલ અને ૧૯૦૦ની સાલમાં બાંધવામાં આવેલો ગોદાવરીનો પુલ ડબલ ડેકર પુલ છે. નીચે રેલવે માટે અને ઉપર વાહનો માટે.

અંગ્રેજોએ બનારસમાં ગંગા નદી પર આવો બેવડા ઉપયોગવાળો મજબૂત પુલ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને ઉત્તર અને પશ્ચિમ ભારત સાથે જોડી શકાય. હેવલોક બ્રીજ એટલા માટે બાંધ્યો હતો કે પૂર્વ ભારતને દક્ષિણ ભારત સાથે જોડી શકાય. આના દ્વારા માલસામાનની અને શ્રમિકોની યાતાયાત સહેલાઇથી થઈ શકે. ભારતમાંથી ઉત્પાદન માટે કાચો માલ ઇંગ્લેન્ડ પહોંચાડી શકાય અને ત્યાં ઉત્પાદિત કરવામાં આવેલો માલ ભારતની બજારમાં વેચી શકાય. આ સિવાય ખનીજના ઉત્ખનન માટે, તેલ કાઢવા માટે, ચા અને કોફીના બગીચાઓ માટે મજૂરોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકાય. આમાં અંગ્રેજોનો સ્વાર્થ હતો, તેમણે કોઈ ભારત પર ઉપકાર નહોતો કર્યો. એ સમયે રળેલી સમૃદ્ધિ ઇંગ્લેંડ અને યુરોપના બીજા દેશો આજે પણ ભોગવે છે.

ભારતમાં અંગ્રેજોએ પોણા બસો વરસ સીધું રાજ કર્યું અને ભારત આઝાદ થયો એ પછી આટલાં વરસે પણ ભારતનાં કરેલાં શોષણના લાભ ઇંગ્લેંડ ભોગવી રહ્યું છે તો એ શેને કારણે? કારણ બહુ સ્પષ્ટ છે. તેમણે દેશહિતને ધ્યાનમાં રાખીને એટલે કે ઇંગ્લેંડના હિતને ધ્યાનમાં રાખીને ભારતમાં માળખાકીય વિકાસ કર્યો હતો. જેટલું મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલો વધારે લાભ અને લાંબા સમય સુધીનો લાભ. પુલ બાંધો તો એવો બાંધો કે તેના પરથી રેલવે અને વાહન બન્ને પસાર થઈ શકે અને એ પણ દાયકાઓ સુધી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતને એવી રીતે જોડો કે સમગ્ર ભારતને વહીવટી રીતે અને આર્થિક રીતે મૂઠીમાં સમાવી શકાય. તેમની પાસે ભારતના શોષણની અને ઇંગ્લેંડના વિકાસની બેથી ત્રણ સદીની લાંબી યોજના હતી. પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીના હાકેમો અને પછી બ્રિટિશ સરકારના અમલદારો એક જ લક્ષ તરફ એક એક ડગલું માંડતા હતા. દરેક જણ શોષણની યોજનાની કડી બનીને ઇંગ્લેંડથી ભારત આવતા હતા. એકપછી એક આવતી કડી, એક સરખી કડી અને મુદ્દત પૂરી થયે બદલાતી રહેતી કડી. દેશહિતના યજ્ઞમાં પોતાનો ધર્મ બજાવો અને ફરજ પૂરી થયે ખસી જાઓ.

પણ કલ્પના કરો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ સંચાલકે કે અંગ્રેજ સરકારના કોઈ વડા પ્રધાને કે ભારતમાં કામ કરતા કોઈ અંગ્રેજ ગવર્નરે પોતાનો જયજયકાર કરાવવા, ઇતિહાસમાં અમર થવા, બીજાથી પોતાને ચડિયાતા ગણાવવા, બીજાને નીચા દેખાડવા, કોઈ મળતિયા વેપારીને ફાયદો કરાવવા, પ્રજાને આંજી દેવા કે પછી ચૂંટણી જીતવા મળેલી મુદ્દતમાં ઉતાવળે, આડેધડ અને તકલાદી બાંધકામ કર્યાં હોત તો? ધારત તો એ લોકો કરી શકત. ભારત સરકારના શાસકોની તાકાત કરતાં અંગ્રેજ સામ્રાજ્યની તાકાત પાંચસો ગણી હતી. તેઓ ધારત તો ભારતમાં તાજમહાલ જેવી પચાસ ઇમારતો બંધાવી શક્યા હોત, પણ તેમણે ભાગ્યે જ અનુત્પાદક ખર્ચ કર્યો હતો. તેમણે બ્રિટિશ સામ્રાજ્યના જયજયકાર માટે જ્યાં પૈસા નહોતા વેડફ્યા ત્યાં અંગત જયજયકાર માટે પૈસા વેડફવા એ તો બહુ દૂરની વાત છે. અમલદારોને રાજી કરવા અને અંગ્રેજ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસની પ્રજાને યાદ અપાવવા નાનાંમોટાં પૂતળાં બાંધવાથી વિશેષ કોઈ વેડફાટ તેમણે નહોતો કર્યો. માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોતિંગ. મુંબઈનું વી.ટી. સ્ટેશન પૂનાના પેશ્વાઓના રાજમહેલ કરતાં ચાર ગણું મોટું છે અને  તેની એક કાંકરી પણ ખરી નથી. અત્યારે પેશ્વાઓનો રાજમહેલ ખંડેર અવસ્થામાં છે.

તેઓ ધારત તો સો એકરમાં વિશ્વનો સૌથી મોટો ચર્ચ ભારતમાં બાંધી શક્યા હોત. સો કિલોમીટર દૂરથી દેખાય એવી કોઈ ઊંચી ઈમારત બાંધી શક્યા હોત. બેશુમાર તાકાત હતી અને ભારતમાંથી લૂટેલી સમૃદ્ધિની છોળો ઉડતી હતી. કશું જ અશક્ય નહોતું તેમના માટે, પણ તેમણે આવું કશું કર્યું નહોતું, કારણ કે તેઓ અસલામતી અને લઘુતાગ્રંથિથી પીડિત નહોતા. તેઓ દીર્ઘદૃષ્ટિ ધરાવતા હતા અને દેશહિતમાં વ્યવસ્થાની એક કડી બનીને પોતાની ફરજ નિભાવીને ખસી જવા તૈયાર હતા. તેમને જાણ હતી કે એક દિવસ ભારત ગુમાવ્યા પછી પણ તેમની ત્રણ-ચાર પેઢી સુખેથી જીવી શકશે. બાકી દેખાડા એ કરે જેને પોતાનામાં ભરોસો ન હોય. ઇતિહાસમાંથી ભૂંસાઈ જવાનો અથવા ધકેલાઈ જવાનો ડર હોય. આવું એ કરે જે કર્તૃત્વ દ્વારા નહીં, પણ દેખાડા દ્વારા પ્રજાને આંજી દેવાનો પ્રયાસ કરે.

છેલ્લાં દસ વરસ દરમ્યાન બાંધેલાં પુલો, સંસદભવન જેવી ઇમારતો, અયોધ્યાનું રામમંદિર, વિમાનમથકો, સડકો, પૂતળાંઓ કાં તો ધ્વસ્ત થઈ રહ્યાં છે અથવા તેમાં ખામીઓ પેદા થઈ છે. લગભગ દર અઠવાડિયે ટ્રેન અકસ્માત થઈ રહ્યા છે અને વંદે ભારત અને એવી બીજી ઐશ્વર્યનાં પ્રતિક જેવી ટ્રેનોમાં ખામી પેદા થઈ રહી છે. આ જે થઈ રહ્યું છે એ કોઈ અકસ્માત નથી, જે રસ્તો અપનાવવામાં આવ્યો તેનું પરિણામ છે. શાસકો માટે ઇવેન્ટ યોજનારાઓને અને બાંધકામ કરનારાઓને જાણ હોય છે કે તેમણે ચૂંટણી પહેલાં લોકોને આંજી દેવા ભવ્ય નિર્માણ કરી આપવાનું છે કે ભવ્ય ઇવેન્ટનું આયોજન કરી આપવાનું છે. જેવો ઉદ્દેશ એવી રીત અને એવું જ પરિણામ. માટે આ અકસ્માત નથી, જે થઈ રહ્યું છે તેનું આ સ્વાભાવિક અને અનિવાર્ય પરિણામ છે. શોકાંતિકા માત્ર એટલી છે કે શાસક હજુ શાસન છોડે એ પહેલાં તેની સામે જ આ થઈ રહ્યું છે. પણ શું થાય! એક તો આખું તંત્ર ભ્રષ્ટ છે અને એમાં ચાપલૂસી ઉમેરાઈ. કલાકે માત્ર ૪૫ કિલોમીટરની ઝડપે હવા ચાલે અને ઐશ્વર્ય ઢળી પડે! આને કવિન્યાય પણ કહી શકાય નહીં?

દરમ્યાન બનારસના પુલે ૧૩૭ વરસમાં અનેક વખત ગંગામાં પૂરનો સામનો કર્યો છે અને હજુ અડીખમ ઊભો છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 સપ્ટેમ્બર 2024

Loading

ચલ મન મુંબઈ નગરી—262

દીપક મહેતા|Opinion - Opinion|31 August 2024

ચાલો જઈએ જોવા આજે ધારાવીની ઝૂંપડપટ્ટી

આજે આપણા દેશમાં જે કાંઈ ખરાબ છે, ઓછું કે અધૂરું છે, તેના અપયશનો ટોપલો અંગ્રેજ હકૂમતને શિરે ઢોળી દેવાનું આપણને ગમે છે, ફાવે છે. બીજી ઘણી બાબતોમાં આ વાત સાચી ન હોય તો ય એક જમાનામાં દુનિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનું ‘માન’ મેળવનાર ધારાવીની ઝૂંપડપટ્ટી માટે તો એ સાચું છે. મુંબઈની આ પહેલવહેલી ઝૂંપડપટ્ટી ઊભી કરવાનું ‘માન’ તે વખતની અંગ્રેજ સરકારને જાય છે. એક જમાનામાં તળ મુંબઈમાં ધૂમાડાનો ત્રાસ બહુ વધી ગયો હતો. એ વખતે ‘પર્યાવરણ’ કે ‘પ્રદૂષણ’ જેવા શબ્દો તો કોઈએ સાંભળ્યા પણ નહોતા. પણ એ વખતની સરકારને એટલી તો ખબર પડતી હતી કે શહેરમાં આખો દિવસ ધૂમાડાનાં વાદળ ફેલાયેલાં રહે એ કાંઈ સારું નહિ. ક્યાંથી આવે છે આ ધૂમાડો? શહેરમાં ઠેર ઠેર કુંભારો માટીનાં વાસણ નીંભાડામાં પકવે છે. ચમારો રોજે રોજ ભઠ્ઠીઓમાં ચામડાં પકવે છે. આ બંને કામ માટે વપરાય છે લાકડાં. અને આ નીંભાડા, આ ભઠ્ઠીઓ આખો દિવસ ઓકતી રહે છે ધૂમાડો.

મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસન

આનો ઉપાય શો? શહેરના બધા કુંભારોને, બધા ચમારોને ખસેડો શહેરની બહાર. આ વાત અંગ્રેજ રાજ સમજ્યું તો હતું, પણ અમલ કરવાનું અઘરું લાગતું હતું. ૧૮૮૦માં સર જેમ્સ ફર્ગ્યુસન બન્યા મુંબઈના ગવર્નર. અસલ જીવ તો લશ્કરના ઊંચા અધિકારીનો. પણ ક્રિમિયાની લડાઈમાં ઘવાયા. એટલે ૧૮૫૯માં લશ્કરમાંથી નિવૃત્તિ લઈ પડ્યા રાજકારણમાં. ગ્રેટ બ્રિટનની પાર્લામેન્ટના સભ્ય ચૂંટાયા. પછી દક્ષિણ ઓસ્ટ્રેલિયાના અને ન્યૂઝીલેન્ડના ગવર્નર બન્યા. અને ૧૮૮૦માં બન્યા મુંબઈના ગવર્નર, તે ૧૮૮૫ સુધી એ હોદ્દે રહ્યા. પૂણેની પ્રખ્યાત ફર્ગ્યુસન કોલેજ સાથે તેમનું નામ આજે પણ જોડાયેલું છે.

ધારાવીનો માઈલ સ્ટોન

ફર્ગ્યુસન સાહેબે નક્કી કર્યું કે આ ચમારો, કુંભારો અને ધૂમાડો ફેલાવતાં બીજાં વસવાયાંને ખસેડો મુંબઈ બહાર. એ વખતે મુંબઈ શહેરની હદ માહિમ સુધીની. વાંદરા અને તે પછીનો ભાગ ‘મુંબઈ’ નહિ. આ ‘મુંબઈ બહાર’ના વિસ્તારમાં માછીમારોનું એક નાનું ગામડું, નામે ધારાવી. અને સરકારી હુકમને તાબે થઈ મુંબઈનાં વસવાયાં શહેર છોડી વસ્યા આ ધારાવીમાં. છેક ચૌદમી સદીમાં મરાઠીમાં લખાયેલ ‘મહિકાવતીચી બખર’ નામના પુસ્તકમાં મુંબઈ અને તેની આસપાસનાં ઘણાં સ્થળોનાં એ વખતનાં પ્રચલિત નામો જોવા મળે છે. તેમાનું એક નામ તે ‘ધારદેવી’ કે ‘ધારદીવી.’ એ જ પછીથી બન્યું ધારાવી. શરૂઆતમાં અહીં મુખ્ય વસતી કોળી-માછીમારોની, પછી ચમારો અને કુંભારોની. પહેલેથી જ જુદા જુદા પ્રદેશ, ધરમ, ભાષાના લોકો અહીં આવી વસ્યા. પછી તો પરીકથાની રાજકુમારીની જેમ ધારાવીની ઝૂંપડપટ્ટી દિવસે ન વધે તેટલી રાતે વધે, અને રાતે ન વધે તેટલી દિવસે વધે. આજે તો અહીં બનેલો માલ-સામાન દેશના અનેક ભાગોમાં અને વિદેશોમાં પણ જાય છે. ધારાવીનાં ઉદ્યોગોની વાર્ષિક આવક ૫૦૦થી ૬૫૦ મિલિયન અમેરિકન ડોલર જેટલી થવા જાય છે.

ધારાવીની ઝૂંપડપટ્ટીનો એક ભાગ

અને આ ધારાવી હવે તો બની ગયું છે ટુરીસ્ટો માટેનું આકર્ષણ. પાંચ-સાત કંપનીઓ દેશી અને વિદેશી જિજ્ઞાસુઓ માટે ધારાવીની ટૂર નિયમિત રીતે ગોઠવે છે. અને આવી ટૂર વિષે અભ્યાસ લેખો પણ લખાયા છે. આવો એક અભ્યાસ લેખ કેટલાક વખત પહેલાં તૈયાર કર્યો હતો ડો. ખેવના દેસાઈએ. તેઓ સમાજશાસ્ત્રના સુસજ્જ અધ્યાપક હોવા ઉપરાંત પ્રખર નારીવાદી છે. પ્રો. અભિધા વ્યાસ સાથે મળીને તૈયાર કરેલા અભ્યાસ લેખ માટે તેમણે બંનેએ ધારાવીની ટૂર લીધી હતી. તેઓ જણાવે છે કે Slumdog Millionaire ફિલ્મ લોકપ્રિય થયા પછી વિદેશી ટુરિસ્ટો માટે ધારાવીની ઝૂંપડપટ્ટી એક આગવું આકર્ષણ બની રહી છે.

આવી ટૂરમાં તેમને ઝૂંપડપટ્ટીનાં ‘ઘરો’માં, નાના-મોટા ઉદ્યોગ ચલાવતાં કારખાનાંઓમાં, લઈ જવાય છે. અલબત્ત, આવી મુલાકાત દરમ્યાન ફોટા પાડવાની સખત મનાઈ હોય છે. ધારાવીના મોટા ભાગના લોકો અંગ્રેજીનું નજીવું જ્ઞાન ધરાવે છે અને વિદેશી ટુરિસ્ટ અહીંની સ્થાનિક ભાષાઓ જાણતા હોય નહિ. એટલે જે કાંઈ વાતચિત થાય તે અંગ્રેજી જાણતા સ્થાનિક ગાઈડ મારફત થાય છે. અલબત્ત, ઝૂંપડપટ્ટીના જીવતા જાગતા લોકોને આ રીતે ‘જોવાની જણસ’ બનાવવા એ યોગ્ય છે કે કેમ એ અંગે મતભેદ છે. તેના બચાવમાં કહેવાય છે કે આવી ટૂરને પ્રતાપે છેવાડાના મનુષ્યો વિશેની જાણકારી અને સંવેદના વધે છે. તો સામે પક્ષે કહેવાય છે કે દેશની ગરીબીનો દેખાડો કરતી આવી ટૂર હકીકતમાં તો ઓપરેટરો માટે કમાણી વધારવાનો એક નવો નુસખો છે.

આ અભ્યાસ લેખમાં કહ્યું છે કે ધારાવીના ૧.૭ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં લગભગ દસ લાખ માણસો રહે છે. વરસો સુધી ધારાવીની ઝૂંપડપટ્ટી મુંબઈની સૌથી મોટી ઝૂંપડપટ્ટી હતી. પણ ૨૦૧૧ પછી તેના કરતાં વધુ મોટી બીજી ચાર ઝૂંપડપટ્ટી મુંબઈમાં ઊભી થઈ ગઈ છે. ધારાવીમાં લગભગ ૫,૦૦૦ વેપારી એકમો આવેલાં છે અને એક જ રૂમમાં ચાલતી ૧૫,૦૦૦ કરતાં વધુ ફેક્ટરી આવેલી છે. એકબીજાના ખભા પર ચડીને બંધાયેલી હોય તેવી આ ઝૂંપડપટ્ટીમાં ચોખ્ખી હવા, ચોખ્ખું પાણી, અને સ્વચ્છ રસ્તાઓનો અભાવ છે. અહીં પૈસા છે, તો સાથોસાથ નાના-મોટા ગુનાઓ પણ સતત થતા રહે છે. ધારાવીની પગપાળા મુલાકાત પછી ખ્યાલ આવે કે મુંબઈના લઘુ અને અતિલઘુ ઉદ્યોગોનું હૃદય ધબકે છે આ ધારાવીમાં. રીસાઈકલિંગ એ અહીંનો સૌથી મોટો ઉદ્યોગ છે. આ ઉપરાંત આખા મુંબઈમાં સૌથી વધુ પાપડ વણાય છે આ ધારાવીમાં. માટીનાં વાસણો બનાવવાં, ભરતકામ, શીવણકામ, પાઉં, બિસ્કિટ વગેરે બેકરીની જણસો બનાવવી, ચામડાની વસ્તુઓ બનાવવી. આવી કેટલીયે વસ્તુઓ અહીં બને છે અને વેચાય પણ છે. અહીં આવતા ટુરિસ્ટના ૯૫ ટકા પરદેશીઓ, ખાસ કરીને ઇન્ગલન્ડ અને અમેરિકાના લોકો, હોય છે.

આવી ટૂરના વિરોધીઓનું કહેવું છે કે મુંબઈના અમીરોની રહેણીકરણી વિષે જાણવાનું કુતૂહલ પણ વિદેશીઓને હોય છે. પણ તેમને જો આપણે માલેતુજારોના બંગલા ન બતાવતા હોઈએ, તો ગરીબોની ઝૂંપડીઓ બતાવીએ એ કેટલે અંશે યોગ્ય ગણાય? કેટલાક તો આવી ટૂરને ‘પોવર્ટી પોર્ન’ તરીકે ઓળખાવે છે. જો કે ઘણા ધારાવીને ફાઈવ-સ્ટાર સ્લમ કહે છે. કારણ અહીં જાતજાતના નાના-મોટા ધંધા-રોજગાર ધમધમે છે. વળી સ્કૂલ, હોસ્પિટલ, થિયેટર, જીમ, જેવી સગવડો આ ઝૂંપડપટ્ટીની અંદર જ મળી રહે છે. ધારાવીની ટૂરને અંતે ખેવના દેસાઈ અને અભિધા વ્યાસ કહે છે કે આવી ટૂરો દ્વારા ધારાવીના રહેવાસીઓને થોડી કમાણી પણ થતી હશે, તેમના પ્રત્યે હમદર્દી પણ જાગતી હશે, તેમને મદદરૂપ થવાની ઇચ્છા પણ ઘણાનાં મનમાં જાગતી હશે, પણ એ બધું ક્ષણિક હોય છે. ગમે તેટલા ટુરિસ્ટ અહીં આવે, પણ તેથી આવી ઝૂંપડપટ્ટીઓની દશામાં ઝાઝો સુધારો થવાનો નથી.

મુંબઈની એક આગવી ઝૂંપડપટ્ટીની મુલાકાત તો આજે લઈ લીધી. હવે? આગે આગે ગોરખ જાગે.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 31 ઓગસ્ટ 2024

Loading

लोकसभा चुनाव 2024 के बाद आरएसएस की चुनावी रणनीतियां

राम पुनियानी|Opinion - Opinion|31 August 2024

राम पुनियानी

भाजपा के लिए सन 2024 के लोकसभा चुनाव के नतीजे निराशाजनक रहे. लोकसभा में उसके सदस्यों की संख्या 303 से घट कर 240 रह गई. नतीजा यह कि पिछली बार जहाँ केवल नाम की गठबंधन (एनडीए) सरकार थी वहीं इस बार सरकार वास्तव में एक पार्टी की न होकर गठबंधन की नज़र आ रही है. पिछली और उसकी पिछली सरकारों में गठबंधन दलों की सुनने वाला कोई नहीं था. मगर अब इस बात की काफी अधिक संभावना है कि गठबंधन के साथी दलों की राय ओर मांगों को सरकार सुनेगी और उन पर विचार करेगी. इसके चलते भाजपा अपना हिन्दू राष्ट्रवादी एजेंडा उतनी आसानी से लागू नहीं कर पाएगी, जितना पहले कर लेती थी. इसके अलावा, इंडिया गठबंधन की ताकत में भी इजाफा हुआ है और राहुल गाँधी की लोकप्रियता में भी बढ़ोत्तरी हुई है. विपक्ष अब अपनी बात ज्यादा दमख़म से कह पा रहा है.

ऐसा हो सकता है कि पिछली चुनाव में आरएसएस अपनी राजनैतिक संतान भाजपा की मदद के लिए मैदान में न उतरा हो. मगर यह मानना भूल होगी कि वह चुनाव में भाजपा की हार चाहता था. वह केवल भाजपा के ‘नॉन-बायोलॉजिकल’ नेता को चेतावनी देना चाहता था, उसके बढ़ते वर्चस्व की हवा निकलना चाहता था. मगर भाजपा की गाड़ी का स्टीयरिंग व्हील अब भी आरएसएस के हाथों में है. संघ पिछली सीट पर बैठ कर गाड़ी चला रहा है. आरएसएस और भाजपा नेताओं की लम्बी-लम्बी बैठकें चल रही हैं जिनमें चुनाव नतीजों की विवेचना की जा रही है और भविष्य की रणनीति तैयार हो रही है.

उत्तरप्रदेश में ऐसी ही बैठक में आरएसएस के प्रतिनिधिमंडल के नेता सह सरकार्यवाह (संयुक्त महासचिव) अरुण कुमार थे, जो लम्बे समय से संघ और भाजपा के बीच समन्वय का काम करते आ रहे हैं. लाइव हिंदुस्तान के अनुसार, आरएसएस के राम माधव को जम्मू-कश्मीर में हो रहे चुनावों का प्रभार दे दिया गया है.

आरएसएस को लगता है कि चुनाव में भाजपा की सीटों में गिरावट का मुख्य कारण है दलित वोटों का इंडिया गठबंधन की ओर खिसक जाना. इससे निपटने के लिए विहिप को सक्रिय किया जा रहा है. उसके कार्यकर्ता दलित बस्तियों में बैठकें करेंगे और दलितों के साथ भोजन करेंगे. दलितों को लुभाने के लिए विहिप से जुड़े साधु-संत उनकी बस्तियों में धार्मिक कार्यक्रम आयोजित करेंगे. द हिन्दू के अनुसार, “ये धार्मिक नेता नियत स्थानों में पदयात्राएं करेंगे, सत्संग और धर्म संसदों का आयोजन करेंगे, दलितों के घरों में जाएंगे और उनके साथ भोजन करेंगे. यह कार्यक्रम विहिप की 9,000 इकाईयों में किए जाएंगे.”

यह सब हमें राममंदिर आन्दोलन की याद दिलाता है जिसकी नींव विहिप ने रखी थी और बाद में भाजपा ने इस आन्दोलन का मोर्चा सम्हाल लिया था. आरएसएस चालकों (प्रचारकों, स्वयंसेवकों) को प्रशिक्षण तो देता ही था, अब वह बैकसीट ड्राइविंग भी कर रहा है. 2024 के लोकसभा चुनावों के नतीजों ने उसे हिला दिया है और वह भाजपा के खोये हुए वोट बैंक को फिर से हासिल करने के लिए हर संभव प्रयास करने वाला है. चुनाव नतीजों के बाद आरएसएस की सक्रियता से यह जाहिर है कि केवल एक सांस्कृतिक संगठन होने का उसका दावा कितना खोखला है. यह अलग बात है कि इस बार आरएसएस को अपनी राजनैतिक ताकत दूसरी दिशा में लगानी पड़ेगी. राममंदिर आन्दोलन, मंडल से मुकाबला करने के लिए खड़ा किया गया था. मोदी सरकार के दस सालों के दौरान हिंदुत्ववादी एजेंडा के अनुरूप जम कर काम किया गया. और अब लोगों को ऐसा लग रहा है कि आरएसएस, जो ‘मनुस्मृति’ और ‘मुसलमानों से नफरत करो’ के सिद्धांतों पर आधारित है, सामाजिक न्याय के पक्ष में कभी खड़ा नहीं हो सकता.

विपक्षी पार्टियों को हिन्दू राष्ट्र की राजनीति के असलियत को समझने में एक लम्बा वक्त लग गया. मोदी-भाजपा के 10 साल लम्बे पक्षपाती और तानाशाहीपूर्ण शासन के बाद विपक्षी पार्टियों ने आरएसएस की राजनीति के से मुकाबला करने के लिए कुछ कदम उठाए हैं. आरएसएस में भी बदलाव आए हैं. उसके द्वितीय सरसंघचालक एम.एस. गोलवलकर ने उनकी पुस्तक “व्ही ऑर अवर नेशनहुड डिफाइंड” में नाज़ी और फासीवादी विचारधारा का जम कर गुणगान किया था. संघ ने तिरंगे का विरोध किया था और भारत के संविधान का भी. नाथूराम गोडसे द्वारा महात्मा गाँधी की हत्या के बाद आमजनों की निगाहों में आरएसएस की छवि बहुत ख़राब हो गयी थी.

यह नियति ही थी कि जयप्रकाश नारायण का ‘संपूर्ण क्रांति’ आन्दोलन उभरा और उससे आरएसएस को फिर से विश्वसनीयता और स्वीकार्यता हासिल हुई. जेपी प्रतिबद्ध स्वाधीनता संग्राम सेनानी थे मगर फिर भी वे आरएसएस की असलियत को नहीं समझ सके. उन्होंने यहाँ तक कहा कि, “अगर आरएसएस फ़ासिस्ट है तो मैं भी फ़ासिस्ट हूँ.” नेहरु को आरएसएस की असली प्रकृति की अच्छी समझ थी. दिसंबर 1947 में प्रांतीय सरकारों के मुखियाओं को लिखे गए एक पत्र में नेहरु ने लिखा था, “हमारे पास इस आशय के ढेर सारे सुबूत हैं कि आरएसएस की प्रकृति एक निजी सेना जैसी है. वह पूरी तरह से नाजियों की राह पर चल रहा है और नाज़ी संगठनों के तौर-तरीके भी अपना रहा है.” आरएसएस की इस असलियत पर बाद की सरकारों ने ध्यान नहीं रखा. इसके अलावा, आरएसएस द्वारा प्रशिक्षित प्रचारकों ने देश की महत्वपूर्ण सामाजिक और राजनैतिक संस्थाओं में घुसपैठ कर ली.

भाजपा सरकार के दो कार्यकालों में जनता के एक बड़े तबके और कई राजनैतिक दलों का भाजपा से पूरी तरह मोहभंग हो गया है. उन्हें यह समझ में आ गया है कि नेहरु जो कहते थे, उसमें सच्चाई थी. इसके अलावा, अनेक नागरिक समाज संगठन, जो चुनावों से दूरी बनाये रखते थे, भी जाग उठे हैं. उन्हें यह साफ़ नज़र आ रहा है कि भाजपा-आरएसएस के शासन ने हमारे समाज को इतना नुकसान पहुंचा दिया है कि इंडिया गठबंधन की सारी कमजोरियों के बावजूद अब यह ज़रूरी हो गया है कि प्रजातान्त्रिक और बहुवादी मूल्यों को पुनर्स्थापित करने के उसके अभियान को हर तरह का सहयोग दिया जाए. विभिन्न मुद्दों पर अपने मतभेदों को परे रख, ये संगठन आपस में सहयोग कर रहे हैं ताकि हमारे देश में प्रजातंत्र बचा रहे और बहुवाद फले-फुले. इडूलु कर्नाटक और उसके बाद भारत जोड़ो अभियान इस सहयोग के उदाहरण हैं.

यह अहसास केवल राजनीति के क्षेत्र तक सीमित नहीं. हम सब देख रहे हैं कि किस तरह देश में वैज्ञानिक और तार्किक सोच को हतोत्साहित किया जा रहा है और अंधश्रद्धा को बढावा दिया जा रहा है. प्राचीन भारत का अतार्किक महिमामंडन हो रहा है. हमें बताया जा रहा है कि प्राचीन भारत में प्लास्टिक सर्जरी थी. हमें यह भी बताया जा रहा है कि गौमूत्र में सोना होता है और यह भी कि थालियाँ पीटने से कोरोना भाग जायेगा. आईआईटी, जो विज्ञान और तकनीकी के क्षेत्र में देश के सर्वोच्च संस्थान हैं, ‘पंचगव्य’ की उपयोगिता पर शोध कर रहे हैं.

आरएसएस के प्रशिक्षित प्रचारक चारों ओर हैं. मीडिया और सोशल मीडिया के ज़रिये वे प्रतिगामी मूल्यों को प्रोत्साहित कर रहे हैं. सड़ांध बहुत गहरे तक पहुँच चुकी है. भाजपा को चुनावों में पराजित करना, इस सड़ांध को मिटने की दिशा में पहला कदम है. इसके बाद हमें ऐसी सामाजिक सोच जो बढ़ावा देना होगा जो हमारे स्वाधीनता आन्दोलन के मूल्यों पर आधारित हो. चाहे वह इतिहास हो या विज्ञान या न्याय व्यवस्था, हमें सांप्रदायिक विचारधारा द्वारा बोए गए विषैले पौधों को उखाड़ फेंकना होगा.

28 अगस्त 2024
(अंग्रेजी से रूपांतरण अमरीश हरदेनिया. लेखक आईआईटी मुंबई में पढ़ाते थे और सन 2007 के नेशनल कम्यूनल हार्मोनी एवार्ड से सम्मानित हैं)  

Loading

...102030...663664665666...670680690...

Search by

Opinion

  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!
  • ફૂટપાથ થોડી જિંદગી બચાવી શકે એમ છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved